તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પ્રથમ બેઠક તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં તેના નવા પ્રમુખ બી.આર. નાયડુના નેતૃત્વમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભગવાન વેંકટેશ્વર મંદિરમાં દર્શનનો સમય ૨-૩ કલાક ઓછા કરવા માટે એક એક્શન પ્લાન સૂચવવા માટે નિષ્ણાતોની એક પેનલની રચના કરવામાં આવશે. એ સિવાય ત્યાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ મુકવામાં આવશે.

આ બેઠકમાં લાડુ બનાવવા માટે સારી ગુણવત્તાના ઘીની ખરીદી અને બિન-હિંદુઓની બદલી જેવા અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે TTD એ બોર્ડ છે જે આંધ્ર પ્રદેશના શ્રી વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે. જૂનમાં તેલુગુ દેશમ પાર્ટીની આગેવાની હેઠળની સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ બેઠક પણ હતી.
બોર્ડના સભ્ય જે શ્યામલા રાવે જણાવ્યું હતું કે વિશેષ પ્રવેશ દર્શન માટેનો ક્વોટા નાબૂદ કરવામાં આવશે. વીઆઈપી દર્શનને લઈને વિવાદ યથાવત્ છે, બોર્ડ ઇચ્છતું નથી કે આના પર વધુ પ્રશ્નો ઉભા થાય. દર મહિનાના પહેલા મંગળવારે તિરુપતિના સ્થાનિક નાગરિકો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય હવે નેતાઓ મંદિર પરિસરમાં રાજકીય નિવેદનો આપી શકશે નહીં. આમ કરવાથી બોર્ડ તેમને કાનૂની નોટિસ ઈશ્યુ કરશે.
તાજેતરમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘી જોવા મળ્યું હતું. લાડુ માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી જેવા વાંધાજનક ઘટકો જોવા મળ્યા હતા. આને લઇને ભારે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ પ્રસાદની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-