છત્તીસગઢમાં નક્સલવાદીઓને ખતમ કરવા અને રાજ્યને નક્સલોથી મુક્ત કરાવવા માટે સરકાર અને સેના લગાતાર પ્રયત્નો કરી રહી છે. ક્યાંક નક્સલો સામે ગોળીબારથી રહ્યો છે, તો ક્યાંક નક્સલીઓ આત્મસમર્પણ પણ કરી રહ્યાં છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 25 નક્સલીઓ આત્મસમર્પણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા સેનાએ 26 નક્સલીઓને ઠાર કર્યાં હતાં.
છત્તીસગઢના વિકાસ સામે નક્સલવાદ ખૂબ મોટો પ્રશ્ન છે, સરકાર લગાતાર તેને ખતમ કરવા માટે પ્રયત્નો કરી રહી છે. આના માટે કેટલીક યોજનાઓ પણ બનાવી છે. 25 જેટલા નક્સલીઓ આત્મસમર્પણ કર્યું છે, આ મામલે વિગતો આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે, પાંડુ કુંજમ, અયાતુ પુનેમ, કોસી તમો, લિંગેસ પદમ અને સોના કુંજમ પર બે-બે લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ નક્સલીઓને ઝડપી પાડવા માટે સરકારે ઈનામની પણ જાહેરાત કરી હતી. રૂરામ માડવી પર સરકારે એક લાખનું ઈનામ રાખ્યું હતું. છત્તીસગઢ સરકારે છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ/પીડિત રાહત અને પુનર્વાસ નીતિ-2025ને મંજૂરી આપી દીધી છે. આ યોજના પ્રમાણે આત્મસમર્પણ કરવા વાળા માઓવાદીઓને આર્થિક સહાય, પુનર્વાસ, શિક્ષા અને રોજગાર સાથે સુરક્ષા પણ આપવામાં આવશે.
પોલીસે અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે ‘અયાતુ પુનેમ પ્રતિબંધિત માઓવાદી સંગઠનના આંધ્ર-ઓડિશા-બોર્ડર (AOB) વિભાગ હેઠળ પ્લાટૂન નંબર 1 ના સભ્ય તરીકે સક્રિય હતો, જ્યારે કોસી તમો પ્લાટૂન નંબર 10 ના પક્ષનો સભ્ય હતા. સોના નક્સલ સંગઠનની તેલંગાણા રાજ્ય સમિતિ હેઠળની પ્લાટૂન પાર્ટીનો સભ્ય હતો. માડવી જનતા સરકારના વડા હતી. જ્યારે લખમા કડાટી દંડકારણ્ય આદિવાસી કિસાન મજદૂર સંગઠન (KAMS) નો પ્રમુખ હતો. અન્ય નીચલા સ્તરના સભ્યો હતા.