ઉદયપુર શહેરમાં શુક્રવાર સવાર સુધી બધું જ નોર્મલ હતું. પણ બપોર થતાં થતાં શહેરનો માહોલ અચાનક બદલાઈ ગયો. બજારોમાં કેટલાય ટોળા અચાનક આવ્યા અને દુકાનો બંધ કરાવા લાગ્યા. ગુસ્સે થયેલા લોકો મોલ અને કેટલીય દુકાનોમાં તોડફોડ કરવા લાગ્યા, પથ્થરમારો પણ કર્યો. એકાએક આખા શહેરમાં તણાવ ફેલાઈ ગયો. કેટલીય કારમાં આગ લગાવી દીધી. શહેરમાં કેટલીય જગ્યાએ હિંસા ફેલાઈ ગઈ. જોત જોતામાં પોલીસ ભારે સંખ્યામાં બજારો અને તે જગ્યાએ પહોંચી ગઈ જ્યાં હોબાળો થઈ રહ્યો હતો. તેમને શાંત કરાવ્યા અને સાવધાનીના ભાગરુપે બજારો બંધ કરાવી દીધી. આખા શહેરમાં પોલીસ અને અન્ય સુરક્ષા ફોર્સ તૈનાત કરી દીધી. આખા ઉદયપુરમાં કર્ફ્યૂ લગાવી દીધો છે.

હકીકતમાં જોઈએ તો, ભટિયાણી ચોહટ્ટાની સરકારી સ્કૂલમાં દસમા ધોરણના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં એક વિશેષ ધર્મના છાત્ર સાથે બોલાચાલી બાદ બીજા વિદ્યાર્થીની જાંઘમાં ચાકૂના ઘા મારી દીધા હતા. આરોપી છાત્ર સ્કૂલમાંથી ભાગી ગયો હતો. ચાકૂના ઘા વાગ્યા બાદ ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અહીં છાત્રને આઈસીયૂમાં ભરતી કરાવ્યો હતો. સૂચના મળતા સૂરજપોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ત્યાર બાદ એમબી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ છાત્રના સમાજના લોકો એકઠા થઈ ગયા અને ભાજપના પદાધિકારી અને કાર્યકર્તા પણ અહીં પહોંચી ગયા હતા. ત્યાર બાદ આખા શહેરમાં ધીમે ધીમે તણાવ વધવા લાગ્યો. હોસ્પિટલમાં ડીએમ સહિત એસપી અને કેટલાય અધિકારી પહોંચી ગયા હતા.
આ પણ વાંચો :-