ક્રિકેટ જગતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું છે. 39 વર્ષીય બેટ્સમેન પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડનો આરોપ છે. આ વોરંટ પ્રાદેશિક પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું છે. રેડ્ડી તરફથી વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પુલકેશનગર પોલીસને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે.
સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનું મેનેજમેન્ટ કરી રહેલા રોબિન ઉથપ્પા પર આરોપ લાગ્યો છે કે તેમણે તેમના કર્મચારીઓના પગારમાંથી પીએફ તો કાપ્યું, પરંતુ તે રકમ તેમના કર્મચારીઓના ખાતામાં જમા નથી કરાવી. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ 23 લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે.
PF કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ 4 ડિસેમ્બરે પુલકેશનગર પોલીસને એક પત્ર લખ્યો હતો. પરંતુ તે પોલીસ પાસે પાછું આવી ગયું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિયમો અનુસાર, કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ કાપે છે તેણે એ રકમ પીએફ ખાતામાં જમા કરાવવી પડે છે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. પોલીસ હવે તેને શોધી રહી હોવાનો દાવો કરાયો છે.
આ પણ વાંચો :-