ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ પણ છલકાયો છે. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 1.80 મીટર ખોલાયા છે. ડેમનું લેવલ 70.70 મીટરે પહોંચ્યું છે. ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 58044 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. જેના કારણે નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે.
મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારના 6 ગામમાં ભારે વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. સતત પાણીની આવકને કારણે ડેમના 10 દરવાજા બે મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જેને કારણે દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે.
નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વલસાડના 13 ગામ, દાદરાનગર હવેલીના 14 ગામ અને દમણના 10 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે રોડને પણ મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના પંચાયતના 84 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે. લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપી છે.