Home Blog Page 211

જામનગર બાદ જુનાગઢમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, ખેડૂત સભામાં ભારે હોબાળો

જુનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન એક શખ્સ નજીક આવીને તેમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે.

જો કે, સદનસીબે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, અગાઉ પણ એક સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતુ અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો છે, આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે.

ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં એનું પુનરાવર્તન થતાં સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

ગોપાલ ઈટાલિયા તેમનું ભાષણ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં હતા અને ભાષણ દરમિયાન એક શખ્સ તેમની તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કાર્યકરોનું ધ્યાન જતા તેને ઝડપી લેવામાં આવે છે, આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી છે, અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગથી પંજાબી સિંગર બી પ્રાકને મારવાની ધમકી

0

દેશના જાણીતા બોલિવુડ અને પંજાબી ગાયક બી પ્રાકને કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારવાની ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગે બી પ્રાક પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માગી છે. ગેંગ દ્વારા સિંગર બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. ગેંગે એક સપ્તાહની અંદર પૈસા આપવા માટે કહ્યું છે. આ મામલે મોહાલીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી આપનાર કોલરે પોતાનું નામ આરજુ બિશ્નોઇ હોવાનું જણાવ્યું છે. બી પ્રાકને આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 10 કરોડ રૂપિયા આપો, નહીં તો માટીમાં મિલાવી દઈશું.

શું છે મામલો?
પંજાબી સિંગર દિલનૂરે ધમકીભર્યો કોલ આવ્યા બાદ SSP મોહાલી પાસે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ કોલ કરનાર વ્યક્તિએ પોતાને આરજુ બિશ્નોઇ તરીકે ઓળખાવ્યો અને દિલનૂરને કહ્યું હતું કે તે પોતાના મિત્ર, બોલિવુડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહી દે કે 10 કરોડ રૂપિયાની ખંડણી આપી દે, નહીં તો એક સપ્તાહની અંદર ખરાબ પરિણામો ભોગવવાં પડશે. ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઇ દેશનો કુખ્યાત ગેંગસ્ટર છે, જે હાલ જેલમાં બંધ છે અને ત્યાંથી જ પોતાનું નેટવર્ક ચલાવે છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવ્યું હતું.

દિલનૂરની ફરિયાદ અનુસાર પાંચ જાન્યુઆરીએ તેમને એક વિદેશી નંબર પરથી બે મિસ્ડ કોલ આવ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા નહોતા. છઠ્ઠી0 જાન્યુઆરીએ તેમને બીજા એક વિદેશી નંબર પરથી કોલ આવ્યો. દિલનૂરે કોલ ઉપાડ્યો ત્યારે વાતચીત શંકાસ્પદ લાગી, તેથી તેમણે ફોન કાપી નાખ્યો. તેના તરત બાદ તેમને એક વોઇસ મેસેજ મળ્યો, જેમાં ખંડણીની ધમકી આપવામાં આવી હતી.

આ ઓડિયો મેસેજમાં કોલ કરનાર વ્યક્તિએ કથિત રીતે કહ્યું હતું કે એક સપ્તાહની અંદર 10 કરોડ રૂપિયા આપવા પડશે, નહીં તો બી પ્રાકને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત

0

પંજાબના બઠિંડા નજીક ગુરથડી ગામ પાસે મુખ્ય માર્ગ પર શનિવારે સવારે એક દુખદ અકસ્માત સર્જાયો હતો. એક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગુજરાતના પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં ચાર પુરુષ અને એક મહિલા સામેલ છે.

મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા અમિતા ગુજરાત પોલીસમાં અધિકારી તરીકે ફરજ બજાવતી હતી. તેઓ તેમના ચાર મિત્રો સાથે બઠિંડાથી ગુજરાત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આ અકસ્માત પંજાબમાં થયો હોવા છતાં, મૃતકો ગુજરાતના હોવાથી ગુજરાતમાં પણ શોકનું વાતાવરણ છે. પોલીસ અધિકારી અમિતાના મોતથી ગુજરાત પોલીસ વિભાગમાં દુખ વ્યાપી ગયું છે. વધુ વિગતોની તપાસ ચાલુ છે.

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત

અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ આપઘાત કર્યો. નિશાંતસિંગ લોહાર નામના કેદીએ આપઘાત કર્યો. બાથરૂમની બારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મૃતક આરોપી મોબાઈલ ચોરીના ગુનામાં જેલમાં હતો. વિરમગામ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4માં બાથરૂમમાં પોતાની જ પાઘડીના કાપડના સહારે આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં સુધી પોલીસ અધિકારીઓને જાણ થઇ ત્યાં સુધીમાં તો તે જીવ ગુમાવી ચૂક્યો હતો. ડૉક્ટરોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કરી દીધો હતો. વિરમગામ રેલવે પોલીસ સ્ટેશને તેની સામે ચોરીનો ગુનો નોંધાયેલો હતો. ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવીને રાખવામાં આવ્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તેને લઈને રહસ્ય ઘેરાયું છે. કોઈ સ્યુસાઈડ નોટ પણ ઘટનાસ્થળેથી મળી નથી.

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 1.22 વાગ્યે ધરતી ધ્રુજતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે કેટલાક લોકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા. ગુજરાતમાં આ મહિનામાં જ અગાઉ રાજકોટ અને કચ્છ જિલ્લામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.

મળતી માહિતી મુજબ કચ્છમાં મોડી રાતે ભૂંકપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રીકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 55 કિમી દૂર નોંધાયું હતું. આંચકો હળવો હોવાથી મોટું નુકસાન થયું નથી.

લોકોને શાંતિ જાળવવા પ્રસાશને આપીલ
ભૂકંપ બાદ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. લોકોમાં ભય ન ફેલાય તે માટે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

તમને જણાવી દઈએ કે અગાઉ 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લામાં ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેમાં 26 ડિસેમ્બરે રાપર વિસ્તારમાં બે વખત અને 27 ડિસેમ્બરે ફરી બે વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 26 ડિસેમ્બરે નોંધાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 જેટલી હોવાથી લોકોમાં ચિંતા વધી હતી. અચાનક આવેલા આ આંચકાના કારણે ઘણા લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

આટકોટમાં બાળકી પર અત્યાચારના આરોપીને ફાંસીની સજા: રાજકોટ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો

રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં એક 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલા ક્રૂર અત્યાચાર અને દુષ્કર્મના કેસમાં આજે રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રેમસીંગ તેરસિંગ ડુડવાને ફાંસીની સજા સંભળાવી છે. આ કેસને દિલ્હીના નિર્ભયા કાંડ સાથે સરખાવીને જોવામાં આવ્યો હતો, અને માત્ર 44 દિવસમાં આ કેસનો નિર્ણય આવી જવા સાથે તે ઝડપી ન્યાયનું ઉદાહરણ બન્યો છે.

ઘટનાની વિગતો
ઘટના 4 ડિસેમ્બર 2025ની છે, જ્યારે આટકોટના કાનપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા એક પરિવારની 7 વર્ષની બાળકી તેના ભાઈ-બહેનો સાથે વાડીમાં રમી રહી હતી. ત્યારે 35 વર્ષીય આરોપી રેમસીંગ, જે ત્રણ સંતાનોનો પિતા છે અને મધ્યપ્રદેશનો વતની છે, મોટરસાઈકલ પર આવ્યો અને બાળકીને ઉઠાવીને નજીકની ઝાડીમાં લઈ ગયો. તેણે ત્યાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને તેમાં અસફળ થતા ક્રૂરતાની હદ વટાવીને તેના ગુપ્તાંગમાં લોખંડના સળિયા જેવું હથિયાર ઘુસાડી દીધું.” બાળકીના ચીસાચીસથી તેની કાકી દોડી આવી અને આરોપી ત્યાંથી ભાગી ગયો.

બાળકીને તરત જ કાનપરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ, ત્યાંથી જસદણ સરકારી હોસ્પિટલ અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તેને ભારે રક્તસ્ત્રાવ અને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને ઓપરેશન કરવું પડ્યું. તબીબોએ તેને જીવલેણ સ્થિતિમાંથી બચાવી લીધી અને તેની હાલત સ્થિર થઈ.”

તપાસ અને અરેસ્ટ
બાળકીના પિતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ શરૂઆતમાં કોઈએ આરોપીને જોયો ન હોવાથી તપાસ મુશ્કેલ બની. પોલીસે 10 ટીમો બનાવી અને 140થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી. 8 ડિસેમ્બરે આરોપીને શંકાના આધારે પકડવામાં આવ્યો. પોલીસ રિમાન્ડ દરમિયાન તેણે કાનપર ગામમાં એક ઝાડ નીચેથી લોહીથી લથપથ સળિયો રિકવર કરાવ્યો. ફોરેન્સિક તપાસમાં આરોપીના વાળ અને સળિયા પરનું લોહી પીડિતાનું હોવાનું સાબિત થયું. આરોપીના મોબાઈલના કોલ ડેટા રેકોર્ડ્સ પણ તેને ઘટનાસ્થળે હાજર સાબિત કરે છે.

તપાસ અધિકારીએ માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી. તપાસ દરમિયાન આરોપીએ તેના ઘર પાસે પોલીસ અધિકારી પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેમાં પોલીસે ફાયરિંગ કરીને તેને પગમાં ઈજા પહોંચાડી અને પકડી લીધો.

કોર્ટ પ્રોસીડિંગ્સ અને ચુકાદો
રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ઝડપથી ચાલી અને 12 જાન્યુઆરી 2026ના રોજ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો. સજાનું એલાન મૂળ 15 જાન્યુઆરી માટે હતું, પરંતુ તેને મુલતવી રાખીને 17 જાન્યુઆરી કરવામાં આવ્યું. આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે, જે આ કેસને 44 દિવસમાં પૂર્ણ કરીને ન્યાયિક વ્યવસ્થાનું ઉદાહરણ બનાવે છે. પીડિતાના પિતાએ કોર્ટને પત્ર લખીને ઝડપી ટ્રાયલ અને કડક સજાની માંગ કરી હતી.

આ ચુકાદાથી સમાજમાં રોષ અને સંતોષની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક તેને ન્યાયની જીત માને છે, જ્યારે અન્ય કાનૂની પ્રક્રિયાની ઝડપને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આરોપીને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

BMC Election Result 2026: એક જ પરિવારના 3 સભ્યો 3 અલગ-અલગ પક્ષમાંથી વિજયી, રાજકારણમાં અનોખો સંયોગ

0

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી BMC ELECTION RESULT માટે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં આશ્ચર્યજનક પરિણામો આવી રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે અહીં એક પરિવારે એક એવી સિદ્ધિ મેળવી છે જે ભૂતકાળમાં દેશના કોઈ ખૂણે યોજાયેલી કોઈપણ ચૂંટણીમાં જોવા મળી નથી. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો અલગ-અલગ પક્ષમાંથી વિજય થયો છે.

મ્હાત્રે પરિવારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય બનીને અભૂતપૂર્વ ઈતિહાસ રચ્યો છે. પરિવારના ત્રણ સભ્યો ત્રણ અલગ-અલગ પક્ષોની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતાં અને ત્રણેય વોર્ડ જીતી લીધા છે. આ ત્રણેય ડોંબિવલીના 21 નંબરના વોર્ડની પેનલમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પણ ત્રણેયનો અલગ-અલગ પક્ષમાંથી વિજય થયો છે.

કોણ કઈ પાર્ટીમાંથી જીત્યા?
પ્રહલાદ મ્હાત્રે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની ટિકિટ પર વિજયી થયા છે.
રેખા મ્હાત્રે: શિવસેનાની ટિકિટ પર જીત હાંસલ કરી છે.
રવિન મ્હાત્રે: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનો વોર્ડ જીતવામાં સફળ રહ્યા છે.

ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

0

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નવ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. ભારતીય જવાનોએ પાકિસ્તાની બોટ “અલ-મદીના” ને અટકાવી અને માછીમારોના વેશમાં આવેલા પાકિસ્તાનીઓને પકડી પાડ્યા. તમામ આરોપીઓને હાલમાં ગુજરાતના પોરબંદર કિનારે લઈ જવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, 14 જાન્યુઆરીની રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અરબી સમુદ્રમાં નિયમિત દેખરેખ રાખી રહ્યું હતું. અચાનક રડાર પર શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક ભારતીય પાણીમાં એક બોટ શાંતિથી ફરતી હતી. તે કોઈ સામાન્ય માછીમારી જહાજ ન હોવાથી તેની હિલચાલ શંકાસ્પદ હતી. આનાથી સૈનિકોને તે જહાજ શંકાસ્પદ લાગ્યું.

ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે બોટ તરફ પોતાની દિશા ફેરવતા જ તેમાં સવાર પાકિસ્તાનીઓ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય જહાજને નજીક આવતું જોઈને તેઓએ તેમની બોટને પાકિસ્તાન તરફ પાછી ફેરવી અને એન્જિનની ગતિ વધારી. તેઓએ અંધારાનો લાભ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સૈનિકોએ તેમની બોટને ઘેરી લીધી અને તેમને પકડી લીધા.

આ સમય દરમિયાન અરબી સમુદ્રમાં એક હાઇ-વોલ્ટેજ ડ્રામા થયો. પાકિસ્તાની બોટ ભાગી રહી હતી પરંતુ કોસ્ટ ગાર્ડનું જહાજ તેમનો પીછો કરી રહ્યું હતું. થોડી વાર પછી સૈનિકોએ તેમની બોટને ઘેરી લીધી અને તેમને રોકવાની ચેતવણી આપી નહીંતર પરિણામ ભોગવવા ચેતવણી આપી હતી.

આ પછી પાકિસ્તાની બોટ અને તેના મુસાફરો પાસે રોકાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં. દરમિયાન શસ્ત્રોથી સજ્જ ભારતીય સૈનિકો બોટમાં કૂદી પડ્યા અને તેમની તલાશી લીધી.

ધરપકડ કરાયેલા નવ પાકિસ્તાનીઓને બાંધીને ગુજરાતના પોરબંદર કિનારે લાવવામાં આવી રહ્યા છે. પોરબંદર એક મુખ્ય સુરક્ષા કેન્દ્ર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોટ કિનારે પહોંચતાની સાથે જ દેશની તમામ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ ત્યાં પહેલેથી જ હાજર રહેશે. ગુપ્તચર બ્યુરો હવે આ વ્યક્તિઓના પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશવાના હેતુની તપાસ કરશે. દરમિયાન ગુજરાત ATS આતંકવાદી કોણ અને સ્થાનિક નેટવર્કની તપાસ કરશે. આ ઉપરાંત નેવી ઇન્ટેલિજન્સ અને પોલીસ તેમના GPS ડેટાની પણ તપાસ કરશે.

સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ, યુવક ઇજાગ્રસ્ત

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં અંગત અદાવતના કારણે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25 વર્ષીય યુવક ચિરાગ ગજેન્દ્ર ગોડક્યાને ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તબીબોએ યુવકના શરીરમાંથી ગોળી કાઢી સારવાર શરૂ કરી છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફાયરિંગની ઘટના 15 જાન્યુઆરીના રોજ રાત્રે લગભગ 8:30 વાગ્યે ગોડાદરા વિસ્તાર નજીક આસપાસ દાદા મંદિર સામે આવેલી કલાકુંજ સોસાયટીમાં બની હતી. અગાઉ થયેલી એક હત્યાની અદાવતને લઈને આરોપીએ યુવક પર ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હુમલાનો ઉદ્દેશ હત્યા કરવાનો હોવાનું પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળવાની શક્યતા છે.

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની અટકાયત કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

પ્રજાસત્તાક દિવસ 2026: યુરોપિયન યુનિયનના નેતાઓ બનશે મુખ્ય મહેમાન

0

ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન હાજરી આપશે અને વોશિંગ્ટનની વેપાર અને ટેરિફ નીતિઓ અંગે વધતી ચિંતાઓ વચ્ચે બંને પક્ષ ૨૭ જાન્યુઆરીએ બહુપ્રતિક્ષિત ફ્રી ટ્રેડ કરાર પર મહોર મારવા માટે તૈયાર છે.

યુરોપિયન યુનિયન (EU) અને ભારત ૨૫ જાન્યુઆરીથી શરૂ થનારી કોસ્ટા અને વોન ડેર લેયનની નવી દિલ્હીની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વ્યાપક વૈશ્વિક એજન્ડા બનાવવા પર વિચાર કરે તેવી અપેક્ષા છે. યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં માલસામાનમાં દ્વિપક્ષીય વેપાર ૧૩૫ અબજ ડોલરનો રેકોર્ડ છે. ફ્રી ટ્રેડ કરારથી વ્યાપારિક સંબંધોમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાનો તરીકે ૨૫-૨૭ જાન્યુઆરી દરમિયાન ભારતની રાષ્ટ્રીય મુલાકાતે આવશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓ ૨૭ જાન્યુઆરીએ ૧૬મા ભારત-ઇયુ સમિટનું સહ-અધ્યક્ષતાપદ પણ કરશે. દર વર્ષે, ભારત તેના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વિશ્વના નેતાઓને આમંત્રણ આપે છે.

ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે વોશિંગ્ટનની ટેરિફ નીતિને ધ્યાનમાં રાખીને વિશ્વ વેપાર વિક્ષેપો જોઈ રહ્યું છે તેવા સમયે, પ્રસ્તાવિત કરાર વિવિધ ક્ષેત્રોમાં એકંદર દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ગુણાત્મક પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.

આ ઉપરાંત, બંને પક્ષ સમિટમાં સંરક્ષણ માળખા કરાર અને વ્યૂહાત્મક એજન્ડાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. ભારત અને યુરોપિયન યુનિયન ૨૦૦૪ થી વ્યૂહાત્મક ભાગીદારો છે. 15મી ભારત-ઇયુ સમિટ જુલાઈ, ૨૦૨૦માં વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી.