વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા આપવા પહોંચ્યા હતા. બંને ટોચના નેતાઓએ પૂર્વ પીએમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અંતિમ દર્શન માટે આજે મોતીલાલ નેહરુ માર્ગ જઈ શકે છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ હાલમાં અહીં રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, ‘આ દુઃખદ સ્થિતિ છે. ડૉ.મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતા. આઝાદી પછી તેઓ હીરો હતા. દરેક વ્યક્તિએ તેમની દૂરંદેશી અને દેશ પર શાસન કરવાની ક્ષમતા જોઈ… 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ સહિત 7 દિવસ માટે કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
ત્યારે દેશના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહને દેશ દુનિયાના નેતાઓ શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને તેમના નિધન અંગેની જાણકારી આપી છે. તેમને ટ્વીટ કરતા લખ્યું કે 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, “ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સરદાર ડૉ. મનમોહન સિંહ જીના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેઓ એક મહાન રાજનેતા અને દૂરંદેશી નેતા હતા. એક શીખ, એક અનુકરણીય વ્યાવસાયિક અને એક અદ્ભુત માનવી. નાણાં તરીકે. પ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન અને રાષ્ટ્રના નેતૃત્વને ભારતીયો દ્વારા લાંબા સમય સુધી કૃતજ્ઞતા અને સ્નેહ સાથે યાદ કરવામાં આવશે અને મને તેમની સાથે કામ કરવાનો લહાવો મળ્યો છે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે, જિનીવામાં અમારી પોસ્ટિંગ દરમિયાન જ્યારે તેઓ સાઉથ કમિશનના વડા હતા અને પછી નાણા પ્રધાન અને વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન જીનીવા, બ્રાઝિલમાં રાજદૂત અને પછી ન્યૂયોર્કમાં વડા પ્રધાનની મુલાકાતની યજમાની કરવાનો લહાવો મળ્યો હતો. ગુરશરણ જી અને તેમની પુત્રીઓ પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.
આ પણ વાંચો :-