Thursday, Oct 23, 2025

ઓલિમ્પિકમાં હારથી પીવી સિંધુ નારાજ, કોરીયન ખેલાડીએ 48 મિનિટમાં હાર આપી

2 Min Read

ભારત માટે બેડમિન્ટનમાં સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલે 1 ઓગસ્ટના રોજ તેને રાઉન્ડ ઓફ 16 મેચમાં ચીનની બિંગ જાઓ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેનું સતત ત્રણ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ પછી, શું તે નિવૃત્તિ લેવા જઈ રહી છે? તેણે પોતાના ભવિષ્ય વિશે વાત કરી છે. તેણીએ કહ્યું છે કે તે એક નાનો વિરામ લઈ રહી છે, કારણ કે તેના શરીર અને મનને વિરામની જરૂર છે. પેરિસ ઓલિમ્પિકમાં મળેલી આ હારથી તે ખૂબ જ દુઃખી છે.

Korea Open જીતવાનુ પીવી સિંધૂનુ તૂટ્યુ સપનુ, કોરીયન ખેલાડીએ 48 મિનિટમાં હાર આપી - Gujarati News | Korea Open An Se Young beats PV Sindhu in 48 minutes to reach the final -

પીવી સિંધુએ પોતાની એક્સ-પોસ્ટમાં લખ્યું, પેરિસ 2024 એક સુંદર સફર, પરંતુ એક કઠિન હાર. આ હાર મારી કારકિર્દીની સૌથી મુશ્કેલ હારમાંથી એક છે. તેને સ્વીકારવામાં સમય લાગશે, પરંતુ જેમ જેમ જીવન આગળ વધે છે, હું જાણું છું કે હું આને પાર કરીશ, બે વર્ષની ઈજા અને લાંબો સમય દૂર રહેવા છતાં, અહીં ઊભા રહીને ત્રીજા ઓલિમ્પિકમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે હું ખરેખર ધન્ય અનુભવું છું. તેણે આગળ લખ્યું, “હું આ સ્તરે સ્પર્ધા કરવા માટે અને વધુ મહત્ત્વની વાત એ છે કે પેઢીને પ્રેરિત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી છું. આ સમય દરમિયાન તમારા સંદેશાઓ મને ખૂબ જ આશ્વાસન આપે છે.

મહાન બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ તેની કારકિર્દી વિશે કહ્યું, “મારા ભવિષ્ય વિશે, હું સ્પષ્ટ થવા માંગુ છું: હું રમવાનું ચાલુ રાખીશ, ભલે ટૂંકા વિરામ પછી. મારું શરીર અને સૌથી અગત્યનું, મારું મન તેના માટે તૈયાર હશે.” જો કે, હું આગળની મુસાફરીનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની યોજના ઘડી રહી છું અને મને જે રમત ગમે છે તે રમવામાં વધુ આનંદ મેળવીશ.”

આ પણ વાંચો :-

Share This Article