HomeNationalઈઝરાયેલનો ઈરાન પર હુમલો, તેહરાનમાં સૈન્ય ઠેકાણા પર બોમ્બ વરસાવ્યા

ઈઝરાયેલનો ઈરાન પર હુમલો, તેહરાનમાં સૈન્ય ઠેકાણા પર બોમ્બ વરસાવ્યા

Date:

Related stories

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...
spot_img

ઈઝરાયેલે ઈરાન પર મોટો જવાબી હુમલો કર્યો છે અને રાજધાની તેહરાનમાં ઈરાની સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓના અવાજ આખા તેહરાનમાં સંભળાયા હતા. ઈઝરાયેલની સેનાએ આ હુમલાઓને જવાબી કાર્યવાહી ગણાવી અને કહ્યું કે તે પોતાના દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે કંઈ પણ કરશે.

ઈરાન અને ઇઝરાયલના મિસાઇલ હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં શું બદલાયું? - BBC News ગુજરાતી

આ હુમલાને લઈને ઈઝરાયેલના સંરક્ષણ દળો દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. આમાં, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઇરાની શાસન દ્વારા ઇઝરાયેલ પર મહિનાઓથી સતત હુમલાના જવાબમાં, ઇઝરાયેલી દળો ઇરાનમાં સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલાઓ કરી રહ્યા છે. ઈરાની શાસન અને તેના પ્રોક્સીઓ 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે.

ઇઝરાયેલ આર્મી IDF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક તસવીર પણ શેર કરવામાં આવી છે. તેમાં ઇઝરાયેલના આર્મી ચીફ ઓફ જનરલ સ્ટાફ એલટીજી હરઝી હલેવી સામેલ હતા, જે હાલમાં કેમ્પ રાબિન (ધ કિર્યા) ખાતે ઇઝરાઇલી એરફોર્સના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઇરાન પરના હુમલાને કમાન્ડ કરી રહ્યા છે, તેની સાથે ઇઝરાયેલી એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ ટોમર બાર પણ સામેલ હતા. મળતી માહિતી મુજબ, ઈરાન વિરુદ્ધ હુમલામાં સોથી વધુ ઈઝરાયેલના સૈન્ય વિમાન સામેલ છે. હુમલા બાદ ઈરાન અને ઈરાકે તમામ એરસ્પેસ બંધ કરી દીધી છે.

ઇઝરાયેલના હુમલા બાદ શનિવારે પૂર્વી તેહરાનમાં વધુ ચાર વિસ્ફોટ થયા હતા. સ્થાનિક મીડિયાએ કહ્યું છે કે રાજધાનીમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે 1 ઓક્ટોબરે ઈરાન પર થયેલા મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે આ હુમલા કર્યા છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોતને લઈને ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img