Home Blog Page 256

સિગારેટ–પાન મસાલા પર નવા સેસની તૈયારી, કેન્દ્ર સરકારે સંસદમાં લાવ્યું મોટું ટેક્સ સુધારા બિલ

0

સંસદ સત્રમાં સરકાર એક મોટો ટેક્સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલો હશે. સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં બે મહત્વના બિલ રજૂ કરશે. નાણામંત્રી હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ બિલ, ૨૦૨૫ અને સેન્ટ્રલ એકસાઇઝ એક્ટ સુધારા બિલ રજૂ કરશે. જેના હેઠળ વર્તમાન GST કાપનસેશન સેસ ને બદલીને નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સેસના દરોમાં કોઈ પણ પ્રકારનો
ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં GST હેઠળ આ પ્રોડક્ટ્સ પર જેટલો સેસ લગાવવામાં આવે છે, તે જ સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ પણ લાગશે. એટલે કે, GST હેઠળ સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર લાગતા હાલના સેસને હવે આ નવા સેસ દ્વારા બદલવામાં આવશે.

સરકાર આ પ્રોડક્ટ પર લાગતા GSTવાળા જૂના સેસને રિપ્લેસ કરી રહી છે, જેથી ટેક્સ કલેક્શનને વધુ સરળ બનાવી શકાય. વર્તમાન સમયમાં સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર GST ઉપરાંત વળતર ઉપકર પણ લાગે છે, જેની મુદત પૂરી થઈ રહી છે. સરકાર તે જ સ્ટ્રક્ચરને નવા નામ અને નવા કાયદા હેઠળ આગળ ધપાવવા માંગે છે. જેથી આવકમાં કોઈ ગેપ ન આવે.

આ ફેરફારથી દરોમાં કોઈ વધારો થવાનો નથી એટલે કે હાલ પૂરતી સામાન્ય લોકો માટે કિંમતો પર સીધી અસર જોવા નહીં મળે પરંતુ ટેક્સ સિસ્ટમ બદલાવાથી કંપનીઓ માટે રિપોર્ટિગ અને કમ્પ્લાયન્સમાં ફેરફાર આવશે. ખાસ કરીને સિગારેટ સેક્ટર તો પહેલેથી જ સખત ટેક્સ માહોલમાં કામ કરે છે, એટલે નવો કાયદો તેમની સામે નવા અનુપાલન નિયમો લાવી શકે છે.

સિગારેટ પર સેસ લગાવવા માટે તેને GSTમાંથી હટાવીને સેન્ટ્રલ એકસાઇઝ એક્ટ હેઠળ લાવવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે આ પ્રોડક્ટ્સની ટેક્સ મોનિટરિંગ પર વધુ કંટ્રોલ રહે. એકસાઇઝ સ્ટ્રક્ચર દ્વારા ટ્રેકિંગ સરળ બને છે અને ટેક્સ ચોરીના કેસ પણ ઘટે છે.

સુરત ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા: બેંગકોકથી લવાયેલ 1.70 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

સુરત શહેરમાં નશો વિરુદ્ધ ચાલી રહેલી “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત પોલીસને એક વધુ મોટી સફળતા મળી છે. શહેરના પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ JCP ક્રાઈમ, DCP ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાંચે મળીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે બેંગકોકથી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-263 દ્વારા સુરત આવનાર મુસાફર જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને સુરત એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

બાતમી હકિકત મળી આવતાં જ ડુમસ પોલીસ, એર ઈન્ટેલિજન્સ યુનિટ અને CISF ની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. આરોપીની ચેક–ઈન લગેજની તપાસ કરતાં તેની ટ્રોલી બેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ‘હાઈડ્રો વીડ’ એટલે કે હાઈબ્રિડ ગાંજાના કુલ 4035.97 ગ્રામનો જથ્થો મળ્યો, જેની કિંમત રૂ. 1,41,25,895 જેટલી થાય છે. તાત્કાલિક અસરથી NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરવામાં આવ્યો હતો.

આગામી તપાસ માટે આરોપીને પોલીસ રીમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન જાફરે ખુલાસો કર્યો કે ગેરકાયદેસર માદક પદાર્થનો વધુ જથ્થો તેણે બેગના પડમાં છુપાવ્યો છે. કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા વધારાના રીમાન્ડ બાદ ક્રાઈમ બ્રાંચે તેની ટ્રોલી બેગનું ટેક્નિકલ સાધનોની મદદથી ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું. બેગના ઉપર–નીચેના પડમાંથી વધુ ચાર પેકેટ મળી આવ્યા, જેમાં કુલ 4 કિલો 852 ગ્રામ હાઈબ્રિડ ગાંજો હતો, જેની અંદાજીત કિંમત રૂ. 1,69,82,000 જેટલી થાય છે.

આ રીતે સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 8.88 કિલો (8887.97 ગ્રામ) હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 3,11,07,895 જેટલી છે.

પોલીસ અનુસાર આ જથ્થો ભારતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો અને આરોપી ડ્રગ્સ રેકેટનો મહત્વપૂર્ણ ભાગ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ મુખ્ય સપ્લાયર, નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વધુ તપાસ ચાલુ છે. આ કાર્યવાહી દર્શાવે છે કે સુરત પોલીસ શહેરમાંથી નશાના નેટવર્કને નાબૂદ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

Surat: ચૂંટણીમાં 10 ટકા EWSની માગ સાથે પાટીદાર નેતા મેદાને ઉતર્યા

ભાજપ નેતા વરુણ પટેલે આપેલા નિવેદન બાદ હવે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પણ મેદાને ઉતર્યા છે. અનામત આંદોલનનો ચહેરો રહેલા અલ્પેશ કથીરિયાએ ચૂંટણીમાં 10 ટકા EWS ની માંગણી કરી છે. તેમજ ચૂંટણીમાં EWS થી દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળી રહેશે એવો સૂર પણ આલાપ્યો છે.

પાટીદાર નેતા મેદાને ઉતર્યા
ભાજપના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે ડાલમાં જ સોશિયલ મિડીયામાં કરેલી પોસ્ટથી ઉડાપોહ મચ્યો છે. તેમને પાટીદારોને આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા મુદ્દે આકરું નિવેદન આપ્યું હતું. વરૂણ પટેલના આ નિવેદનને હવે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સમર્થન આપતા રાજકારણમાં હલચલ મચી છે.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ડાલમાં વરુણભાઈએ દૂધસાગર ડેરીમાં 21 ટકાથી પણ વધુ મતદારો હોવા છતાં માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ અને ભવિષ્યમાં 10 ટકા EWS લાગું નહીં થાય તો સમાજને નુકશાન થશે એ બે બાબત મૂકી છે.

આ નિવેદનને સંપૂર્ણ સમર્થન છે. સ્વાભાવિક રીતે 10 ટકા EWS હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે EWS લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68 થી પણ વધુ જ્ઞાતિનો એક EWS નો વર્ગ છે, એને પોતાના અધિકારો પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગેચંગે ઉજવી શકે. વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથો સાથ 10 ટકા EWSનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી પ્રશ્ન ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે.

તમિલનાડુમાં એસટીની બે બસો સામ-સામે અથડાતાં 11 લોકોના મોત, 40થી વધુ ઘાયલ

0

તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપતૂરની પાસે રવિવારે રાજ્ય પરિવહન વિભાગની બે બસો સામ-સામે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. મૃતકોમાં આઠ મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

શિવગંગા જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શિવાપ્રસાદે કહ્યું કે ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. રાજ્ય પરિવહન નિગમની બસો સામ-સામે ટકરાઈ છે. આ બંને બસો ડ્રાઇવર સાઇડમાં અથડાઈ, જેના કારણે બસો કાટમાળમાં ફેરવાઈ ગઈ. પીડિતોના મૃતદેહો બસની સીટોમાં ફસાઈ ગયા. જેના કારણે બસના કાચ તોડીને અન્ય યાત્રીઓ અને સ્થાનિક લોકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા. પોલીસના કહેવા મુજબ, ટક્કરના કારણે બંને બસોનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ દુર્ઘટનામાં કેટલાક યાત્રીઓના મોત ઘટનાસ્થળે જ થયા હતા.

દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ થયેલા લોકોને ત્વરિત જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ઘાયલોને તાત્કાલિક સારી સારવાર આપવા અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ સહાય આપવા માટે અધિકારીઓને સૂચના આપી છે

સંસદ શિયાળુ સત્ર શરૂ થશે, માત્ર 15 દિવસીય સત્રમાં 14 બિલ રજૂ

0

સરકારે સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્ર માટે 14 આર્થિક બિલોની યાદી જાહેર કરી છે. તેમાં ઈન્સ્યોરન્સ કાયદામાં ફેરફાર કરતું વિધેયક અને તંબાકુ-પાન મસાલા જેવા ‘સિન ગુડ્સ’ પર ટેક્સ અને સેસ લગાડતાં બે અન્ય બિલોનો સમાવેશ થાય છે. એ સાથે જ 2025-26 માટેની ગ્રાન્ટ્સની સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સનો પહેલો તબક્કો પણ આ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર સુધી ચાલશે.

આ માટે સાંસદોને મોકલવામાં આવેલી બિલોની યાદી મુજબ સરકાર નવી પેઢીના ફાઇનાન્સિયલ સુધારાઓના ભાગરૂપે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની યોજના સાથે ઈન્સ્યોરન્સ કાયદા (સંશોધન) બિલ 2025 રજૂ કરશે. અત્યાર સુધી ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં વિદેશી સીધી મૂડીરોકાણ (FDI) દ્વારા રૂ. 82,000 કરોડ આવી ચૂક્યું છે.

હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઈઝ (સંશોધન) વિધેયક 2025 અને હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025 રજૂ કરશે. આ વિધેયકો મારફતે સિગારેટ, તંબાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર લાગતા GST કોમ્પોન્સેશન સેસને બદલીને નવો સેસ લાદવામાં આવશે. હાલમાં તંબાકુ અને પાન મસાલા પર 28 ટકા GST લાગે છે અને તેના પર જુદા-જુદા દરે કોમ્પેન્સેશન સેસ વસૂલવામાં આવે છે.

સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025
સરકારે સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025 પણ રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યું છે, જે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એક એકીકૃત સિક્યોરિટીઝ માર્કેટ કોડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ 2025
જન વિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ) બિલ 2025 સામાન્ય જીવન અને બિઝનેસને સરળ બનાવવા માટે નાના ગુનાઓને ડિક્રિમિનલાઈઝ કરવાની દિશામાં કાર્ય કરે છે. આ બિલ ઓગસ્ટમાં લોકસભામાં રજૂ થયું હતું અને તેને એક સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું.

અન્ય આર્થિક બિલોમાં નીચેના વિધેયકોનો સમાવેશ થાય છે:

  • ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સંશોધન) બિલ 2025
  • મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (સેકન્ડ એમેડમેન્ટ) બિલ 2025
  • નેશનલ હાઈવે (સંશોધન) બિલ 2025
  • કોર્પોરેટ લો (સંશોધન) બિલ 2025

અમદાવાદ SG હાઇવે પર હિટ એન્ડ રન: છારોડી નજીક અજાણી વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

અમદાવાદ SG હાઈવે પર છારોડી નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બાઇક ચાલક યુવકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. મહત્ત્વનું છે કે, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ફરાર વાહનચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય કથન ખરચર નામનો યુવક ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો. છારોડી નજીક પહોંચતા, એક અજાણ્યા વાહનચાલકે તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના પરિજનોનું હૈયાફાટ રુદન જોઈ ત્યાં હાજર લોકો ભાવુ થયા હતા. મૃતક યુવક YMCA નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હાલ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં ઉધના–મગદલ્લા રોડ પર વહેલી સવારે સર્જાયેલો ગંભીર માર્ગ અકસ્માત શહેરમાં શોકનું મોજું છોડી ગયો. ઘટનાના સમયે KTM બાઈક પર સવાર 18 વર્ષીય પ્રિન્સ પટેલ યુનિવર્સિટી તરફથી બ્રેડ લાઇનર બ્રિજ તરફ ઉતરી રહ્યા હતા. અચાનક બાઈકનું સ્ટેરિંગ નિયંત્રણમાંથી બહાર જતા તેઓ રસ્તાના કિનારે જોરદાર ટક્કર ખાઈ ગયા. ટક્કર એટલી ભયાનક હતી કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું સ્થળ પર મોત નિપજ્યું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું, જેના કારણે તેઓ અત્યંત ગંભીર ઈજાઓનો ભોગ બન્યા. અકસ્માત બાદ ખટોદરા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી અને સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પ્રિન્સ પટેલ યૂટ્યુબ પર ‘PKR BLOGGER’ નામથી જાણીતા હતા અને બાઇક વ્લોગ્સ અપલોડ કરતાં હતાં. હાલ ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

સુરતમાં વહેલી સવારે ગંભીર અકસ્માત, 18 વર્ષીય યુટ્યુબર પ્રિન્સ પટેલનું મોત

સુરતના ઉધના મગદલ્લા રોડ પર વહેલી સવારે થયેલું એક ભયાનક અકસ્માત શહેરમાં શોકની લાગણી ફેલાવી ગયો. માહિતી મુજબ, KTM બાઈક ચલાવી રહેલા 18 વર્ષીય યુવક પ્રિન્સ પટેલનું સ્ટેરીંગ ઉપરથી કાબુ છૂટી જવાથી ગંભીર અકસ્માત થયો હતો. યુનિવર્સિટીથી બ્રેડ લાઈનર બ્રિજ તરફ ઉતરતી વેળાએ બાઈક અચાનક નિયંત્રણમાંથી બહાર જતા તે સીધો અકસ્માતનો ભોગ બન્યો. ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ ગયા હતાં, જેને કારણે ઘટનાસ્થળે જ તેનું દુખદ અવસાન થયું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું, જેના કારણે ઈજાઓ વધુ ઘાતક બની. મૃતક પ્રિન્સ પટેલ યુટ્યુબ પર ‘PKR BLOGGER’ તરીકે જાણીતા હતાં અને બાઈક રાઈડિંગ તથા વ્લોગિંગ કરતા હતાં. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો અને સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં સેફટી ગિયર્સના ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA ની મોટી કાર્યવાહી, J&Kની જીગુંડ સહિત 8 સ્થળોએ દરોડા

0

દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે એનઆઈએ જમ્મુ-કાશ્મીરનીા કાજીગુંડ સહિત આઠ સ્થળો પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે મહત્ત્વની માહિતી મેળવવાના ઈરાદે કરવામાં આવી છે. એનઆઈએની ટીમે આજે સવારથી જ જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એજન્સીનો હેતુ આ પાછળ કોઈ આતંકી સંગઠન કે વ્યક્તિ હોવાની ભાળ મેળવવાનો છે.

NIAની એક ટીમ દ્વારા હાલમાં શોપિયાંમાં મૌલવી ઇરફાનના ઘરે સર્ચ કરી રહી છે. જે દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપીઓમાંથી એક છે. તપાસ એજન્સીની એક ટીમ આજે સવારે નદીગામ વિસ્તારમાં પહોંચી હતી અને જ્યાં મૌલવી ઇરફાનના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં દિલ્હીમાં થયેલા એક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો અને તેના કારણે સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર આવી ગઈ હતી. આ ઘટનાના તુરંત બાદ એનઆઈએ એ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી અને ત્યારથી તે સતત શંકાસ્પદોની ઓળખ કરી રહી છે અને તેમને પકડી રહી છે.

દર વર્ષે શા માટે મનાવવામાં આવે છે World AIDS Day, જાણો આ વર્ષની થીમ

0

વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. HIV વાયરસ એક જીવલેણ રોગ છે. એકવાર તે શરીરમાં ઘર કરી જાય છે, તેમાંથી છુટકારો મેળવવો અશક્ય છે અને ઘણી બીમારીઓનું કારણ બને છે. વિશ્વ વર્ષોથી તેની સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ રોગને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. જ્યારે કોઈને આ રોગ થાય છે, ત્યારે લોકો તેના વિશે ખુલીને વાત કરી શકતા નથી. જેના કારણે લોકો તેની સારવાર પણ કરાવી શકતા નથી. આ અંગે જાગરુકતા આવે તે માટે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વ એઇડ્સ દિવસ ઇતિહાસ
વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર 1988 ના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો હેતુ એચઆઈવી અને એઈડ્સના વધતા જતા કેસોને લઈને લોકોને જાગૃત કરવાનો છે. તેના દ્વારા આ રોગના નિવારણ અને બચાવ માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. આ હેતુથી વિશ્વ એઇડ્સ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

આ દિવસે વિવિધ NGO અને સમુદાયો એઇડ્સ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ 2022 સુધીમાં વિશ્વભરમાં આશરે 36 મિલિયન લોકો એચઆઈવીથી સંક્રમિત હતા.

વિશ્વ એઇડ્સ દિવસ 2025 થીમ
દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એક થીમ નક્કી કરાય છે. આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની થીમ (Overcoming disruption, transforming the AIDS response) છે. તેનો અર્થ છે કે રુકાવટો પર કાબુ મેળવવો, એઇડ્સના જવાબમાં પરિવર્તન લાવવું.

વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ એઇડ્સ રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યાવસાયિકો, જેમ કે ડોકટરો અને નર્સો સક્રિયપણે ભાગ લે છે. આ દિવસ એઇડ્સથી પ્રભાવિત વ્યક્તિઓના મનોબળને વધારવાની સાથે-સાથે લોકોને નિવારણના પગલાં, પરીક્ષણની માહિતી અને આ રોગ સાથે સંકળાયેલા મિથકોની વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક પૂરી પાડે છે. આ પ્રસંગે ડોકટરો જાગૃતિ અભિયાન ચલાવે છે અને લોકોને આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરવા પ્રેરિત કરે છે.

સાદકપોરમાં દીપડો કૂવામાં પડતાં રેસ્ક્યુ કરાયો

ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં દીપડો‌ કૂવામાં પડતાં તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વન ખાતાએ તેને હેમખેમ બહાર કાઢ્યો છે.

ચીખલી તાલુકાના સાદકપોર દાદરી ફળીયામાં અજયભાઈ અરવિંદભાઈ પટેલનાં ઘર પાછળ આવેલા કૂવામાં દીપડો ખાબક્યો હતો. રહીશોને તેની જાણ થતાં તેઓએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંધારામાં હાથ ધરેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં દીપડાને કૂવામાંથી બહાર કાઢી પાંજરે પુરી જંગલમાં છોડી મુકવા માટે વન વિભાગે તજવીજ હાથ ધરી છે.