HomeNationalઈન્દોરમાં યુગપુરુષ ધામના બાળ આશ્રમમાં ૫ બાળકોના રહસ્યમય મોત

ઈન્દોરમાં યુગપુરુષ ધામના બાળ આશ્રમમાં ૫ બાળકોના રહસ્યમય મોત

Date:

Related stories

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ખાંડના ભાવમાં અચાનક ઉછાળો કેમ? જાણો ભાવ વધવા પાછળના 5 મોટા કારણો

તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ દેશમાં ખાંડના ભાવમાં...

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

મધ્યપ્રદેશના ઈન્દોરમાં યુગપુરુષ ધામ આશ્રમમાં ૫ બાળકોના મોત બાદ બુધવારે ત્રણના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા. એક બાળક આકાશનો પરિવાર ઈટારસીથી ઈન્દોર પહોંચ્યો હતો, જ્યારે બે બાળકો અનાથ હતા. જ્યારે આકાશને દફનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે તે ખૂબ જ રડવા લાગી અને તે પછી તે કંઈ બોલી શકી નહીં. અનાથાશ્રમ યુગપુરુષ ધામ બૌદ્ધિક વિકાસ કેન્દ્રમાં પાંચ માનસિક વિકલાંગ બાળકોના મોત થયા હતા. બુધવારે ત્રણ બાળકોના અંતિમ સંસ્કાર પંચકુઇયા મુક્તિધામ ખાતે કરવામાં આવ્યા હતા. સોમવાર અને મંગળવારે આ બાળકોના મોત થયા હતા.

તમને જણાવી દઈએ કે આકાશનું મોત આશ્રમમાં જ સોમવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે થયું હતું. ત્રણ વર્ષના ગોવિંદ અને ૧૪ વર્ષની દિયા ઉર્ફે રાનીનું મંગળવારે બપોરે મૃત્યુ થયું હતું. આકાશની માતા રાનીએ કહ્યું કે અમને મંગળવારે સવારે આકાશના મૃત્યુની જાણ થઈ. અમે મંગળવારે રાત્રે જ ઇટારસીથી આવ્યા હતા.

આશ્રમમાં એક પછી એક પાંચ બાળકોના મોતની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરમાં ચાલતા તમામ આશ્રમ, હોસ્ટેલ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં રસોડા અને પીવાના પાણીની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. SDMએ સાત દિવસમાં તપાસ કરીને કલેક્ટર આશિષ સિંહને રિપોર્ટ સોંપવો પડશે. સામાન્ય રસોડું હોય અને મોટી સંખ્યામાં લોકો ભોજન લેતા હોય તેવી સંસ્થાઓની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે. અહીં રસોડા અને પીવાના પાણીની ગુણવત્તા તપાસવામાં આવશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories