Thursday, Oct 23, 2025

બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાનો કોંગ્રેસ પર કટાક્ષ

2 Min Read

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બીજેપી એ સૌ કોઈને ચોંકાવતા પોતાની સરકાર બનાવી છે, અત્યાર સુધીનું પરિણામ જણાવી રહ્યું છે કે પાર્ટીની સ્પષ્ટ બહુમતી મળી રહી છે. હવે બીજેપી એ કોંગ્રેસનો મજાક બનાવવાનું પણ શરૂ કરી દીધુ છે. ભાજપના તમામ પ્રવક્તાઓ એ વાત પર મજાક ઉડાવી રહ્યા છે કે શરૂઆતના ટ્રેંડ બાદ જ કોંગ્રેસે ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ હતું.

Rahul's Elevation is Rigged: Maha Congress Secy Shehzad Poonawalla

બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વારે 8.30થી 9 વાગ્યે પવન ખેડા જલેબી વહેંચી રહ્યા હતા. 11થી 11.30 આવતા આવતા તેમના પ્રવક્તા ચૂંટણી આયોગને ભાંડવા લાગ્યા હતા. 12 વાગતા જ જયરામ રમેશ દેશની સંસ્થા પર સવાલો ઉઠાવા લાગ્યા અને 2 વાગતા જ દેશની જનતાના વિવેક પર પણ સવાલ ઉઠાવવાનું કામ કોંગ્રેસ પાર્ટી જરૂરથી કરશે.

પૂનાવાલાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે ભલે હરિયાણા હોય કે જમ્મુ-કાશ્મીર, જનતાએ કોંગ્રેસ પાર્ટીને એક સાફ સંદેશ આપી દીધો છે કે, પહેલવાન, જવાન અને ખેડૂત પીએમ મોદીનું સન્માન કરે છે અને રાહુલ ગાંધીની દુકાન નફરતની છે. એટલા માટે હરિયાણાની જનતાએ રાહુલ ગાંધીની તથાકથિત મોહબ્બતની દુકાનને બંધ કરી દીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં હરિયાણામાં અમારી ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે. આ ઐતિહાસિક જીત છે.

આ પણ વાંચો :-

Share This Article