દેશમાં 20થી 29 વર્ષની વય જૂથના 6.3 કરોડ સ્નાતકોમાંથી લગભગ 1.1 કરોડ બેરોજગાર છે અને સ્નાતક થયા પછીના એક વર્ષમાં ખૂબ ઓછા લોકોને જ નિશ્ચિત પગારવાળી નોકરી મળી શકે છે. ભારતમાં કામકાજની સ્થિતિ-2026’ અનુસાર બેરોજગાર તરીકે નોંધણી કરાવ્યા બાદ એક વર્ષની અંદર માત્ર લગભગ સાત ટકા સ્નાતકોને જ સ્થાયી પગારવાળી નોકરી મળે છે, એમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ કહે છે.
અહેવાલ મુજબ સ્નાતકોમાં બેરોજગારી દર ઊંચો જ રહ્યો છે. 15થી 25 વર્ષની વય જૂથમાં બેરોજગારી દર લગભગ 40 ટકા છે, જ્યારે 25થી 29 વર્ષની વયજૂથમાં તે લગભગ 20 ટકા છે. સ્નાતક થયા પછી એક વર્ષની અંદર માત્ર થોડા લોકો જ સ્થાયી પગારવાળી નોકરી મેળવી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્નાતકોની સંખ્યા વધતાં આ સમસ્યા વધુ ગંભીર બની છે.
અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં યુવા વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ દર પણ વધ્યો છે, જેને કારણે યુવા સ્નાતકોની કુલ સંખ્યા વધી છે. પરિણામે ઊંચી બેરોજગારી સાથે બેરોજગાર સ્નાતકોની સંખ્યા પણ વધી ગઈ છે. 2023 સુધીમાં 20થી 29 વર્ષની વય જૂથના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર હતા.
યુવા સ્નાતકો માટે બેરોજગારી દર સતત ઊંચો રહ્યો છે. શિક્ષણ સુધી પહોંચ હજુ પણ અસમાન છે. શાળા પરથી કાર્યસ્થળ સુધીનો પ્રવાસ અનિશ્ચિત રહે છે અને ઘણા લોકો માટે તે સ્થાયી અને લાભદાયક રોજગાર સુધી પહોંચતો નથી. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા ચાર દાયકામાં યુવાનોના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે અને ઉચ્ચ શિક્ષણમાં નોંધણી દર 28 ટકા સુધી પહોંચ્યો છે, જેમાં મહિલાઓની ભાગીદારી ખાસ કરીને વધી છે. બીજી તરફ પુરુષોની નોંધણીમાં ઘટાડો નોંધાયો છે — 2017માં 38 ટકા રહેલો દર 2024ના અંત સુધીમાં 34 ટકા થયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે પુરુષો પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે વહેલી વયે કમાણીની તક શોધવા લા