Home Blog Page 268

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર મચી છે. શોપિંગ મોલમાં 9માં માળે આવેલા કેફેમાંથી નીચે ઝંપલાવ્યું. લગ્નના બે મહિના પહેલા ડોક્ટરે જીવન ટૂંકાવ્યું. પોલીસે આપઘાતનો ભેદ ઉકેલવા વધુ કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં એક 27 વર્ષિય ડોક્ટરે આપઘાત કરી લીધો છે. શુક્રવારે(21 નવેમ્બર) સાંજે 7 વાગ્યે સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં રહેતી રાધિકા કોટડિયા નામની મહિલા ડોક્ટર બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. એકાએક પગલું ભરતાં લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં રાધિકા કોટડિયાને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. એકાએક કરેલા આપઘાતથી પરિવારમાં ભારે દુઃખ માહોલ છવાઈ ગયો છે.

જાણવા મળ્યું છે કે મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેની સગાઈ 6 મહિના પહેલા જ એક યુવક સાથે થઈ હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન થવાના હતા. જો કે લગ્ન કરે તે પહેલા આપઘાતનું પગલું ભરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આપઘાત પાછળનું હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે પરિવારના નિવેદન અને મોબાઈલના આધારે મહિલા ડોક્ટરના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો, ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને હિમવર્ષાની આગાહી

ગુજરાતમાં ઠંડીનો પારો સામાન્ય ઉચકાયો છે. જેના પગલે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશથી બિહાર અને મધ્યપ્રદેશ સુધી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જશે અને ગ્રામીણ વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. દરમિયાન, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ જવાને કારણે બર્ફીલા પવનો ઠંડીનું કારણ બનશે.

સ્કાયમેટ વેધરની આગાહી છે કે આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ઓછા દબાણનો વિસ્તાર બની શકે છે, જે સોમવાર સુધીમાં ચક્રવાત (સાયક્લોન સેન્યાર) માં તીવ્ર બની શકે છે, જેના પરિણામે ચક્રવાતી વાવાઝોડું અને ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં તોફાન જેવી સ્થિતિ સર્જાશે, જેમાં વાવાઝોડા અને વીજળી પડવા સાથે સામાન્ય જનજીવન ખોરવાઈ જશે, સાથે જ મુશળધાર વરસાદ પણ પડશે. પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હવામાન પ્રવૃત્તિની પણ અપેક્ષા છે.

શહેરલઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ16.7
ડિસા14.4
ગાંધીનગર16.4
વિદ્યાનગર16.8
વડોદરા14.6
સુરત18.8
દમણ17.4
ભૂજ15.6
નલિયા11.2
કંડલા પોર્ટ16.7
કંડલા એરપોર્ટ13.6
અમરેલી16.6
ભાવનગર16.8
દ્વારકા18.2
ઓખા22.6
પોરબંદર14.4
રાજકોટ14.2
વેરાવળ18.9
દીવ16.5
સુરેન્દ્રનગર16.6
મહુવા15.5
કેશોદ14.0

ચક્રવાતી પરિભ્રમણને કારણે, આગામી 24 કલાકમાં તમિલનાડુના કુડ્ડલોર અને મયિલાદુથુરાઈ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ હવામાન પ્રવૃત્તિઓ આગામી અઠવાડિયા સુધી દક્ષિણના હવામાનને અસર કરશે. તેની અસર ઉત્તર-પૂર્વ સુધી જોવા મળશે. IMD એ કહ્યું છે કે ઉત્તરમાં ચોમાસા પછી આ બીજી મોટી ખલેલ હશે. આ વાવાઝોડાનું નામ સેન્યાર રાખવામાં આવશે.

વડોદરામાં કામગીરી દરમિયાન BLO સહાયક ઉષાબેન સોલંકીનું મોત, હાર્ટ એટેકની આશંકા

વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ (ITI)ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શુ પરંતુ હાલમાં હાર્ટ એટેકની આશંકા છે. ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશના અલમોરામાં શાળા નજીકના જંગલમાં 161 શંકાસ્પદ જિલેટીન સ્ટીક મળી

0

ઉત્તર પ્રદેશના અલ્મોરાના સોલ્ટ વિસ્તારમાં ડાબરાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાસેના જંગલમાં શંકાસ્પદ સામગ્રી મળી આવતા હોબાળો મચી ગયો હતો. શાળાના આચાર્યએ સોલ્ટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે બાળકોને રમતી વખતે કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સુરક્ષા કારણોસર સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસે જંગલમાંથી કુલ 161 જિલેટીન સળિયા જપ્ત કર્યા હતા.

શુક્રવારે, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સામગ્રીના નમૂના એકત્રિત કર્યા હતા. જિલેટીન સળિયાનો ઉપયોગ સામાન્ય રીતે રસ્તાના બાંધકામ પ્રોજેક્ટ્સમાં પથ્થરો તોડવા માટે થાય છે. હાલમાં તે સળિયા કોણ અને શા માટે લાવ્યું તે નક્કી કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.

લો, હવે મહાદેવ પણ અસુરક્ષિત, ઉંડાચમાં મંદિરમાંથી શિવલિંગ ચોરાયું!

ઘોર કળિયુગ આવ્યો હોય એમ હવે મંદિરમાં મહાદેવ પણ સુરક્ષિત નથી ! ગણદેવી તાલુકાના ઉંડાચ ગામના મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. મંદિરમાં દાનપેટીમાંથી ચોરી થાય કે ભગવાને ધારણ કરેલા આભુષણો કોઈ ચોરી જાય એવું તમે સાંભળ્યું હશે, પરંતુ ભગવાનને જ કોઈ ચોરી જાય એવું સાંભળ્યું છે ખરું? હા, ભગવાનની મૂર્તિ ચાંદી કે સોનાની હોય તો કોઈ ચોરી જાય, પણ શિવલિંગ તો કોઈ ચોરી જાય એવું બને જ નહીં. પરંતુ એવી આશ્ચર્યજનક ઘટના બીલીમોરા પાસેના ગામમાં નોંધાઈ છે. બીલીમોરા નજીક ઉંડાચ રાઘવ ફળિયા ગામેઆવેલા પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં પીપળાના વૃક્ષ પાસેનું શિવલિંગ કોઈ શખ્શ કારમાં આવીને ચોરી ગયો હતો.

ભાવનગર પોલીસે ગૌ-માંસનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો, 2 લોકોની કરી અટકાયત

ભાવનગર પોલીસે શંકાસ્પદ ગૌ-માંસનો જથ્થો ઝડપી પાડ્યો. શહેરનાં સાંઢીયાવાડ મટન માર્કેટ પાસે આવેલ રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો જથ્થો. 100 કિલોથી વધુનાં શંકાસ્પદ ગૌ માંસનાં જથ્થા સાથે 2 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. 100 કિલો ગૌ માંસ ઉપરાંત 8 જીવતા પશુઓ ઘરમાંથી છોડાવવામાં આવ્યા છે. 8 પશુઓમાં 1 ગાય અને 7 ભેંસ અને પાડાને મુક્ત કરવામાં આવ્યા છે. રેડ દરમિયાન હુસેન અને મોસીમ નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે સતાવાર ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી.

નકલી દસ્તાવેજો બનાવીને અફઘાનિસ્તાની કરતો વસવાટ, LCBએ આરોપીને ઝડપી પાડ્યો

0

સુરત શહેરમાં રહેતા મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમદ આમીર જાવીદ ખાનની કરી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મૂળ અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરી છે. આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ પણ છે. શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ-1967ની કલમ 12(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી એક વર્ષ પેહલા પરિવાર સાથે સુરત આવ્યો હતો. આરોપી ભારતીય પાસપોર્ટના આધારે યુએઈ અને અફઘાનિસ્તાન જઈને આવ્યો છે. આરોપીએ પોતાના બોગસ ડોક્યુમેન્ટ મહારાષ્ટ્રમાંથી બનાવ્યા હતા, જે તપાસ હાલ ચાલી રહી છે. આરોપી સુરતમાં કાપડનો ધંધો કરતો હતો. હોલસેલ માર્કેટથી કાપડ લઈ આરોપી અલગ અલગ રાજ્યોમાં વેચતો હતો. સુરતમાં શા માટે રહેવા માટે આવ્યો તે અંગે તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ, પાઇલટનું મોત

દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું છે. અલ મક્યૂમ એરપોર્ટ પર ચાલી રહેલા એર શોમાં ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો હતો. સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે ભારતીય સમય મુજબ બપોરે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો.

તેજસના પાઇલટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.

વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.

SIRના કામના વધતા દબાણે કોડીનારના BLOએ કર્યો આપઘાત, અત્યાર સુધીમાં 8 BLOના મોત

0

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચરા ગામમાં SIR તરીકે કાર્યરત બૂથ લેવલ ઓફિસર (BLO) અને શિક્ષક અરવિંદ વાઢેરે કામના તણાવને કારણે આત્મહત્યા કરી. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ સમુદાયને આઘાત પહોંચાડ્યો છે અને શૈક્ષણિક સંગઠનોમાં ઊંડો રોષ ફેલાવ્યો છે.

શિક્ષક સંઘ દ્વારા કામગીરીનો બહિષ્કાર
આ કરૂણ ઘટનાના પગલે શિક્ષક સંઘ દ્વારા સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. શિક્ષક સંઘે મૃતક શિક્ષકને શ્રદ્ધાંજલિ પાઠવતા તાત્કાલિક અસરથી બી.એલ.ઓ.ની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. કોડીનારથી શરૂ કરીને રાજ્યભરના શિક્ષકોએ આ બિન-શૈક્ષણિક કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં ન આવે.

શિક્ષક સંઘની માંગણી છે કે શિક્ષકોને માત્ર શૈક્ષણિક કાર્ય જ સોંપવું જોઈએ, જેથી બાળકોના ભવિષ્ય પર અને શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર ન પડે. આ ઘટનાએ શિક્ષણ વિભાગ અને ચૂંટણી પંચ દ્વારા શિક્ષકો પર લાદવામાં આવતા વધારાના કામગીરીના ભારણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હું હવે આ SIR કરી શકતો નથી
40 વર્ષીય અરવિંદ વાઢેરે આત્મહત્યા કરતા પહેલા તેની પત્નીને સંબોધીને એક ભાવનાત્મક સુસાઇડ નોટ છોડી હતી, જેમાં લખ્યું હતું, “હું હવે આ SIR કરી શકતો નથી. હું છેલ્લા કેટલાક દિવસોથી થાક અને તણાવમાં છું. કૃપા કરીને તમારી અને મારા પુત્રની સંભાળ રાખો.” હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું, પણ હવે હું લાચાર છું. મારી પાસે કોઈ વિકલ્પ બાકી નથી.’

શૈક્ષણિક સંગઠનોમાં આક્રોશ
તેમણે લખ્યું, “મારી પાસે બધા SIR દસ્તાવેજો મારી બેગમાં છે, કૃપા કરીને તેને શાળામાં જમા કરાવો. મને મારી પ્રિય પત્ની સંગીતા અને મારા પ્રેમાળ પ્રિય પુત્ર ક્રિષય માટે ખૂબ જ દુઃખ છે.” આ ઘટના બાદ ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન, ગુજરાત પ્રાંતે SIR હેઠળ શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવતી ઓનલાઈન પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી રહ્યું છે.

કામના દબાણને લઇને વિશે પ્રશ્નો ઉભા થયા
અરવિંદ વાઢેરના મૃત્યુથી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં રોકાયેલા BLO દ્વારા સામનો કરવામાં આવતી કાર્યકારી પરિસ્થિતિઓ અને ભારે દબાણ વિશે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. દેશભરના ઘણા રાજ્યોમાં બૂથ લેવલ ઓફિસર્સના મૃત્યુના બનાવોએ ગંભીર ચિંતાઓ ઉભી કરી છે, પરિવારો મૃત્યુને વધુ પડતા કાર્યભારને આભારી છે, ખાસ કરીને SIR સાથે સંકળાયેલા દબાણને.

ક્યાં અને કેટલા BLO એ પોતાના જીવ ગુમાવ્યા છે?
ગુજરાતના ખેડામાં એક BLOનું મૃત્યુ નોંધાયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં એક BLOએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. રાજસ્થાનમાં બે કેસ નોંધાયા હતા: સવાઈ માધોપુરમાં એક BLOનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું, અને જયપુરમાં એક સરકારી શાળાના શિક્ષકે 16 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી હતી. પરિવારનો આરોપ છે કે તે મતદાર યાદી સંબંધિત ભારે દબાણ હેઠળ હતો.

તમિલનાડુના કુંભકોણમમાં એક વરિષ્ઠ આંગણવાડી BLO, જે કામના ભારણથી દબાઈ ગયા હતા, તેમણે 44 ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. કેરળના કન્નુરમાં, એક BLOએ પણ SIR સંબંધિત તણાવને કારણે પોતાનો જીવ લીધો. 9 નવેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાનમાં એક BLOનું મગજના સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું, જે પરિવારના સભ્યોએ માનસિક તણાવને કારણે હતું.

દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો: આતંકી ફંડિંગની કથિત માસ્ટરમાઇન્ડ ડૉ. શાહીન!

0

ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલમાંથી પકડાયેલા આરોપીઓના મોબાઇલ ફોનની તપાસ અને પૂછપરછમાં ડૉ. શાહીનની ભૂમિકા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્રિત કરનાર તરીકે સામે આવી છે. મળતી માહિતી અનુસાર જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના હેન્ડલરો ડૉ. શાહીનને બિટકોઇન દ્વારા ₹ 9 લાખથી વધુની રકમ મોકલતા હતા. આ રકમને શાહીન P2P પદ્ધતિનો ઉપયોગ કરીને 10થી વધુ બેંક ખાતામાં વિડ્રો કરતી હતી. આ ઉપરાંત, વિદેશમાં સાઉદી અરેબિયા, તુર્કિયે અને સીરિયા તરફથી હવાલા દ્વારા પણ ડૉ. શાહીન પાસે ₹ 6 લાખથી વધુની રકમ આવી હતી.

પૂછપરછમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે ડૉ. શાહીન પોતે પણ આ મોડ્યુલ માટે ફાળાના માધ્યમથી પૈસા એકઠા કરતી હતી. લોકોને તે એમ કહીને છેતરતી હતી કે આ રકમ તે મુસ્લિમોના સસ્તા ઈલાજ માટે હોસ્પિટલ બનાવવા માટે લઈ રહી છે. એટલું જ નહીં, ડૉ. શાહીને પોતાની કમાણીમાંથી પણ ₹ 4 લાખની રકમ મોડ્યુલના આતંકવાદી ગતિવિધિઓમાં રોકી હતી. 10 નવેમ્બરથી અત્યાર સુધીની 10 દિવસની પૂછપરછમાં એક રસપ્રદ તથ્ય સામે આવ્યું છે કે તમામ આરોપીઓના કાર્યો નક્કી હતા.

જ્યાં ડૉ. શાહીનનું કામ પૈસા એકઠા કરવા અને હેન્ડલરો દ્વારા અપાયેલા નાણાંને વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું હતું, ત્યાં મોડ્યુલના અન્ય આરોપી ઓમરનું કામ આ પૈસાથી વિસ્ફોટક અને રસાયણ ખરીદવાનું, રૂમમાં કેમિકલમાંથી વિસ્ફોટક બનાવવાનું, તેનું ટેસ્ટિંગ કરવાનું અને ફિદાયીન હુમલા માટે વાહનો ખરીદવાનું હતું. આ રીતે, દરેક આરોપી એક સુનિયોજિત યોજના હેઠળ કામ કરી રહ્યા હતા.

જોકે, અત્યાર સુધીની પૂછપરછ અને તપાસમાં પોલીસને ડૉ. શાહીનના મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર અથવા માર્યા ગયેલા આતંકી ઉમર ફારૂકની પત્ની અફીરા ફારૂક સાથે સીધા સંપર્કના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તપાસ ટીમે આતંકી ગતિવિધિઓમાં ફંડિંગના નેટવર્કને ઊંડાણપૂર્વક સમજવા અને તેની સાથે જોડાયેલા અન્ય તત્વોને પકડવા માટે વધુ તપાસ આદરી છે.