HomeNationalલેન્ડ ફોર જોબ સ્કેમમાં તેજસ્વી યાદવ સહિત આઠને સમન્સ

લેન્ડ ફોર જોબ સ્કેમમાં તેજસ્વી યાદવ સહિત આઠને સમન્સ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપને લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે સમન્સ મોકલ્યા છે. એ સિવાય લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, અખિલેશ્વર સિંહ, હઝારી પ્રસાદ રાય, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ અને કિરણ દેવીને પણ કોર્ટે સમન્સ મોકલ્યા છે. સાત ઓક્ટોબરે આ કેસની સુનાવણી થવાની છે.

Tejashwi, Tej Pratap seen together after long gap

મળતી માહિતી મુજબ, જે કેસમાં લાલુ પરિવારને સમન્સ પાઠવવામાં આવ્યા છે તે ઘણા વર્ષો જૂનો છે. વાસ્તવમાં લેન્ડ ફોર જોબ કેસ 2004 થી 2009 સુધીનો છે જ્યારે લાલુ પ્રસાદ કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે જ્યારે ઓફિસમાં હતા ત્યારે લાલુ પ્રસાદે પરિવારને જમીન ટ્રાન્સફર કરવાના બદલામાં રેલવેમાં નોકરી આપી હતી.

કોર્ટે કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવની સંડોવણીથી ઇનકાર કરી ના શકાય, કેમ કે તેઓ એકે ઇન્ફોસિસ્ટમ લિ.ના ડિરેક્ટર પણ હતા. તેજ પ્રતાપને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. EDએ છઠ્ઠી ઓગસ્ટે 11 આરોપીઓની વિરુદ્ધ પૂરક આરોપ પત્ર દાખલ કર્યું હતું. CBIએ આરોપ લગાવ્યો હતો કે રેલવેમાં ભરતીઓ ભારતીય રેલવેના માપદંડોના દિશા-નિર્દેશોને અનુરૂપ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટે કહ્યું હતું કે કેસ ચલાવવા માટે પર્યાપ્ત પુરાવા છે. લાલુ યાદવના પરિવારે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.

જો કે, આ મામલે EDએ તેના વતી કેસ પણ નોંધ્યો છે. હાલમાં કોર્ટ દ્વારા જે સમન્સ જારી કરવામાં આવ્યા છે તે માત્ર ED કેસમાં જ જારી કરવામાં આવ્યા છે. આ મામલામાં આગામી સુનાવણી 7 ઓક્ટોબરે થશે. એવું કહેવામાં આવ્યું છે કે આ કેસમાં વધુ સુનાવણી EDની પૂરક ચાર્જશીટના આધારે હાથ ધરવામાં આવશે. આ કેસમાં નવું અપડેટ એ છે કે હવે તેજ પ્રતાપની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img