HomeGujaratગુજરાતમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત, જોઈ લો કોની બદલી ક્યા કરાઈ

ગુજરાતમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત, જોઈ લો કોની બદલી ક્યા કરાઈ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...
spot_img

રાજ્યમાં IAS ની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વહીવટી વિભાગ દ્વારા ફરી ગુજરાતનાં 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના 10 IAS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે.

રાજ્યમાં ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની ટ્રાન્સફર | chitralekha

રાજ્યમાં એકવાર ફરી IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ પહેલા પણ રાજ્યનાં 18 IAS અધિકારીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં વધુ 10 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. માહિતી મુજબ, સાબરકાંઠા કલેક્ટર નૈમેશ દવેની વલસાડ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રતનકવર ગઢવીચારણની સાબરકાંઠા કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. ઉપરાંત, શ્વેતા તેવટિયાની GUVNL નાં ડાયરેક્ટર તરીકે બદલી થઈ છે. સુજીત ગુલાટી ભાવનગર મનપાના કમિશનર બન્યા છે.

  • રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે થઈ
  • સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર બનાવાયા
  • શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા
  • કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર બનાવાયા
  • એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા
  • એન. એન. દવેને વલસાડના કલેક્ટર બનાવાયા
  • એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવાયા
  • એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવાયા
  • લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ
  • બી. જે. પટેલને ગાંધીનગરના DDO બનાવાયા

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img