રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વારંવાર નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો પર દંડ લાદે છે. એવામાં RBIએ ઇન્ડસઇન્ડ બેંક પર 27.30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. દંડ એટલા માટે કેમ કે, જમા થયેલ રાશિ પર વ્યાજ દર સંબંધિત નિયમોનું પાલન કર્યું ન હતું. આ માહિતી સેન્ટ્રલ બેંક દ્વારા આપવામાં આવી છે. 31 માર્ચ, 2023 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિ અંગે ઇવેલ્યુએશન કરવામાં આવ્યું હતું. વૈધાનિક નિરીક્ષણ બાદ RBIએ બેંકને નોટિસ જારી કરી હતી.

ઈન્ડસઈન્ડ બેન્કના જવાબ અને જાહેરાત સંબંધિત પ્રેઝન્ટેશનનો અભ્યાસ કર્યા બાદ આરબીઆઈને જાણવા મળ્યું હતું કે, અયોગ્ય કંપનીઓના નામે કેટલાક બચત ખાતા ખોલવા સાથે સંબંધિત આરોપો સાચા સાબિત થયા છે. આ માટે દંડ લાદવો જરૂરી છે. જો કે, આરબીઆઈએ જણાવ્યું હતું કે નિયમનકારી પાલનમાં ક્ષતિઓ પર આ દંડ લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ ઇન્ડસઇન્ડ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઘોષણા કરવાનો નથી.
અન્ય એક કિસ્સામાં, કેન્દ્રીય બેંકે નો યોર કસ્ટમર (KYC) ધોરણોનું પાલન ન કરવા બદલ મન્નાપુરમ ફાઇનાન્સ પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે 31 માર્ચ, 2023 સુધી નાણાકીય સ્થિતિ અંગે એનબીએફસીનું વૈધાનિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ પર મનપ્પુરમ ફાઇનાન્સના જવાબ પર વિચાર કર્યા પછી, કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે કંપની ગ્રાહકોની સ્વીકૃતિ સમયે જારી કરનારી ઓથોરિટીની ચકાસણી સુવિધાથી ગ્રાહકોના પાનની ચકાસણી કરવામાં નિષ્ફળ ગઈ છે.
અગાઉ પણ, નિયમોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક દ્વારા ઘણી અલગ-અલગ બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, બેંકો પર આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલા આવા દંડની ગ્રાહકો પર અસર થશે નહીં. બેંકને લગતા વ્યવહાર સરળતાથી ચાલુ જ રહેશે. બેંક દ્વારા આપવામાં આવેલા લાભો પર પણ ગ્રાહકોને કોઈ જ અસર નહીં થાય.
આ પણ વાંચો :-