દેશના અનેક રાજ્યોના રાજ્યપાલોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિહાર, ઓડિશા, મિઝોરમ, કેરળ, મણિપુરના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના રાજ્યપાલ પદેથી રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની પણ નિમણૂક કરી છે.
મહત્વનું છે કે રાષ્ટ્રપતિએ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને હવે બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- જનરલ (ડૉ) વિજય કુમાર સિંહ, PVSM, AVSM, YSM (નિવૃત્ત) ની મિઝોરમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
- બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ નિયુક્ત
આ પણ વાંચો :-