Saturday, Sep 13, 2025

પુતિનની ભારતીયો માટે રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી….!

2 Min Read

ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીયો ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જોકે, ઈ-વિઝા જારી કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે.

મોટાભાગે ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે. 2023માં 60,000થી વધુ ભારતીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી. જે 2022 કરતા 26 ટકા વધુ છે. CIS સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે જ્યાંથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે. એકલા 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 1,700 ઈ-વિઝા જારી કરવામાં આવ્યા હતા.

હાલમાં, રશિયા ઓગસ્ટ 2023 માં શરૂ થયેલા વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય કાર્યક્રમના ભાગ રૂપે ચીન અને ઈરાનના નાગરિકોને વિઝા વિના પ્રવેશવાની મંજૂરી આપે છે. આ કાર્યક્રમ સફળ રહ્યો છે અને રશિયાને આશા છે કે તે આ લાભને ભારત સુધી પણ વિસ્તારી શકશે. ભારતીય પાસપોર્ટ ધારકોને હાલમાં 62 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મળે છે અને હવે ટૂંક સમયમાં રશિયામાં પણ ભારતીયોને વિઝા મુક્ત પ્રવેશ મળશે.

આ પણ વાંચો :-

Share This Article