Home Blog Page 248

સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 25 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી છે. માર્કેટના સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી છે. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 25થી વધુ ફાયરની ગાડીઓ હાજર છે અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. હાલ 25 જેટલી ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સદ્ભાગ્યે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

માર્કેટમાં કાપડનો જથ્થો અને તેમાં પણ મોટા ભાગનો સિન્થેટિક કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. સિન્થેટિક કાપડના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત કરવી પડી રહી છે.

ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો આગને અન્ય દુકાનો અને માળખામાં ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે

SpaceX 2026માં લાવશે વિશ્વનો સૌથી મોટો IPO? 30 અબજ ડોલર કરતાં પણ મોટો!

0

એલોન મસ્ક, દુનિયાના સૌથી અમીર અને કંઇક નવું કરવામાં માને છે. સ્પેસએક્સ કંપની દ્વારા અવકાશમાં પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ તે શેર બજારમાં પણ મોટી સફળતા માટે આગળ વધી રહ્યા છે. એવું કહેવાય છે કે તે 2026 માં સ્પેસએક્સ આઇપીઓ લાવી રહ્યા છે. જે દુનિયાનો સૌથી મોટો આઇપીઓ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર, એલોન મસ્કનું સ્પેસએક્સ પ્રારંભિક જાહેર ઓફરની યોજનાઓ સાથે આગળ વધી રહ્યું છે અને કંપનીનો આઇપીઓ લાવી રહ્યું છે. જે 30 બિલિયન ડોલરથી વધુ ફંડ એકત્ર કરવાનો અને લગભગ 1.5 ટ્રિલિયન ડોલરના મૂલ્યાંકનનું લક્ષ્ય રાખશે.

આ અહેવાલમાં વધુ જણાવાયું છે કે સ્પેસએક્સના મેનેજમેન્ટ અને સલાહકારો 2026 ના મધ્યથી અંત સુધીમાં આખી કંપની માટે લિસ્ટિંગ શરૂ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બજારની સ્થિતિ અને અન્ય પરિબળોના આધારે IPO નો સમય બદલાઈ શકે છે, અને એક વ્યક્તિએ કહ્યું કે તે 2027 સુધી પણ જઇ શકે છે.

ટેકનોક્રેટ એલોન મસ્કે 2020 માં કહ્યું હતું કે સ્પેસએક્સ ભવિષ્યમાં સ્ટારલિંકને ઘણા વર્ષો સુધી સૂચિબદ્ધ કરવાની યોજના ધરાવે છે કે કંપનીની આવક વૃદ્ધિ મજબૂત અને સરળ ન થઇ જાય.

રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સ સૌથી મોટા આઇપીઓ દ્વારા એકત્ર કરાનાર ભંડોળનો ઉપયોગ અવકાશ-આધારિત ડેટા સેન્ટરો વિકસાવવા માટે કરવા માંગે છે, જેમાં તેમને ચલાવવા માટે જરૂરી ચિપ્સ ખરીદવાનો પણ સમાવેશ થાય છે, આ વિચારમાં મસ્કે બેરોન કેપિટલ સાથેના તાજેતરના કાર્યક્રમ દરમિયાન રસ પણ દર્શાવ્યો હતો.

સ્પેસએક્સ આવક 24 બિલિયન ડોલર!
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કંપની 2025 માં લગભગ 15 બિલિયન ડોલરની આવક કરશે તેવી અપેક્ષા છે, જે 2026 માં વધીને 22 બિલિયન ડોલરથી 24 બિલિયન ડોલરની વચ્ચે થશે, જેમાં મોટાભાગનો હિસ્સો સ્ટારલિંક તરફથી આવશે.

શું એલોન મસ્ક OpenAI ને ટક્કર આપશે?
મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે રોકેટ નિર્માતા કંપની સેકન્ડરી શેર વેચાણ શરૂ કરી રહી છે જેનું મૂલ્ય 800 બિલિયન ડોલર થશે, જે તેને સૌથી મૂલ્યવાન ખાનગી કંપનીના બિરુદ માટે OpenAI સામે ટક્કર આપશે. જોકે, મસ્કે શનિવારે આ અહેવાલોને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા.

મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણીથી અનિરુદ્ધાચાર્ય મુશ્કેલીમાં, કોર્ટમાં કેસ દાખલ

0

કથાવાચક અનિરુદ્ધાચાર્યએ મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ મામલે તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ કહાની.

કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મુશ્કેલીમાં મુકાયા છે. ભારત હિન્દુ મહાસભા, આગ્રાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે તેમની વિરુદ્ધ સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીજેએમ ઉત્સવ રાજ ગૌરવની કોર્ટે તેને સ્વીકારી લીધી છે. કથાકારે હવે કોર્ટમાં જવાબ આપવો પડશે. આ કેસમાં આગામી સુનાવણી 1 જાન્યુઆરી, 2026 ના રોજ થશે.

કોણ છે કથાકાર અનિરુદ્ધાચાર્ય ?
અનિરુદ્ધાચાર્ય આજના સૌથી પ્રખ્યાત સંતો અને કથાકારોમાંના એક છે. તેઓ ભાગવત કથા અને ધાર્મિક પ્રવચનો માટે જાણીતા છે. અનિરુદ્ધાચાર્ય વૃંદાવનમાં ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક છે. તેઓ તેમના આશ્રમમાં વૃદ્ધોની સંભાળ, ભોજન વિતરણ અને પ્રાણીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કાર્યો કરે છે. તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ રામ તિવારી છે. અનિરુદ્ધાચાર્ય મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રિનવાઝા ગામના વતની છે.

શું છે આખો મામલો ?
થોડા સમય પહેલા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતુ કે આજકાલ, દીકરીઓના લગ્ન 25 વર્ષની ઉંમરે થાય છે, ત્યાં સુધીમાં તો, તેઓ ઘણી જગ્યાએ મોઢું મારી ચૂકી હોય છે. આ નિવેદનનો ભારે વિરોધ થયો હતો, અને હવે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લોકોએ આ વિવાદાસ્પદ ટિપ્પણીને મહિલાઓનું અપમાન ગણાવી અને તેનો વિરોધ કર્યો. વિવાદ બાદ, અનિરુદ્ધાચાર્યે સ્પષ્ટતા કરી કે તેઓ મહિલાઓનું સન્માન કરે છે અને તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે, અને કોર્ટ આગળ કાર્યવાહી કરશે. આગામી સુનાવણી જાન્યુઆરી 2026 માં થશે.

કથાકાર અનિરુદ્ધાચાર્ય અનેક વખત વિવાદ અને ચર્ચાનોમાં આવી ચુક્યા છે. તેઓ અનેક વખત સોશિયલ મીડિયા પર મજાકનો વિષય બન્યા છે. તેમણે એક વખત ઓસ્ટ્રેલિયાને રામાયણ સાથે જોડીને એક શસ્ત્રાગાર તરીકે વર્ણવ્યું હતું, અને તેના માટે તેમની મજાક ઉડાવવામાં આવી હતી. આ સિવાય તેમણે બિસ્કિટને ઝેરી કીટ કહી હતી. જો કે, આ કિસ્સામાં, તેમણે બિસ્કિટમાં રહેલા તેલ, લોટ અને ખાંડને હાનિકારક ગણાવ્યા હતા. લિવ-ઇન રિલેશનશિપ પરની તેમની ટિપ્પણીઓ માટે પણ તેમણે વિવાદ ઉભો કર્યો હતો.

સીકરમાં બસ-ટ્રક અકસ્માત, વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતના 3 યાત્રાળુઓના મોત, 18 ઘાયલ

0

રાજસ્થાનના સીકર જિલ્લામાં સોમવારે રાત્રે જયપુર-બિકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટો અકસ્માત થયો. ફતેહપુર નજીક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે સામસામે ટકરાઈ જેમાં ત્રણ લોકોના મોત અને 18 મુસાફરો ઘાયલ થયા હતા. તેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકો અને મુસાફર ગુજરાતના વલસાડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જાણકારી મુજબ, સ્લીપર બસ બીકાનેરથી જયપુર જતી હતી. જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર મંગળવારે રાત્રે 10.40 કલાક આપસાપસ બંને વાહનોની સામ સામે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્ર્ક અને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અનેક મુસાફરો સીટમાં ફસાઈ ગયા હતા. ટ્રક ઝુનઝુનૂ તરફથી બીકાનેર જઈ રહ્યો હતો અને બસ બીકાનેર તરફથી જયપુર તરફ આવી રહી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ લગભગ 15-20 ફૂટ સુધી ટ્રકની અંદર ઘૂસી ગયો હતો.

આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 10 લોકોને સીકર રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થઈ રહેલાં વાહનો થોભી ગયા હતા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, બસમાં સવાર મોટા ભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા. આ બધા જમ્મુ સ્થિત વૈષ્ણો દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને યાત્રા દરમિયાન ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ફતેહપુરમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાનું કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.

ગોડાદરાના રાજ ટેક્સટાઇલમાં ભીષણ આગ, 15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

સુરત શહેરના ગોદાદરા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારની સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટની બિલ્ડિંગમાંથી ઘાટો ધુમાડો નીકળવા લાગતા વેપારીઓ અને કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ.

ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગ સક્રિય બન્યો અને ચાર જુદા જુદા ફાયર સ્ટેશનમાંથી કુલ 15 ફાયર ફાઇટર ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ. આગ બિલ્ડિંગના 11મા માળે લાગી હોવાની માહિતી મળી છે, જ્યાં કપડાના ગોદામ અને વિવિધ વ્યાપારી ઓફિસો આવેલાં છે. ઊંચા માળે લાગી આવેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરકર્મીઓને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને વિશેષ સાધનોની મદદથી કઠિન પ્રયાસો કરવા પડી રહ્યા છે.

હાલ સુધી મળેલી માહિતી અનુસાર કોઈ જાનહાનિ નથી, જે રાહતનો મુદ્દો છે. પરંતુ આગને કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે. અનેક દુકાનો અને ગોદામમાં રાખેલો કપડાનો સ્ટોક બળી ગયો હોવાની આશંકા છે.

કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગઃ સંસદમાં ED-IT કેસોનો ખુલાસો, 12 વર્ષમાં 6444 કેસ

0

કેન્દ્ર સરકાર પર સતત ઇડી, સીબીઆઇ અને ઇન્કમ ટેક્સના દુરુપયોગનો આરોપ થઈ રહ્યો છે. વિરોધ પક્ષ સતત આ મામલે કેન્દ્ર સરકાર પર માછલાં ધોતું આવ્યું છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષના નેતાઓ આ પ્રકારના કેસમાં જેલની પણ હવા ખાઈ ચૂક્યા છે. વિરોધ પક્ષ ઇડી, સીબીઆઇ કાર્યવાહી પાછળ ભાજપની મેલી મુરાદ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સંસદમાં ખુલાસો થયો છે કે છેલ્લા ૧૨ વર્ષના ગાળામાં ઇડી દ્વારા ૬૪૪૪ અને ઇન્કમ ટેક્સ દ્વારા ૧૩,૮૭૭ જેટલા કેસ નોંધાયા હતા.

સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૫-૨૬ સુધીમાં ED દ્વારા ૬૪૪૪ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સૌથી વધુ કેસ વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૧૬ કેસ નોંધાયા હતા. સૌથી ઓછા કેસ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ૧૧૦ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૫-૨૬માં નવેમ્બર સુધી ૫૫૬ કેસ નોંધાયા હતા.

ઇડીએ ૧૧૧૦૬ કેસોમાં તપાસ કરી
ઇડી દ્વારા નોંધવામાં આવેલા કેસમાં ૨૦૧૪થી ૨૦૨૬ સુધીના ગાળામાં ૧૧૧૦૬ તપાસ હાથ ધરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં માત્ર ૪૬ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યારે સૌથી વધુ તપાસ વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૦૦ જેટલી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫ના વર્ષે નવેમ્બર સુધીમાં ૨૨૬૭ તપાસ કરવામાં આવી છે.

૧૩૮૭૭ કેસ સામે માત્ર ૫૨૨ કેસમાં આરોપ સિદ્ધ
ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૪ થી લઈને ૨૦૨૫ સુધીમાં કુલ ૧૩૮૭૭ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, તેની સામે માત્ર ૫૨૨ કેસમાં આરોપ સિદ્ધ થયો હતો. જ્યારે ૯૬૩ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ ૩૩૪૫ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા: રાહુલ ગાંધીના RSS પર પ્રહાર પર સ્પીકરની ટોકાટોકી

0

લોકસભામાં ચૂંટણી સુધારા પર વિશેષ ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે RSS પર તીખા પ્રહાર કરતા કહ્યું કે સમાનતાની ભાવનાથી RSSને સમસ્યા છે અને તેણે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. જોકે, આ વાત પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા અને ચર્ચાના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. સ્પીકરે કહ્યું, “વિપક્ષના નેતા (LOP) હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ બોલી શકો છો. તમારે ચૂંટણી સુધારા પર જ ચર્ચા કરવી જોઈએ.”

ચર્ચાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ ખાદીનો ઉલ્લેખ કરીને દેશની વિવિધતાનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણો દેશ એક કાપડ જેવો છે, જે અનેક દોરાઓથી બનેલો છે. જેમ કાપડમાં દરેક દોરો મહત્વપૂર્ણ હોય છે, તેમ દેશમાં પણ તમામ લોકો અને પાસાઓ સમાન અને મહત્વપૂર્ણ છે. દેશનો પહેરવેશ તેની વિવિધતા અને સમાનતાની ઝલક છે.

રાહુલ ગાંધીએ RSSનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું
જોકે, જ્યારે રાહુલ ગાંધીએ RSSનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું ત્યારે સ્પીકરને તેમને ટોકવું પડ્યું. આનાથી સંસદમાં હોબાળો મચી ગયો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ વિરોધ વ્યક્ત કરતા કહ્યું, “અમે અહીં સાંભળવા માટે જ છીએ, પરંતુ તેમણે ચૂંટણી સુધારા પર જ વાત કરવી જોઈએ. તેઓ વિષય પર અટકી રહેતા નથી.” રિજિજુએ વધુમાં ઉમેર્યું કે સરકાર ચૂંટણી સુધારા માટે તૈયાર છે અને આ વિષય પર રચનાત્મક ચર્ચા કરવા માગે છે.

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભીષણ આગ લાગી, 20 થી વધુ લોકોના મોત

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક ભયાનક આગની ઘટના બની છે. એક ઓફિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગમાં 20 થી વધુ લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે આગની જ્વાળાઓ સાત માળની ઇમારતને ઘેરી લે છે, જેના કારણે આકાશમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ બાદ મધ્ય જકાર્તાના એક વિસ્તારમાં અને તેની આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આગ કાબુમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું
“અત્યાર સુધી, 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં પાંચ પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે,” સેન્ટ્રલ જકાર્તા પોલીસ વડા સુસાત્યો પૂર્ણોમો કોન્ડ્રોએ જણાવ્યું હતું કે, મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ઇમારતમાં ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાના કાર્યાલયો હતા, જે ખાણકામથી લઈને કૃષિ સુધીના ક્ષેત્રો માટે ડ્રોન સેવાઓ પૂરી પાડતી કંપની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, અને તેમનું ધ્યાન સ્થળાંતર અને સલામતી પર રહે છે.

પહેલા માળે આગ લાગી હતી
આગ બિલ્ડિંગના પહેલા માળે શરૂ થઈ અને પછી ઉપરના માળે ફેલાઈ ગઈ. આગ લાગી ત્યારે કેટલાક કર્મચારીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા, જ્યારે ઘણા લોકો બહાર હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કોમ્પાસ ટીવી દ્વારા બતાવવામાં આવેલા ફૂટેજમાં ફાયર ફાઇટર્સને બિલ્ડિંગમાંથી લોકોને બહાર કાઢતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોને ઉપરના માળેથી બહાર નીકળવામાં મદદ કરવા માટે પોર્ટેબલ સીડીનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

બ્રિટનમાં અફઘાન કિશોરોએ 15 વર્ષની છોકરીને વાસનાનો શિકાર, જાણો ન્યાયાધીશે શું કહ્યું?

અફઘાનિસ્તાનથી બ્રિટન ગયેલા બે અફઘાન કિશોરોએ એવું કંઈક કર્યું છે જેનાથી તેમના દેશને શરમ આવી છે. બંને કિશોરો ગયા વર્ષે એકલા અફઘાનિસ્તાનથી બ્રિટન ગયા હતા. બંને કિશોરોએ મધ્ય ઇંગ્લેન્ડમાં 15 વર્ષની છોકરીને વાસનાનો શિકાર બનાવી હતી. આ કેસમાં બંનેને જેલની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદીએ વોરવિક ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે બંને છોકરાઓ, જાન જહાંઝેબ અને 17 વર્ષીય ઇસરાર નિયાઝલ, એ મે મહિનામાં લીમિંગ્ટન સ્પાના એક પાર્કમાં આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. છોકરી નશામાં હતી અને આનો ફાયદો ઉઠાવીને, અફઘાન કિશોરો તેને તેના મિત્રોથી દૂર લઈ ગયા હતા.

છોકરીએ પોતાના નિવેદનમાં શું કહ્યું?
ઘટના દરમિયાન પીડિત છોકરી દ્વારા રેકોર્ડ કરાયેલ ફૂટેજ પણ કોર્ટમાં બતાવવામાં આવ્યા હતા. ફૂટેજમાં, છોકરીને રડતી અને જોરથી ચીસો પાડતી સાંભળી શકાય છે. તે કહેતી રહી, “કૃપા કરીને મને મદદ કરો…મને જવા દો…હું ઘરે જવા માંગુ છું.” એક નિવેદનમાં, પીડિતાએ કહ્યું, “આ ઘટનાએ મને એક વ્યક્તિ તરીકે સંપૂર્ણપણે બદલી નાખી છે.” તેણીએ ઉમેર્યું કે આ તેનો પહેલો જાતીય અનુભવ હતો.

ન્યાયાધીશે શું કહ્યું?
આ કેસ અંગે જાહેર ચિંતાને ધ્યાનમાં રાખીને, ન્યાયાધીશ સિલ્વિયા ડી બર્ટોડાનોએ ગુનો કબૂલનારા બે 17 વર્ષના કિશોરોના નામ જાહેર કરવાનો આદેશ આપ્યો. ન્યાયાધીશે જણાવ્યું કે આમ કરવું જાહેર હિતમાં છે. જહાંઝેબ, જે આવતા વર્ષની શરૂઆતમાં 18 વર્ષનો થશે, તેને 10 વર્ષ અને 8 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. નિયાઝલને 9 વર્ષ અને 10 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. સજા પૂર્ણ થયા પછી બંનેને દેશનિકાલનો સામનો કરવો પડશે.

પહેલા પણ કેસ પ્રકાશમાં આવ્યા છે
દરમિયાન, એ નોંધવું યોગ્ય છે કે શરણાર્થીઓ દ્વારા કરવામાં આવતા ગુનાઓ, ખાસ કરીને જાતીય ગુનાઓ, બ્રિટનમાં એક મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સ્ટારમર સરકાર ચેનલ પાર કરીને નાની હોડીઓમાં આવતા હજારો સ્થળાંતરકારોને રોકવા માટે ઉકેલ શોધી રહી છે. ગયા મહિને, એક અફઘાન નાગરિકે મધ્ય ઇંગ્લેન્ડના ન્યુનેટનમાં 12 વર્ષની છોકરી પર બળાત્કાર કર્યાની કબૂલાત કરી હતી. સપ્ટેમ્બરની શરૂઆતમાં, લંડનના ઉત્તરમાં એપિંગમાં એક કિશોરવયની છોકરી અને અન્ય એક મહિલા પર જાતીય હુમલો કરવાના દોષી સાબિત થયા બાદ એક ઇથોપિયન પુરુષને જેલની સજા ફટકારવામાં આવી હતી. બંને કેસોએ વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા, વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા પણ થઈ હતી.

ઈન્ડિગો સામે DGCAની કડક કાર્યવાહી: ઇન્ડિગોના ફ્લાઇટ શેડ્યૂલમાં 5 ટકાનો ઘટાડો

0

ઈન્ડિગો ફ્લાઇટ સર્વિસ હજી પણ સંપૂર્ણપણે શરૂ થઇ શકી નથી. આ કટોકટી દરમિયાન ઈન્ડિગો વિરુદ્ધ સરકારે કડક પગલાં લીધા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે જણાવ્યું હતું કે ફ્લાઇટ વિક્ષેપને પગલે તેણે 1 ડિસેમ્બર, 2025 થી ઇન્ડિગોની ફ્લાઇટ શિડ્યૂલમાં 5% ઘટાડો કર્યો છે. DGCA એ મંગળવારે આ અંગેનો આદેશ જારી કર્યો હતો. નિવેદન અનુસાર, તમામ પ્રદેશોમાં, ખાસ કરીને ઉંચી માંગ અને હાઇ ફિક્વન્સી રૂટ્સ પ ફ્લાઇટ્સ ઘટાડવામાં આવી છે.

ઇન્ડિગોને બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડીજીસીએને સુધારેલ શિડ્યૂલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ડીજીસીએ નો આ આદેશ સોમવારે નાગરિક ઉડ્ડયન પ્રધાનના નિવેદન પછી આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર વર્તમાન શિયાળાના સમયપત્રક હેઠળ ઇન્ડિગો દ્વારા સંચાલિત રૂટની સંખ્યા ઘટાડશે.

2025-26 માટે શિયાળાના સમયપત્રકના ભાગરૂપે, એરલાઇન દરરોજ 2,200 થી વધુ ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.