Thursday, Oct 30, 2025

પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી, શું જુનું પાન કાર્ડ અમાન્ય થઇ જશે? જાણો તમામ ડિટેલ્સ

1 Min Read

પાન કાર્ડ વિશે કેન્દ્ર સરકારે મોટી નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ PAN કાર્ડને વ્યવસાયો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર સ્ત્રોત તરીકે બનાવવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ હવે ક્યુઆર કોડ વાળા પાન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરશે.

PAN 2.0 એ પરમિનન્ટ એકાઉન્ટ નંબર સિસ્ટમનું વ્યાપક અપગ્રેડેશન છે. જે કરદાતાઓને સીમલેસ, ડિજિટલ અનુભવ પ્રદાન કરતાં કામગીરીને સરળ બનાવે છે. આ સિસ્ટમ પાન સંબંધિત તમામ સેવાઓ અને સરકારી કામકાજ માટે સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ તૈયાર કરશે. જેમાં યુઝરનો ડેટા સુરક્ષિત રાખવા માટે સાયબર સિક્યુરિટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

PAN 2.0 યોજના હેઠળ તમામ સરકારી ડિજિટલ એજન્સીઓ માટે પાન કાર્ડને કોમન બિઝનેસ આઈડેન્ટિફાયર બનશે. પાન કાર્ડમાં ક્યુઆર કોડ આપવામાં આશે. જેથી કરદાતાઓની વિગતોનું ઝડપી અને સુરક્ષિત વેરિફિકેશન થઈ શકશે. કરદાતાઓના ડેટાને સુરક્ષા પ્રદાન કરતાં સાયબર સિક્યુરિટીને મજબૂત બનાવવામાં આવી છે. સંપૂર્ણપણે પેપરલેસ સિસ્ટમ હોવાથી પર્યાવરણ અને ખર્ચમાં બચત કરશે.

આ પણ વાંચો :-

Share This Article