HomeNationalબિહારમાં છઠ પુજામાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, ૨નાં મોત, ૪ઘાયલ

બિહારમાં છઠ પુજામાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, ૨નાં મોત, ૪ઘાયલ

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

લખીસરાય શહેરના કબૈયા પોલીસ સ્ટેશન હેઠળના પંજાબી મહોલ્લામાં છઠ ઘાટથી ઘરે આવી રહેલા ભક્તોની ભીડ વચ્ચે એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં છ લોકોને ગોળી વાગી છે. જેમાંથી બેના મોત થયા હોવાની માહિતી છે. ડીએમ અમરેન્દ્ર કુમાર એસપી પંકજ કુમાર, એએસપી રોશન કુમાર સહિત પોલીસ ફોર્સ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં એક જ પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે. શશિ ભૂષણ ઝાના બે પુત્રો ચંદન ઝા અને રાજેન્દ્ર ઝાનું ગોળી વાગવાથી મોત થયું હતું. જ્યારે શશિભૂષણ ઝા પોતે તેમનો બીજો પુત્ર દુર્ગા ઝા, પુત્રવધૂ લવલી દેવી પત્ની રાજનંદન ઝા અને પ્રીતિ દેવી પત્ની કુંદન ઝા ગોળીઓથી ઘાયલ થયા છે.

એસપી પંકજ કુમારે જણાવ્યું કે આશિષ ચૌધરીનું ઘર શશિભૂષણ ઝાના ઘરની સામે છે. આશિષ ચૌધરી ઘણા વર્ષોથી શશિભૂષણ ઝાની પુત્રી દુર્ગાના પ્રેમમાં હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. યુવતીના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. આશિષ ચૌધરી બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. જેનો યુવતી અને તેના પરિવારજનોએ વિરોધ કર્યો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. સોમવારે શશિભૂષણ ઝા પરિવાર સાથે છઠ ઘાટથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તરંગી પ્રેમીએ તેના ઘરની ગલીમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારના કુલ છ સભ્યોને ગોળી વાગી હતી જેમાંથી બેના મોત થયા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img