Home Blog Page 316

લંપટ ચૈતન્યાનંદે બેંક ખાતાં ફ્રીઝ થયાં હોવા છતાં 50 લાખ ઉપાડી લીધા !

0

દિલ્હીની કોલેજમાં 19 વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સાથે જોડાયેલી એક મોટી જાણકારી સામે આવી છે. છોકરીઓનું જાતીય શોષણ કરવાથી લઈને પોતાની લક્ઝરી કારો માટે બનાવટી રાજદ્વારી નંબર પ્લેટનો ઉપયોગ કરવા સુધી, સ્વયંભૂ ધર્મગુરુ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી વિરુદ્ધના આરોપોની યાદી લાંબી અને ગંભીર થતી જઈ રહી છે.

મીડિયા અહેવાલો અનુસાર, ‘બાબા’ની વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાણ તપાસકર્તાઓએ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ દાખલ થયેલી એફઆઈઆર બાદ તેમણે 50 લાખ કરતાં વધુની રકમ બેન્કમાંથી કાઢી લીધી હતી. ખાસ વાત છે કે દિલ્હી પોલીસે સ્વયંભૂ બાબા સાથે જોડાયેલા 18 બેન્ક એકાઉન્ટ અને 25 ફિક્સ ડિપોઝિટમાં જમા કરવામાં આવેલા 8 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા હતા.

અધિકારીઓ જણાવ્યું હતું કે ચૈતન્યાનંદે બેન્ક એકાઉન્ટને ચલાવવા માટે કથિત રીતે જુદા જુદા નામો અને સરનામાનો ઉપયોગ કર્યો હતો. જ્યારથી ચૈતન્યાનંદ, જેમને ડૉ. પાર્થસારથીના નામથી પણ ઓળખવામાં આવે છે, તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, ત્યારથી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તેમાં, તેણે કેવી રીતે આર્થિક રીતે નબળા વર્ગોમાંથી આવતી છોકરીઓનું જાતીય શોષણ કર્યું. કેવી રીતે તે તેમના પર નજર રાખતો હતો. વળી વિરોધ કરવાની હિંમત કરનારને ફેલ કરવાની ધમકી પણ આપતો હતો.

FIRમાં જણાવવામાં આવ્યું છે કે સ્વામી ચૈતન્યાનંદ વોટ્સએપ અને એસએમએસ દ્વારા પણ વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. આ રીતે વિદ્યાર્થિનીઓની માનસિક અને શારીરિક રીતે સતામણી કરવામાં આવતી હતી. વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓને ભણતરની સાથોસાથ તેમનું ભવિષ્ય દાવ પર લગાવવાની પણ ધમકી આપવામાં આવતી હતી.”

શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની હૉસ્ટેલમાં રહેતી 36 વિદ્યાર્થિનીએ પોલીસ તપાસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. 36 પૈકીની 17 વિદ્યાર્થિનીએ મેજિસ્ટ્રેટ સામે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્વામી ચૈતન્યાનંદ તેઓને ગાળો બોલતો હતો, અભદ્ર મેસેજ મોકલતો હતો અને ન કરવાની હરકતો કરવાનો પ્રયાસ કરતો હતો. ત્રણ મહિલા વોર્ડન બળજબરીપૂર્વક વિદ્યાર્થિનીઓને સ્વામી ચૈતન્યાનંદના રૂમ સુધી લઈ જતી હતી, એવું પણ વિદ્યાર્થિનીઓએ નિવેદન આપ્યું હતું.

હાલ પોલીસ પકડથી ફરાર ચૈતન્યાનંદ તરફથી દિલ્હીની એક અદાલતમાં આગોતરા જામીન માટેની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. અદાલતે શુક્રવારે તેમની વિરુદ્ધ નોંધાયેલા કથિત નાણાકીય ગેરરીતિઓના એક કેસમાં જામીન અરજી ફગાવી દીધી. સ્વયંભૂ બાબા વિરુદ્ધ તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે તેમણે ખાતું ખોલાવતી વખતે અલગ-અલગ વિગતો ધરાવતા દસ્તાવેજો જમા કરીને કથિત રીતે બે જુદા જુદા નામથી બેંક ખાતું ઓપરેટ કર્યું હતું.

ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત: હાઈ-સ્પીડ થાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 લોકોના મોત

0

ગુરુગ્રામ-દિલ્હી-જયપુર હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર એક બ્લેક કલરની થાર કાર પૂરપાટ દોડતી વખતે બેકાબૂ થતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના લીધે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 6માંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો.

આ અકસ્માત વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાના સુમારે સર્જાયો હતો. બ્લેક કલરની આ કાર ઉત્તર પ્રદેશનું રજિસ્ટ્રેશન નંબર ધરાવતી હતી. આ મામલે સેક્ટર 40ના એસએચઓ લલિતે માહિતી આપી હતી.

પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, અને ઈજાગ્રસ્તને સારવાર ચાલી રહી છે. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

‘દિલ્હી બનશે ખાલિસ્તાન’ કેનેડામાં જામીન પર છૂટ્યા બાદ ગોસલે ભારતને ધમકી આપી

0

કેનેડામાં જેલમાં રહેલો ખાલિસ્તાની અલગતાવાદી ઈન્દ્રજીત સિંહ તાજેતરમાં જામીન પર મુક્ત થયો હતો. જેલની બહાર આવતાની સાથે તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરુ કર્યું છે. ગોસલે એક વિડિઓ બહાર પાડીને ધમકી આપી કે દિલ્હી ટૂંક સમયમાં ખાલિસ્તાન બની જશે. તેણે ભારતમાં ખાલિસ્તાન લોકમતની માંગ કરી.

કેનડામાં ખાલિસ્તાની અભિયાન સાથે જોડાયેલા ગોસલને એક અઠવાડિયાની અંદર ઓન્ટારિયો સેન્ટ્રલ ઇસ્ટ કરેક્શનલ સેન્ટરમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જામીન મળ્યા પછી તરત જ, ગોસલે એક વિડિઓ બહાર પાડ્યો જેમાં ભારતના ટોચના સિક્યોરિટી ઓફિસરને ચેતવણી આપી.

વીડિયોમાં ગોસલે કહ્યું, “23 નવેમ્બર, 2025 ના રોજ ખાલિસ્તાન લોકમતનું આયોજન કરવા માટે ગુરપતવંત સિંહ પન્નુનને સમર્થન આપવા માટે હું બહાર આવી ગયો છું; દિલ્હી બનેગા ખાલિસ્તાન.”

ડોભાલને પડકાર ફેંક્યો:
આ જ ક્લિપમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ભારત સરકાર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પડકાર ફેંક્યો. પન્નુને જાહેરાત કરી, “અજિત ડોભાલ, તમે કેનેડા, અમેરિકા અથવા કોઈપણ યુરોપિયન દેશમાં આવીને મારી ધરપકડ કરવાનો પ્રયાસ કેમ નથી કરતા? ડોભાલ, હું તમારી રાહ જોઈ રહ્યો છું,”

પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ વડા પન્નુને સતત ભારત વિરુદ્ધ નિવેદનો આપતો રહે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં તેણે જાહેરત કરી હતી કે જો કોઈ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ભારતનો ધ્વજ ફરકાવતા અટકાવશે તો તે તેને ₹11 કરોડનું ઇનામ આપશે.

સુરતના ઈસરોળીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ ભાવિની પટેલની અધ્યક્ષતામાં સરપંચ શિબિર યોજાઈ

સુરત જિલ્લા પંચાયત દ્વારા પોષણ સહિતના ગ્રામવિકાસના વિવિધ વિષયો પર બારડોલી તાલુકાના ઈસરોલી (તાજપોર કોલેજ) ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને સરપંચ શિબિર યોજાઈ હતી. આ વેળાએ પ્રમુખશ્રી તથા જિ.વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે ગ્રામ પંચાયતના વિકાસ માટે પોષણ, વેરા વસુલાત, નાણાપંચના કામો. PMAY, SBM જેવા અગત્યના વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણને સુધારવા માટે છેલ્લા બે-ત્રણ મહિનાથી જિલ્લા પંચાયત સુરત દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે, જે અંતર્ગત CMAM પ્રોટોકોલ અનુસાર બાળકોનું નિયમિત સ્ક્રીનિંગ, હોમ વિઝિટ અને પોષણયુક્ત આહાર સાથે તબીબી સેવાઓ સુવ્યવસ્થિત રીતે પ્રદાન કરવામાં આવે છે.

આ ઝુંબેશને વધુ મજબૂત બનાવવા માટે, જિ.પંચાયત દ્વારા વિશેષ પ્રયત્ન થઇ રહ્યા છે. ખાસ કરીને ઓછા વજન ધરાવતી સગર્ભાઓને ધ્યાનમાં રાખીને જિ.પં.ના પદાધિકારી- અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી સ્વૈચ્છિક અનુદાન એકત્રિત કરી પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મગ, અડદની દાળ, ખારી શીંગ, રોસ્ટેડ ચણા, ચીકી, તલ લાડુ, ખજૂર, રાગી ના ખાખરા, સુખડી, ગોળ વગેરે સામેલ કરીને એક ‘ન્યુટ્રીશન કીટ’ તૈયાર કરાઈ છે. જિ.પં.ના પદાધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચો તેઓના વિસ્તારમાં ન્યુટ્રીશન કીટ સગર્ભાના ઘરે જઇને વિતરણ કરશે. જેથી તેઓ સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય અને પોષણ તથા આરોગ્ય પ્રત્યેનો સકારાત્મક સંદેશ ઘેરઘેર પહોચે. આ સાથે જિલ્લામાં ૧,૧૪૨ ઓછી વજન ધરાવતી સગર્ભા માતાની નિષ્ણાત સ્ત્રીરોગ તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્ય ચકાસણી (Comprehensive Check-up) પૂર્ણ કરવામાં આવી છે.

  • શિબિરમાં સિકલસેલ રોગ (SCD) અંગે જાગૃતિ સેશનનું પણ આયોજન કરાયું હતું. રોગના કારણો, લક્ષણો અને વ્યવસ્થાપન, જીનેટિક કાઉન્સેલિંગ અને સ્ક્રીનિંગ ટેસ્ટના મહત્વ અંગે સમજ આપવામાં આવી.
  • આ અવસરે સરપંચશ્રીઓને ગ્રામ વિકાસ માટેની માર્ગદર્શિકા અંગે માહિતગાર કરાયા હતા, અને ખાસ કરીને પ્રધાનમંત્રીની ફ્લેગશિપ યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો.
  • વિકાસલક્ષી મુદ્દાઓ પર ખાસ ભાર મૂકતા ગ્રામ પંચાયતોને ૧૦૦% વેરા વસુલાત માટે ઝુંબેશ ચલાવી ગામના સ્વ-ભંડોળમાં વધારો કરવાનો નિર્દેશ તેમજ ૧૫મા નાણાપંચના ફંડથી પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, શાળાઓ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારા માટે આયોજનની માહિતી અપાઈ હતી.
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામોમાં ઘન કચરા વ્યવસ્થાપન, ગ્રામ પંચાયત વિસ્તાર ની તમામ સરકારી મિલકતોની જાળવણી અને સુરક્ષા સબંધિત પગલાઓ, ગંદા પાણીના નિકાલ અને ODF પ્લસ સ્થિતિ જાળવી રાખવા માટે પગલા અંગે માહિતગાર કરી પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સુરત જિલ્લાની કામગીરીની સમીક્ષા કરાઈ હતી
  • શિબિરમાં ગામના પદાધિકારીઓને ગ્રામજનોના સ્વાસ્થ્ય, સ્વચ્છતા, શિક્ષણ, સિકલસેલ અને સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, તેમજ ભવિષ્યમાં આ થીમ ઉપર કામ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

બરેલીમાં ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટર વિવાદ પર હોબાળો, પોલીસે લાઠીચાર્જ કર્યો

0

બરેલીમાં આજે શુક્રવારની નમાજ દરમિયાન હોબાળો મચી ગયો. “આઈ લવ મોહમ્મદ” વિવાદને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ભીડ બેકાબૂ બની ગઈ, જેના કારણે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. આઈએમસીના વડા મૌલાના તૌકીર રઝાએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી, જેના કારણે પોલીસ અને વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું.

પોલીસે લાઠીચાર્જ કેમ કર્યો?
હકીકતમાં, શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ સમુદાયના સભ્યોએ “આઈ લવ મોહમ્મદ” પોસ્ટ વિવાદનો વિરોધ કર્યો, પોસ્ટરો અને બેનરો સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા. અહેવાલો અનુસાર, પોલીસે ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ હટવાનો ઇનકાર કર્યો. વિરોધીઓએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો.

બરેલીનું વાતાવરણ કેવી રીતે બગડ્યું?
હકીકતમાં, એક અઠવાડિયા પહેલા, તૌકીર રઝાએ કાનપુરમાં દાખલ થયેલી FIR અંગે ગૃહમાં એક પરિષદ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો છે. ગઈકાલે, તૌકીર રઝાએ કહ્યું હતું કે શુક્રવારની નમાજ પછી, તેઓ લોકો સાથે વહીવટીતંત્રને એક મેમોરેન્ડમ સુપરત કરશે. જોકે, વહીવટીતંત્રે આ માટે પરવાનગી આપી ન હતી.

ત્યારબાદ, ગઈકાલે રાત્રે, તૌકીરની સંસ્થા, IMC તરફથી એક પત્ર આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તૌકીર રઝા હવે વહીવટીતંત્રને પત્ર વ્યક્તિગત રીતે સુપરત કરશે. લોકોએ નમાજ અદા કર્યા પછી સીધા ઘરે જવું જોઈએ. ત્યારબાદ, આજે સવારે, તૌકીરે ફરીથી એક વિડિઓ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. લોકોએ તેને વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોયો. આ વિડિઓમાં, તૌકીર રઝાએ જણાવ્યું હતું કે મળેલો પત્ર ખોટો હતો અને તેમની માંગણીઓ અંગે અગાઉ સંમત થયેલ કાર્યક્રમ એ જ રહેશે.

પીએમ મોદીએ લોંચ કરેલી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના: મહિલાઓ માટે ₹2 લાખ સુધીની સહાય

0

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, NDA ગઠબંધને મહિલા મતદારોને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ શરૂ કરી છે.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી બિહારની 7.5 મિલિયન મહિલાઓના બેંક ખાતામાં સીધા ₹10,000 ટ્રાન્સફર કર્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર અને બિહારમાં નીતિશ કુમાર સરકારના નેતૃત્વ હેઠળ, ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સશક્ત બનાવવા માટે સહાય પૂરી પાડશે. મહિલાઓને ₹2 લાખ સુધીની વધારાની સહાય પણ મળશે.

‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’એ બિહારની મહિલાઓમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ ઉભું કર્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’નો પહેલો હપ્તો શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ હેતુ માટે સરકાર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહી છે, જે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક ગ્રાન્ટ ₹10,000 હશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રોજગાર શરૂ કર્યા પછી મહિલાઓને ₹2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. પીએમ મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં 7.5 મિલિયન મહિલાઓના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓ, જિલ્લા સ્તરના અધિકારીઓ અને સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી 1,000 થી વધુ મહિલાઓ હાજરી આપશે.

‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’નો ઉદ્દેશ્ય શું છે?
આ સરકારી યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્ત બનાવવા અને સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ, રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આનાથી તેઓ કૃષિ, પશુપાલન, હસ્તકલા, સીવણ અને અન્ય નાના ઉદ્યોગો સહિત તેમની પસંદગીની રોજગાર અથવા આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરી શકશે.

લેહ હિંસા બાદ મોટી કાર્યવાહી, રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની ધરપકડ

0

લદ્દાખના સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની આજે ધરપકડ કરાઈ હતી. તેના વિરુદ્ધ કાર્યવાહી લેહ હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કરવામાં આવી હતી. તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે કે કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં આવશે તેના પર નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

વાંગચુક પર કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો આરોપ છે. બુધવાર, 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં હિંસક અથડામણો થઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. હિંસક અથડામણો બાદ લેહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કર્ફ્યુનો કડક અમલ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

લેહ જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેહ અને કારગિલ સહિત અન્ય શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી અને હિંસાની ઘટનાઓને કાવતરું ગણાવીને વધુ સતર્કતા રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

NGOનું FCRA લાયસન્સ એક દિવસ પહેલા જ રદ કરવામાં આવ્યું
ગુરુવારે, ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકની એનજીઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ની નોંધણી રદ કરી, જે FCRA, 2010 હેઠળ વિદેશી દાન મેળવે છે.

વાંગચુકની પ્રતિક્રિયા
વાંગચુકે ગુરુવારે લદ્દાખમાં તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શનો માટે ગૃહ મંત્રાલય દ્વારા તેમના પર દોષારોપણને “બલિનો બકરો” બનાવવાની રણનીતિ ગણાવતા જણાવ્યું હતું કે તેઓ કડક જાહેર સલામતી કાયદા (PSA) હેઠળ ધરપકડ માટે તૈયાર છે.

સુરતમાં 892 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 10 આરોપીઓ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના જાળમાં

તાજેતરના વર્ષોમાં સાયબર છેતરપિંડી સામેના સૌથી મોટા પગલાંમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે સુરત શહેરમાં એક અત્યંત મોટા અને વ્યાપક 892 કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં સુરત જિલ્લામાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કથિત રીતે દેશવ્યાપી કૌભાંડ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર હતા.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સુવિધા પ્રદાતાઓ તરીકે કામ કરતા હતા બોગસ બેંક એકાઉન્ટ્સ, સિમ કાર્ડ્સ, POS (પોઇન્ટ-ઓફ-સેલ) મશીનો અને અન્ય ડિજિટલ સાધનો પૂરા પાડતા હતા જેનાથી સાયબર છેતરપિંડી કરનારાઓ દેશભરમાં પીડિતોને લૂંટી શક્યા હતા.આ રેકેટ દ્વારા ઓનલાઇન ફાઇનાન્સિયલ ફર્મના નામે લોકોને છેતરવામાં આવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેતરપિંડીની આ પ્રવૃત્તિઓ માટે આરોપીઓએ કુલ 482 બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કૌભાંડ એટલું વ્યાપક હતું કે રાષ્ટ્રીય હેલ્પલાઇન 1930 પોર્ટલ પર તેના સંબંધમાં 1549 ઓનલાઇન ફરિયાદો નોંધાઈ હતી, જેના આધારે દેશભરમાં વિવિધ રાજ્યોમાં 22 જ દાખલ કરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓની ઓફિસ અને રહેઠાણો પર દરોડા પાડીને મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છેઃરાજ્ય સાયબર સેલે આરોપીઓ પાસેથી 529 બેંક એકાઉન્ટ કીટ, 449 ATM કાર્ડ, 686 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ, 1609 મશીન, 60 મોબાઇલ ફોન, બે લેપટોપ, 11 સાઉન્ડ બોક્સ, 1922 કોડ અને એક રાઉટર જપ્ત કર્યા છે. ગુજરાત સાયબર ક્રાઇમની આ સમયસરની કાર્યવાહીથી કરોડો રૂપિયાની છેતરપિંડીના એક મોટા નેટવર્કનો અંત આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગે 482 મ્યુલ એકાઉન્ટ્સ બનાવ્યા હતા જેના દ્વારા છેતરપિંડી કરનારાઓએ દેશભરમાં 1,549 સાયબર ગુનાઓને અંજામ આપ્યો હતો, જેમાં એકલા ગુજરાતમાં ૧૪૧ કેસનો સમાવેશ થાય છે, જે રૂ. 17.74 કરોડના છે.

સાયબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તાજેતરના વર્ષોમાં સૌથી મોટા પર્દાફાશમાંનો એક છે. તપાસનો વ્યાપ વધતાં ત્ઝ ક્રાઈમ સાયબર સેલ આરોપીઓને વધુ રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરશે, કારણ કે આ રેકેટ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ફેરવાઈ ગયું હોવાની શંકા છે.

આરોપીઓની ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલના મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યાં અધિકારીઓ માને છે કે આ ગેંગ અનેક અન્ય છેતરપિંડી નેટવર્ક્સ સાથે જોડાયેલી હોઈ શકે છે. આ માણસો ફક્ત નિષ્ક્રિય મદદગાર નહોતા. તેમણે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી – સિમથી લઈને QR કોડ સુધી – જેનાથી સ્કેમર્સને સમગ્ર ભારતમાં સરળતાથી કામ કરવાની મંજૂરી મળી, એક અધિકારીએ જણાવ્યું.

અત્યાર સુધીમાં, વિવિધ રાજ્યોમાં ૨૨ FIR નોંધાઈ છે, જેમાં ગુજરાતમાં ત્રણ (અમદાવાદમાં બે અને મોરબીમાં એક)નો સમાવેશ થાય છે. આ ગેંગ સ્કેમર્સને સાધનો અને ઓળખ સપ્લાય કરવામાં નિષ્ણાત હતી. કમિશન માટે, તેઓએ સિમ કાર્ડ, ઇન્ટરનેટ એક્સેસ, બેંક ખાતા અને ડિજિટલ ઉપકરણો પૂરા પાડયા, જેનો ઉપયોગ પછી ડિજિટલ ધરપકડ, રોકાણ છેતરપિંડી, નકલી લોન અને ડિપોઝિટ યોજનાઓ, UPI અને ચુકવણી એપ્લિકેશન છેતરપિંડી, અને ઘરેથી કામ અથવા પાર્ટ-ટાઇમ નોકરી જેવા કૌભાંડોમાં થતો હતો.

ગુજરાત પ્રધાનમંડળનું વિસ્તરણ કયારે? સવાલ પૂછતા સીએમ પટેલ અને સી.આર પાટીલે શું કર્યું

0

ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કમલમ્, કોબા ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યું હતું. સંબોધન બાદ જ્યારે તેમને રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ માત્ર સ્માઈલ આપી ઉભા થઈ ગયા હતા.

સંબોધન દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે. સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે. ભારત આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે. ખાદીનું વેચાણ વધીને 1.70 લાખ કરોડનું થયું છે. GSTના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થયો છે. મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે.

સી આર પાટીલે સંબોધન દરમિયાન કહ્યું, પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે.આત્મનિર્ભર ભારતનો કાર્યક્રમ સતત ચલાવાશે. આત્મનિર્ભર ભારતની શરૂઆત ભાજપના કાર્યકર્તાઓ કરશે. આત્મનિર્ભરતાથી 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ છે. 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી અભિયાન ચલાવાશે. ભારતીય ઉત્પાદનો વેચવાનું દુકાનદારો ગર્વ અનુભવશે. આત્મનિર્ભર ભારતને જ જન આંદોલન બનાવાશે. વોકલ ફોર લોકલના કારણે સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે. મેક ઈન ઈન્ડિયાનું પીએમ મોદીએ આહવાન કરતા સ્વદેશી ઉત્પાદન વધ્યું છે. મોબાઈલનું ભારતમાં ઉત્પાદન વધ્યું છે. ભારત મોબાઈલની નિકાસ કરી રહ્યું છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, સ્વદેશી ટેકનોલોજીથી રેલવેનું વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે. આવતીકાલે અમૃત ભારત ટ્રેનને પીએમ લીલીઝંડી આપશે. દેશની નિકામાં સતત વધારો થઈ રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત સ્વનિર્ભર થઈ રહ્યું છે. નાગરિકોને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા પ્રેરિત કરાશે. સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનો યોજાશે. 65થી વધુ આત્મનિર્ભર રથ ફેરવવામાં આવશે. સુરતના 240 માર્કેટના વેપારીઓએ સ્વદેશીનો સંકલ્પ લીધો છે. સ્વદેશીના નારાને સોશલ મીડિયાના માધ્યમથી બુલંદ કરાશે.

‘I Love Mohammad’ના મંચ પરથી સીએમ યોગીને ખુલ્લી ધમકી, મૌલવીએ કહ્યું- ‘હું તેમને અહીં દફનાવીશ’

0

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી આ ક્ષણના મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં, આઈ લવ મોહમ્મદ કાર્યક્રમ દરમિયાન, એક મૌલાનાએ મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ ખૂબ જ ભડકાઉ નિવેદનો આપ્યા હતા. મંચ પરથી પોતાના ભાષણમાં, મૌલાનાએ સીએમ યોગીને જાહેરમાં દફનાવવાની ધમકી આપી હતી. મૌલાનાએ ભીડની સામે સીએમ યોગી વિરુદ્ધ ઘણા અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. સીએમ યોગીને ધમકી આપનાર વ્યક્તિએ તેમને માજલગાંવની મુસ્તફા મસ્જિદમાં આવવાનો પડકાર ફેંક્યો છે. તે વ્યક્તિએ કહ્યું હતું કે જો યોગી અહીં આવશે તો તેમને અહીં દફનાવવામાં આવશે.

હકીકતમાં, બીડના માજલગાંવમાં એક ખુલ્લા મંચ પરથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દફનાવવાની ધમકી આપવામાં આવી હતી. “આઈ લવ મોહમ્મદ” કાર્યક્રમ ત્યાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક મૌલવીએ સીએમ યોગીને સ્ટેજ પરથી દફનાવવાની ધમકી આપી હતી. મૌલવીની ઓળખ અશફાક નિસાર શેખ તરીકે થઈ છે. હાલમાં, માજલગાંવ પોલીસ સ્ટેશનમાં આ મામલે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. વધુમાં, મૌલવીનું સીએમ યોગીને ધમકી આપતું વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

આઈ લવ મોહમ્મદ ઝુંબેશ શું છે?
મુસ્લિમ સંગઠનો “આઈ લવ મોહમ્મદ” ને લઈને દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. શુક્રવારની નમાજ પછી અનેક સ્થળોએ મસ્જિદોની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. આ જ ક્રમમાં બીડમાં એક મસ્જિદની બહાર પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે કાનપુરમાં “આઈ લવ મોહમ્મદ” પોસ્ટરો લગાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી ખોટી છે. તેમનો આરોપ છે કે આનાથી સાંપ્રદાયિક સૌહાર્દ ખલેલ પહોંચી છે અને નિર્દોષ નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. સીએમ યોગીને ધમકીઓના કિસ્સામાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું બાકી છે.