Friday, Oct 24, 2025

બિહારમાં ગંગા સ્નાન કરવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા

2 Min Read

આરામાં ગંગા દશેરાના અવસરે ગંગામાં સ્નાન કરવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે. કહેવાય છે કે ચારેય યુવકો સ્નાન માટે બનાવેલા ઘાટથી લગભગ 200 મીટર દૂર ગંગા નદીમાં અંદર સ્નાન કરી રહ્યા હતા. દરમિયાન એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતા તેને બચાવવાનો પ્રયાસ કરતાં અન્ય ત્રણ યુવકો પણ ડૂબી ગયા હતા. આ ઘટના જિલ્લાના બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવપુર ગંગા ઘાટ પર બની હતી.

Get latest Gujarat news headlines at loksatta Jansatta to know more about your State. Gujarat News in Gujarati, ગુજરાત સમાચાર, Latest Gujarat Gujarati News, ગુજરાત ન્યૂઝ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગા દશેરાના અવસર પર તમામ યુવકો બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુર ગંગા ઘાટ પર સ્નાન કરવા ગયા હતા. ત્યાં ન્હાતી વખતે એક યુવક પોતાના મોબાઈલથી સેલ્ફી લેવા ગયો અને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયો. તેને જોઈને તેના અન્ય ત્રણ મિત્રો પણ તેને બચાવવા પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન એક પછી એક બધા ડૂબી ગયા. લગભગ 12 કલાકની મહેનત પછી, SDRF ટીમે ચારેયના મૃતદેહ શોધી કાઢ્યા અને તેમને પાણીમાંથી બહાર કાઢ્યા અને તમામ મૃતદેહોને આરા સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.

આ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદ સુદામા પ્રસાદ પણ સદર હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી. તેમણે જિલ્લા વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગંગા દશેરા પર આટલો મોટો કાર્યક્રમ યોજવાનો હતો. અગાઉથી માહિતી મળી હતી કે ગંગામાં ભીડ થવાની છે. તેમ છતાં બેરીકેડીંગ કેમ ન કરવામાં આવ્યું?

આ પણ વાંચો :-

Share This Article