HomeNationalબાંગ્લાદેશના મંદિરમાંથી પીએમ મોદીએ ભેટમાં આપેલા મુગટની ચોરી

બાંગ્લાદેશના મંદિરમાંથી પીએમ મોદીએ ભેટમાં આપેલા મુગટની ચોરી

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદથી જબરદસ્ત અરાજકતાનું વાતાવરણ છે. સાતખીરાના જેશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી થઈ છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, આ તાજ પીએમ નરેન્દ્ર મોદીએ માર્ચ, 2021માં મંદિરની મુલાકાત દરમિયાન ભેટમાં આપ્યો હતો. પીએમ મોદીએ મંદિરની મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો હતો. કોરોના મહામારી પછી કોઈપણ દેશની આ તેમની પ્રથમ મુલાકાત હતી.

Pm Modi bangladesh

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે બપોરે જશોરેશ્વરી મંદિરમાંથી મુગટની ચોરી થઈ હતી. આ ઘટનાના થોડા સમય પહેલા મંદિરના પૂજારીઓ દરરોજ પૂજા અર્ચના કરીને સ્થળ છોડી ગયા હતા. આ પછી સફાઈ કર્મચારીએ જોયું કે દેવીના માથામાંથી મુગટ ગાયબ હતો. જશોરેશ્વરી મંદિર ભારત અને આસપાસના દેશોમાં ફેલાયેલી 51 શક્તિપીઠોમાંથી એક હોવાનું માનવામાં આવે છે.

મંદિર સતખીરાના ઇશ્વરીપુરમાં છે. માહિતી મુજબ, તેનું નિર્માણ 12મી સદીમાં અનારી નામના બ્રાહ્મણ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જશોરેશ્વરી પીઠ માટે 100 દરવાજાનું મંદિર બનાવ્યું હતું. પાછળથી 13મી સદીમાં લક્ષ્મણ સેન દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. 16મી સદીમાં રાજા પ્રતાપાદિત્ય દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. PM મોદીએ માર્ચ 2021માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન આ મુગટ અર્પણ કર્યો હતો.

ત્યારબાદ વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ભારત આ મંદિરમાં સમુદાયનું નિર્માણ કરશે. આ હોલ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોની દ્રષ્ટિએ ખૂબ મદદરૂપ થશે. ઉપરાંત, તે તોફાન જેવી આપત્તિઓ દરમિયાન આશ્રયસ્થાન તરીકે કામ કરશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img