Home Blog Page 362

અબોલ જીવોને સમસ્યા ગણવી ક્રૂરતા – સુપ્રીમના આદેશ પર રાહુલ ગાંધીનો વિરોધ”

દિલ્હી-NCR વિસ્તારના બધા જ રસ્તા પરના કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે.
તેમના મત મુજબ, કોઈ પણ જીવંત પ્રાણી, ભલે તે રસ્તા પરનું કૂતરું જ કેમ ન હોય, તેને નાશ કરવાની વસ્તુ માનવી ન જોઈએ.
તેમણે કહ્યું કે આ પ્રકારના આદેશો માનવતા વિરુદ્ધ છે અને આને “ક્રૂર અને નિર્દયી” ગણાવી શકાય.
રાહુલના મતે, લોકોની સુરક્ષા સાથે સાથે પશુ કલ્યાણનું સંતુલન રાખીને જ નીતિ ઘડવી જોઈએ.

બીજી તરફ, કોંગ્રેસના જ સિનિયર નેતા પી. ચિદમ્બરમે આ આદેશને સમર્થન આપ્યું છે અને મંતવ્ય આપ્યું છે કે જો દિલ્હી માટે આ આદેશ જરૂરી છે તો તે દેશભરના શહેરોમાં પણ લાગુ થવો જોઈએ

અમેરિકામાં એરપોર્ટ પર 2 વિમાનો અથડાયા, જોરદાર વિસ્ફોટ પછી આગ લાગી

અમેરિકાના મોન્ટાનાના કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર આ અકસ્માત થયો. કહેવામાં આવી રહ્યું છે કે, એરપોર્ટ પર ઉતરી રહેલું એક નાનું વિમાન ત્યાં પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું. આ ટક્કર પછી, ભારે આગ ફાટી નીકળી, જેના કારણે એરપોર્ટ પર અફડાતફડી મચી ગઈ. જોકે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

લેન્ડિંગ દરમિયાન બીજા વિમાન સાથે અથડાયું

ચાર લોકો સાથેનું એક નાનું સિંગલ-એન્જિન વિમાન (સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ) બપોરે 2 વાગ્યે કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન આ વિમાન એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું. ટક્કર પછી ભીષણ આગ લાગી.

સાક્ષીઓએ કહ્યું કે એક વિમાન અંદર આવ્યું, રનવેના છેડે ક્રેશ થયું અને બીજા વિમાન સાથે અથડાયું. ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહેલા વિમાનમાં આગ લાગી ગઈ, પરંતુ પાઇલટ અને ત્રણ મુસાફરો જાતે જ બહાર નીકળવામાં સફળ રહ્યા. બે મુસાફરોને નાની ઇજાઓ થઈ હતી અને તેમને એરપોર્ટ પર સારવાર આપવામાં આવી હતી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેણે ક્રેશ સાંભળ્યું અને જોયું. આ વિસ્તાર કાળા ધુમાડાથી છવાઇ ગયો હતો.

ઉત્તરી એરિઝોનામાં વિમાન દુર્ઘટનાતે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ યુએસમાં બીજો વિમાન દુર્ઘટના બની હતી. ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત પછી પ્લેનમાં આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક સ્થિત CSI એવિએશન કંપનીનું આ વિમાન ફ્લેગસ્ટાફથી લગભગ 200 માઇલ (321 કિલોમીટર) ઉત્તરપૂર્વમાં ચિનલે એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર લોકો તબીબી કર્મચારીઓ હતા જેઓ એક દર્દીને લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા.

પાકિસ્તાનની ખુલ્લી ધમકી!ફ્લોરિડામાં ભાષણ દરમ્યાન પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરનો મોટો દાવો – “ભવિષ્યમાં યુદ્ધ થયું તો જામનગર રિફાઇનરી સૌથી પહેલા નિશાને આવશે.”

પાકિસ્તાન આર્મી ચીફનો ભારતને ખુલ્લો પડકાર: “જામનગર રિફાઇનરી અમારા નિશાને છે”

અમેરિકાના ફ્લોરિડામાં પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ આક્રમક ભાષા વાપરી છે. તાજેતરના ભાષણમાં તેમણે સીધો મુકેશ અંબાણી અને જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીને ટાર્ગેટ કરવાની ધમકી આપી.

મુનીરે સંકેત આપ્યો કે જો ભવિષ્યમાં “ઓપરેશન સિંદૂર” જેવી લશ્કરી સ્થિતિ ઊભી થાય, તો ગુજરાતની જામનગર રિફાઇનરી પ્રથમ નિશાન બનશે. વિશ્વનું સૌથી મોટું સિંગલ-સાઇટ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ગણાતી આ રિફાઇનરી દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી પાડવામાં અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની વાર્ષિક ક્ષમતા ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના 12% બરાબર છે.

ભાષણ દરમિયાન મુનીરે કુરાનના સૂરા અલ-ફીલનો ઉલ્લેખ કર્યો, જેમાં 570 ઈસવીના ‘હાથીના વર્ષ’ની ઘટના વર્ણવાય છે—અને તેને આધુનિક યુદ્ધમાં હવાઈ હુમલાની ઉપમા તરીકે રજૂ કરી. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ નિવેદન માત્ર ધાર્મિક સંકેત નહીં પરંતુ વ્યૂહાત્મક ચેતવણી પણ છે.

મુનીરે માત્ર આર્થિક સ્થાપનો નહીં, પણ સિંધુ નદી પર ભારત ડૅમ બાંધશે તો એને 10 મિસાઇલથી નષ્ટ કરવાની પણ ધમકી આપી. “જો યુદ્ધમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં મુકાયું, તો અમે અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું,” એમ તેમણે કહ્યું.

ભારત તરફથી અત્યાર સુધી આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ગુપ્તચર એજન્સીઓ પહેલાંથી જ જામનગર સહિતના વ્યૂહાત્મક સ્થળો પર સંભવિત ખતરા અંગે ચેતવણી આપી ચૂક્યાં છે.

કુંડેશ્વર મહાદેવ લઈ જતા યાત્રાળુઓનો ટ્રક ખબકતા 10 મહિલાના મોત, 27 ઘાયલ

0

શ્રાવણ માસના પવિત્ર સોમવારે (11 ઑગસ્ટ) કુંડેશ્વર મહાદેવના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આ દિવસ દુ:ખદ સાબિત થયો. પુણે નજીક ખેડ તાલુકાના પૈત ગામ પાસે શ્રદ્ધાળુઓને લઈ જતો એક ઓવરલોડેડ પિકઅપ ટ્રક 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો, જેના કારણે દસ મહિલાઓના કરુણ મોત થયા છે અને બે પુરુષો અને બે બાળકો સહિત 27 અન્ય લોકો ઘાયલ થયા છે.

આ ઘટના સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. શ્રાવણી સોમવાર હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હતી.

અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, આ પિકઅપ ટ્રકમાં પાપલવાડી ગામના 35થી વધુ લોકો સવાર હતા. મંદિર ટેકરી પર આવેલું હોવાથી રસ્તો ઢાળવાળો અને સાંકડો છે. વાહન ચઢાણ ચડી રહ્યું હતું ત્યારે સામેથી આવતા વાહનને રસ્તો આપવા માટે ડ્રાઇવરે ટ્રક ઊભો રાખ્યો હતો. પરંતુ ટ્રક ઓવરલોડેડ હોવાથી તે ફરીથી ગતિ પકડી શક્યો નહીં અને પાછળની તરફ લપસીને ઊંડા ખાડામાં પડી ગયો હતો. મૃતકોમાં મંદાબાઈ દરેકર (50), સનાબાઈ દરેકર (50), મીરાબાઈ ચોરઘે (50), શોભા પાપલ (33), સુમન પાપલ (50), શકુબાઈ ચોરઘે (50), શારદા ચોરઘે (45), બાયદાબાઈ ચોરઘે (45), પાર્વતીબાઈ પોપલ (56) અને ફસાબાઈ સાવંત (61) નો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ પિંપરી ચિંચવડ પોલીસ અને પુણે ગ્રામીણ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવકાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને તાત્કાલિક નજીકની શિવતીર્થ અને ગાવડે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ટ્રમ્પના ટેરિફથી હીરા ઉદ્યોગમાં હાહાકાર, એક લાખ નોકરીઓ પર સંકટ, ગુજરાતમાં સૌથી વધુ અસર

ડાયમંડ ઈન્ડસ્ટ્રી મોટા પાયે લોકોને નોકરી આપે છે. આ ઉદ્યોગમાં હીરાના કટિંગથી લઈને પોલિશિંગ સુધીના કામમાં મોટા પાયા પર શ્રમિક અને કુશળ કારીગર લાગે છે. પરંતુ તેના રોજગાર પર મોટું સંકટ પેદા થયું છે. આ બધુ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાતને કારણે થયું છે. ડાયમંડ કટિંગ અને પોલિશિંગના કામમાં લાગેલા આશરે 1 લાખ લોકોએ પોતાનો રોજગાર ગુમાવવો પડ્યો છે.

ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્રમાં હીરાનું કામ મોટા પાયે ચાલે છે. સુરત તેનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં 10 ટકા એક્સ્ટ્રા ટેરિફ ડાયમંડ પર લગાવ્યો હતો.

ત્યારથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર મચી ગયો છે અને 1 લાખ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં સૌથી વધુ નોકરી ગઈ છે. આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને 10થી 25 ટકા અને પછી 50 ટકા સુધી વધારી દીધો છે.

નિષ્ણાતોનો અંદાજ છે કે વધારાના ટેરિફને કારણે અમેરિકામાં બિન-ઔદ્યોગિક હીરા – ઝવેરાત અથવા રોકાણ માટે યોગ્ય હીરા – ની નિકાસને અસર થશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના ડેટા મુજબ, 2024 માં અમેરિકાની કુલ હીરાની આયાતમાં ભારતનો હિસ્સો વોલ્યુમમાં 68% અને મૂલ્યમાં 42% ($5.79 બિલિયન) હતો.

જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભામાં મંજૂર, સ્પીકરે સમિતિ બનાવી, સમિતિમાં કોણ કોણ છે?

0

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કેશ કાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. સ્પીકરે કહ્યું, ‘મને રવિશંકર પ્રસાદ અને વિપક્ષના નેતા સહિત કુલ 146 સભ્યો દ્વારા સહી કરાયેલ પ્રસ્તાવ મળ્યો છે.

‘તેમણે કહ્યું કે આ પ્રસ્તાવમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. સ્પીકરે તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરી છે. તેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના એક-એક જજ અને એક વકીલનો સમાવેશ થાય છે.

સ્પીકર બિરલાએ કહ્યું- જસ્ટિસ વર્માને હટાવવાની જરૂર છે’અમે જજની તપાસ કાયદાની જોગવાઈઓનો અભ્યાસ કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટના જાહેર કરેલા કાયદા તેમજ અન્ય ઘણા ચુકાદાઓનો પણ અભ્યાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ફરિયાદને ગંભીર પ્રકારની ગણાવી છે. આંતરિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.

”આ મામલા પર વિચાર કર્યા પછી, CJIએ જસ્ટિસ વર્મા અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની પ્રતિક્રિયાના આધારે અભિપ્રાય આપ્યો કે સંપૂર્ણ તપાસ જરૂરી છે. તેથી, 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

સમિતિમાં કોણ કોણ છે?આ સમિતિમાં ત્રણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. અચાનો સમાવેશ થાય છે.

”અમને યાદ છે કે તત્કાલીન CJIએ આ રિપોર્ટ પીએમ અને રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કેસમાં અગાઉની જોગવાઈઓ મુજબ કામ કરવામાં આવ્યું છે. સમિતિના રિપોર્ટમાં આરોપો એવા પ્રકારના છે કે જસ્ટિસ વર્માને હટાવવા માટે કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે.

”સ્વતંત્ર તપાસ પછી, અમને જાણવા મળ્યું છે કે ભારતના બંધારણની કલમ 124 હેઠળ જજને હટાવવાની પ્રક્રિયા નિયમો અનુસાર શરૂ થવી જોઈએ. દોષરહિત ચારિત્ર્ય એ ન્યાયતંત્રમાં માણસના વિશ્વાસનો પાયો છે.’ આ કેસમાં સામેલ તથ્યો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે અને કાર્યવાહીની જરુર છે.

‘બંધારણના અનુચ્છેદ 124 હેઠળ, અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આ અંગે આગળની કાર્યવાહી થવી જોઈએ. તેને યોગ્ય માનીને મેં તેને મંજૂરી આપી દીધી છે.’ જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવાના આરોપોની તપાસ માટે મેં 3 સભ્યોની કમિટી બનાવી છે. કમિટીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇકોર્ટના સીનિયર વકીલ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે.

અમેરિકાથી 15 વર્ષમાં 15,000 ભારતીયોને પરત મોકલાયા, ગુજરાતીઓનો આંકડો જાણી ચોંકી જશો

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ સતત ચર્ચામાં રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકાથી 1700થી વધુ ભારતીય નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તેમણે વોશિંગ્ટનને દેશનિકાલની સારવાર અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા મેળવવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)ના જણાવ્યા અનુસાર વર્ષ 2009થી 2024 સુધીના 15 વર્ષમાં કુલ 15,564 ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ અને કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા અમેરિકા માંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે 1 ઓગસ્ટના રોજ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે અમેરિકન સરકાર દ્વારા 20 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે કુલ 1703 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમા 1562 પુરુષો અને 141 મહિલાઓનો સમાવેશ થાય છે.

છેલ્લા 15 વર્ષમાં 15000થી વધુ ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ

વર્ષ 2009થી 2024 દરમિયાન અમેરિકા માંથી કુલ 15,564 ભારતીય નાગરિકોનો દેશનિકાસ કરવામાં આવ્યા છે. જો રાજ્ય પ્રમાણ વાત કરીયે તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં પંજાબના લોકોની સંખ્યા સૌથી વધુ 620 છે. ત્યારબાદ 604 લોકો સાથે હરિયાણા બીજા ક્રમે અને 245 લોકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.

15 વર્ષમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા

ડિપોર્ટ કરવામાં આવેલાની સૌથી વધુ સંખ્યા પંજાબ (620)માંથી હતી, ત્યાર બાદ હરિયાણા (604) અને ગુજરાત (245)નો ક્રમ હતો. સરકારે જણાવ્યું કે 5, 15 અને 16 ફેબ્રુઆરીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સૈન્ય) ઉડાનો મારફતે 333 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે માર્ચ અને જૂનમાં 231 ભારતીયોને લાવવામાં આવ્યા, જ્યારે જુલાઈમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે 300 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા મુદ્દે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેની વધારાની સુરક્ષા જરૂરિયાતોને કારણે ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ્સની વિઝા પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થી વિઝાની નિમણૂક હજી પણ ખુલ્લી છે. J-1 ફિઝિશિયન કેટેગરી માટે, અમેરિકાએ નિમણૂકોને પ્રાથમિકતા આપવા માટે સોફ્ટવેર આધારિત ઉકેલ શરૂ કર્યો છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને નિમણૂક મળી ગઈ છે.

તેમણે કહ્યું હતું કે, અમેરિકન દૂતાવાસ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં ઓગસ્ટના અંત સુધીમાં મર્યાદિત સંખ્યામાં વધારાના વિદ્યાર્થી વિઝાની નિમણૂકો ખોલવા માટે કામ કરી રહ્યું છે. દૂતાવાસ દ્વારા વિલંબિત નિમણૂંકો અંગેની અનિશ્ચિતતાને ઘટાડવામાં મદદ રૂપ થવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) સાથે વિદ્યાર્થી વિઝા ફેક્ટશીટ વિકસાવવામાં આવી રહી છે.

‘વોટ ચોરી’ વિવાદ વચ્ચે કોંગ્રેસના સહકાર મંત્રીનું રાજીનામું, રાહુલ ગાંધી પર લગાવ્યા આ આરોપ

0

‘વોટ ચોરી’ વિવાદ વચ્ચે કોંગ્રેસના એક મંત્રીએ રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર મત ચોરીનો આરોપ લગાવીને ટીકા કરીને રાજીનામું આપી દીધું છે. તેમણે રાહુલ ગાંધી પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે પાર્ટી હાઇકમાન્ડે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન મંત્રીએ રાજીનામું આપી દીધું. અને રાજીનામું આપ્યા બાદ પણ તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા.રાહુલ ગાંધીના આરોપ પર રાજન્નાએ આ વાત કહીરાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે આજે વિપક્ષે ચૂંટણીપંચ સામે મોરચો ખોલ્યો છે. ત્યારે કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ કહ્યું છે કે, મતદાર યાદી તૈયાર કરાઈ ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી. તો એ સમયે શું બધા આંખો બંધ કરીને ચૂપચાપ બેઠા હતા? ત્યારે પણ મતદાર યાદીમાં અનિયમિતતા સામે આવી હતી. એ સાચું છે અને ગેરરીતિઓ આપણી નજર સામે થઈ હતી, એટલે આપણને શરમ આવવી જોઈએ.કર્ણાટક મંત્રી રાજન્નાએ કહ્યું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ્યારે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, ત્યારે મહાદેવપુરામાં ખરેખર ગેરરીતિ થઈ હતી. એક વ્યક્તિ 3 અલગ અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલ હતો. અને પાછું તેણે ત્રણેય જગ્યાએ મતદાન પણ કર્યું હતું. જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થાય ત્યારે વાંધો ઉઠાવવો. એ આપણી જવાબદારી છે. તે સમયે અમે ચૂપ રહ્યા હતા અને હવે હોબાળો મચાવી રહ્યા છીએ.

અમદાવાદમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત, બે લોકોના મોત

અમદાવાદમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે રવિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અશફાક અજમેરી અને તેનો મિત્ર અક્રમ કુરેશી નામના બે યુવાનો તેમના એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી બ્રેઝા કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા અને તેના પર સવાર બંને યુવકો 100 ફૂટ સુધી ફંગોળાઈ ગયા હતા.

આ કરુણ અકસ્માતમાં બંને યુવકોએ જીવ ગુમાવ્યો છે.

અકસ્માતની જાણ થતાં જ યેન ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અકસ્માત સર્જનાર બ્રેઝા કાર પણ કબજે કરી છે. હાલ, પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં કુલ ચાર અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા છે.

સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં સેલ્ફીના ચક્કરમાં જિંદગી જોખમમાં મૂકાઈ હતી. સેલ્ફી લેવાના ચક્કરમાં પાંચ યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં પાંચ યુવકો સેલ્ફી માટે નદી કિનારે લાંગરેલી બોટમાં ગયા હતાં. જ્યાં સેલ્ફી ખેંચી મોજમસ્તી કરી રહ્યા હતાં. આ દરમિયાન જ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધ્યો હતો.પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચેય યુવક ફસાયા હતાં. સદનસીબે સ્થાનિક નાવિકને જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરી પાંચેય યુવકનો જીવ બચાવી લીધો હતો.