અમદાવાદમાં EWS યોજનાના ૨૫૧૦ મકાનધારકોના હપ્તા બાકી, ૧૦૦ ટકા વ્યાજ માફી અપાશે

Share this story

અમદાવાદ શહેરમાં ગરીબ અને આવાસ વિહોણા લોકોને પીએમ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવે છે. જેમાં ઈકોનોમિકલી વિકર સેક્શન એટલે કે આર્થિકરીતે નબળા લોકોને સબસિડી સાથે સસ્તા દરે મકાન આપવામાં આવે છે. જેમાં શરૂઆતમાં નજીવી રકમ ભર્યા બાદ દર મહિને હપતા ભરવાના હોય છે. પણ ઘણા લોકો મકાનનો કબજો લીધા બાદ નિયમિત હપતા ભરતા નથી. અમદાવાદ શહેરમાં જુદી જુદી ૧૪ જેટલી ઈવીએસ યોજનામાં ૨૫૧૦ જેટલા મકાનધારકો હપતા ભરતા નથી. આવા બાકીદારો માટે સરકારે પેનલ્ટી માફીની યોજના જાહેર કરી છે. જેમાં જે બાકીદારો બાકી હપતાની પુરે પુરી કરમ ભરી દેશે તેમને વ્યાજમાં ૧૦૦ ટકાની માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ઔડા દ્વારા ૨૦૦૧ થી ૨૦૦૮ સુધીમાં બનાવવામાં આવેલા EWS અને વામ્બે આવાસ યોજનાના મકાનો માસિક હપતાની ચુકવણીના શરતે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપતાની રકમ ભરવામાં આવતી નથી. ઔડાની બોર્ડ બેઠકમાં બાકી હપતા લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં લાભાર્થી એક સાથે માસિક હપતાની તમામ રકમની ચુકવણી કરે તો તેમને ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા મળેલી બોર્ડ બેઠકમાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરાઈ છે. જેમાં ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં  જે પણ લાભાર્થી પોતાના બાકી માસિક હપતાની બધી રકમ ભરી દેશે તો તેને સો ટકા પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવશે. કુલ ૨૫૧૦ જેટલા આવાસ યોજનાના મકાનોની માસિક હપ્તાની રકમની ચુકવણી બાકી છે. આ યોજના અંતર્ગત પેનલ્ટી માફીની રકમ રૂ.૧૯ કરોડ જેટલી થાય છે.

આ પણ વાંચો :-