દિલ્હીના પૂર્વ મુખ્યામંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું દિલ્હીના લોકો માટે બે મોટી જાહેરાત કરવા આવ્યો છું. બંને દિલ્હીની મહિલાઓ માટે છે. મેં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. દિલ્હી કેબિનેટે તેને પાસ કરી દીધો છે. આ યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલાં આમ આદમી પાર્ટીને આ યોજનાને લાગુ કરવાની અપેક્ષા હતી. CM આતિશીએ હાલમાં જ નાણાં વિભાગને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લે. તેમણે નાણાં અને યોજના વિભાગોને પ્રસ્તાવ પર વિચાર કરવા અને એ અનુસાર પોતાનો મત રાખવા નિર્દેશ આપ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, ભાજપના લોકો કહે છે કે પૈસા ક્યાંથી આવશે. જ્યારે હું મફત વીજળી આપતો હતો ત્યારે પણ તેઓ આવું જ કહેતા હતા. હું જે કહું તે કરું છું. યોજના અમલમાં આવી છે પરંતુ ચૂંટણી બાદ ખાતામાં પૈસા આવશે. કેજરીવાલે કહ્યું કે આ માટે રજીસ્ટ્રેશન શુક્રવારથી શરૂ થશે. આ રજિસ્ટ્રેશન 1000 રૂપિયામાં નહીં પરંતુ 2100 રૂપિયામાં થશે. ચૂંટણી પછી તમારા ખાતામાં 1000 નહીં પરંતુ 2100 રૂપિયા આવશે. ચૂંટણી જીતીને જ્યારે અમારી સરકાર બનશે ત્યારે મહિલાઓના ખાતામાં દર મહિને 2100 રૂપિયા મોકલવામાં આવશે. ભાજપના લોકો પૂછે તો કહે કે મારો ભાઈ જાદુગર છે. લાકડી લહેરાવશે અને પૈસા લાવશે.
આ યોજનાને લઈને અધિકારીઓએ નાણાં મંત્રીને રિપોર્ટ સોંપી દીધો હતો. આ યોજના માટે રૂ. 4560 કરોડનું બજેટ પ્રસ્તાવિત છે. વિભાગે આ યોજનાની ખામીઓને પણ ઉજાગર કરી હતી. દિલ્હી સરકારના અધિકારીઓ અનુસાર પ્રસ્તાવિત યોજનાનું લક્ષ્ય રૂ. ત્રણ લાખથી ઓછી વાર્ષિક પારિવારિક આવકવાળી મહિલાઓ છે. જેને પગલે લાભાર્થી મહિલાઓની સંખ્યા આશરે 10 લાખ સુધી હશે.
આ પણ વાંચો :-