Home Blog Page 294

સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં..ડોક્ટરની બેદકારીના કારણે મહિલાનું મોત

સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડોક્ટરની બેદકારીના કારણે મહિલાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વધુમાં. ડો.અમિત શાહ દર્દીને ICUમાં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા હોવાનો પણ આરોપ મૂક્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતની મેટાસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદકારીના કારણે 45 વર્ષીય રેખા બેન ગુપ્તાનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડો અમિત શાહના રેફરન્સથી દર્દીને દાખલ કર્યા હતા અને ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયા છે. જો ડોક્ટર વિદેશ જવાના હતા તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કેમ કર્યા જેવા સવાલો ઉઠાવી રહ્યા છે.

નોંધનીય છે કે, 45 વર્ષીય રેખા બેન ગુપ્તા 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. દર્દીને ઝાડા થયા હતા. છેલ્લા લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા. તેઓને છેલ્લા 10 દિવસથી ICUમાં દાખલ કર્યા હતા. દર્દીને તબિયત બરાબર છે કહી ડોક્ટર અમિત શાહ વિદેશ ચાલ્યા ગયા. જ્યારે હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે, શ્વાસ બંધ થતા મોત નિપજ્યું છે. પરિવારજનો ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાવવા પહોચ્યા છે.

શિરડી દર્શન કરી પરત ફરતા સુરતના યુવાનોનો આકસ્માત, 3 નાં મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

સુરતના યુવાનો શિરડી (મહારાષ્ટ્ર)માં સાંઈબાબાનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નાસિક નજીક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના સાત યુવાનો શિરડીના દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત વતન તરફ નાસિક માર્ગે ફરી રહ્યા હતા ત્યારે યેવલા તાલુકાના એરંડગાંવ રાયતે શિવર વિસ્તારમાં તેમનાં ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો. ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા હતા. બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું.

બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામને હાઈકોર્ટ તરફથી મળ્યા વચગાળાના જામીન

0

રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે તબીબી કારણોસર આસારામને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે. કેસની સુનાવણી કરી રહેલા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આસારામને વચગાળાના જામીન આપ્યા છે.

નિયમિત જામીન માટે અરજી આપવામાં આવી હતી
આસારામ હાલમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને, આસારામે નિયમિત જામીન માટે અરજી કરી હતી. તે જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી હતી
જાન્યુઆરીની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે 2013 ના બળાત્કાર કેસમાં માર્ચના અંત સુધી તબીબી કારણોસર આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે આસારામને ઉંમર સંબંધિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને તેમને બે વાર હૃદયરોગના હુમલા આવ્યા છે.

આસારામની 2013માં ધરપકડ કરવામાં આવી હતી
આસારામ ઓગસ્ટ 2013 થી એક સ્કૂલ ગર્લ પર બળાત્કાર કરવાના આરોપમાં જેલમાં છે. 16 વર્ષની એક છોકરીની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના પછી, આસારામ અને તેમના પુત્ર, નારાયણ સાંઈ પર ગુજરાતના સુરતમાં તેમના આશ્રમમાં બે બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો.

ગોવામાં અંડરવર્લ્ડ કનેક્શનનો પર્દાફાશ: દાઉદનો સાથી દાનિશ ચિકના ડ્રગ્સ કેસમાં ઝડપાયો

0

દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી દાનિશ ચિકનાની ગોવામાં ધરપકડ કરવામાં આવી છે. તેનું સાચું નામ દાનિશ મર્ચન્ટ છે, પરંતુ તે તેના ઉપનામથી વધુ જાણીતો છે. એવો આરોપ છે કે દાનિશ ભારતમાં ડ્રગ સિન્ડિકેટ ચલાવે છે. ગોવામાં ધરપકડ NCB, મુંબઈ દ્વારા કરવામાં આવી હતી.

દાનિશ ચિકનાની અગાઉ ડિસેમ્બર 2024 માં NBC દ્વારા મુંબઈમાં ડ્રગ ઓપરેશનના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. મર્ચન્ટ પર મુંબઈના ડોંગરી વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમના ડ્રગ ઓપરેશનનું સંચાલન કરવાનો આરોપ છે.

મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહિમનો સહયોગી દાનિશ મર્ચન્ટ, જેને દાનિશ ચિકના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની મુંબઈમાં ડ્રગ ઓપરેશનના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ પહેલી વાર નથી જ્યારે મર્ચન્ટ ડ્રગ રેકેટ સાથે જોડાયેલો હોય. 2021 માં, મર્ચન્ટની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી 200 ગ્રામ હશીશ મળી આવી હતી.

NCB એ તેના પર ડ્રગ સંબંધિત બે કેસોમાં આરોપ મૂક્યો હતો. માર્ચ 2021 માં, NCB એ મુંબઈમાં એક ડ્રગ લેબની તપાસ કરી. આ ઓપરેશનમાં સામેલ હોવાનો આરોપ લગાવનાર મર્ચન્ટ રાજસ્થાન ભાગી ગયો હતો. દાઉદ ઇબ્રાહિમના સહયોગીઓ, ચિંકુ પઠાણ અને આરિફ ભુજવાલાની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.

કેનેડામાં બિશ્નોઇ ગેંગનો આતંક: વસુલી નહિ દેવા બદલ ઉદ્યોગપતિ દર્શનસિંધ સાહસીની હત્યા

કેનેડામાં ગેંગ વોર વધી રહી છે, ખાસ કરીને ભારતીય ગેંગસ્ટરોમાં જેમણે ત્યાં વિનાશ વેર્યો છે. તાજેતરની ઘટનામાં, લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી એકવાર કેનેડિયન ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા કરી દીધી. આ ઘટના પછી તરત જ, ગેંગે પંજાબી ગાયક ચન્ની નટ્ટનના ઘરની બહાર ગોળીબાર કર્યો. ગેંગે આ ઘટનાનો એક વીડિયો પણ બહાર પાડ્યો. બાદમાં, બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટમાં આ ઘટનાની ઔપચારિક જવાબદારી સ્વીકારી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી ધિલ્લોને સોશિયલ મીડિયા પર બંને ઘટનાઓની જવાબદારી લીધી. પોતાની પોસ્ટમાં, તેણે દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા તેની ગેંગ દ્વારા કરવામાં આવી હતી કારણ કે તે ડ્રગ્સના મોટા વેપારમાં સામેલ હતો. તેણે એમ પણ લખ્યું હતું કે બિશ્નોઈ ગેંગે તેને ત્યારે મારી નાખ્યો જ્યારે તેણે તેમને પૈસા આપવાનો ઇનકાર કર્યો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો.

બિશ્નોઈ ગેંગે એક જ દિવસમાં બે ઘટનાઓને અંજામ આપ્યો હતો અને અલગ અલગ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જવાબદારી સ્વીકારી હતી. ચન્ની નટ્ટનના ઘરની બહાર ગોળીબાર બાદ, ગેંગે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાયક ચન્ની નદ્દન સાથે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ ગાયક સરદાર ખેરા સાથેની તેમની વધતી જતી નિકટતાને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ગોલ્ડી ધિલ્લોને આ પોસ્ટમાં ચેતવણી પણ આપી હતી કે ભવિષ્યમાં સરદાર ખેરા સાથે કોઈપણ કામ કે સંબંધ બાંધનાર કોઈપણ ગાયક પોતાના નુકસાન માટે જવાબદાર રહેશે. આ પોસ્ટમાં સરદાર ખેરાને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગને કેનેડાની સરકારે તેની પ્રવળત્તિઓ માટે આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરી છે. આ નિર્ણય સપ્ટેમ્બર 2025 માં કેનેડામાં હિંસા, ખંડણી અને ધાકધમકી આપવાના કારણે લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે હવે લોરેન્સ બિ’બેઈ ગેંગને ટેકો આપવો અથવા કેનેડામાં તેની સાથે સંબંધિત કોઈપણ નાણાકીય વ્યવહારોમાં સામેલ થવું ગુનો છે. વધુમાં, કેનેડામાં ગેંગની કોઈપણ સંપત્તિ જપ્ત કરી શકાય છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી એકવાર શ્રેણીબદ્ધ ગોળીબાર કરીને કેનેડામાં આતંક ફેલાવ્યો છે. બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં ગાયક ચન્ની નટ્ટનના ઘરે ગોળીબાર કર્યો. ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યાની જવાબદારી પણ સ્વીકારી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી ધિલ્લોને બંને ઘટનાઓની જવાબદારી સ્વીકારી છે. ગોલ્ડી ધિલ્લોને પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા તેમની ગેંગ દ્વારા કરવામાં આવી હતી કારણ કે તે મોટા ડ્રગના વેપારમાં સામેલ હતો. જ્યારે બિશ્નોઈ ગેંગે માંગેલા પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો, ત્યારે ગેંગે તેમની હત્યા કરી દીધી.
ઉપરાંત, ચન્ની નદ્દન અને સરદાર ખેડા નજીકના મિત્રો છે. લોરેન્સના ગુંડાઓએ ગાયક ચન્ની નટ્ટનને સરદાર ખેડા સાથે ગાઢ સંબંધ હોવાને કારણે ગોળી મારી હતી.

ચન્ની નટ્ટનના ઘરની બહાર ગોળીબાર કર્યા પછી, ગોલ્ડી ઢિલ્લોને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાયક ચન્ની નટ્ટન સાથે તેમની કોઈ અંગત દુશ્મની નહોતી, પરંતુ ગોળીબારનું કારણ ગાયક સરદાર ખેડા હતા. સરદાર ખેડા સાથે તેમની વધતી જતી નિકટતાને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં સરદાર ખેહરા સાથે કોઈપણ કામ કે સંબંધ ધરાવનાર કોઈપણ ગાયક પોતાના નુકસાન માટે જવાબદાર રહેશે. તેમાં સરદાર ખેહરાને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંબાલા એરબેઝ પરથી રાફેલ લડાકુ વિમાનમાં ભરશે ઉડાન

0

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંબાલા એર ફોર્સ સ્ટેશન પર રાફેલ વિમાનમાં ઉડાણ ભરી છે. રાફેલ લડાકુ વિમાનમાં ઉડાણ ભરવા માટે અંબાલા એર ફોર્સ સ્ટેશન પહોંચી હતી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ પણ અહીં હાજર છે. જણાવી દઈએ કે ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન રાફેલ લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

સુખોઈ-30થી કરી ચૂકી છે ફ્લાઈંગ
રાષ્ટ્રપતિ ભવન તરફથી મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલે હરિયાણાના અંબાલા જશે, જ્યાં તેઓ રાફેલ વિમાનમાં ઉડાણ ભરશે.” સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર મુર્મુએ 8 એપ્રિલ, 2023ના રોજ અસમના તેજપુર વાયુસેના સ્ટેશનમાં સુખોઈ-30 એમકેઆઈ લડાકુ વિમાનમાં ઉડાણ ભરી હતી અને તેઓ આવું કરનારી ઓપરેશન સિંદૂરમાં જે રાફેલથી ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું હતું, તેમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભરી ઉડાણ ત્રીજી રાષ્ટ્રપતિ બની હતી.

ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસો એવિએશન દ્વારા બનાવવામાં આવેલા રાફેલ લડાકુ વિમાનને સપ્ટેમ્બર 2020માં અંબાલા વાયુસેના સ્ટેશન પર ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું હતું. પ્રથમ પાંચ રાફેલ વિમાનોને 17મી સ્ક્વોડ્રન ‘ગોલ્ડન એરોઝ’માં સામેલ કરવામાં આવ્યા હતા. આ વિમાનો 27 જુલાઈ, 2020ના રોજ ફ્રાન્સથી અહીં પહોંચ્યા હતા.

અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ વળ્યું, રાજ્ય પર કુદરતી આફતનું સંકટ ઘેરાયું

ગુજરાત માથે ફરી એક વાર મોટી ઘાત આવી રહી છે. એક તરફ પ્રચંડ વાવાઝોડુ મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠા નજીક પ્રતિ કલાકની 110 કિ.મી.ની વિનાશક ઝડપ સાથે ધસી આવ્યું છે. બીજી બાજું ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વે-મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે.

સોમવારે તે વેરાવળથી 570 કિ.મી.ના અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મૂજબ તે 480 કિ.મી. દૂર હતું, એક દિવસમાં આશરે 100 કિ. મી.નજીક આવ્યું છે. વળી, આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. ઉંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયો છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે સામાન્ય માવઠાં વરસાવે છે તે પણ સક્રિય છે. આમ, ગુજરાતમાં માવઠાંની માઠી દશા હજુ જારી રહેશે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે બુધવારે અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદનું (ઓરેન્જ એલર્ટ) અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા તેમજ દીવ-દમણમાં ભારે વરસાદની અને રાજ્યના અન્ય જિલ્લામાં 30-40 કિ.મી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જારી કરી છે.

ડિપ્રેશન મંગળવારે ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર ભણી કલાકના 7 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું અને આ જ દિશામાં આગળ વધવાનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત કેટલાક મોડેલો અનુસાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ડિપ્રેશન લાવનાર અરબી સમુદ્રનું ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકતું વાવાઝોડું કે જેનું નામકરણ મોનથા થયું છે તેના વચ્ચે બહુ ફરક નથી. ડિપ્રેશન એ લૉ પ્રેશરમાંથી જન્મતી વરસાદી સિસ્ટમ છે જેમાં ગોળગોળ ઘુમતા પવનની ચક્રાકાર ગતિ 63 કિ.મી.થી ઓછી હોય છે અને ગતિ આથી વધે તો તેને વાવાઝોડાનું નામ અપાય છે. આ વાવાઝોડુ 118 કિ.મી.થી વધુ ચક્રાકાર ગતિએ પહોંચે તો તે સુપર સાયક્લોન બને છે.

કૅબિનેટની મોટી જાહેરાત: કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને આપી મંજૂરી

0

કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય છે, જેનાથી દેશના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 થી વધુ પેન્શનરોને સીધો ફાયદો થશે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો અને સંયુક્ત સલાહકાર તંત્રના કર્મચારી પક્ષ સાથે પરામર્શ કર્યા પછી પગાર પંચ માટેની સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પગાર પંચની રચના દર 10 વર્ષે કરવામાં આવે છે, જેનો હેતુ સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવાનો હોય છે. 8મું પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. કેન્દ્ર સરકારે જુલાઈમાં સંસદને જાણ કરી હતી કે તેણે ૮મા પગાર પંચની રચના અંગે મુખ્ય હિસ્સેદારો પાસેથી સૂચનો માંગ્યા છે. કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ અગાઉ જણાવ્યું હતું કે સરકાર પગાર પંચની ભલામણો સ્વીકાર્યા પછી તેનો અમલ કરવામાં આવશે.અગાઉ 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી, અને તેની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવી હતી.

જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરાઇ
8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈનને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.8મા પગાર પંચ પછી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે અંગે કોઈ સત્તાવાર ડેટા જાહેર થયો નથી, પરંતુ નોંધપાત્ર વધારાની અટકળો ચાલી રહી છે. પગાર પંચ તેની ભલામણો ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ મૂળભૂત પગારના આધારે કરે છે. 7 મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ ગણો હતો, જ્યારે 8મા પગાર પંચમાં તે 3 થી 3.42 ગણો થવાની ધારણા છે.

નોંધનીય છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 3 ગણો પણ આધાર તરીકે ઉપયોગ કરવામાં આવે, તો લોઅર ડિવિઝન ક્લાર્ક (જેનો ગ્રેડ પે ₹1,900 છે અને 7મા પગાર પંચ હેઠળ મૂળ પગાર ₹18,000 છે) નો પગાર ₹59,700 સુધી પહોંચી શકે છે. હાલમાં HRA, DA અને મુસાફરી ભથ્થા સહિત તેમનો પગાર લગભગ ₹37120 થી ₹39370 સુધી પહોંચે છે.

ભૂતપૂર્વ મેચ રેફરીએ BCCI પર લગાવ્યા સનસનાટીભર્યા આરોપ, સૌરવ ગાંગુલી પર કર્યો આ ખુલાસો

0

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T201 શ્રેણી રમવા માટે ઉત્સુક છે. આ શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ અગાઉ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભૂતપૂર્વ મેચ રેફરીએ ભારતીય ટીમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે.

ભૂતપૂર્વ ICC મેચ રેફરી ક્રિસ બ્રોડે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે મેચ રેફરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમને એક ફોન આવ્યો હતો જેમાં તેમને નરમી દાખવવા અને ભારત સામે ધીમા ઓવર રેટ માટે પેનલ્ટી ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેમણે એ જાહેર કર્યું નથી કે તેમને કોણે ફોન કર્યો હતો. ક્રિસ બ્રોડને યાદ નથી કે તે કઈ મેચ હતી અથવા તે મેચમાં કઈ ટીમ ભારત સામે રમી રહી હતી.

ધ ટેલિગ્રાફને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ક્રિસ બ્રોડે જણાવ્યુ કે, ‘ભારત મેચના અંતે 3-4 ઓવર પાછળ હતું, એટલે પેનલ્ટી જરૂરી હતી. મને એક ફોન આવ્યો કે, ‘નરમી રાખો, થોડો સમય લો કારણ કે આ ભારત છે.’ એટલે અમારે થોડો સમય કાઢવો પડ્યો અને ઓવર-રેટને મર્યાદા સુધી લાવવો પડયો.’ ભૂતપૂર્વ મેચ રેફરીએ વધુમાં જણાવ્યું કે, ‘આગલી મેચમાં પણ આવું જ થયું. તત્કાલીન ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ મારી વાત ન સાંભળી તો મેં ફોન કરીને પૂછ્યું, ‘તમે હવે શું કરવા માગો છો? અને મને કહેવામાં આવ્યું,’બસ તેમની સાથે જ કરો.’

ચક્રવાત ‘મોન્થા’નો ઉડાનો પર પ્રભાવ: 32 ફ્લાઈટ રદ્દ, મુસાફરોને પડી મુશ્કેલી

0

મંગળવારે ગંભીર ચક્રવાતી વાવાઝોડા મોન્થાને કારણે વિશાખાપટ્ટનમ એરપોર્ટથી ચાલતી કુલ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડિરેક્ટર એન. પુરુષોત્તમને જણાવ્યું હતું કે 27 ઓક્ટોબરે એર ઇન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ
“વાસ્તવમાં, અમે દરરોજ 30 થી 32 ફ્લાઇટ્સ ચલાવીએ છીએ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને. તે બધી ફ્લાઇટ્સ આજે રદ કરવામાં આવી છે,” પુરુષોત્તમે જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ની માર્ગદર્શિકા અનુસાર ગંભીર ચક્રવાતી તોફાન માટે તૈયારી કરવા માટે એરપોર્ટ દ્વારા સાવચેતી રાખવામાં આવી છે, જેમાં ચક્રવાત પહેલા અને પછીની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

વિજયવાડા એરપોર્ટથી ૧૬ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
તેવી જ રીતે વિજયવાડા એરપોર્ટે આજે ૧૬ ફ્લાઇટ્સ રદ કરી હતી પરંતુ પાંચ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. વિજયવાડા એરપોર્ટના ડિરેક્ટર લક્ષ્મીકાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ગઈકાલે (સોમવારે) વિશાખાપટ્ટનમ જતી માત્ર એક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. પરંતુ આજે દિલ્હી અને મુંબઈ સહિત દેશભરના વિવિધ સ્થળોએ જતી ૧૬ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.”

તિરુપતિ એરપોર્ટ પર 4 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
રેડ્ડીના જણાવ્યા મુજબ, એરલાઇન્સે મંગળવાર માટે કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે બુધવારના ફ્લાઇટ ઓપરેશન અંગેની પરિસ્થિતિ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે. તેવી જ રીતે, તિરુપતિ એરપોર્ટ પર ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

૧૨૦ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
દરમિયાન, એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે 27 ઓક્ટોબર અને મંગળવારે દક્ષિણ મધ્ય રેલવે (SCR) ઝોનમાં કુલ 120 ટ્રેનો રદ કરવામાં આવી હતી. ચક્રવાત મંગળવાર સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.