સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયુ છે. હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ICUમાં તેઓ સારવાર હેઠળ હતા. કોરોનાકાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. અનેક સેવાભાવી કાર્યો સાથે રમેશભાઈ સંઘવી સંકળાયેલા હતા.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ડર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ ઘણા સમયથી બીમાર હતા તેઓની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન વધુ તબિયત લથડતા ડાલ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા 3 દિવસથી તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.
આ દરમિયાન આજે રમેશભાઈ સંઘવીનું અવસાન થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેરાભાઈ સંઘવીનું નિધન થતા નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. રમેશભાઈ સંઘવીની અંતિમયાત્રા આજે સાંજે 4 કલાકે તેઓના નિવાસ સ્થાનેની નીકળી ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.
આ પણ વાંચો :-