અરવિંદ કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ED કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ સીબીઆઈના કેસમાં હજુ સુધી જામીન મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું હતું.
કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટના 5 ઓગસ્ટના ચુકાદાને પડકાર આપ્યો છે.કેજરીવાલની અરજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ સામે ઉઠાવતા સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સેક્શન 45 (PML) હેઠળ ત્રણ જામીન આદેશ છે અને આ જામીન અરજી સેક્શન વગર 45ની છે. જેના પર CJIએ ઇમેલ કરવા કહ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ અથવા પીએમએલએ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે, દિલ્હી હાઈકોર્ટે 25 જૂને આ આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાંથી તેમને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
EDએ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, 26 જૂનના રોજ, સીબીઆઈએ તેમને આ જ કેસમાં પોતાની કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર, દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.
આ પણ વાંચો :-