Friday, Oct 24, 2025

સુરતમાં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત

2 Min Read

સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર ગટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગટરની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યાં હતાં. જેથી એક ગંભીર ઘટના સર્જાઈ હતી. જેમાં રમતાં બાળકો પર ગટરના ઢાંકણું પડતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.

સુરતના ડિંડોલીના ચેતન નગર વિસ્તારમાં ચોમાસું પુરૂ થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામગીરી દરમિયાન ગટર ઢાંકણા ખુલ્લાઓ રાખવામાં આવ્યા હતા અને પાલિકાની આ લાલયાવાડીએ બાળકીનો ભોગ લીધો છે. બે બહેનો રમી રહી હતી ત્યારે રમતાં રમતાં બે બહેનો પર ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની બાળકી બચી ગઇ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રીને માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નિપજ્યું હતું.

નજીકમાંથી એક વ્યક્તિ પણ આ બાળકીઓની મદદ માટે દોડી આવતા તેના પગમાં પણ ઈજા થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો બાળકીને તાત્કાલિક પરિવારને જાણકારી આપી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ઘટના સંદર્ભે ડીંડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article