HomeNationalસંગમ નગરી મુલાયમ સિંહની પ્રતિમા મૂકાતાં વિવાદ, સાધુ-સંતોએ કર્યો વિરોધ

સંગમ નગરી મુલાયમ સિંહની પ્રતિમા મૂકાતાં વિવાદ, સાધુ-સંતોએ કર્યો વિરોધ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

સંગમ નગરી પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં બનાવવામાં આવેલા એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમા મૂકાતાં વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય અખાડા પરિષદ સહિત અન્ય સંતોએ આ પ્રતિમાનો વિરોધ કરતાં કહ્યું છે કે, ‘હિન્દુઓની પવિત્ર આસ્થાના આ પર્વમાં હિન્દુ વિરોધી નેતાની પ્રતિમા હિન્દુઓનું અપમાન કરી રહી છે.

પ્રતિમાની સ્થાપના પર અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, ‘મુલાયમ સિંહ યાદવ હિન્દુ વિરોધી અને સનાતન વિરોધી વિચારધારા ધરાવે છે. મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવાનો ઉદ્દેશ અમને એ ઘટના યાદ અપનાવવાનો છે કે, જેમાં તેમના લોકોએ હિન્દુઓની હત્યા કરી હતી.

વધુમાં મહંતે જણાવ્યું હતું કે, ‘અમને મુલાયમ સિંહ સાથે કોઈ વાંધો નથી. તે અમારા મુખ્યમંત્રી રહ્યા ચૂક્યા છે. પરંતુ આ પ્રતિમા સ્થાપિત કરીને તેઓ શું સંદેશ આપવા માગે છે. બધા જાણે છે કે, રામ મંદિર આંદોલનમાં તેમણે શું કર્યું હતું. તે હંમેશાથી હિન્દુ વિરોધી, સનાતન વિરોધી અને મુસલમાનોના હિતેચ્છી રહ્યા છે.’ જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે પણ મહંત રવિન્દ્ર પુરીના નિવેદનને સમર્થન આપ્યું હતું. આજથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અત્યારસુધીમાં 60 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. જો કે, આ મહાકુંભ મેળામાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની મૂર્તિ મૂકતાં વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img