Home Blog Page 188

અમદાવાદ એરપોર્ટ પર જાહેર સ્થળે નમાઝનો વીડિયો વાયરલ, વહેલી સવારે બનાવની ઘટના

0

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટના વહેલી સવારે અંદાજે સાડાપાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે, જેમાં હજારો લોકોની અવરજવર હોય એવી જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી. આ સમયે એક મુસાફરે આ સમગ્ર દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો દ્વારા બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ અને ફ્લાઈટમાં બેસવા જતી વખતે નમાઝ પઢવામાં આવી હતી. મહત્ત્વનું છે કે આ પહેલાં પણ અમદાવાદમાં સહિત અને જિલ્લામાં જાહેર બાગ-બગીચા કે એસટી સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એરપોર્ટ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ, એક મુસાફરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આજે સવારે એટલે કે, 10 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ હોવાથી 5:30 વાગ્યે એરપોર્ટ પર આવ્યો. સિક્યુરિટી ચેક પતાવીને જ્યારે હું ટર્મિનલ-1ના ફર્સ્ટ ફ્લોર પર આવ્યો, ત્યારે મેં અમુક ડિસ્ટર્બિંગ ઘટના જોઈ. કોઈ ગ્રુપ ત્યાં નમાઝ અદા કરી રહ્યું હતું. એ જોઈને તુરંત જ હું શોક થઈ ગયો અને મેં ત્યાં ઊભા રહીને વીડિયો શૂટ કરી લીધો.

આ અંગે એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પેસેન્જર્સ મૂવમેન્ટ સ્મૂથ જ હતી. કોઈ પેસેન્જર્સને કોઈ પણ પ્રકારની તકલીફ પડી ન હતી. તેમની પાસે કોઈ પેસેન્જરની ફરિયાદ આવી નથી.

CISFની ટીમમાં આ અંગે વાત કરી હતી તો CISFનું પણ એવું કહેવું હતું કે અમારી પાસે કોઈ પેસેન્જર ફરિયાદ લઈને આવ્યું નથી. એરપોર્ટ પર સુરક્ષામાં તૈનાત CISFને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ એક આખો સમૂહ નમાઝ પઢતો હોવાનું નજરે પડી રહ્યો છે. આ મામલે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો હજુ સામે આવી નથી.

એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, T1 એટલે કે ટર્મિનલ 1માં પ્રેયર રૂમ નથી. કેમકે ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. T2 પર પ્રેયર રૂમ છે કારણકે 99 ટકા ફ્લાઇટ ત્યાંથી ઓપરેટ થતી હોય છે. જેદ્દાહ જેવી જગ્યા પર જવા માટેની 99% ફ્લાઇટ T2 પરથી ઓપરેટ થાય છે. અને T2 પર તો લોકો રેગ્યુલર્લી આ પ્રેયર રૂમનો ઉપયોગ કરતા હોય છે. કેમકે ત્યાંથી લોકો વધુ જેદ્દાહ અને એ તરફ ટ્રાવેલ કરતા હોય છે. હજયાત્રીઓ પણ ત્યાંથી જ પ્રેયર કરતા હોય છે. અને જ્યારે આ લોકો પ્રેયર કરી રહ્યા હતા ત્યારે અમારા કોઈ કર્મચારીએ જઈને તેઓને ડિસ્ટર્બ કર્યું ન હતું. કેમકે તેમની પ્રેયર ચાલુ થઈ ગઈ હતી.

યુપીના મથુરામાં સામૂહિક આત્મહત્યા: પતિ, પત્ની અને ત્રણ બાળકોએ ઝેર પીધું

0

ઉત્તર પ્રદેશના મથુરામાં પરિવારના પાંચ સભ્યોના દુઃખદ મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. મહાવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખપ્પરપુર ગામમાં એક પતિ, પત્ની અને ત્રણ બાળકોએ ઝેર પીને આત્મહત્યા કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઘટનાની તપાસ કરી રહી છે. મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રારંભિક માહિતી અનુસાર, પીડિતોએ સોમવારે રાત્રે ઝેર ભેળવેલું દૂધ પીધું હતું. મોડી સવાર સુધી પરિવારના સભ્યો જાગ્યા ન હતા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી રહ્યા છે અને પરિવારના સભ્યો અને ગ્રામજનોની પૂછપરછ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

આ ઘટના તહસીલ મહાવન વિસ્તાર હેઠળના ખપ્પર પુર ગામની છે. અહીં 35 વર્ષીય ખેડૂત મનીષ, તેની પત્ની સીમા, બે પુત્રીઓ હની અને પ્રિયાંશી અને બે વર્ષના પુત્ર પંકજના મૃતદેહ મળી આવ્યા હતા. આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખેલી હતી. એવું કહેવાય છે કે મનીષના લગ્ન આઠ વર્ષ પહેલા મદનાઈ સદાબાદમાં થયા હતા. મનીષના બે ભાઈઓ છે, જેઓ ગામમાં અલગ અલગ ઘરમાં રહે છે. મનીષ તેની પત્ની અને બાળકો સાથે આ ઘરમાં રહેતો હતો.

નિર્દોષ ધેવતા અને ધેવતીના મૃત્યુના સમાચાર મળતા જ વિજેન્દ્ર પણ પુત્રી સીમા અને જમાઈ મનીષ સાથે ગામમાં પહોંચી ગયો. વિજેન્દ્રએ જણાવ્યું કે તે એક દિવસ પહેલા જ તેની પુત્રી અને જમાઈને મળવા આવ્યો હતો. તેણે તેમની સાથે વાત પણ કરી હતી. તેને ખ્યાલ નહોતો કે આવું કંઈક થશે. તેણે કહ્યું કે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી, પરંતુ મનીષનો તેના ભાઈ બિલ્લુ સાથે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

ટેસ્લાને વધુ એક ઝટકો: 13 વર્ષ બાદ વાઇસ પ્રેસિડેન્ટ રાજ જેગન્નાથનું રાજીનામું

0

યુએસની જાયન્ટ ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરર ટેસ્લા છેલ્લા મહિનાઓથી મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે, એવામાં કંપનીને વધુ એક ઝટકો લાગ્યો છે. 13 વર્ષ સુધી ટેસ્લામાં વિવિધ પોસ્ટ પર સેવા આપ્યા બાદ વાઈસ પ્રેસિડેન્ટ રાજ જેગન્નાથને રાજીનામું આપી દીધું છે. લિંક્ડઇન પર એક પોસ્ટ કરીને તેમને આ અંગે માહિતી આપી છે.

ભારતીય મૂળના રાજ જેગન્નાથને લિંક્ડઇન પરની એક પોસ્ટમાં લખ્યું કે 13 વર્ષની સફરને એક જ પોસ્ટમાં સમાવવું મુશ્કેલ છે. ટેસ્લામાં મારી સફર સતત વિકસવાની સફર હતી. વિશ્વના સૌથી મોટા AI ક્લસ્ટરોમાંના એકની ડિઝાઇન, નિર્માણ અને સંચાલનની તકનીકી જટિલતાઓથી માંડીને IT, સેફટી, સેલ્સ અને સર્વિસમાં યોગદાન આપવું એ એક લહાવો રહ્યો છે. હવે આગળ વધવાનો સમય છે, જીવનમાં આગળ શું છે એ માટે હું દિલથી રાહ જોઈ રહ્યો છું અને ઉત્સાહથી આગળ વધી રહ્યો છું. આ અદ્ભુત તક માટે ટેસ્લાનો આભાર!”

રાજ જગન્નાથન ટેસ્લાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતાં, અગાઉ તેમણે કંપનીમાં આઇટી, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ એપ્લિકેશન્સ અને ઇન્ફોર્મેશન સેફટીની જવાબદારી સંભાળી હતી. ગયા વર્ષે, તેમને ટેસ્લાની નોર્થ અમેરિકન સેલ્સ ટીમની આગેવાની કરવાની પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

કોણ છે રાજ જગન્નાથન?
રાજ જગન્નાથ ભારતીય મૂળના ટેક એક્ષ્પર્ટ છે. તેમણે આઇઆઇટી બોમ્બેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું, ત્યાર બાદ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું. તેમણે ભારતમાં ઇન્ફોસિસમાં કારકિર્દીની શરૂઆત કરી, જ્યાં તેઓ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમના હેડ હતાં.

રાજ જગન્નાથન 2012 માં ટેસ્લામાં જોડાયા, ત્યાર તેમણે ક્લાઉડ સિક્યુરિટી અને આઇટીમાં ટેકનિકલ નિષ્ણાત તરીકે કાર્ય કર્યું, ત્યાર બાદ તેઓ 13 સુધી ટેસ્લા સાથે જોડાયેલા રહ્યા અને બઢતી મેળવીને તેઓ વાઇસ પ્રેસિડેન્ટ પદ સુધી પહોંચ્યા.

ટેસ્લાના ખરાબ દિવસો:
ટેસ્લાની ઇલેક્ટ્રિક કારનું વેચાણ સતત ઘટી રહ્યું છે. ટેસ્લાની કારના મોડેલને આઉટ ડેટેડ માનવામાં આવી રહ્યા છે. કંપનીના સીઈઓ ઈલોન મસ્કના રાજકીય નિવેદનો અને પ્રવૃત્તિઓને કારણે પણ કંપનીને ફટકો પડ્યો છે, ટેસ્લાની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચ્યું છે. યુરોપિયન બજારમાં ટેસ્લાની કારની માંગ ખુબ જ ઘટી ગઈ છે. ગયા વર્ષે, ટેસ્લા પાસેથી વિશ્વની સૌથી મોટી EV કંપનીનો ખિતાબ છીનવાઈ ગયો, ચીનની BYD વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની બની ગઈ છે.

અહેવાલ મુજબ ઈલોન મસ્કનું ટેસ્લા કરતા AI, સ્પેસ એક્સ અને હ્યુમનોઇડ રોબોટ્સ પર વધુ ધ્યાન આપી રહ્યા છે, એવામાં રાજ જગન્નાથના રાજીનામાંને કારણે મોટું કંપનીને મોટી ખોટ પડી છે.

સુરતમાં સામૂહિક આપઘાત: પતિ-પત્ની અને પુત્રનું ઝેરી દવા પીવાથી મોત

0

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હરિપુરા સૌય શેરીમાં સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારના પતિ, પત્ની અને પુત્રે ઝેરી દવા પી લેતા ત્રણેયના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૃતકોમાં 36 વર્ષીય ફૈઝ અહેમદ, તેમની પત્ની 32 વર્ષીય મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદનો સમાવેશ થાય છે. જાણવા મળ્યા મુજબ આ પરિવાર અઠવાડિયા પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા કરીને સુરત પરત આવ્યો હતો. પરિવાર ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. હાલ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં આંતરરાષ્ટ્રીય શૂટરનું મોત, ડ્રાઇવર ગંભીર ઈજાગ્રસ્ત

0

મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ભયાનક કાર અકસ્માત સર્જાયો જેમાં આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટિલનું દુઃખદ મૃત્યુ થયું જ્યારે ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. પાલઘર નજીકના દુર્વેસ વિસ્તારમાં જ્યારે તેઓ તાલીમ માટે અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેનાથી રમત-જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કારના આગળના ભાગના હિસ્સાનો નીકળી ગયો કચ્ચરઘાણ
સોમવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ અકસ્માત થયો. પાલઘર નજીક દુર્વેસમાં હેરિટેજ ડેરીની સામે ગુજરાત તરફ જતી એક ઝડપી ફોર્ચ્યુનર કાર (BR 05 PB 5055)એ કાબુ ગુમાવ્યો અને આગળના ભારે વાહન સાથે અથડાઈ. ભયાનક ટક્કરમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન થયું. અકસ્માત એટલો ગંભીર હતો કે, ડ્રાઇવરની બાજુમાં બેઠેલા 27 વર્ષીય આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી શિવાજીરાવ ઝાંઝન પાટિલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. કાર ચાલક યશ પ્રસાદ ચૌધરી (૨૩ વર્ષ)ને ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે મનોર ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મનોર પોલીસ સ્ટેશનમાં અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના રમતગમત જગતમાં શોક
આંતરરાષ્ટ્રીય શૂટરના અચાનક અવસાનથી મહારાષ્ટ્રના રમતગમત જગતમાં ઘેરો શોક છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય શૂટર સંભાજી પાટિલ બાલેવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમત અધિકારી (ગ્રુપ બી) તરીકે કાર્યરત હતા. તાલીમ માટે અમદાવાદ જતા સમયે મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાલઘર નજીક થયેલા દુ:ખદ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું.

બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોના હુમલા તેજ, લગભગ 400 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો

બલૂચ લડવૈયાઓ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈનિકો માટે એક મોટો પડકાર બની રહ્યા છે. એ જ બલૂચિસ્તાન જેને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પાકિસ્તાનના કપાળ પરનું રત્ન કહેતા હતા, તે હવે મુનીરના હાથમાંથી સરકી રહ્યું હોય તેવું લાગે છે. બલૂચિસ્તાનમાં સ્વતંત્રતા માટેનું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. બલૂચ બળવાખોરો પાકિસ્તાની સેના પર વિનાશ મચાવી રહ્યા છે. 31 જાન્યુઆરીથી શરૂ થયેલા BLAના ઓપરેશન હેરોફ 2.0 માં અત્યાર સુધીમાં લગભગ 400 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે.

બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ના લડવૈયાઓ હાલમાં ક્વેટાથી નોશકી સુધીના બલુચિસ્તાનના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં પાકિસ્તાની સેના પર કાબુ મેળવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાની સેના હવે BLA બળવાખોરોનો સામનો કરવા માટે ટેન્કો સાથે રસ્તાઓ પર ઉતરી આવી છે. ટેન્કોના ટેકા સાથે પણ, પાકિસ્તાની સેના BLAનો સામનો કરવામાં અસમર્થ છે.

બલૂચિસ્તાનના માસ્તુંગથી મળી રહેલી માહિતી અનુસાર, BLA લડવૈયાઓ પોલીસ સ્ટેશનો સહિત સરકારી ઇમારતો પર કબજો કરી રહ્યા છે. કાયર પાકિસ્તાની સેનાનો સામનો કરવામાં અસમર્થ, તે નાગરિકો સામે પોતાની બહાદુરી દર્શાવી રહ્યું છે. અહેવાલો દર્શાવે છે કે પાકિસ્તાની સેનાએ નુશ્કીમાં એક બલૂચ નાગરિકના ઘરને ઉડાવી દીધું હતું. અન્ય ઘણા ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી છે.

પાકિસ્તાની સેના બલુચિસ્તાન પર સતત નિયંત્રણ ગુમાવી રહી છે. ખૈબર પખ્તુનખ્વામાં પણ પરિસ્થિતિ આવી જ છે. આતંકવાદીઓ ઇસ્લામાબાદમાં સરકાર પર પણ હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન, પાકિસ્તાની મૌલાના ફઝલુર રહેમાન પીએમ શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ટોણા મારી રહ્યા છે. મૌલાના પૂછે છે કે આતંકવાદીઓ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે, જ્યાં એવો દાવો કરવામાં આવે છે કે દાડમ પણ પાકિસ્તાનમાં પ્રવેશવા દેવામાં આવતા નથી.

બલુચિસ્તાન એક નજરમાં

  • પાકિસ્તાનનો ભૌગોલિક વિસ્તાર કુલ વિસ્તારના 44% છે.
  • બલુચિસ્તાનની કુલ વસ્તી પાકિસ્તાનની કુલ વસ્તીના માત્ર 5 ટકા છે.
  • ઈરાન-અફઘાનિસ્તાન જમીન સરહદ અને અરબી સમુદ્ર તટીય સમુદ્ર
  • કુદરતી સંસાધનોની દ્રષ્ટિએ પાકિસ્તાનનો સૌથી ધનિક પ્રાંત
  • પાકિસ્તાનની આવકનો મોટો ભાગ આ પ્રાંતમાંથી આવે છે.
  • પાકિસ્તાનના બજેટમાં માત્ર 10 ટકા હિસ્સો
  • પાકિસ્તાને બલુચિસ્તાનમાં ગ્વાદર બંદર ચીનને સોંપ્યું
  • ચીનનો CPEC પ્રોજેક્ટ ફક્ત બલુચિસ્તાનમાંથી પસાર થાય છે.

લોકસભામાં આજે ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય, ભારે હોબાળાની શક્યતા

0

આજના મુખ્ય સમાચાર દેશની સંસદ પર કેન્દ્રિત રહેવાની શક્યતા છે. વિરોધ પક્ષો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. અધ્યક્ષ સામે નોટિસ ક્યારે પહોંચાડવી તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભાજપના મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહ પરિસરમાં આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારા અને આપણી લોકશાહી સંસ્થાઓને બદનામ કરનારા વિપક્ષી સાંસદો સામે નિયમોમાં શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવે.

આ ઉપરાંત, વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ મંગળવારે સાંજે 4:30 વાગ્યે મળશે. શશિ થરૂરે આ બેઠકમાં વિદેશ સચિવ અને વાણિજ્ય સચિવને આમંત્રણ આપ્યું છે. બંનેને રશિયા પાસેથી વેપાર સોદા અને તેલ ખરીદી પર પૂછપરછ કરવામાં આવે તેવી અપેક્ષા છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટ આજે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પર પણ સુનાવણી કરશે. રાજ્યમાં SIR પ્રક્રિયા નવેમ્બર 2025 માં શરૂ થઈ હતી.

સંસદમાં હોબાળો થવાની શક્યતા
વિરોધ પક્ષો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. અધ્યક્ષ સામે નોટિસ ક્યારે પહોંચાડવી તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભાજપના મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહ પરિસરમાં આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારા અને આપણી લોકશાહી સંસ્થાઓને બદનામ કરનારા વિપક્ષી સાંસદો સામે નિયમોમાં શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવે.

સ્વદેશી નારા વચ્ચે ગુજરાત સરકારનો સ્ટારલિંક સાથે કરાર, શું કરશે એલન મસ્કની કંપની?

0

એકબાજુ સરકાર સ્વદેશી અપનાવોના બણગાં ફુંકી રહી છે, તો બીજી તરફ ખુદ સરકાર જ વિદેશની કંપનીઓ સાથે કરાર કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે ઈલોન મસ્કની સ્પેસએક્સની પેટાકંપની સ્ટારલિંક સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

વળી આ કરાર ખુદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં હાઈ-સ્પીડ સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ પહોંચાડવાનો છે જ્યાં અત્યારે ટેલિકોમ સુવિધાઓ મર્યાદિત છે અથવા નેટવર્કની મોટી સમસ્યાઓ છે.

રાજ્ય સરકારનો દાવો છે કે આ પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ શાળાઓ અને હોસ્પિટલોને અપાશે પ્રાધાન્ય આ પહેલ હેઠળ પ્રાથમિક તબક્કે એક પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જેમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs), ઈ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને સાંકળી લેવામાં આવશે.

ખાસ કરીને નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ તેમજ આદિવાસી પટ્ટામાં આ કનેક્ટિવિટી આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત, વન્યજીવ અભયારણ્યો, બંદરો, પોલીસ આઉટપોસ્ટ અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં પણ સ્થિર અને સુરક્ષિત ડિજિટલ સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

સ્ટારલિંક સાથેના આ સહયોગથી રાજ્યની સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) પર ટેલીમેડિસિન સેવાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે તેવો દાવો રાજ્ય સરકારે કર્યો હતો. આ સાથે જ હાઈવે સુરક્ષા સિસ્ટમ, GIDC ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, કોસ્ટલ પોલીસ ઓપરેશન અને મેરીટાઇમ કનેક્ટિવિટીને પણ વધુ મજબૂત બનાવવામાં આવશે.

સરકાર દ્વારા આ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે ગુજરાત સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે. આ પ્રસંગે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક ઈન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે દસ્તાવેજોની આપ-લે કરી હતી.

અરુણાચલ પ્રદેશમાં ફરી એક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

0

અરુણાચલ પ્રદેશમાં ફરી એક ભૂકંપના આંચકાથી જમીન હચમચી ગઈ. રાજ્યના પશ્ચિમ કામેંગ જિલ્લામાં રાત્રે 12:58 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી
હાલમાં ભૂકંપથી કોઈ નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. જોકે, ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઘરમાં સૂતા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિમીની ઊંડાઈ, 27.45° N અક્ષાંશ અને 92.11° E રેખાંશ પર નોંધાયો હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં વિપક્ષ

0

વિપક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર,વિપક્ષ નેતાઓએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. જો વિપક્ષને સંસદમાં બોલવાની મંજૂરી નહીં મળે તો તે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

આજે લોકસભામાં વિપક્ષનો ભારે હોબાળા
સૂત્રોના જણાવ્યાનુસાર,વિપક્ષનો દાવો છે કે રાહુલ ગાંધી સાંસદોના સસ્પેન્શન અને મહિલા સાંસદો પરના આરોપો પર લોકસભામાં બોલવા માંગતા હતા. તે બોલવાની મંજૂરી માંગી રહ્યા હતા. સોમવારે સવારે (નવમી ફેબ્રુઆરી) લોકસભામાં વિપક્ષના હોબાળા બાદ સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આસામના સીએમ સામે કાર્યવાહીની માંગ
વિપક્ષી સાંસદોએ પણ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સામે કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, ‘મુખ્યમંત્રી તરીકે હિમંતા બિસ્વા શર્મા આવા વીડિયો બનાવે છે, જેને આસામ ભાજપ પોસ્ટ કરે છે અને તેને ડિલીટ કરાવી દે છે. વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.’