Friday, Oct 31, 2025

યોગી કેબિનેટમાં મોટા ફેરફારોના એંધાણ, લખનૌથી દિલ્હી સુધી તાબડતોબ બેઠકોનો દોર

2 Min Read

રાજકીય ગલીયારાઓમાં એવી ચર્ચાઓ જોશપૂર્વક ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને મળેલી ઓછી સીટ્સ પછી પક્ષની અંદર બધું બરાબર નથી ચાલી રહ્યું. સતત ૧૦ વર્ષ સુધી મોદી-શાહની જોડીએ પક્ષ અને દેશ પર શાસન કર્યુ, એમ કહીએ તો ખોટું નથી. પરંતુ હાલમાં ઉત્તર પ્રદેશમાં પક્ષનું જે ધોવાણ થયું, એની મોટી અસર દેશના પ્રદર્શન ઉપર પણ થઈ, અને લોકસભામાં ભાજપનું સંખ્યાબળ એટલું ઘટી ગયું, કે એકલે હાથે સરકાર ન બની શકે. આ પછી કેટલાક સૂત્રો એવી વાત ચલાવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં મળેલી હારને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું લઈ લેવામાં આવશે, અને કોઈ બીજાને મુખ્યમંત્રીની ખુર્સીએ બેસાડાશે. ખાસ કરીને આજે જ્યારે ભાજપની મોટી બેઠક ચાલી રહી છે, ત્યારે આ ચર્ચાએ જોર પકડયું છે.

ભાજપના ટોચના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે

ફીડબેકમાં બીજેપી નડ્ડાને કહેવામાં આવ્યું છે કે વહીવટીતંત્રની ઉપેક્ષાને કારણે ભાજપના કાર્યકરો ચૂંટણીમાં સક્રિય જોવા મળ્યા નથી. પ્રશાસન દ્વારા મતદાર યાદીમાંથી ભાજપના મતદારોના નામ કાઢી નાખવાની ફરિયાદો પણ કરવામાં આવી છે. પ્રશાસને આ માટે કોઈ મદદ કરી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ નેતૃત્વને પણ જાણ કરવામાં આવી છે કે વહીવટીતંત્રે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક સીટ પર ચોક્કસ પેટર્ન પર બીજેપીના વોટમાં ઘટાડો થયો છે. ટૂંક સમયમાં જ બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ યુપીના અન્ય અગ્રણી નેતાઓને અલગથી મળવા જઈ રહ્યું છે અને પ્રતિક્રિયા લેવા જઈ રહ્યું છે. જો કે હાલ સીએમ યોગીને બદલવાની વાત અંગે પક્ષ તરફથી કોઈ સંકેત આપવામાં આવ્યો નથી., પરંતુ અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટી વારંવાર આ વાત ઉચ્ચારી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article