Thursday, Oct 23, 2025

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, EDએ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો

2 Min Read

યુટ્યુબર એલ્વિશ યાદવને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોબ્રા કેસ બાદ હવે તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, EDની લખનૌ ઝોનલ ઓફિસ ટૂંક સમયમાં એલ્વિશ યાદવની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. નોઈડામાં ૨ નવેમ્બરે નોંધાયેલા કેસના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

Elvish Yadav News: Boss OTT 2 વિનર એલ્વિશ યાદવની ધરપકડ,જાણો ક્યા મામલે કરવામાં આવી કાર્યવાહીઆ મામલે એલ્વિસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ એલ્વિસ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

૧૭ માર્ચે યુટ્યુબરની નોઇડા પોલીસે કોબ્રા કાંડ કેસમાં ધરપકડ કરી હતી ત્યારબાદ તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તે જામીન પર બહાર છે. પરંતુ હવે EDએ તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ મામલે યુટ્યુબર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જેલમાંથી બહાર આવ્યા બાદ એલવિશે પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો. યુટ્યુબર કહે છે કે, કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

૮ નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલામાં FIR નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલના નામે ૨૦ml ઝેર મળી આવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article