HomeGujaratહૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ, બદમાશોએ દેવીની મૂર્તિ ખંડિત કરી

હૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ, બદમાશોએ દેવીની મૂર્તિ ખંડિત કરી

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

હૈદરાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં અજાણ્યા શખ્સોએ દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસર બેગમ બજારમાં પોલીસ કર્મીઓની એક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યુ છે. પોલીસે કેસની તપાસ કરી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તો બીજી તરફ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે દાંડિયા કાર્યક્રમ થયો ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર હતી. આ ઘટના કયા સમયે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. જો કે, પોલીસનું કહેવું છે કે અજાણ્યા લોકોએ હુંડી (દાન પેટી) બાજુ પર ખસેડી હતી, જેના કારણે દેવી દુર્ગાની મૂર્તિનો હાથ પડી ગયો હતો. પ્રદર્શન સોસાયટીના રહેવાસીઓ અને સ્ટાફ દર વર્ષે દેવી શરણ નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે દેવીની મૂર્તિ બનાવે છે.

પહેલા વીજળી કાપી, પછી સીસીટીવી તોડ્યા પોલીસ અને આયોજકોએ જણાવ્યું કે આરોપીઓએ પંડાલમાં પ્રવેશતા પહેલા વીજળી કાપી નાખી. આ પછી તેઓએ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. જેના કારણે હજુ સુધી ઘટનાના સમયના કોઈ ફૂટેજ સામે આવ્યા નથી. આરોપીઓએ બેરિકેડિંગ હટાવીને પૂજાની વસ્તુઓ ફેંકી દીધી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img