Home Blog Page 198

Union Budget 2026: સુગર અને કેન્સરની દવાઓ થશે સસ્તી, ફાર્મા સેક્ટરમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ

0

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં તેમનું નવમું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ સ્થાનિક ઉત્પાદન, આરોગ્યસંભાળ ક્ષેત્ર, ઊર્જા સુરક્ષા અને રોજગાર જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન, દેશની આર્થિક સ્થિતિમાં સ્થિરતા, નાણાકીય શિસ્ત, સતત વિકાસ અને નીચા ફુગાવાનો અનુભવ થયો છે.તેમણે જણાવ્યું કે આ અનિશ્ચિત અને મુશ્કેલ સમયમાં પણ કેન્દ્ર સરકારે લીધેલા વિચારશીલ નિર્ણયોનું પરિણામ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના બજેટ ભાષણ દરમિયાન અનેક મોટી જાહેરાત કરી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં તેમનું નવમું બજેટ રજૂ કરતી વખતે આરોગ્યસંભાળ ક્ષેત્ર અંગે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી. તેમણે જાહેરાત કરી કે ડાયાબિટીસ અને કેન્સરની દવાઓ સસ્તી થશે. વધુમાં, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. દવા ઉત્પાદન માટે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. દવા ઉત્પાદન માટે આ બજેટમાં બાયોફાર્મા શક્તિની જાહેરાત કરવામાં આવી હતી.

બજેટમાં બાયોફાર્મા શક્તિની જાહેરાત

બજેટ 2026 માં બાયોફાર્મા શક્તિની જાહેરાત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક બાયોફાર્માસ્ટિકલ ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. આગામી પાંચ વર્ષમાં ₹10,000 કરોડના ખર્ચે બાયોફાર્મા શક્તિ શરૂ કરવામાં આવશે.

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે અમે છેલ્લા 12 વર્ષથી આર્થિક વિકાસ તરફ કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દેશ આર્થિક મોરચે મજબૂત પ્રગતિ કરી રહ્યો છે, અને આ સમય દરમિયાન, અમારી સરકારે ગરીબી નિવારણ તરફ કામ કર્યું છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર રોકાણ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું કે આત્મનિર્ભરતાને અમારા માર્ગદર્શક સિદ્ધાંત તરીકે રાખીને અમે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા, ઉર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ આયાત પર નિર્ભરતા ઘટાડી છે.

વડોદરામાં હેરોઈન કેસમાં SOG ASI લક્ષ્‍‍મીકાંત દેસાઈની ધરપકડ, જાણો સમગ્ર મામલો

વડોદરા શહેરના બહુચર્ચિત ડ્રગ્સ કેસમાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.9 જાન્યુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપાયેલા 239.940 ગ્રામ હેરોઈન કેસની તપાસમાં આશ્ચર્યજનક વિગતો સામે આવી છે.આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 48 લાખથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ઊંડી તપાસ કરતા SOGના ASI લક્ષ્‍મીકાંત દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

ASI હતા ડ્રગ્સ પેડલર સીધા સંપર્કમાં!

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી લક્ષ્‍મીકાંત દેસાઈ મુખ્ય ડ્રગ્સ પેડલર અમરીકસિંહ મલ્હી સાથે સીધા સંપર્કમાં હતા. ASI દેસાઈ પોતાની ફરજ નિભાવવાને બદલે ડ્રગ્સ પેડલરને પોલીસની નજરમાંથી બચાવવા માટે ‘સેફ પેસેજ’ પૂરો પાડતા હતા. પોલીસ રેકોર્ડ અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ, છેલ્લા એક વર્ષમાં ASI દેસાઈએ ડ્રગ્સ પેડલર સાથે 125 થી વધુ વખત ટેલિફોનિક વાતચીત કરી હતી. આ આંકડો સ્પષ્ટ કરે છે કે પોલીસ અધિકારી અને ગુનેગાર વચ્ચેના સંબંધો કેટલા ગાઢ હતા.

3 ફોન જપ્ત, ડમી કાર્ડથી કાંડ

વધુમાં, તપાસ એજન્સીએ લક્ષ્‍મીકાંત દેસાઈ પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ તપાસથી બચવા માટે ડમી સિમકાર્ડ ધરાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા. અગાઉ તેઓ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ – DCBમાં ફરજ બજાવતા હતા, જ્યાંથી તેમની બદલી કચ્છ ખાતે કરવામાં આવી હતી. માત્ર છ મહિનામાં નિવૃત્ત થનાર લક્ષ્‍મીકાંત દેસાઈએ નિવૃત્તિના આરે કાયદાના રક્ષક બનવાને બદલે ભક્ષકની ભૂમિકા ભજવી હતી. હાલમાં પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.

ASI લક્ષ્‍મીકાંત દેસાઈની ધરપકડ

વડોદરામાં 48 લાખના હેરોઈન કેસમાં SMC પોલીસે SOG ના ASI લક્ષ્‍મીકાંત દેસાઈની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે ASI દેસાઈ ડમી સિમકાર્ડ દ્વારા ડ્રગ્સ પેડલર અમરીકસિંહના સંપર્કમાં રહી તેને સુરક્ષિત માર્ગ આપતા હતા. નિવૃત્તિના આરે પહોંચેલા આ પોલીસ કર્મીની સંડોવણીથી પોલીસ તંત્રની છબી ખરડાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.

Union Budget 2026: બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું?

0

આજે 1લી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે માત્ર એક તારીખ નથી, પરંતુ દેશના આર્થિક ભવિષ્યનો રોડમેપ તૈયાર કરનારો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યા છે. આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે યુએસ ટેરિફ નીતિઓ અને ભૂ-રાજકીય અસ્થિરતાને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, ભારતની સ્થાનિક માંગ અને મજબૂત આર્થિક પાયાને કારણે દુનિયાભરના રોકાણકારોની નજર અત્યારે ભારતના બજાર પર ટકેલી છે. સરકાર આ વખતે વૃદ્ધિની ગતિ જાળવી રાખવા અને નાણાકીય સંતુલન જાળવવા વચ્ચે કેવી રીતે તાલમેલ બેસાડે છે, તે જોવું રસપ્રદ રહેશે.

બજેટથી મધ્યમ વર્ગની આશાઓ

બજેટ પૂર્વે રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વે 2025-26 મુજબ, આગામી નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 6.8% થી 7.2% ની વચ્ચે રહેવાની ધારણા છે. એક તરફ વધતી જતી કાર્યકારી વયની વસ્તી દેશ માટે તક સમાન છે, તો બીજી તરફ ગુણવત્તાયુક્ત રોજગાર અને આરોગ્ય સુવિધાઓ સરકાર માટે મોટા પડકારો બની રહ્યા છે.

ખાસ કરીને મધ્યમ વર્ગના કરદાતાઓ આ વખતે ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારાની આશા રાખી રહ્યા છે. બીજી તરફ, ગ્રામીણ ખેડૂતો અને માળખાગત સુવિધાઓ (Infrastructure) પર સરકારના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. આ બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ ‘વિકસિત ભારત’ ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.

બજેટમાં શું છે ખાસ ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં દેશના સર્વાંગી વિકાસ માટે મહત્વકાંક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં રાજકોષીય ખાધ 4.3 ટકા રાખવાનો અને મૂડી ખર્ચ વધારીને રૂ.12.2 લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક છે. આ બજેટમાં મધ્યમ વર્ગ અને પ્રવાસીઓ માટે TCS દરમાં ઘટાડો કરીને રાહત અપાઈ છે, જ્યારે આરોગ્ય ક્ષેત્રે કેન્સર અને અન્ય દુર્લભ રોગોની દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપીને માનવીય અભિગમ દાખવ્યો છે. ટેકનોલોજી ક્ષેત્રે ક્લાઉડ કંપનીઓને 2047 સુધી ટેક્સ હોલિડે અને સેમિકન્ડક્ટર મિશન 2.0 જેવી જાહેરાતો દ્વારા ડિજિટલ ઈન્ડિયાને નવું બળ પૂરું પાડવામાં આવ્યું છે. ઉદ્યોગો માટે MSME ફંડ અને બાયોફાર્મા ક્ષેત્રે શક્તિ યોજના હેઠળ રૂ.10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને ઉત્તર ભારતમાં NIMHANS 2.0 ની સ્થાપના જેવા મહત્વના પ્રોજેક્ટ્સ જાહેર કરાયા છે. ખેડૂતો માટે AI ટૂલ્સ અને શિક્ષણ ક્ષેત્રે નવીન લેબ્સની સ્થાપના દ્વારા સરકાર વિકાસ, આકાંક્ષા અને સર્વસમાવેશક ઉન્નતિના ત્રણ ઉદ્દેશ્યોને સાકાર કરવા કટિબદ્ધ દેખાય છે.

બજેટ 2026: દિલ્હી–વારાણસી સહિત 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, નાણામંત્રીના મોટા એલાન

0

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે. અત્યાર સુધી ઘણી બધી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન નાણામંત્રીએ / નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ સહિત અનેક જાહેરાતો કરી છે. ચાલો જાણીએ અત્યાર સુધી શું શું જાહેરાત થઈ છે.

7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત

  • મુંબઈ-પુણે
  • પુણે-હૈદરાબાદ
  • હૈદરાબાદ-ચેન્નાઈ
  • હૈદરાબાદ બેંગલુરુ
  • ચેન્નાઈ-બેંગલુરુ
  • દિલ્હી-વારાણસી
  • વારાણસી-સિલિગુડી

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે શહેરો વચ્ચે વિકાસ જોડાણ તરીકે ? હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. વ્યાવસાયિક સંસ્થાઓને કોર્પોરેટ મિત્રોની કેડર તૈયાર કરવા માટે સુવિધા આપવામાં આવશે. સેમિક-ડક્ટર ઉત્પાદનને વિસ્તૃત કરવા માટે ISM 2.0 શરૂ કરવામાં આવશે. આંશિક લોન ગેરંટી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ સ્થાપિત કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ કાર્ગો ચળવળને પ્રોત્સાહન આપવા માટે અનેક દરખાસ્તો ચાલી રહી છે. આગામી પાંચ વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત થશે. સરકારી મૂડીખર્ચ વધારીને ₹12.2 લાખ કરોડ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

  • દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલની ભેટ
  • દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.
  • વિકસિત ભારત માટે બેંકિંગ પર ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવવાનો પ્રસ્તાવ.
  • પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને ગ્રામીણ વીજળીકરણ નિગમનું પુનર્ગઠન કરવાની પ્રસ્તાવ.
  • વિદેશી વિનિમય વ્યવસ્થાપન નિયમોની વ્યાપક સમીક્ષાકોર્પોરેટ બોન્ડ પર સંપૂર્ણ વળતર સ્વેપ રજૂ કરવાનો પ્રસ્તાવ.
  • મોટા શહેરોમાં ઉચ્ચ-મૂલ્યના મ્યુનિસિપલ બોન્ડને પ્રોત્સાહન આપવા પર ભાર.
  • ગ્રામીણ વિકાસ અને રમતગમત ઉદ્યોગમહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના માટે દરખાસ્ત.
  • ગ્રામીણ યુવાનોને લાભ આપતી એક જિલ્લો, એક ઉત્પાદન યોજનાનો પ્રચાર.
  • ભારતની સસ્તી રમતગમતના સામાન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરવાની સંભાવના
  • માળખાગત સુવિઘાઓ પર રેકોર્ડ ખર્ચ
  • 2026-27 માં 12.2 લાખ કરોડનો મૂડી ખર્ચ.
  • ટાયર-2 અને ટાયર-૩ શહેરોમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા પર ભાર
  • 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ ચાલુ છે.
  • આંશિક લોન ગેરંટી માટે ઈન્ફ્રા રિસ્ક ગેરંટી ફંડ.
  • સમર્પિત REITS દ્વારા રિયલ એસ્ટેટ સંપત્તિનું રિસાયક્લિંગ
  • રેલ, જળમાર્ગો અને ગ્રીન ટ્રાન્સપોર્ટ
  • 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર શહેરો વચ્ચે વિકાસ માટે પુલ બનશે.
  • દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી હાઈ-સ્પીડ રેલ કોરિડોર.
  • આગામી 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો.
  • વારાણસી અને પટનામાં જહાજ સમારકામ સુવિધાઓ
  • સીપ્લેન VGF યોજનાનો પ્રારંભ
  • ગ્રીન ઉદ્યોગ અને કાર્બન કેપ્ચર
  • ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્બન કેપ્ચર, ઉપયોગ અને સંગ્રહ પર ભાર
  • 5 વર્ષમાં 5 ઔદ્યોગિક વિસ્તારો માટે ₹20,000 કરોડનો પ્રસ્તાવ.

સુરતના જાણીતા બિલ્ડરે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો, 4 દિવસ બાદ પુત્રીના લગ્ન

સુરત શહેરના પોશ વિસ્તારમાં રહેતા અને જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તેમના ઘરમાં પુત્રીના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. હાલ તેમને સારવાર અર્થે ખસેડાયા છે.

માહિતી મુજબ, આ ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. તુષાર ઘેલાણીએ રાત્રિના અંદાજે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર માંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ એટલો પ્રચંડ હતો કે ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો અને આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા. અવાજ સાંભળીને પરિવારજનો તુષારભાઈના રૂમ તરફ દોડી ગયા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.

પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોળી માથાના ભાગે વાગી હોવાથી તેમની હાલત અત્યંત નાજુક છે અને ડોક્ટરોની ટીમ તેમને બચાવવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. શું આ આર્થિક ભીંસને કારણે લીધેલું પગલું છે કે કોઈ અંગત પારિવારિક કારણ? તે અંગે હાલ રહસ્ય અકબંધ છે. પોલીસ તુષારભાઈના મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન આગામી 5 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો, કંકોતરીઓ વહેંચાઈ ગઈ હતી અને લગ્નની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી હતી. આવા સમયે બિલ્ડરે આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યું છે.

બજેટ પર સુરત ચેમ્બરની નજર: દક્ષિણ ગુજરાતના વેપાર-ઉદ્યોગ માટે 15 મહત્વના સૂચનો રજૂ

0

આજે રવિવારે કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમણ આમ બજેટ રજૂ કરશે. આ વખતે અમેરીકાના ટેરિફ વોરને કારણે ઇન્ડસ્ટ્રીને બજેટમાં અનેક અપેક્ષાઓ છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર–ઉદ્યોગને સ્પર્શતા 15 મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે આ સૂચનો કરવેરા વ્યવસ્થાને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગમૈત્રી બનાવવા માટે કરવામાં આવ્યા છે. જેથી આવતીકાલે બજેટમાં આ મુદ્દાઓ સમાવવામાં આવેતો વેપાર જગતને ફાયદો થશે.

ચેમ્બરે આવકવેરા વિભાગમાં વિવાદો ઘટાડવા CBDT દ્વારા સ્પષ્ટીકરણાત્મક SOP જાહેર કરવાની માંગ કરી છે, જેથી હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને દેશભરમાં એકસરખો અમલ થાય. દર વર્ષે અલગ–અલગ સ્ક્રુટિનીના બદલે 2 થી 3 વર્ષના બ્લોક એસેસમેન્ટ અમલમાં મૂકવાની ભલામણ પણ કરાઈ છે, જેથી કરદાતાઓ પરનો ભાર ઘટે અને પ્રશાસનની કાર્યક્ષમતા વધે. ટ્રાન્સફર પ્રાઈસિંગ માટે અલગ એસેસમેન્ટ વ્યવસ્થા, સુપ્રિમ કોર્ટમાં સમાન મુદ્દા પેન્ડિંગ હોય ત્યારે અપીલ ન કરવાની નીતિ, રિવાઇઝ્ડ રિટર્ન દ્વારા કરાયેલા ક્લેઈમ માન્ય ગણવાની માંગ પણ કરવામાં આવી છે. રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી વધારવા, રિફંડ 30 દિવસમાં આપવા અને વિલંબે 9 ટકા વ્યાજ ચૂકવવાની ભલામણ કરાઈ છે.

વ્યવસાયિક ખર્ચમાં prior period expensesને માન્ય કરવા, સ્પષ્ટ વ્યવસાયના નુકસાનનું સેટ–ઓફ, MSME માટે પ્રિઝમ્પટિવ ટેક્સેશનની મર્યાદા 10 કરોડ સુધી વધારવા તથા TDS દરોને સરળ બનાવી માત્ર ત્રણ સ્લેબ રાખવાની સૂચના આપવામાં આવી છે. GST/B2B વ્યવહારો માટે કલમ 194Q રદ કરવા અને સ્ટાર્ટઅપ્સને નુકસાન કેરી ફોરવર્ડની છૂટ આપવા પર પણ ભાર મુકાયો છે. ટેક્સટાઇલ ક્ષેત્રે માટે PTA અને MEG ઉપર ઇમ્પોર્ટ ડ્યૂટી શૂન્ય કરવા, MMF યાર્ન અને સિલ્ક યાર્ન પર ડયુટી ઘટાડવા, TTDS અથવા નવી ATUF સ્કીમ માટે રૂ. 1000 કરોડની માંગ કરવામાં આવી છે. સેન્ટર ઓફ એકસલન્સ, યાર્ન બેન્ક, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ તથા MSME માટે વિવિધ ઇન્સેન્ટિવ સ્કીમોની પણ રજૂઆત કરાઈ છે.

આ ઉપરાંત ડાયમંડ સેક્ટર માટે પણ અનેક ભલામણો જીજેઇપીસી દ્વારા કરવામાં આવી છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી રીયલ ડાયમંડનું માર્કેટ વિશ્વમાં ડામાડોળ થઇ ગયું છે. જેથી તેની માટે પણ કોઇ યોગ્ય નિર્ણય આવતીકાલે બજેટમાં આવે તેવી સંભાવનાઓ છે. આ ઉપરાંત પણ નાના અને મધ્યમ વેપારીઓને પણ સરકાર બજેટમાં ભેટ આપે તો નવાઈ નહિ.

રાજ્યસભામાં માતાની જગ્યા લેશે અજિત પવારનો મોટો દીકરો, ‘સુનેત્રા યુગ’ની શરૂઆત

0

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુ બાદ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નેતૃત્વની ચર્ચાનો અંત આવ્યો છે. તેમના પત્ની, સુનેત્રા પવારે, દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદની ઓફર સ્વીકારી લીધી છે. હાલમાં રાજ્યસભાના સાંસદ, સુનેત્રા શનિવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે શપથ લે તેવી અપેક્ષા છે. શપથ લીધા પછી, તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે. નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રાની નિમણૂકના સમાચાર વચ્ચે, એક નવો પ્રશ્ન ઉભો થયો છે: NCP માંથી રાજ્યસભામાં તેમનું સ્થાન કોણ લેશે? સુનેત્રા હાલમાં રાજ્યસભાના સાંસદ છે.

રાજ્યસભામાં પાર્થ પવાર તેમની માતાની બેઠક સંભાળશે
આ પ્રશ્નનો જવાબ હવે રાજકીય વર્તુળોમાંથી બહાર આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સુનેત્રા અજિત પવારનું સ્થાન લેશે, ત્યારે એવી પણ ચર્ચા છે કે તેમના મોટા પુત્ર, પાર્થ પવાર, રાજ્યસભામાં તેમની માતાના સ્થાને આવી શકે છે. દરમિયાન, એવી પણ ચર્ચા છે કે સુનેત્રા બારામતી લોકસભા બેઠક માટે પેટાચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, જે તેમના પતિના મૃત્યુથી ખાલી પડી હતી. NCP વિધાનસભા પક્ષના નેતા સુનીલ તટકરેએ સ્પષ્ટતા કરી કે આવતીકાલે બપોરે 2 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં તમામ ધારાસભ્યો અને સાંસદો ભાગ લેશે.

તેમણે કહ્યું કે બેઠકમાં સુનેત્રા પવાર સાથે રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે અને અંતિમ નિર્ણય મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. તટકરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુનેત્રા બેઠકમાં હાજર રહેશે. શુક્રવારે તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે થવાની ધારણા છે. સુનેત્રાને માત્ર નાયબ મુખ્યમંત્રી તરીકે જ નહીં પરંતુ સંગઠનના વડા તરીકે પણ નિયુક્ત કરવાની પાર્ટીમાં માંગ વધી રહી છે.

સુનેત્રા ડેપ્યુટી મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમનું રાજ્યસભા સભ્યપદ સમાપ્ત થઈ જશે. પરિણામે, એનસીપી અજિતના મોટા પુત્ર પાર્થને નોમિનેટ કરવા તરફ આગળ વધી રહી છે. પાર્થ પહેલેથી જ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને બારામતી મોડેલના પ્રચારક રહ્યા છે. સૂત્રો સૂચવે છે કે પ્રફુલ્લ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

સુરત મનપાનો ઐતિહાસિક નિર્ણય: શહેરની 75 શેરી, રોડ-રસ્તાના બદલાશે નામ

સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં સાામજિક સમાનતા લાવવા અને વર્ષો જૂની જાતિવાદી માનસિકતાને નાબૂદ કરવા માટે શહેરના 75 વિસ્તારોના નામ બદલવાનો નિર્ણય લેવાયો છે. શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓના જાતિસૂચક નામો બદલવાની તાકીદની દરખાસ્તને શાસકોએ સર્વાનુમતે મંજૂરીની મહોર મારી છે.

આ નિર્ણયને કારણે દાયકાઓથી ચાલી આવતી અમુક ચોક્કસ જ્ઞાતિ આધારિત ઓળખ હવે ભૂંસાશે અને શહેર એક નવી આધુનિક ઓળખ સાથે આગળ વધશે.સામાન્ય સભામાં જ્યારે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે એસસી અને એસટી સમાજના કોર્પોરેટરોએ તેને ઉમળકાભેર વધાવી લીધી હતી. હવે શહેરના તમામ 9 ઝોનમાં આવેલી 75 શેરી, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે.સામાજિક સંગઠનોની લાંબા સમયની રજૂઆતો બાદ પાલિકાના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ મહાપાલિકાના તમામ 9 ઝોનમાં કુલ 75 જેટલી એવી શેરીઓ, નગરો અને ગલીઓની ઓળખ કરવામાં આવી હતી જેમના નામમાં જ્ઞાતિનો ઉલ્લેખ હતો. આ યાદીના આધારે હવે સત્તાવાર રીતે સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, સુરત શહેરમાં એવા અનેક વિસ્તાર છે. જેના નામ જાતિ સૂચર છે. જેમકે ધોબીની વાડી, ધોની શેર, વાલ્મિકી વાસ વગેરે, હવે આ વિસ્તારના નામ બદલી સન્માજનક નામ આપવામાં આવશે.જાતિસૂચક નામોને સ્થાને હવે આ વિસ્તારો મહાનુભાવો, ક્રાંતિકારીઓ અથવા સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને સન્માનજનક નામોથી ઓળખાશે. આ માટે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા સૂચવાયેલા નામોને પ્રાધાન્ય આપીને નવા નામો નક્કી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રેકોર્ડ પર આ નામો બદલવાની કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.

NEET વિદ્યાર્થીના હોસ્ટેલમાં મોત મામલે બિહાર સરકાર કડક, CBI તપાસનો આદેશ આપવાની તૈયારી

0

બિહાર સરકાર ઇચ્છે છે કે શહેરના શંભુ ગર્લ્સ હોસ્ટેલમાં NEET ની પરીક્ષા આપતી એક વિદ્યાર્થીનીના મૃત્યુની તપાસ CBI દ્વારા કરવામાં આવે. વિદ્યાર્થીના પરિવારે પોલીસ તપાસમાં ખામીઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. બિહાર સરકારે કેન્દ્ર સરકારને CBI તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. વિદ્યાર્થીના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેના પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ તપાસ પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

બિહાર સરકાર હવે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવા માંગે છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સરકારને આ કેસની CBI તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થવી જોઈએ.

આ ઘટના શંભુ ગર્લ્સ હોસ્ટેલમાં બની હતી.
પટનાના ચિત્રગુપ્ત નગર વિસ્તારમાં આવેલી શંભુ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહીને રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા (NEET) ની તૈયારી કરી રહી હતી. તે જહાનાબાદ જિલ્લાની રહેવાસી હતી. 6 જાન્યુઆરીએ તે તેના હોસ્ટેલ રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે ઘણા દિવસો સુધી કોમામાં રહી અને 11 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું.

એક વિદ્યાર્થીની પર બળાત્કારનો આરોપ પણ હતો.
મૃતક વિદ્યાર્થીના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેના પર બળાત્કાર થયો હતો. તેમનું એમ પણ કહેવું છે કે અધિકારીઓ આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીનો પરિવાર પોલીસ તપાસથી અસંતુષ્ટ છે અને આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યો છે. 28 જાન્યુઆરીના રોજ, વિદ્યાર્થીના પિતાએ આ મામલાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. તેમણે જો ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

એક દિવસ પહેલા, 27 જાન્યુઆરીના રોજ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા 11 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓમાં હોસ્ટેલ માલિક, મૃત વિદ્યાર્થીના પરિવારના પાંચ સભ્યો અને છ અન્ય શંકાસ્પદ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કેસમાં શંકાસ્પદોમાં CCTV ફૂટેજમાં દેખાતા લોકોનો પણ સમાવેશ થાય છે. જે લોકો બેભાન વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ ગયા હતા તેમને પણ શંકાસ્પદ માનવામાં આવે છે. ગુના સાથે તેમનો સંબંધ નક્કી કરવા માટે આ તમામ શંકાસ્પદોના લોહીમાંથી DNA નમૂના લેવામાં આવી રહ્યા છે.

હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની સગીર હતી, જે તેના વય પ્રમાણપત્ર દ્વારા પુષ્ટિ મળી છે. તેથી, આ કેસમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) કાયદાની જોગવાઈઓ લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. FSL પરીક્ષણોમાં વિદ્યાર્થીના કપડાં પર શુક્રાણુની હાજરીની પુષ્ટિ થઈ છે, જેનાથી બળાત્કારની શંકા વધુ મજબૂત થઈ છે. વિદ્યાર્થીના પરિવારે 10 જાન્યુઆરીએ તેના કપડાં પોલીસને સોંપ્યા હતા. ફોરેન્સિક સાયન્સ લેબનો તપાસ રિપોર્ટ બે દિવસ પહેલા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને સુપરત કરવામાં આવ્યો હતો.

પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ખાતે કરાયેલા પોસ્ટમોર્ટમમાં પણ બળાત્કારની શંકા ઉભી થઈ હતી, જ્યારે પોલીસની શરૂઆતની તપાસમાં તેનાથી વિપરીત વાત સામે આવી હતી. તપાસમાં કથિત ખામીઓ સામે આવ્યા બાદ, બે સ્ટેશન હાઉસ ઓફિસર (SHO), ચિત્રગુપ્ત નગર પોલીસ સ્ટેશનના રોશની કુમારી અને કદમકુઆન પોલીસ સ્ટેશનના હેમંત ઝાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરીએ શુક્રવારે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું, જેમાં પોલીસ મહાનિર્દેશક (DGP) વિનય કુમાર અને મુખ્ય સચિવ પ્રત્યય અમૃતને સમન્સ પાઠવ્યા હતા. આ બેઠક બાદ તરત જ, ચૌધરીએ તપાસની પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્યના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓને બોલાવ્યા હતા.

જેલમાંથી સુકેશ ચંદ્રશેખરે RCB ખરીદવાની 8300 કરોડની ઓફર આપી

0

જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની માલિકી અને ઓપરેશનલ કંટ્રોલ ખરીદવાની દરખાસ્ત કરી છે. ગ્લોબલ ડ્રિંક્સ કંપની ડાયઝિયો RCBની પ્રમોટર છે. સુકેશે પોતાની કંપની “LS Holdings’ વતી 1 અબજ યુએસ ડોલર (આશરે ₹8,300 કરોડ) ની ઓફર આપી છે. તેણે દાવો કર્યો છે કે આ ઓફર તાજેતરમાં વેચાયેલી અન્ય કોઈપણ IPL ટીમ કરતા ઘણી સારી છે

સુકેશે તેના પત્રમાં જણાવ્યું છે કે, તેની દરખાસ્ત અદાર પૂનાવાલાની સંભવિત ઓફર કરતા વધુ વ્યવહારુ અને ચઢિયાતી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ઈઊઘ અદાર પૂનાવાલા RCB ખરીદી શકે છે. સુકેશે લખ્યું છે કે, અમે 48 કલાકમાં સંપૂર્ણ સેટલમેન્ટ કરવા તૈયાર છીએ અને આ માટે કોઈ થર્ડ પાર્ટી ફંડિંગની જરૂૂર નથી, આ એક ‘ઓલ-કેશ ડીલ’ હશે.

સુકેશે RCB પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, RCB મારી હોમ ટીમ છે અને મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. મારી પાર્ટનર અને લેડી લવ જેકલીન ફર્નાન્ડીઝનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય. જો આ એક્વિઝિશન સફળ થશે, તો તે જેકલીન માટે મારી તરફથી એક ભેટ હશે.

સુકેશે પત્રમાં પોતાની કાયદાકીય મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની સામેના આરોપો હજુ સાબિત થયા નથી. તેણે સ્પષ્ટ કર્યું કે તેની કંપની “LS Holdings’ (જે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં રજિસ્ટર્ડ છે) પર કોઈ કાયદાકીય કેસ નથી. તે આખી રકમ એસ્ક્રો એકાઉન્ટ (ઊતભજ્ઞિૂ અભભજ્ઞીક્ષિ)ં માં જમા કરાવવા પણ તૈયાર છે જેથી સોદાની પારદર્શિતા જળવાઈ રહે.

એસ્ક્રો એકાઉન્ટ શું છે?
એસ્ક્રો એકાઉન્ટ એ એક એવી નાણાકીય વ્યવસ્થા છે જેમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે ત્રીજો નિષ્પક્ષ પક્ષ (બેંક અથવા એજન્ટ) પૈસા સુરક્ષિત રાખે છે, જ્યાં સુધી કરારની તમામ શરતો પૂરી ન થાય. સુકેશે ડાયઝિયો પાસે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ (LOI) ની મંજૂરી માંગી છે જેથી તે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો હેઠળ આગળની ચર્ચા કરી શકે.