Home Blog Page 358

અમેરિકાના ટેરિફના કારણે સુરતના હીરા બજારમાં મંદીનો ભય, DWUએ પીએમ સહીત મંત્રીઓ ને લખ્યા પત્ર

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરીફને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારના વાણીજ્ય અને ઉઘોગ મંત્રી પીયુષ ગોયેલ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લખવામાં આવ્યો છે.

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાતના હીરા ઉઘોગમાં લગભગ 20થી 25 લાખ કર્મચારી કામ કરે છે.

છેલ્લા ઘણા સમયથી હીરા ઉઘોગમાં ભારી મંદી આવી છે. જેની સીધી અસર હીરા ઉઘોગમાં કામ કરતા રત્નકલાકાર પર પડી છે. રૂસ-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, જી-7 દેશોના પ્રતિબંધ, વૈશ્વિક મંદી, ઇસરાઈઝ હમાસ વચ્ચે સંઘર્ષનો હીરા ઉઘોગ પર પ્રભાવ પડ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર થયા છે અને વેતન અડધાથી પણ ઓછું થઇ ગયું છે.

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરીફ અને આવનારા સમયમાં 50 ટકા વધવાની સંભાવનાને જોતા આની હીરા ઉઘોગ પર ગંભીર પ્રભાવ પડશે. જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર થવાની સંભાવના છે. જેનાથી આત્મહત્યાની સંખ્યા પણ વધવાની સંભાવના છે. ભારતના લગભગ 40 ટકા પોલીસીંગ હીરા અમેરિકામાં વેચાણ થાય છે. જેથી અમેરિકા 50 ટકા ટેરીફ લગાવે તો આપણા તૈયાર હીરા ત્યાં મોંઘા થશે. જેના કારણે ત્યાના લોકો ખરીદી ઓછી કરશે અથવા બંધ કરશે. જેનાથી આપણા ઉત્પાદન ઓછું થઇ જશે. જેના કારણે બેરોજગારી વધશે અને જો બેરોજગારી વધશે તો આત્મ હત્યા અને ક્રાઈમ પણ વધશે. આ હીરા ઉઘોગને બર્બાદ કરવાની આંતરરાષ્ટ્રીય સાજીશ છે.

પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, આપણે કોશિશ કરવી જોઈએ કે દેશના લોકો સોનાની જગ્યાએ હીરાના આભુષણ પહેરે જેથી સ્થાનિક બજાર સ્થાપિત થશે અને આપણા લાખો લોકોને સારો રોજગાર મળી શકશે સાથે જ અમેરિકા સિવાય બીજા દેશોમાં પણ નવા બજાર ગોતવા જોઈએ. જેથી અમેરિકા પર નિર્ભર ના રહેવું પડે, આ ખુબ જ જરૂરી છે કે અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા ભારી ટેરીફનું ઉચિત સમાધાન થાય અને જો ટેરીફનું સમાધાન નહીં થાય તો લગભગ દોઢથી બે લાખ કર્મચારી બેરોજગાર થઇ શકે છે અને લગભગ 5 લાહ કર્મચારી ગંભીર રૂપથી પ્રભાવિત થશે એટલે અમે માંગ કરીએ છીએ કે સરકાર તેમની મદદ માટે તાત્કાલિક આગળ આવે, મંદીના કારણે કર્મચારીઓ આર્થિક રૂપથી બરબાદ થઇ ગયા છે અને તેમના વેતન પણ ઓછા થઇ ગયા છે. જેના કારણે તેઓ બાળકોની સ્કુલ ફી, ઘરની લોનના હપ્ત્તા ભરી શકતા નથી અને બેરોજગારીના કારણે છેલ્લા બે વર્ષમાં સુરતમાં લગભગ 80 કર્મચારીએ આત્મ હત્યા કરી ચુક્યા છે.

કર્મચારીઓને આ કઠીન પરિસ્થિતિમાંથી કાઢવા માટે માંગ કરવામાં આવી હતી કે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, બેરોજગાર કર્મચારીઓ માટે રત્નદીપ યોજના શરુ કરવામાં આવે, રત્નકલાકાર કલ્યાણ બોર્ડનું ગઠન કરવામાં આવે, આત્મ હત્યા કરનાર કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, શ્રમ કાનુન અનુસાર લાભો આપવામાં આવે અને પ્રોફેશનલ ટેક્સ સમાપ્ત કરવામાં આવે.

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની શુક્રવારે કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન વ્યક્તિગત મુસાફરી માટે જાહેર ભંડોળના દુરુપયોગના આરોપોના સંદર્ભમાં તેમનું નિવેદન નોંધાવવા આવ્યા હતા.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, રાનિલ વિક્રમસિંઘે શુક્રવારે સવારે નાણાકીય ગુના તપાસ વિભાગ (FCID) સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યા હતા. FCIDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે તેમને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. રાજ્યના સંસાધનોનો વ્યક્તિગત ઉપયોગ કરવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે.”

2023 માં હવાનાથી પરત ફરતી વખતે વિક્રમસિંઘે લંડનની ખાનગી યાત્રા કરી હતી. આ દરમિયાન, તેઓ અને તેમની પત્ની મૈત્રી વિક્રમસિંઘે યુનિવર્સિટી ઓફ વોલ્વરહેમ્પ્ટન ખાતે એક સમારોહમાં હાજરી આપી હતી. આ યાત્રા શ્રીલંકાના જાહેર સંસાધનોનો દુરુપયોગ માનવામાં આવે છે. જો કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હંમેશા કહેતા આવ્યા છે કે તેમની પત્નીએ તેમની યાત્રાનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો અને તેમાં કોઈ સરકારી ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. પરંતુ પોલીસના ગુનાહિત તપાસ વિભાગ (CID) નો આરોપ છે કે વિક્રમસિંઘેએ તેમની અંગત યાત્રા માટે સરકારી ભંડોળનો ઉપયોગ કર્યો હતો અને રાજ્યએ તેમના સુરક્ષા કર્મચારીઓને પણ ચૂકવણી કરી હતી. આ કેસમાં, શુક્રવારે સવારે તેમને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ બાદ મહીસાગરમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો! વાલીઓમાં ભયનો માહોલ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં શાળા છૂટ્યા બાદ ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસે બની હતી. શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

શું છે મામલો
ઘટનાની વિગતો મુજબ, શાળા છૂટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત બાળકના વાલીએ શું કહ્યું?
ઈજાગ્રસ્ત બાળકના પિતાએ જણાવ્યું કે, “શાળામાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બીજા બાળકે મારા બાળકને છરી મારી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “મારા બાળકને ડાબા ખભાથી નીચે સુધી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા છે. બંને બાળકો વચ્ચે શું કારણ હતું તે જાણી શકાયું નથી, પરંતુ અંદરોઅંદરના ઝઘડાને કારણે આ મારામારી થઈ હતી.”

બાલાસિનોર ટાઉન પોલીસે કેસની તપાસ શરૂ કરી
પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ પ્રકારની ઘટનાઓ બાળકોના શિક્ષણ અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે. શાળાની બહાર પણ બાળકો સુરક્ષિત નથી તે વાલીઓ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે.

અગ્નિ-5નો ઐતિહાસિક પ્રયોગ: 90°નો શાર્પ ટર્ન લઇ દુનિયાને ચોંકાવ્યું

ભારતે પોતાના પરાક્રમ અને તકનીકી શક્તિનો પ્રદર્શન કરતા અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિશનને “દિવ્યાસ્ત્ર” નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે બેલેસ્ટિક મિસાઈલો સીધી દિશામાં આગળ વધે છે, પરંતુ આ વખતે અગ્નિ-5 મિસાઈલે ઉડાન દરમિયાન અદભૂત રીતે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, જે વિશ્વના રક્ષણ નિષ્ણાતોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.અગ્નિ-5 ભારતની સૌથી લાંબી રેન્જની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) છે, જે 5000થી 8000 કિમી સુધીનો વિસ્તાર કવર કરી શકે છે. તે 50 ટન વજન ધરાવે છે અને 1.5 થી 2 ટન સુધીનો પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. મેક 24 (29,400 કિમી/કલાક)ની ઝડપે પહોંચતી આ મિસાઈલ ચીનના ઉત્તરીય ભાગો તથા યુરોપના કેટલાક વિસ્તારોને પણ ટાર્ગેટ કરી શકે છે.

આ મિસાઈલમાં MIRV ટેકનોલોજીનો સમાવેશ થયો છે, જેના કારણે એક જ મિસાઈલ એકસાથે અનેક લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે. DRDOએ હળવા કંપોઝિટ મટીરિયલ, એડવાન્સ એવિઓનિક્સ અને સચોટ સેન્સર્સનો ઉપયોગ કરીને તેને વધુ ઝડપદાર અને શક્તિશાળી બનાવી છે. સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે.વિશ્વના થોડાક દેશો – અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે – પાસે જ આ ટેકનોલોજી છે, અને હવે ભારત પણ તે ક્લબમાં જોડાઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ ઐતિહાસિક મિશનમાં ભારતીય મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે.

આ સિદ્ધિએ માત્ર ભારતની ન્યુક્લિયર ડિફેન્સ ક્ષમતાને મજબૂત બનાવી નથી, પરંતુ ચીન જેવા પડોશી દેશો સામે ભારતની તાકાતને નવા સ્તરે પહોંચાડી છે.

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ DEOનો આદેશ, સુરતની શાળામાં થશે રેન્ડમ ચેકિંગ

અમદાવાદમાં બનેલી વિદ્યાર્થીની હત્યા બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શહેરની તમામ શાળાઓને ખાસ આદેશ આપવામાં આવ્યા છે. આદેશ મુજબ હવે શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓની રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે.આ ચેકિંગનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ પોતાની બેગમાં કોઈ ઘાતક હથિયાર અથવા સંદિગ્ધ વસ્તુ લઈને ન આવે.

જો કોઈ વિદ્યાર્થી ઘાતક હથિયાર કે શંકાસ્પદ વસ્તુ સાથે ઝડપાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.સુરતમાં વિવિધ શાળાઓએ આ આદેશને અનુસરીને વિદ્યાર્થીઓની બેગની તપાસ શરૂ કરી દીધી છે. કેટલાક શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગ સહિત જુદી જુદી રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સુરતનાાં જિલ્લા શિક્ષાણાધિકારીની ગાઈડલાઈન

  • વિદ્યાર્થીઓની બેગ અને વાહનોની અચાનક તપાસ થશે
  • વાલીઓને પણ નિયમિત ચેકિંગની સૂચના
  • શિક્ષક ગેરહાજર હોય તો વિદ્યાર્થીઓને એકલા નહીં છોડી શકાય
  • કાઉન્સેલિંગ બાદ સુધારો ન થાય તો કડક કાર્યવાહી થશે
  • વિદ્યાર્થી પાસેથી તિક્ષ્‍ણ હથિયાર મળ્યે વાલીની હાજરીમાં કાઉન્સેલિંગ
  • જરૂર પડે તો સસ્પેન્શન કે શાળામાંથી ડિસમિસ પણ થશે
  • પ્રિન્સિપાલ-શિક્ષકોની ફરજ વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ આપવાની
  • કોઈપણ અસામાન્ય ઘટનાનો તરત જ રિપોર્ટ કચેરીમાં કરવો પડશે

પ્રિન્સિપાલ મહેશ પટેલે કહ્યું કે, “વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા સ્તરે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા નિયમિત રીતે ચાલશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.”

અમેરિકામાં બોઇંગ 737 વિમાનની પાંખ તૂટતાં મચ્યો હડકંપ, કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

અમેરિકાના ટેક્સાસ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ-1893 સાથે ભયાનક ઘટના બની. ઓર્લાન્ડોથી ઓસ્ટિન જતું બોઇંગ 737 વિમાન અચાનક મુશ્કેલીમાં આવ્યું, જ્યારે લેન્ડિંગ પહેલાં મુસાફરોએ જોયું કે પાંખના પાછળના ભાગમાં ફ્લૅપનો એક ભાગ છૂટો પડીને હવામાં લટકવા માંડ્યો. આ દ્રશ્ય જોયા બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને કેબિનમાં ચીસો ગુંજાઈ ઉઠ્યા.

પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિને સંભાળી વિમાનનું સલામત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો. ઘટનાની પુષ્ટિ કર્યા બાદ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ તપાસ શરૂ કરી છે. ફ્લૅપ્સ પાંખનો એવો ભાગ છે જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન વિમાનને વધારાની લિફ્ટ આપે છે. આવી તકનીકી ખામી મુસાફરોના જીવ માટે ગંભીર જોખમ બની શકે છે.

ડેલ્ટા એરલાઇન્સે આ ઘટનાને લઈને સત્તાવાર નિવેદન જારી કર્યું છે. કંપનીએ જણાવ્યું કે વિમાનને સેવામાંથી દૂર કરી સમારકામ હાથ ધરાયું છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી પણ માંગી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે.

 

UPSC મેઈન્સ પરીક્ષા આજથી શરૂ: IAS-IPS બનવા ઉમેદવારોમાં ઉત્સાહ, કડક નિયમો લાગુ

0

UPSC સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા શરૂ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આજથી સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પ્રિલિમ્સમાં સફળ થયેલા કુલ 14,161 ઉમેદવારો હવે મેઈન્સમાં બેસશે. આ પરીક્ષા 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી દેશભરના વિવિધ કેન્દ્રોમાં બે શિફ્ટમાં યોજાશે — પહેલી શિફ્ટ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2:30થી સાંજે 5:30 વાગ્યા સુધી રહેશે.

ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે એડમિટ કાર્ડ, ઓળખપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે રાખવો ફરજિયાત છે. સાથે જ ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર પહોંચે, એટલે કે નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા 1-2 કલાક પહેલા કેન્દ્ર પર હાજર રહે.ખાસ વાત એ છે કે, પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, કેમેરા, પુસ્તકો તેમજ કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ લાવવાની કડક મનાઈ છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ 2025 નવી ગ્રામ પંચાયતો માટે 490 કરોડ મંજુર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં પ્રથમવાર એકસાથે 2055 નવી ગ્રામ પંચાયતોને પોતાનું પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે ₹489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યું છે.

વસ્તી આધારિત અનુદાન અને યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજના હેઠળ, ગ્રામ પંચાયતોને તેમની વસ્તીના આધારે અનુદાન આપવામાં આવશે:

  • 10,000 થી વધુ વસ્તી: ₹40 લાખ
  • 5,000 થી 10,000 વસ્તી: ₹34.83 લાખ
  • 5,000 થી ઓછી વસ્તી: ₹25 લાખ

આ ભંડોળનો મુખ્ય ઉદ્દેશ્ય જર્જરિત અથવા પંચાયત ઘર ન હોય તેવી ગ્રામ પંચાયતો માટે નવા મકાનોનું નિર્માણ કરવાનો છે. આ નિર્ણયથી મોટાભાગની ગ્રામ પંચાયતો આ જ વર્ષે બાંધકામ શરૂ કરી શકશે.

ગ્રામીણ સેવાઓમાં સુધાર અને ભવિષ્યની યોજનાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવીન પંચાયત ઘરોમાં આધુનિક સુવિધાઓ હશે, જેનાથી ગ્રામીણ નાગરિકોને તેમના ગામમાં જ સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપી મળી રહેશે. સરકારનો લક્ષ્‍ય રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને 100% પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસથી સજ્જ કરવાનો છે. પંચાયત વિભાગની અન્ય યોજનાઓ હેઠળ પણ આ કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી પૂર્ણ થતાં, રાજ્યની તમામ ગ્રામ પંચાયતો પોતાના મકાનો ધરાવતી થશે, અને ગ્રામીણ નાગરિકોને ઘરઆંગણે જ ઝડપી સરકારી સેવાઓ ઉપલબ્ધ થશે, જે સુશાસન અને ગ્રામીણ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

NRI ઉદ્યોગપતિ અને પરોપકારી લોર્ડ સ્વરાજ પોલનું લંડનમાં 93 વર્ષની વયે અવસાન

જાલંધરની ગલીઓથી લઈને વાર્ષિક ‘સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’માં નિયમિત નામ સુધી, લોર્ડ સ્વરાજ પોલ, જેનું ગુરુવારે સાંજે લંડનમાં અવસાન થયું, તે સૌથી જાણીતા NRI ઉદ્યોગસાહસિકો અને પરોપકારીઓમાંના એક હતા.

પ્યારે લાલના ઘરે જન્મેલા, જેઓ સ્ટીલના સામાન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી એક નાની ફાઉન્ડ્રી ચલાવતા હતા, જેમાં ડોલ અને અન્ય ખેતીના સાધનોનો સમાવેશ થાય છે. લોર્ડ પોલ યુકે સ્થિત કેપારો ગ્રુપની સ્થાપના કરતા પહેલા તેમના જીવનની શરૂઆતમાં જ વ્યવસાય સાથે જોડાયેલા હતા, જે એક વૈવિધ્યસભર વ્યવસાયિક સંસ્થા છે જે મુખ્યત્વે મૂલ્યવર્ધિત સ્ટીલ અને વિશિષ્ટ એન્જિનિયરિંગ ઉત્પાદનોના ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણમાં રસ ધરાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ અને લેબર પાર્ટીના પીઅર તરીકે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ સ્વરાજ પોલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમનું ગુરુવારે સાંજે 94 વર્ષની વયે લંડનમાં અવસાન થયું .

X પરની એક પોસ્ટમાં, મોદીએ કહ્યું: “લોર્ડ સ્વરાજ પોલ જીના નિધનથી દુઃખ થયું. તેઓ એક ઉત્કૃષ્ટ ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, જેમણે વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી હતી. યુકે સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે તેમનું કાર્ય હંમેશા યાદ રાખવામાં આવશે.”

લોર્ડ પોલનો જન્મ ૧૮ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ પંજાબના જલંધરમાં એક ઔદ્યોગિક પરિવારમાં થયો હતો જે અપીજય ગ્રુપ ચલાવતો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને બાદમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

૧૯૬૬માં પોલ તેમની નાની પુત્રી અંબિકાની સારવાર માટે યુનાઇટેડ કિંગડમ ગયા, જેનું પાછળથી લ્યુકેમિયાને કારણે અવસાન થયું. તેમની યાદમાં, તેમણે અંબિકા પોલ ફાઉન્ડેશનની સ્થાપના કરી. ફાઉન્ડેશન દ્વારા, તેમણે બાળ કલ્યાણ, શિક્ષણ અને સાંસ્કૃતિક પહેલને ટેકો આપ્યો.

લગભગ તે જ સમયે, તેમણે 1968 માં કેપારો ગ્રુપની સ્થાપના કરી, એક નાના સ્ટીલ યુનિટથી શરૂઆત કરી, જે આખરે વૈશ્વિક વ્યાપાર સમૂહમાં વિસ્તર્યું જેમાં સ્ટીલ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ અને અન્ય ઉદ્યોગોમાં અનેક દેશોમાં રસ હતો.

લંડનમાં મુખ્ય મથક ધરાવતું, કેપારો 40 થી વધુ સાઇટ્સથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને સેવા આપે છે, મુખ્યત્વે યુકે, ઉત્તર અમેરિકા, ભારત અને મધ્ય પૂર્વમાં સ્થિત કામગીરીમાંથી. કેપારો હવે તેમના ત્રણ બાળકો, અંબર, આકાશ અને અંજલી પોલ દ્વારા સંચાલિત છે.

ઉદ્યોગપતિએ ભારતીય સંસ્થાઓ તેમજ બ્રિટિશ યુનિવર્સિટીઓને દાન આપ્યું, જેમાં વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જેણે તેમના યોગદાનને માન્યતા આપવા માટે એક ઇમારતનું નામ તેમના નામ પર રાખ્યું હતું.

પોલ ૧૯૯૦ ના દાયકાના મધ્યમાં બ્રિટિશ રાજકારણમાં પ્રવેશ્યા. ૧૯૯૬ માં, તેમને મેરીલેબોનના બેરોન પોલ તરીકે આજીવન પીઅર બનાવવામાં આવ્યા અને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન મેળવ્યું. તેઓ લેબર પાર્ટી સાથે સંકળાયેલા હતા અને સંસદીય ચર્ચાઓમાં, ખાસ કરીને વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ પર સક્રિય રહ્યા.

મુકેશ અંબાણીના માતા કોકિલાબેનની હાલત લથડી, રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

0

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માતા કોકિલા બેન અંબાણીની તબિયત લથડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઇ અંબાણીના પત્ન કોકિલા બેનને શુક્રવારે સવારે એરલિફ્ટ કરાયા બાદ મુંબઇના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે તેમના સ્વાસ્થ્ય સંબંધિત સંપૂર્ણ જાણકારી હાલ મળી નથી.

તમને જણાવી દઇયે કે, કોકિલા બેનની ઉંમર 91 વર્ષ છે, તેમનો એક ગુજરાતી હિન્દુ પરિવારમાં જન્મ 24 ફેબ્રુઆરી 1934ના રોજ બ્રિટિશ કાઉન કોલોની એડેન યમનમાં થયો હતો.

સોશિયલ મીડિયા પર અમુક વીડિયો અને ફોટા વાયરલ થયા છે, જેમા અંબાણી પરિવારના સભ્યોને દક્ષિણ મુંબઇ સ્થિત રિલાયન્સ હોસ્પિટલ જતા દેખાયા હતા. આ સાતે જ તેમના સ્વાસ્થ્યને લઇ ચિંતાઓ વધી ગઇ છે. અત્યાર સુધી અંબાણી પરિવાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ એવું જણાવાઇ રહ્યું છે કે, હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ છે.

અબજો રૂપિયાની મિલકતના માલિક
કોકિલાબેન અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ પરિવારના વરિષ્ઠ સભ્ય છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.57 કરોડથી વધુ શેર ધરાવે છે, જેની કિંમત આશરે 18,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમના લગ્ન 1955માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે થયા હતા. આ દંપતીને ચાર બાળકો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ છે.

પરિવારમાં મુખ્ય ભૂમિકા નિભાવી
ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી, જ્યારે પરિવારમાં વ્યવસાયના વિભાજન અંગે મતભેદો ઉભા થયા, ત્યારે કોકિલાબેન જ આગળ આવ્યા અને વિવાદનો ઉકેલ લાવ્યા. તેમણે જવાબદારીઓ અને સંપત્તિનું યોગ્ય રીતે વિતરણ કર્યું, જેનાથી પરિવારમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળી. તેઓ હંમેશા તેમના મોટા પુત્ર મુકેશ અને તેના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે.

કોકિલા બેન સામાજીક સેવામાં પણ આગળ
કોકિલા બેન અંબાણી સામાસીજ સેવાકાર્યોમાં પણ આગળ છે. મુંબઇ સ્થિત કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલનું નામ તેમના સમ્માનમાં રાખવામાં આવ્યું છે, જે એક મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. જે સામાજીક કલ્યાણ પ્રત્યે તેમની જવાબદારી અને પ્રતિબદ્ધતાનો ઉત્તમ ઉદાહરણ છે.