Home Blog Page 200

રવિ સિઝન 2026-27: કેન્દ્ર સરકારે ઘઉં માટે ટેકાના ભાવ જાહેર કર્યા, ₹2,585 પ્રતિ ક્વિન્ટલ

0

કેન્દ્ર સરકારે રવી સિઝન 2026-27 માટે ઘઉં માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) રૂ. 2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે. આ નિર્ણયને અનુરૂપ, ખેડૂતો માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં MSP પર ઘઉં ખરીદવામાં આવશે. MSP પર ઘઉં વેચવા ઇચ્છુક ખેડૂતોએ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026 વચ્ચે VCE દ્વારા ગ્રામ્ય સ્તરે ઓનલાઈન નોંધણી પૂર્ણ કરવાની રહેશે. ખેડૂત ખાતાધારકોના બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા નોંધણી કરવામાં આવશે. MSP પર ઘઉંની ખરીદી 4 માર્ચથી 15 મે, 2026 સુધી હાથ ધરવામાં આવશે.

નોંધણી માટે, ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અપડેટ કરેલા ગામ રેકોર્ડ, 7/12 અને 8-A જમીન રેકોર્ડ અને પાક વાવણીના પુરાવા સહિતના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. જો પાક વાવણીની વિગતો જમીન રેકોર્ડમાં પ્રતિબિંબિત ન થાય, તો તલાટી દ્વારા સહી કરેલ અને સ્ટેમ્પ થયેલ પ્રમાણપત્રની જરૂર પડશે. વધુમાં, ખેડૂતોએ બેંક ખાતાની વિગતો, બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકની નકલ સાથે પ્રદાન કરવી પડશે. નોંધાયેલા ખેડૂતોને SMS દ્વારા ખરીદીના સમયપત્રક વિશે જાણ કરવામાં આવશે. ખરીદી સમયે, ખેડૂતોએ તેમનું આધાર કાર્ડ અથવા માન્ય ઓળખ પુરાવો સાથે રાખવો પડશે, અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ પછી જ ઘઉં ખરીદવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું છે કે જો ચકાસણી દરમિયાન કોઈ વિસંગતતા અથવા ખોટા દસ્તાવેજો મળી આવશે, તો નોંધણી રદ કરવામાં આવશે અને ખેડૂતને ખરીદી માટે સૂચિત કરવામાં આવશે નહીં. MSP પર ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત હોવાથી, ખેડૂતોને સહાય માટે તેમના સંબંધિત ગ્રામ પંચાયતોનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

નોંધણી સંબંધિત કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં, ખેડૂતો હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક કરી શકે છે, નાગરિક પુરવઠા નિગમએ જણાવ્યું હતું.

સુરતમાં નશીલા પદાર્થના મોટા રેકેટનો પર્દાફાશ, બેંગ્લોરથી કરોડોનો ડ્રગ્સ લઈને આવેલા ત્રણ શખ્સો પકડાયા

0

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામેથી નશીલા પદાર્થોના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. દસ્તાન રેસિડેન્સીમાં NCBએ રેડ પાડી બેગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા ત્રણ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. અંદાજે 30 કિલો જેટલો કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બીસનોઈ ગેંગના ત્રણ સાગરીતો રૂમ નંબર 397માં રોકાયા હતા.

NCBએ એક કાર સાથે ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

અજિત પવાર સાથે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી પિંકી માળી કોણ હતી? જાણો સંપૂર્ણ વિગત

0

મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બારામતી નજીક પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCPપી)ના પ્રમુખ અજિત પવારનું નિધન થયું છે. અજિત પવારની સાથે પ્લેનમાં સવાર કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. અજિત પવારના પર્સનલ વિમાન ક્રેશ થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. પ્લેનમાં માર્યા જનારા લોકોમાં અજિત પવાર સહિત વિદીપ જાધવ, પિંકી માળીનો સમાવેશ થાય છે. જોકે, પિંકી માળી કોણ એ અંગે પણ લોકોમાં કૌતુક જાગ્યું છે ત્યારે એ કોણ છે એની વાત કરીએ.

વિમાન સવારે મુંબઈથી બારામતી માટે રવાના થયું હતું. બારામતી ખાતે વિમાન 8.50 વાગ્યાના સુમારે ઉતરાણ કરવાનું હતું, પરંતુ એના પહેલા અકસ્માત થયો હતો. અજિત પવારના પર્સનલ વિમાન VT-SSK દુર્ઘટનાગ્રસ્ત થયું. ડીજીસીએ જણાવ્યું કે વિમાનમાં પાંચ લોકો સવાર હતા. ડેપ્યુટી સીએમ સહિત બે સહયોગી અને બે ક્રૂ મેમ્બર્સ. અકસ્માતમાં માર્યા જનારાની ઓળખ નાયબ મુખ્ય પ્રધાન અજિત (દાદા) પવાર, મુંબઈ પીએસઓ (પર્સનલ સિક્યોરિટી ઓફિસર) વિદીપ જાધવ, પાઈલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન સંભવી પાઠક અને પિંકી માળી હતી, જે ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કાર્યરત હતી. પિંકી શિવકુમાર માળી (29) મુંબઈ પ્રભાદેવીની રહેવાસી છે. તે છેલ્લા પાંચ વર્ષથી ક્રૂ મેમ્બર તરીકે કામ કરતી હતી અને અગાઉ અજિત પવાર સાથે ત્રણ વખત પણ ટ્રાવેલ કર્યું હતું.

વિમાનના અકસ્માત અંગે ગ્રામવાસીઓએ કહ્યું હતું કે એરપોર્ટ પર લેન્ડ કર્યા પહેલા અચાનક પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી સમગ્ર વિસ્તારમાં પ્લેનનો કાટમાળ બળેલી હાલતમાં જોવા મળ્યો હતો. પ્લેન ક્રેશ પછી પાંચેક વિસ્ફોટ થયા હતા, જેમાં પાઈલટે પ્લેનને ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. રનવેથી લગભગ 100 ફૂટ નજીકથી ક્રેશ થયું હતું.

એવિયેશન સૂત્રોના જણાવ્યાનુસાર વિમાન પહેલી વખત રનવે પર ઉતરાણની કોશિશ કરી હતી, પરંતુ ફર્સ્ટ એપ્રોચ નિષ્ફળ રહ્યો હતો. સુરક્ષિત લેન્ડિંગ નહીં કરવાને કારણે પાઈલટે ગોરાઉન્ડ (ફરી વિમાનને હવામાં લઈ ગયો હતો)નો નિર્ણય લીધો હતો, પણ નિષ્ફળ રહ્યો હતો. આ અકસ્માત માટે ટેક્નિકલ કારણ યા માનવીય ભૂલ અંગે તપાસ કરવામાં આવશે. વિમાન લગભગ 16 વર્ષથી ઉપયોગમાં હતું, પરંતુ અચાનક સર્જાયેલા અકસ્માત અંગે અનેક સવાલો ઊભા થયા છે.

“શરદ પવારની પાર્ટીમાં પાછા ફરવાના હતા અજિત પવાર…..”, મમતા બેનર્જીના નિવેદનથી હોબાળો

0

આજે સવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા અજિત પવારનું અકાળે મોત નીપજ્યું, મહારાષ્ટ્રમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. એવામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પ્લેન ક્રેશ પાછળ રાજકીય કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે.

એક નિવેદનમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ સમિતિની માંગ કરી. તેમણે અન્ય એજન્સીઓ પર પક્ષપાતના આરોપ લગાવ્યા. મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે એવી ચર્ચા સાંભળી હતી કે અજીત પવારે બે દિવસ પહેલા ભાજપથી અલગ થવાની તૈયારી બતાવી હતી અને હવે પ્લેન ક્રેશ થયું.

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તાપસની માંગ:
મમતા બેનર્જીએ કહ્યું, “મને ખબર નથી કે વિપક્ષી રાજકીય પક્ષોનું શું થશે. તેઓ (અજીત પવાર) શાસક પક્ષ સાથે નજીકથી જોડાયેલા હતા, પરંતુ બે દિવસ પહેલા કોઈએ નિવેદન આપ્યું હતું કે પવાર ભાજપનો સાથ છોડવા તૈયાર છે, અને હવે આજે આ ઘટના બની.”

મમતા બેનર્જીએ કહ્યું “હું માગ કરું છું કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ ક્રેશની યોગ્ય તપાસ કરવામાં આવે. અમને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ વિશ્વાસ છે, અન્ય કોઈ એજન્સી પર નહીં. બધી એજન્સીઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.”

મમતા બેનર્જીએ દાવો કર્યો કે અજીત પવાર તેમના કાકા શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP-SP) સાથે ફરીથી જોડાવાની તૈયારી કરી રહ્યા હતા.

લાલજી પટેલનું SPG હવે UGCના નવા નિયમો સામે મેદાનમાં, કોને લખ્યો પત્ર ?

UGCના નવા નિયમોને લઈને કેટલાક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. UGCના નવા નિયમોનો વિરોધ કરતા રાજ્યોમાં હવે ગુજરાતનો સમાવેશ પણ થઈ ગયો છે. જુદાજુદા સંગઠનો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. શ્રી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખીને UGCના નવા નિયમોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવાની માંગણી કરી છે.

લાલજી પટેલે પત્રમાં શું લખ્યું
લાલજી પટેલે શ્રી સરદાર પટેલ સેવાદળ વતી લખેલા પત્રમાં જણાવાયું છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાન્યુઆરી 2026માં જારી કરાયેલ UGC (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર) નિયમો, 2026 જે 15 જાન્યુઆરી, 2026ના રોજ ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા હતા, તે ખૂબ જ ગંભીર બંધારણીય અને કાનૂની પ્રશ્નો ઉભા કરે છે. આ સૂચના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે અને SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા પર વિશેષ ભાર મૂકે છે. આ અંતર્ગત, બધી યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 90 દિવસની અંદર સમાનતા સમિતિઓની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમને ફરિયાદોની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધના નિયમો
પત્રમાં આગળ જણાવાયું છે કે, ​શ્રી સરદાર પટેલ સેવાદળનો સ્પષ્ટ અને મક્કમ મત છે કે, ઉપરોક્ત સૂચના ભારતના બંધારણમાં ગેરંટી આપવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકાર (કલમ 14, 15 અને 21)ની ભાવના અનુસાર નથી. ભારતનું બંધારણ બધા નાગરિકોને સમાનતાનો અધિકાર પ્રદાન કરે છે, પરંતુ સમાનતાની સર્વાંગી ખ્યાલ સ્થાપિત કરવાને બદલે, આ સૂચના ફક્ત SC, ST અને OBC વિદ્યાર્થીઓના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સામાન્ય શ્રેણીના (General Category) વિદ્યાર્થીઓના અધિકારો અને બંધારણીય રક્ષણોને સંપૂર્ણપણે અવગણે છે.

સમાન તકનો સિદ્ઘાંત નબળો પડી જશે
પત્રમાં અંતે જણાવાયું છે કે, ​આ સૂચના એકતરફી અભિગમ અપનાવે છે અને સમાન તકના સિદ્ધાંતને નબળી પાડે છે, જે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. કોઈપણ કાયદા અથવા નિયમનો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ, કોઈ એક વર્ગના પક્ષમાં અસંતુલન પેદા કરવાનો નહીં. આમ, બંધારણમાં દર્શાવેલ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થતું હોવાનો રદિયો આપીને શ્રી સરદાર પટેલ સેવાદળે UGCના નવા નિયમોને પાછા ખેંચવાની માંગ કરી છે.

અરિજીત સિંહે કેમ સંન્યાસ લીધો, કારણ સામે આવી ગયું

અરિજિત સિંહ દ્વારા પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાતથી 27 જાન્યુઆરી, 2026નો દિવસ સંગીત પ્રેમીઓ માટે ખૂબ જ નિરાશાજનક બની ગયો છે. મંગળવારે સાંજે, અરિજિતે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા, જેનાથી તેઓ ખૂબ નિરાશ થયા. ઘણા લોકો ગાયકના નિર્ણય પાછળના કારણને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના તાજેતરના નિવેદનો અને કારકિર્દી પસંદગીઓનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહ્યા છે. તેમની જાહેરાતથી સોશિયલ મીડિયા પર સિદ્ધાંતોનો દોર શરૂ થયો છે. ચાહકો તેમની પોસ્ટ પર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે, તેમના નિર્ણય પાછળનું કારણ પૂછી રહ્યા છે.

અરિજિત સિંહની પોસ્ટ
નિવૃત્તિની જાહેરાત કરતા, અરિજિત સિંહે લખ્યું, “નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષોથી શ્રોતાઓ તરીકે મને આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. મને જાહેરાત કરતા આનંદ થાય છે કે હવેથી, હું પ્લેબેક ગાયક તરીકે કોઈ નવું કામ નહીં કરું. હું આ વ્યવસાયને અલવિદા કહી રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહી છે.” તેમણે તરત જ બીજી પોસ્ટ લખી, “ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્યમાં, હું એક નાના કલાકાર તરીકે વધુ શીખીશ અને મારા પોતાના પર વધુ કામ કરીશ. તમારા સમર્થન બદલ ફરીથી આભાર.”

ફક્ત પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્ત
અરિજીત સિંહે સ્પષ્ટતા કરી કે તે ફક્ત પ્લેબેક સિંગિંગ અસાઈનમેન્ટથી દૂર જઈ રહ્યો છે, સંગીતથી નહીં. તેમણે પોસ્ટમાં આગળ લખ્યું, “મારે હજુ પણ કેટલાક કામ પૂર્ણ કરવાના બાકી છે, અને હું તે પૂર્ણ કરીશ. તેથી, કદાચ તમે આ વર્ષે કેટલીક રિલીઝ જોશો.”

અરિજિત સિંહના પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવા પાછળનું કારણ શું છે?
ઘણા યુઝર્સે અરિજિત સિંહના નિર્ણય વિશે અટકળો શરૂ કરી. કેટલાકે તેમના નિર્ણયને ટેકો આપ્યો, તો કેટલાકે તેમને પાછા ફરવા માટે વિનંતી કરી. ગાયકે ચાહકોને જવાબ આપ્યો અને તેમના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું. તેમણે સમજાવ્યું કે આ નિર્ણય લેવા માટે ફક્ત એક જ કારણ નથી, પરંતુ ઘણા કારણો હતા. તેમણે એમ પણ સમજાવ્યું કે તેઓ લાંબા સમયથી આ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આખરે તેમણે આ નિર્ણય લીધો. તેમણે ઉમેર્યું, “એક સરળ કારણ એ છે કે હું ખૂબ જ ઝડપથી કંટાળી જાઉં છું, તેથી હું ગીતની ગોઠવણી બદલી નાખું છું અને તેને સ્ટેજ પર અલગ અલગ રીતે ગાઉં છું. હું એક અલગ પ્રકારનું સંગીત અપનાવવા માંગુ છું.”

ભારતીય શાસ્ત્રીય સંગીત પર પાછા ફરો
તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પાછા ફરવા વિશે પણ વાત કરી. એક ચાહકે ગાયકને પૂછ્યું કે શું તે તેમની સાથે મજાક કરી રહ્યો છે, જેના જવાબમાં ગાયકે જવાબ આપ્યો કે તે કોઈની લાગણીઓ પર કોઈ યુક્તિ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી, પરંતુ તે ફક્ત બોલિવૂડ પ્લેબેક સિંગિંગથી દૂર જઈ રહ્યો છે, પરંતુ સંગીત, ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત સાથેનો તેમનો સંબંધ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પાછા ફરી રહ્યા છે. અરિજિતે એમ પણ કહ્યું કે તે પોતાનું સંગીત પોતે કંપોઝ કરશે અને જ્યારે પણ તૈયાર થશે ત્યારે તેને રિલીઝ કરશે.

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં સેનાની તોપવાળી ટ્રક પલટી, 9 સૈનિક ઘાયલ

0

ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર આજે (28 જાન્યુઆરી) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલી સૈન્યની એક ગાડી વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીમાં સવાર 13 જવાન પૈકી 9 જવાનને ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સૈન્યનો કાફલો મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો. આ ગાડીમાં સૈન્યની તોપ પણ લાદેલી હોવાનું જાણવા મળ્યું છે. સાપુતારાના ડુંગરાળ વિસ્તારના કપરા વળાંકો ઉતરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને ડાંગ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘાયલ જવાનોને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના શામગહાન સીએસસી (CSC) સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તમામ ઈજાગ્રસ્ત જવાનોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આઠ રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું તાંડવ, ગુજરાતમાં પણ તાપમાનમાં મોટો ઘટાડો

0

જાન્યુઆરી પૂર્ણ થવાના સમયે દેશના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર હવે મેદાની પ્રદેશોમાં જોવા મળી રહી છે. શિયાળાના અંતિમ તબક્કામાં કુદરત જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની હોય તેમ વરસાદ અને તેજ પવનના કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકો દેશના અનેક રાજ્યો માટે ભારે સાબિત થઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, દેશના આઠ રાજ્યોમાં અચાનક વાતાવરણ પલટાશે. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં તો પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેની સાથે કરા પડવાની પણ સંભાવના છે. આ બદલાવને કારણે દૈનિક પ્રવૃત્તિઓ અને વાહનવ્યવહાર પર માઠી અસર પડી શકે છે.

સમગ્ર દેશમાં થઈ રહેલા આ ફેરફારની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે. વેધર મેપ મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3°C થી 5°C નો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, જેના કારણે રાત્રિના સમયે ઠંડીનું જોર વધશે. જોકે, આ ઘટાડો ટૂંકા ગાળાનો રહેશે અને ત્યારબાદ ત્રણ દિવસમાં તાપમાનમાં ધીમે-ધીમે 2°C થી 4°C નો વધારો થતાં ઠંડીમાં થોડી રાહત મળવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગે માત્ર વરસાદ જ નહીં, પણ વીજળી પડવા અને કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને સિક્કિમ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા ભાગોમાં હિમવર્ષા ચાલુ રહેતા મેદાની વિસ્તારોમાં શીત લહેર જેવી સ્થિતિ સર્જાશે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પણ ભારે પવન સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. આ આકસ્મિક મોસમી ફેરફારને કારણે ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

બારામતીમાં અજિત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, વિમાનમાં સવાર કોણ હતા?

0

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું ખાનગી વિમાન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન નિયંત્રણ બહાર ગયું હતું અને રનવે પાસે ક્રેશ થયું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાયલટે વિમાનને સુરક્ષિત ઉતારવા પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી.

કોણ કોણ હતું સવાર?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિમાનમાં અજિત પવારની સાથે તેમના અંગત સચિવ, બે સુરક્ષા ગાર્ડ અને પાયલટ સહિત કુલ 5 થી 6 લોકો સવાર હતા. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે આખો વિસ્તાર અચાનક ધણધણી ઉઠ્યો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે હાલ અજિત પવારની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી જવા માટે રવાના થયા હતા. તેઓ પોતાના મતવિસ્તારમાં ખેડૂતોના એક વિશાળ સંમેલન અને વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આ માટે તેઓ સવારે આશરે 9:00 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પરથી રવાના થયા હતા. કાર્યક્રમના સ્થળે હજારોની સંખ્યામાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લેન્ડિંગના થોડા સમય પહેલા જ આ અકસ્માત સર્જાતા કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

અત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. એવિએશન સેફ્ટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે શું આ દુર્ઘટના પાછળ કોઈ જૂનું એન્જિન જવાબદાર હતું કે પછી લેન્ડિંગ સમયે કોઈ અન્ય ખામી સર્જાઈ હતી.

અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન: ભૂતકાળના વિમાન અકસ્માતોમાં ગયેલા અગ્રણી નેતાઓની યાદ

0

મહારાષ્ટ્રના બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. વિમાન દુર્ઘટના લેન્ડિંગ દરમિયાન થઈ હતી. આ પહેલીવાર નથી જ્યારે કોઈ રાજકીય નેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય. ચાલો જાણીએ કે આવા વિમાન દુર્ઘટનામાં અન્ય કયા રાજકારણીઓના મોત થયા છે.

એર ઇન્ડિયાના દુ:ખદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું મોત નીપજ્યું.
ગયા વર્ષે 12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું હતું. વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીએમસી બાલયોગીનું મોત
લોકસભાના અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું ૩ માર્ચ, 2002ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક તળાવમાં ક્રેશ થયું હતું.

હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલનું દુઃખદ અવસાન
ઓપી જિંદાલ અને સુરેન્દ્ર સિંહ (2005): ઉદ્યોગપતિ અને હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. દિલ્હીથી ચંદીગઢ જઈ રહેલું તેમનું હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ક્રેશ થયું હતું.

વાયએસ રાજશેખર રેડ્ડીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.
આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી, વાય. એસ. રાજશેખર રેડ્ડી (2009), જેઓ વાયએસઆર તરીકે જાણીતા હતા, તેમનું ૨ સપ્ટેમ્બર 2009ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું.

સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
કોંગ્રેસ નેતા અને તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર અને પાઇલટ સંજય ગાંધીનું 23 જૂન, 1980 ના રોજ એક હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું. સંજય સફદરજંગ એરપોર્ટ નજીક દિલ્હી ફ્લાઈંગ ક્લબનું વિમાન ઉડાડી રહ્યા હતા. વિમાને અચાનક કાબુ ગુમાવ્યો અને ક્રેશ થયું.

માધવરાવ સિંધિયાનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર, 2001ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ 10 સીટવાળા ખાનગી વિમાનમાં કાનપુર જઈ રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશના મૈનપુરી નજીક ખરાબ હવામાનને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર, 2021 ના ​​રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ ઘટના તમિલનાડુના કુન્નુર નજીક બની હતી જ્યારે તેઓ તેમની પત્ની અને અન્ય 11 લોકો સાથે સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા.