HomeNationalખનિજો પર રાજયોને રોયલ્‍ટી વસુલવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટે

ખનિજો પર રાજયોને રોયલ્‍ટી વસુલવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટે

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે ખનિજ સમૃદ્ધ રાજ્યોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે માઈનિંગ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 9 જજની બેંચે ચુકાદો આપ્યો હતો કે, રાજ્યો પાસે ખનિજથી સમૃદ્ધ જમીનો પર કર લાદવાની ક્ષમતા અને સત્તા છે. ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો ફાયદો થશે. મહત્ત્વપૂર્ણ છે કે, 9 જજોની બેંચે 8-1થી આ ચુકાદો આપ્યો છે. આજે ગુરુવારે ઐતિહાસિક નિર્ણયની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશને રદ્દ કરી દીધો છે. તેમણે ખાણકામ અને ખનિજ-ઉપયોગ પ્રવૃત્તિઓ પર રોયલ્ટી લાદવાનો રાજ્યોનો અધિકાર પણ જાળવી રાખ્યો હતો.

Supreme Court Directs Survey Of Karnataka Mines For Which Rehabilitation & Reclamation Plans Not In Place

મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, આ મહત્‍વપૂર્ણ નિર્ણય સંભળાવનારી બેન્‍ચમાં જસ્‍ટિસ હૃષિકેશ રોય, એએસ ઓકા, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, બીવી નાગરથના, ઉજ્જલ ભૂયણ, સતીશ ચંદ્ર શર્મા, ઓગસ્‍ટિન જ્‍યોર્જ મસીહનો સમાવેશ થાય છે. જસ્‍ટિસ બીવી નાગરથ્‍ના બેન્‍ચના એકમાત્ર જજ હતા જેમણે બહુમતીથી અલગ અભિપ્રાય આપ્‍યો હતો.

મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને અન્‍ય ૭ ન્‍યાયાધીશો વતી ચુકાદો આપતાં મુખ્‍ય ન્‍યાયાધીશે કહ્યું કે બંધારણ મુજબ કેન્‍દ્ર કે સંસદને ખનિજો પર કર લાદવાનો અધિકાર નથી. કોર્ટે આ જોગવાઈ બંધારણની યાદી ૨ની એન્‍ટ્રી ૫૦ હેઠળ આપી છે. આમાં ખનીજ પરના ટેક્‍સનું વર્ણન કરવામાં આવ્‍યું છે. હવે આ મામલે બુધવારે ફરી સુનાવણી થશે, જેમાં કોર્ટ વિચારણા કરશે કે આ નિર્ણયને પૂર્વનિર્ધારિત રીતે લાગુ કરવો જોઈએ કે નિર્ણય પછી. પોતાના નિર્ણયમાં ચીફ જસ્‍ટિસે ૧૯૮૯માં આપેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ખોટો ગણાવ્‍યો હતો. તે નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે ખનીજ પરની રોયલ્‍ટી ટેક્‍સ છે.

મહત્ત્વપૂર્ણ છે કે, 9 સભ્યોની બેંચે 8-1ના મત સાથે આ ચુકાદો આપ્યો છે. બેંચનો ભાગ રહેલા જસ્ટિસ નાગરત્ના આ નિર્ણય સાથે અસંમત થયાં હતા. તેમણે કહ્યું કે, હું માનું છું કે રોયલ્ટી ટેક્સની જ શ્રેણીમાં જ આવે છે. રાજ્યો પાસે ખનિજો અને તેમના અધિકારો પર કોઈ કર અથવા ડ્યુટી લાદવાની કોઈ કાયદાકીય ક્ષમતા નથી. હું માનું છું કે, ઇન્ડિયા સિમેન્ટ્સનો નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img