Friday, Oct 24, 2025

વલસાડમાં મોડી રાત્રે સાત લોકોનું NDRFએ કર્યું રેસ્ક્યૂ

2 Min Read

વલસાડમાં મોડી રાત્રે સાત લોકોનું NDRFએ રેસ્ક્યૂ કર્યું. હિંગળાજ ગામ ખાતે 7 મજૂરો માછીમારી કરી રહ્યા હતા. 7 મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા. અચાનક ઔરંગાનું પાણી વધતા માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે વહીવટી તંત્રને જાણ થતાં તાત્કાલિક પગલાં લેવાયા. ઘટનાને લઈ TDO તથા મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.

Gujarat: NDRF rescues seven people stranded due to heavy rain in Valsad | Watch – India TV

વલસાડમાં ફરી પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ઔરંગાએ ભયજનક સપાટી વટાવી છે. તંત્ર એલર્ટ પર છે, એક હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ. તો આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો સિઝનમાં બીજીવાર નવસારીમાં પૂરનું સંકટ છે. અંબિકા અને કાવેરીએ ચિંતા વધારી. નદી કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે. નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તો ભરૂચ, તાપી, નર્મદામાં યલો એલર્ટ છે. બનાસકાંઠાની માવલચેક પોસ્ટ પરથી 52 કિલો ચાંદીના બિસ્કિટ સાથે 2ની ધરપકડ કરાઇ. રાજકોટના 2 ઇસમોએ કારના ગુપ્ત ખાનામાં માલ છૂપાવ્યો હતો. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે. બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા. શિવભક્તિમાં લીન થશે ભક્તો.

ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નદીનું જળસ્તર ઘટતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ શહેર અને 40 ગામોને જોડતો બ્રિજ અત્યંત બિસ્માર છે. રવિવારે ઔરંગા નદીના પાણીમાં બ્રિજ ગરકાવ થયો હતો. બ્રિજ પાણીમાં ડૂબતા બંધ કરવામાં આવ્યો હતો. પાણી ઓસર્યા બાદ બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તાના આરોપ ઉઠ્યા છે. મોટો અને ટકાઉ બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ છે.

આ પણ વાંચો :-

Share This Article