Thursday, Oct 23, 2025

સલમાન ખાન અને શારુખાન બાદ હવે અભિનેત્રી અક્ષરા સિંહનો જીવ જોખમમાં !

1 Min Read

સલમાન ખાન અને શારુખાન બાદ હવે પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી અક્ષર સિંહ પણ ખંડણી કેસમાં ધમકીભર્યો ફોન આવ્યો છે અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ભોજપુરીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી પાસેથી ફોન પર 50 લાખ રૂપિયાની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી છે.

અક્ષર સિંહ ખંડણીના પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફોન કરનારે કહ્યું છે કે જો 2 દિવસમાં આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવામાં આવશે.

અભિનેત્રી અક્ષરા સિંહે આ મામલે બિહારના દાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દાનાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે લેખિત ફરિયાદ આપી છે. તેની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અક્ષરાના ફેન્સને આ માહિતી મળતા જ તેમણે અભિનેત્રીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ચાહકોનું કહેવું છે કે, પોલીસે જલદી આરોપીને શોધીને સજા કરવી જોઈએ. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે, આ માત્ર છેડતીનો મામલો છે કે કોઈ મોટી દુશ્મની છે.

આ પણ વાંચો :-

Share This Article