Home Blog Page 254

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ, સિગ્નલ તોડનાર વાહનચાલકો પર તાત્કાલિક કાર્યવાહી

સુરત શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે , જેના કારણે ટ્રાફિક નિયમ કે સિગ્નલનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

સુરત શહેર વાહનોના ધમધમાટથી ગુંજતું રહે છે,વધતા ટ્રાફિકના ભારણ સામે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી છે.જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક શાખાના ડીસીપી પન્ના મોમયાની ઉપસ્થિતિમાં સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી.સુરત શહેરના દરેક રિઝિયનમાં આ ડ્રાઈવ યોજાઈ હતી.આ અવસરે ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ પણ કરી હતી.અને વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઈન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ પણ આપી હતી.વધુમાં હવે વાહન ચાલકો જો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે કે સિગ્નલ તોડશે તો તેવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી વિવાદ

0

તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદ સ્થિત ગાંધી ભવનમાં તેલંગાણા કોંગ્રેસ સમિતિની કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીના આંતરિક વૈવિધ્ય પર પ્રકાશ પાડ્યો અને હિંદુ ધર્મની સાથે તેની તુલના કરી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દરેક પ્રકારના લોકોને સાથે લઈને ચાલે છે. કોઈ કહે છે કે તે ભગવાન વેંકટેશ્વરની પૂજા કરશે, બીજો કહે છે કે તે હનુમાનજીની પૂજા કરશે. જ્યારે આપણે દેવતાઓ પર સહમતી બનાવી શક્યા નહીં, ત્યારે મને લાગતું નથી કે આપણે રાજકીય નેતાઓ અને ડીસીસી અધ્યક્ષોને લઈને પણ સહમતી બનાવી શકીશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે હિંદુ ધર્મમાં કેટલા દેવતાઓ છે? કેટલા દેવતાઓ છે? ત્રણ કરોડ? કેમ? જે અવિવાહિત છે, તેમના માટે ભગવાન હનુમાન છે. જે બે વાર લગ્ન કરે છે, તેમના માટે એક બીજા દેવ છે. જે દારૂ પીએ છે, તેમના માટે અન્ય ભગવાન છે. યેલ્લમ્મા, પોચમ્મા, મૈસમ્મા. જે ચિકન માગે છે, તેમના માટે એક ભગવાન છે, અને જે દાળ-ભાત ખાય છે, તેમના માટે બીજા ભગવાન છે, બરાબર? બધા પ્રકારના દેવ છે.

ભાજપના નેતાઓએ કરી ટીકા
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને બંદી સંજય કુમાર સહિત તેલંગાણા ભાજપના નેતાઓએ આ નિવેદનની આલોચના કરી હતી. કિશન રેડ્ડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ તાજેતરમાં જ જ્યુબિલી હિલ્સની પેટા-ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે કોંગ્રેસ એટલે મુસ્લિમ અને મુસ્લિમ એટલે કોંગ્રેસ.

તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે AIMIM સાથેની મિત્રતાને કારણે મુખ્ય મંત્રી હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અહંકારીયુક્ત ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે તેલંગાણામાં પણ હિંદુઓએ એક થવાનો સમય આવી ગયો છે. રેવંત રેડ્ડી અને કોંગ્રેસ પાર્ટીને હિંદુઓની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે.

સુરત સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ઠપ, સારવાર માટે દર્દીઓ કલાકો સુધી રઝળ્યા!

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો ‘રેઢીયાર વહીવટ’ ફરી એકવાર લોકો સામે ખુલ્લો પડી ગયો છે. બુધવારની સવારથી જ હોસ્પિટલનું સર્વર અચાનક બંધ પડી જતા દૂર–દરાજથી સારવાર માટે આવેલા હજારો દર્દીઓ અને તેમના સગાંઓને ભારે પરેશાની ભોગવવી પડી. બે કલાકથી વધુ સમય સુધી લાંબી કતારમાં ઊભા રહેવાં છતાં ટોકન ન મળતાં દર્દીઓમાં જોરદાર રોષ ફાટી નીકળ્યો અને સમગ્ર હોસ્પિટલ કચેરીમાં અફરાતફરી મચી ગઈ.

દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ ગણાતી સ્મીમેર હોસ્પિટલમાં OPD ટોકન પ્રક્રિયા સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગઈ હતી. સર્વર ડાઉન થતા બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા અનેક લોકો સારવાર માટે અટકી પડ્યા હતા. લોકો બે કલાકથી વધુ સમય સુધી ધુપમાં ઉભા રહ્યા, છતાં સિસ્ટમ શરૂ ન થતા હોસ્પિટલ પ્રશાસન સામે ગુસ્સો છલકાયો.

સ્થાનિક રહેવાસીઓ અને દર્દીઓના સગાંઓએ વહીવટને રેઢીયાર ગણાવીને ઉગ્ર રજૂઆતો કરી. એક દર્દીના સગાએ ગુસ્સે ભરાયેલા સ્વરે કહ્યું, “અમે સવારથી લાઈનમાં ઊભા છીએ, બે કલાક થઈ ગયા પરંતુ સર્વર ચાલુ નથી. દર્દીઓ પીડાઈ રહ્યા છે, ત્યારે જવાબદારી કોણ લેશે?”

પરિસ્થિતિ બગડતાં વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને ટેકનિકલ ટીમને બોલાવી સર્વર શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી. પરંતુ અવારનવાર આવતી સર્વર સમસ્યાઓને લઈને મનપાના હોસ્પિટલ વહીવટ પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ તેના જ હોસ્પિટલમાં ટેકનિકલ તંત્ર જર્જરિત છે.

ગોડાદરા મીડાસ સ્ક્વેર પર લોહીયાળ ઘટના, પૈસાના વિવાદે મિત્રો જ બન્યા દુશ્મન

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મીડાસ સ્કવેર પાસે પૈસાની લેતીદેતીના મામલે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યાના આરોપીઓ અન્ય કોઈ નહીં પરંતુ મૃતક યુવકના મિત્રો જ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવક પાસેથી આરોપીઓને કેટલાક પૈસા લેવાના બાકી હતા.

હત્યા પાછળનું ક્રૂર કારણ
તમને જણાવી દઈએ કે, ઉઘરાણી દરમિયાન આરોપીઓએ યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન આરોપીઓએ યુવકની માતાને ફોન કરીને પૈસા લઈને તાત્કાલિક સ્થળ પર આવવા જણાવ્યું હતું.

જોકે, મૃતકની માતા સમયસર પૈસા લઈને ઘટનાસ્થળે ન પહોંચતા, આરોપીઓએ ગુસ્સામાં યુવકને એટલો માર માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે હવે આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

તત્કાલ ટિકિટના નિયમમાં ફેરફાર, હવે OTP વેરિફિકેશન વગર ટ્રેન ટિકિટ બુકિંગ થશે નહીં

0

ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલાયા છે. પશ્ચિમ રેલવેએ ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવનારા વપરાશકર્તાઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. નવા ફેરફાર અનુસાર, હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે પેસેન્જરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) નું વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે.

ટ્રેનની તત્કાલ ટિકિટ માટેના નવા નિયમ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવી ગયા છે અને આઇઆરસીટીસીની વેબસાઇટ, રેલ્વે કાઉન્ટર, અધિકૃત એજન્ટો અને મોબાઇલ એપ્લિકેશન સહિત તમામ બુકિંગ ચેનલો પર ઉપલબ્ધ છે. એટલે કે નિયમ ખૂબ જ સ્પષ્ટ છે કે તમે ઓફલાઈન કે ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવશો, ઓટીપી વેરિફિકેશન વગર બુકિંગ નહીં થાય.

પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) ની ચકાસણી પછી જ તત્કાલ ટિકિટ જારી કરવામાં આવશે. આ ઓટીપી બુકિંગ સમયે પેસેન્જર દાખલ કરશે તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે અને ઓટીપીની સફળતાપૂર્વક ચકાસણી થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.”

રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નવીનતા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ, જુલાઈ 2025માં ઓનલાઈન તત્કાલ ટિકિટો માટે આધાર આધારિત પ્રમાણીકરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ, ઓક્ટોબર 2025માં તમામ જનરલ રિઝર્વેશનની ફર્સ્ટ-ડે બુકિંગ માટે OTP આધારિત ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બંને સિસ્ટમ મુસાફરો દ્વારા સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે, જેનાથી રિઝર્વેશન પ્રક્રિયામાં પારદર્શિતા અને સગવડ વધી છે.

નવા OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમને હવે બાકીની તમામ ટ્રેનો પર લાગુ કરવામાં આવશે. રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા, મુસાફર સુવિધા અને સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. દલાલો પર નિયંત્રણ આવતા, ખરેખર જરૂરિયાતમંદ સામાન્ય મુસાફરોને અંતિમ મિનિટોમાં પણ સરળતાથી તત્કાલ ટિકિટ મળી શકશે, જે લાંબા સમયથી પ્રવાસીઓની મુખ્ય માંગ રહી છે.

MCDના 12 વોર્ડમાં થયેલી પેટા ચૂંટણીમાં કોણ જીત્યું-કોણ હાર્યું? અહીં જુઓ વિજેતાઓની યાદી

0

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો સામે આવવા લાગ્યા છે. શરૂઆતના રાઉન્ડથી લઈને જાહેર થયેલા પરિણામો સુધી ઘણી બેઠકો પર રસપ્રદ સ્પર્ધા જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં, ભાજપે પોતાનો દબદબો બતાવ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં, AAPએ પોતાની હાજરી મજબૂત કરી છે. તો, કોંગ્રેસે પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. અંતિમ પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપ 12માંથી 2 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. આ પ્રદર્શન MCD મતદારોમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે. જોકે, ભાજપને 2 બેઠકો પર પરાજયનો સામનો કરવો પડયો.

MCDની પેટા ચૂંટણીમાં ક્યાં કોની જીત થઈ?
ભાજપના રેખા રાનીએ દિચૌન કલાનમાં 5637 મતોથી જંગી વિજય મેળવ્યો. કોંગ્રેરો સંગમ વિહાર વોર્ડમાં જોરદાર વાપસી કરતા વિજય મેળવ્યો. કોંગ્રેરાના ઉમેદવાર સુરેશ ચૌધરીને 12,766 મત મળ્યા, જ્યારે ભાજપના સુભજીત ગૌતમ 9138 મતો સાથે બીજા ક્રમે રહ્યા. લાંબા સમય બાદ આ જીત કોંગ્રેસ માટે મનોબળ વધારનારી માનવામાં આવી રહી છે.

દક્ષિણ પૂરી વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. AAPના ઉમેદવાર રામ સ્વરૂપ કનોજિયા 12,372 મતો સાથે વિજેતા બન્યા, જ્યારે BJPના રોહિણી 10,110 મતો સાથે બીજા ક્રમે રહ્યા. આ જીતને દક્ષિણ દિલ્હીમાં AAP પર જનતાના વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપે ચાંદની ચોક વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખતા વિજય મેળવ્યો છે. BJP ઉમેદવાર સુમન ગૌર ગુપ્તાને 7,825 મતો મળ્યા, જ્યારે AAPના હર્ષ શર્માને 6,643 મતો મળ્યા. ઐતિહાસિક અને ભીડભાડવાળા વિસ્તારમાં ચાંદની ચોકમાં આ જીત ભાજપ માટે રાજકીય પ્રોત્સાહન માનવામાં આવી રહી છે.

BJPએ શાલીમાર બાગ વોર્ડમાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું. BJPના અનિતા જૈને 16,843 મતો મેળવ્યા, જે આ પેટાચૂંટણીમાં સૌથી મોટા માર્જિનમાંથી એક છે. બીજી તરફ AAPના ઉમેદવાર બબીતા રાણાને 6,742 મતો મળ્યા. શાલીમાર બાગમાં આ જગી જીત રાજધાનીના ઉત્તરીય વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.

AIFBએ પણ પોતાની હાજરી દર્શાવી
ભાજપના રેખા રાનીએ દિચૌન કલાનમાં 5637 મતોથી જંગી વિજય મેળવ્યો. કોંગ્રેરો સંગમ વિહાર વોર્ડમાં જોરદાર વાપસી કરતા વિજય મેળવ્યો. કોંગ્રેરાના ઉમેદવાર સુરેશ ચૌધરીને 12,766 મત મળ્યા, જ્યારે ભાજપના સુભ્રજીત ગૌતમ 9138 મતો સાથે બીજા ક્રમે રહ્યા. લાંબા સમય બાદ આ જીત કોંગ્રેસ માટે મનોબળ વધારનારી માનવામાં આવી રહી છે.

દક્ષિણ પુરી વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. AAPના ઉમેદવાર રામ સ્વરૂપ કનોજિયા 12,372 મતો સાથે વિજેતા બન્યા, જ્યારે BJPના રોહિણી 10,110 મતો સાથે બીજા ક્રમે રહ્યા. આ જીતને દક્ષિણ દિલ્હીમાં AAP પર જનતાના વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપે ચાંદની ચોક વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખતા વિજય મેળવ્યો છે. BJP ઉમેદવાર સુમન ગૌર ગુપ્તાને 7,825 મતો મળ્યા, જ્યારે AAPના હર્ષ શર્માને 6,643 મતો મળ્યા. ઐતિહાસિક અને ભીડભાડવાળા વિસ્તારમાં ચાંદની ચોકમાં આ જીત ભાજપ માટે રાજકીય પ્રોત્સાહન માનવામાં આવી રહી છે.

BJPએ શાલીમાર બાગ વોર્ડમાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું. BJPના અનિતા જૈને 16,843 મતો મેળવ્યા, જે આ પેટાચૂંટણીમાં સૌથી મોટા માર્જિનમાંથી એક છે. બીજી તરફ AAPના ઉમેદવાર બબીતા રાણાને 6,742 મતો મળ્યા. શાલીમાર બાગમાં આ જંગી જીત રાજધાનીના ઉત્તરીય વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.

દિલ્હીના રાજકારણમાં સામાન્ય રીતે AAP અને BJP વચ્ચે સ્પર્ધા જોવા મળે છે, પરંતુ આ વખતે, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (AIFB)એ પણ એક બેઠક પર લીડ મેળવીને ધ્યાન ખેંચ્યું છે. આ લીડ દર્શાવે છે કે સ્થાનિક મુદ્દાઓ અને પ્રાદેશિક નેતાઓનો કેટલાક વોર્ડમાં મજબૂત પ્રભાવ છે.

વિનોદ નગર વોર્ડમાં, સરલા ચૌધરીએ 1,769 મતોથી જીત મેળવી. દ્વારકા-બી વોર્ડમાં, ભાજપના મનીયા દેવીએ 9,100 મતોના વિશાળ માર્જિનથી જીત મેળવી, જે સમગ્ર પશ્ચિમ દિલ્હી માટે એક શક્તિશાળી સંદેશ હતો. અશોક વિહાર વોર્ડમાં વીણા અસીજાએ 405 મતોથી જીત મેળવી, જે આ ચૂંટણીના સૌથી નજીકના મુકાબલાઓમાંનો એક ગ્રેટર કૈલાશમાં અંજુમ મોડલે 4,365 મતોના માર્જિનથી જીત મેળવી, જે ફરી એકવાર દક્ષિણ દિલ્હીમાં ભાજપની મજબૂત હાજરી સાબિત કરે છે.

ડિચોક કલા વોર્ડમાં રેખા રાનીએ 5,637 મતોના માર્જિનથી જીત મેળવી, જે પાર્ટી માટે બીજી મોટી જીત છે. ચાંદની મહલ વોર્ડમાં સૌથી આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું. અપક્ષ ઉમેદવાર મોહમ્મદ ઈમરાન 4,592 મતોના માર્જિનથી જીત્યા. દિલ્હીના રાજકારણમાં, અપક્ષ ઉમેદવારોને જીતવું સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. મુંડકામાં AAPઉમેદવાર અનિલ વિજેતા બન્યા, જેમણે 1,577 મતોથી જીત મેળવી.

નારાયણા વોર્ડમાં સ્પર્ધા ખૂબ જ નજીકની હતી, જેમાં AAPના રાજન અરોરા માત્ર 148 મતોથી જીત્યા. આ પરિણામો દર્શાવે છે કે દિલ્હીના શ્રમજીવી અને પરિવહન વિસ્તારોમાં AAP ની સ્થિતિ મજબૂત રહે છે. 12 વોર્ડમાંથી સૌથી રસપ્રદ સ્પર્ધા વિનોદ નગરમાં ચાલી રહી છે. સ્પર્ધા ત્રિ-પક્ષીય બની ગઈ છે. ભાજપ તરફથી સરલા ચૌધરી, AAP તરફથી ગીતા રાવત અને અપક્ષ/નાના પક્ષોના ઘણા ઉમેદવારો આ બેઠક માટે ચૂંટણી લડી રહ્યા છે.

કુલ 36.47% મતદાન સાથે, વિનોદ નગરમાં સરેરાશ કરતા ઓછું મતદાન થયું, જેનાથી પરિણામો વધુ રોમાંચક બન્યા. આ બેઠક ભાજપ માટે MCDમાં પોતાની પકડ મજબૂત કરવાની તક છે, જ્યારે AAP માટે તે દક્ષિણ અને પૂર્વ દિલ્હીમાં તેના વધતા પ્રભાવનો સંકેત આપી શકે છે.

કોંગ્રેસે પીએમ મોદીનો ચાવાળો AI વિડિયો શેર કરતાં વિવાદ

0

કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાળો બતાવતાં તેમનો એક ફની AI વિડિયો શેર કર્યો છે. આ વિડિયો વાયરલ થતાં જ રાજકીય વિવાદ થયો છે. આ વિડિયો પર સવાલ ઊભા કરતાં ભાજપે કહ્યું છે કે વડા પ્રધાનની ગરિમા સાથે આવા પ્રકારનો વ્યવહાર કેવી રીતે કરી શકાય? આ વિડિયો કોંગ્રેસનાં નેતા રાગિની નાયકના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.

ભાજપે આ AI વિડિયોને PM નરેન્દ્ર મોદીનું અપમાન ગણાવ્યો છે અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં પક્ષે કહ્યું છે કે 140 કરોડની જનતા PM મોદીને આશીર્વાદ આપે છે, જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસને નકારી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે કોંગ્રેસનું આ શરમજનક ટ્વીટ કોંગ્રેસ નેતૃત્વની વિકૃત માનસિકતાને ઉજાગર કરે છે.

કોંગ્રેસનું આ ઘૃણાસ્પદ ટ્વીટ 140 કરોડ મહેનતુ અને લાયક ભારતીયોનું ગંભીર અપમાન છે અને OBC સમુદાય પર સીધો હુમલો છે. કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધીને આ હકીકતથી નફરત છે કે ભારતની જનતા સતત વડા પ્રધાન મોદીજીને આશીર્વાદ આપે છે અને પસંદ કરે છે, જેઓ સમર્પણ અને મહેનતથી આગળ વધ્યા છે, જ્યારે અહંકારી અને વિશેષાધિકારી રાહુલ ગાંધીને જનતાએ વારંવાર નકારી છે. કોંગ્રેસ પાર્ટી PM મોદી અને તેમની દિવંગત માતાનું અપમાન કરવામાં આદતની ગુનેગાર રહી છે. ભારતની જનતા આ પતિત બદલ કોંગ્રેસને આકરો પાઠ શીખવશે.

200 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! 19 વર્ષના દેવવ્રત રેખેએ 50 દિવસમાં ‘દંડક્રમ પારાયણ’ કરી ઇતિહાસ સર્જ્યો

0

દંડક્રમ પારાયણ એક કઠોર પરીક્ષા છે. જેને 200 વર્ષ પહેલા નાસિક ખાતે વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવ પાસ કરી હતી. 200 વર્ષ બાદ હવે એક 19 વર્ષના યુવાને માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ યુવાન કોણ છે અને દંડક્રમ પારાયણ શું છે, આવો જાણીએ.

દંડક્રમ પારાયણ શું છે
મહાદેવની પ્રિય નગરી કાશીના વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલય, રામઘાટ ખાતે 2 ઓક્ટોબર, 2025થી દંડક્રમ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. દંડક્રમ પારાયણ એ વેદ પઠનના 8 પ્રકારો પૈકીનો એક પ્રકાર છે, જેને સૌથી અઘરો માનવામાં આવે છે. શુક્લ યજુર્વેદની માધ્યંદિનિ શાખાના લગભગ 2000 મંત્રોને દંડક્રમ પારાયણ કહેવામાં આવે છે. આ 2000 મંત્રોને પહેલા મોઢે કરીને તેને સંભળાવવાના હોય છે. તેથી તે એક કઠોર પરીક્ષા છે.

19 વર્ષીય યુવાને સર્જ્યો ઇતિહાસ
જોકે, આ પરીક્ષામાં 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ સફળતા મેળવી છે. વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ પૂરૂ કરીને રેકોર્ડ સર્જ્યો છે. 50 દિવસમાં દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ શૃંગેરી શંકરાચાર્ય દ્વારા સોનાનું કડું અને રૂ. 1,01,116 આપીને વેદમૂર્તિ દેવવ્રત રેખેનું સન્માન કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર દેવવ્રત મહેશ રેખેને શુભેચ્છાઓ પાઠવી છે.

નિયમિત 4 કલાક અભ્યાસનું પરિણામ
વેદમૂર્તિ દેવવ્રત રેખે મહારાષ્ટ્રના અહિલ્યા નગરનો રહેવાસી છે. તેના પિતાનું નામ વેદબ્રહ્મશ્રી મહેશ ચંદ્રકાંત રેખે છે. દેવવ્રત રેખે સાંગવેદ વિદ્યાલય વારાણસીના બટુક છે. દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષા માટે દેવવ્રત રેખે નિયમિતપણે 4 કલાક અભ્યાસ કરતા હતા. મળતી માહિતી મુજબ તે દરરોજ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી અભ્યાસ કરતા હતા.

દિલ્હી યુનિવર્સિટીના બે કોલેજોને બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો

0

દિલ્હી યુનિવર્સિટીના બે કોલેજોને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. દિલ્હીના રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજમાં ધમકીભર્યા ઈમેલ આવ્યા છે. ઈમેલ મળતાં જ દિલ્હી પોલીસ બોમ્બ સ્ક્વાડ અને ડોગ સ્ક્વાડ સાથે સ્થળ પર પહોંચી અને બંને કેમ્પસને ખાલી કરાવ્યા, પરંતુ હાલ સુધી સર્ચ ઓપરેશનમાં કોઈ સંદિગ્ધ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. કોલેજોની આખી ઇમારતોને ખાલી કરીને એક-એક ખૂણો તપાસવામાં આવ્યો છે.

ધમકીની વિગતો અને પોલીસની કાર્યવાહી
બુધવારે સવારે બંને કોલેજોને અજ્ઞાત સ્ત્રોતથી ઈમેલ દ્વારા ધમકી મળી, જેમાં બોમ્બથી કેમ્પસને ઉડાડવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટના વચ્ચે કેમ્પસમાં હડબડાટ મચી ગઈ, અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. દિલ્હી પોલીસની ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ (BDDS) અને ડોગ સ્ક્વાડ તરત જ સ્થળ પર પહોંચી અને વ્યાપક તપાસ શરૂ કરી. તપાસમાં હજુ સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી, અને તપાસ ચાલુ છે.

રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજ દિલ્હી યુનિવર્સિટીના જાણીતા કોલેજો છે, અને આ ધમકીઓથી વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ છે. પોલીસે ઈમેલના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે, અને આ પહેલાં પણ દિલ્હીમાં સમાન પ્રકારની હુઅ (hoax) ધમકીઓના કેસો જોવા મળ્યા છે.

ભાવનગરની પેથોલોજી લેબોરેટરીમાં ભયાનક આગ, બાળકો-વૃદ્ધોનું રેસ્ક્યૂ

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં ભયંકર આગ ફાટી નીકળી છે. હાલમાં સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું છે. ચારેતરફ અફરાતફરીનો માહોલ છે.

ભાવનગરના કાળુભાર રોડ પર સ્થિત સમીપ કોમ્પલેક્ષમાં આજે સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કોમ્પલેક્ષમાં અંદાજે 10 થી 12 જેટલી ખાનગી હોસ્પિટલો કાર્યરત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગની શરૂઆત કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં થઈ હતી અને થોડી જ વારમાં તે ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભય ફેલાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટે 25 થી 30 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સો દ્વારા તમામ દર્દીઓને યુદ્ધના ધોરણે અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.

આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી: મનપા કમિશનર ભાવનગરના કમિશનર એન.વી.મીનાએ જણાવ્યું કે કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી. એના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યાએ ખસેડાયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. ક્યાં કારણસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરી પગલાં લઈશું.