Friday, Oct 31, 2025

મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા ફાટી નીકળી, ચુસ્ત બંધોબસ્ત

2 Min Read

મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારે બંધારણના અપમાન મામલે અપાયેલા બંધના એલાન વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપીની ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં મંગળવારે કેટલાક બદમાશોએ પરભણી રેલ્વે સ્ટેશનની બહાર બીઆર આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ આગચંપી અને પથ્થરમારો થયો હતો. તેના વિરોધમાં અનેક સંગઠનોએ શહેરમાં બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન અચાનક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બદમાશોએ ઘણી જગ્યાએ આગચંપી શરૂ કરી દીધી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

ઘટના વચ્ચે બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘પરભણીમાં જાતિવાદી મરાઠા ઉપદ્રવીઓએ બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની મજાક ઉડાવી છે, જે અત્યંત નિદનિંય અને શરમજનક છે. આવું પહેલી બન્યું નથી, આ પહેલા પણ બાબાસાહેબની પ્રતિમા અથવા દલિતોની ઓળખસમાન પ્રતિક પર આવી તોડફોડ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, “પરભણી જિલ્લામાં ઘટના જાણ થતા જ VBAના કાર્યકર્તા પહેલા પહોંચી ગયા છે. અહીં અમારા કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શના કારણે પોલીસે FIR નોંધી છે અને ઉપદ્રવીઓમાંથી એકની ધરપકડ કરી છે. હું તમામને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરું છું. જો આગામી 24 કલાકની અંદર ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો ગંભીર પરિણમો ભોગવવા પડશે.”

આ પણ વાંચો :-

Share This Article