Home Blog Page 163

સુરતના આ સ્ટ્રીટ ફૂડને જોતા જ તમારા મોંમાં પાણી આવી જશે, આ સિક્રેટ ટિપ્સથી ઘરેજ બનાવો

0

સેવ ખમણી ઓછા સમયમાં બની જાય છે, અને નાસ્તાથી લઈને લંચ કે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે, જે ગરમીમાં તમને શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે ટેસ્ટી સેવ ખમણી આ ટિપ્સથી ઘરે બનાવી શકો છો.

જીવનશૈલી | સુરત તેના સ્ટ્રીટ ફૂડ માટે ફેમસ છે, ત્યારના ખમણ, ખાવસા, આલુ પુરીથી લઈને સેવ ખમણી સુધી ઘણી ફૂડ આઇટમ્સ માટે ફેમસ છે, પરંતુ ત્યારની સેવ ખમણીની તો વાત જ કંઈક અલગ છે, જેને ચટણી, નાયલોન સેવન,દાડમ અને કોથમીર સાથે સર્વ કરવામાં આવે છે.

સેવ ખમણી ઓછા સમયમાં બની જાય છે, અને નાસ્તાથી લઈને લંચ કે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે, જે ગરમીમાં તમને શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે ટેસ્ટી સેવ ખમણી આ ટિપ્સથી ઘરે બનાવી શકો છો.

સેવ ખમણી રેસીપી

  • 1 કપ ચણાની દાળ (4-6 કલાક પલાળેલી)
  • 3 કળી લસણ
  • 3 લીલાં મરચાં
  • 1/2 નાની ચમચી હળદર
  • 1/2 નાની ચમચી હિંગ
  • 1 મોટી ચમચી ખાંડ
  • 1 લીંબુનો રસ
  • 1 નાની ચમચી ઈનો (ENO)
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

વઘાર માટે સામગ્રી

  • 3-4 મોટી ચમચી તેલ
  • 2-3 નાની ચમચી રાઈ
  • 2-3 લીલાં મરચાં
  • થોડા મીઠા લીમડાના પાન
  • 1 નાની ચમચી હિંગ
  • 1/2 કપ પાણી
  • 2-3 મોટી ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

ડુંગળી સાચવવાની સરળ ટિપ્સ, લાંબા સમય સુધી સારી રહેશે!

  • ગાર્નિશિંગ માટે સામગ્રી
  • ઝીણી સેવ (નાયલોન સેવ)
  • દાડમના દાણા
  • સમારેલી કોથમીર

સેવ ખમણી બનાવાની રીત
સૌ પ્રથમ મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ, લસણ, લીલાં મરચાં અને 1/4 કપ પાણી નાખીને અધકચરી વાટી લો. આ ખીરાને એક બાઉલમાં કાઢી, જરૂર મુજબ પાણી નાખી કન્સિસ્ટન્સી સેટ કરો. તેમાં હળદર, હિંગ, મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.
છેલ્લે ઈનો ઉમેરીને બરાબર હલાવો જેથી ખીરૂ ફૂલીને હલકું થઈ જાય. તરત જ ગ્રીસ કરેલા વાસણમાં ખીરૂ રેડીને 20-25 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લો.
ઠંડુ થયા પછી તેને હાથેથી અથવા છીણીથી ક્રશ કરી લો.

વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, મરચાં, લીમડો અને હિંગ નાખો. પછી પાણી, ખાંડ અને મીઠું નાખીને પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દો. આ વઘારમાં ક્રશ કરેલી ખમણી ઉમેરીને હળવા હાથે મિક્સ કરો.

અભિનેતા અક્ષય કુમારે કર્યો ખુલાસો: વિરાજ ગેહલાની સાથેની વાતચીતમાં મનપસંદ ફૂડ વિશે જણાવ્યું

અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ “ભૂત બાંગ્લા” માટે સમાચારમાં છે. તે રિયાલિટી શો “વ્હીલ ઓફ ફોર્ચ્યુન” પણ હોસ્ટ કરી રહ્યો છે. અભિનેતાએ તાજેતરમાં જ તેના મનપસંદ ખોરાક વિશે ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તે મોર્ડન ભોજન કરતાં સરળ ટ્રેડિશનલ ભારતીય ખોરાક પસંદ કરે છે.

અક્ષય કુમારને શું સૌથી વધુ શું ભાવે છે?
ડિજિટલ સર્જક વિરાજ ગેહલાની સાથેની વાતચીત દરમિયાન, અક્ષય કુમારે એવોકાડો ટોસ્ટ અને ટ્રફલ પાસ્તા જેવી આધુનિક ખાદ્ય ચીજો પર મજાક ઉડાવી અને ગુજરાતી ભોજન પ્રત્યેના તેમના પ્રેમ વિશે પણ વાત કરી હતી.

વિરાજ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. નાના હતા ત્યારે ઘરે જે ખાવા-પીવાની દિનચર્યાનું પાલન કરતો હતો તેના વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું એક ગુજરાતી પરિવારમાંથી આવું છું. અમારા ઘરે પણ એક દિનચર્યા છે.”

તેણે કહ્યું કે, ‘સોમવારે તુવેર દાળ, મંગળવારે રેગ્યુલર દાળ, બુધવારે મગની દાળ, શુક્રવારે કઢી અને શનિવારે અડદની દાળ. આ સાંભળીને અક્ષયે તરત જ આ વાનગી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, “મને ખરેખર ગુજરાતી ભોજન ખુબજ ભાવે છે. મને ગુજરાતી થાળી પણ ખરેખર સારી લાગે છે.”

અક્ષય કુમારે વિદેશી ભોજનનો આનંદ માણ્યો
વિરાજે કહ્યું કે ઘરે મોસમી વાનગીઓ પણ તેના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ હતી. જો મોસમ હોય તો ઊંધીયુ પણ બનાવવામાં આવે છે. આ દરમિયાન વિરાજે કહ્યું કે જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી મારો ખોરાક બદલાઈ ગયો છે.

વિરાજે કહ્યું કે ,’હવે હું સોમવારે એવોકાડો અને મંગળવારે ખમીરવાળી બ્રેડ ખાઉં છું. હવે હું ટ્રફલ મશરૂમ પાસ્તા ખાઉં છું. તે ખૂબ મોંઘુ છે અને મને તે ગમતું પણ નથી, પરંતુ મારી પત્ની કહે છે કે મારે તે ખાવું જ જોઈએ.’ આ પર અક્ષયે પૂછ્યું કે તે ખાવાનો શું ફાયદો છે? આ પર વિરાજે કહ્યું કે મને ખબર નથી કે તે ખાવાનો શું ફાયદો છે. અક્ષયે કહ્યું કે પહેલા મને પણ ખબર નહોતી કે એવોકાડો શું છે, પછી મને ખબર પડી કે તે એક અદ્ભુત ફળ છે.

અક્ષય કુમાર મુવીઝ
અક્ષય કુમારની આગામી ફિલ્મ “ભૂત બાંગ્લા” છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ 16 વર્ષ પછી અક્ષય અને પ્રિયદર્શનની મોટા પડદા પર વાપસીનું પ્રતીક છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે. અક્ષયની સાથે વામિકા ગબ્બી, તબ્બુ અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત અક્ષય પાસે “હૈવાન” અને “ભાગમ ભાગ 2” પણ પાઇપલાઇનમાં છે.

દુષ્કર્મ કેસમાં કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણી: ‘કોઈનું દિલ તોડવું અપરાધ નથી’

0

એક મહત્વપૂર્ણ ચુકાદામાં, કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે સંમતિથી બનેલા સંબંધો લગ્નમાં પરિણમતા નથી તેને બળાત્કાર તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે કાયદો હૃદયભંગને ગુનાહિત ગણતો નથી.

શું વાત હતી?
એક મહિલાએ તેના ભૂતપૂર્વ જીવનસાથી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી આયર્લેન્ડમાં મળ્યું હતું અને લગભગ બે વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતું. મહિલાના અગાઉ છૂટાછેડા થયા હતા અને તેને એક બાળક પણ હતું. જ્યારે આરોપી ભારત પાછો ફર્યો અને તેની સાથે સંપર્ક તોડી નાખ્યો, ત્યારે તેણે છેતરપિંડી અને બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો.

કોર્ટમાં શું થયું

આ મામલે જસ્ટિસ એમ નાગપ્રસન્ના સુનાવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને ત્યારબાદ જો પુરુષ મહિલા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દે તો આ કૃત્ય ગમે તેટલું ખેદજનક કેમ ન હોય, તે સંબંધને માત્ર એ જ આધાર પર IPCની કલમ 376 હેઠળ દુષ્કર્મના ગુનામાં રૂપાંતરિત ન કરી શકાય.

કોર્ટે કહ્યું કે, ‘ફરિયાદને સંપૂર્ણ રીતે વાંચવાથી ક્યારેય પણ બળજબરી, શરૂઆતથી છેતરપિંડી અથવા બળપ્રયોગનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો. આ ફરિયાદ બે વર્ષ સુધી ચાલેલો સાથ, લિવ-ઈન રિલેશનશિપ, શેર કરેલ ઘરેલુ જીવન અને સંમતિથી બનેલા સંબંધ વિશે વાત કરે છે. આ સંબંધ આયર્લેન્ડમાં બંધાયો હતો, તેઓ આયર્લેન્ડમાંસાથે રહ્યા અને પોતાનું જીવન શેર કર્યું. ત્યારબાદ જે બન્યું તે હિંસાનો આરોપ નથી, પરંતુ વિશ્વાસઘાતનો આરોપ છે. તેથી આ શરૂઆતથી જ ધોખાથી શારીરિક સંબંધ બાંધવાનો કેસ નથી. આ કાયદાનો એક સ્થાપિત સિદ્ધાંત છે કે ‘કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો.’

ન્યાયાધીશે કહ્યું, “ફોજદારી ન્યાય પ્રણાલી એ રાજ્ય શક્તિનું એક સાધન છે. નિષ્ફળ સંબંધોના વ્યક્તિગત વિવાદોમાં તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવાની મંજૂરી આપી શકાતી નથી.” કોર્ટે એ પણ નોંધ્યું કે આખી વાર્તા આયર્લેન્ડમાં બને છે, જ્યાં તેઓ સાથે રહેતા હતા અને જીવન વિતાવતા હતા. આ કેસ હિંસાનો નથી પરંતુ વિશ્વાસઘાતનો છે, અને વિશ્વાસઘાત કાયદેસર રીતે બળાત્કાર નથી.

યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતની ચિંતા વધી

0

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે સીધી ભારતીયોના ખિસ્સા પર પડવાની તૈયારીમાં છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેની ગંભીર અસર ભારતના દવા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, દવા બનાવવા માટે વપરાતા કાચા માલની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે.

ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દવા બનાવવા માટે અનિવાર્ય એવા ‘કી સ્ટાર્ટિંગ મટિરિયલ’ અને ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ’ (API) ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં 5% થી લઈને 100% સુધીનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને ડોલરના ભાવમાં વધઘટને કારણે આયાત કરવી મોંઘી બની રહી છે.

ફાર્મા ઉદ્યોગમાં કાચા માલનો વેપાર ડોલરમાં થાય છે. યુદ્ધની સ્થિતિમાં ડોલર મજબૂત થતા આયાત પાછળનો ખર્ચ વધી ગયો છે. આટલું ઓછું હોય તેમ મુખ્ય દરિયાઈ રસ્તાઓ યુદ્ધને કારણે બંધ અથવા જોખમી બન્યા છે. જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો પર પહોંચી રહ્યા નથી, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ 20 થી 25 ટકાનો વધારો થયો છે. ભારત તેની જરૂરિયાતનું 65 થી 70 ટકા API અને ઇન્ટરમીડિએટ્સ ચીનથી મંગાવે છે, પરંતુ વૈશ્વિક પરિવહન ઠપ્પ થતા આ સપ્લાય ખોરવાયો છે.

ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો બજારમાં જીવનરક્ષક દવાઓની અછત સર્જાઈ શકે છે. હાલમાં નાના વેપારીઓ અને સપ્લાયરો પાસે સ્ટોક હોવા છતાં તેઓ યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કિંમતો વધારી રહ્યા છે. અનેક ટ્રેડરોએ નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. જો સ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે, તો સામાન્ય માણસ માટે તાવ, શરદીથી લઈને ગંભીર બીમારીઓની દવાઓ ખરીદવી મોંઘી સાબિત થશે.

મિનિમમ બેલેન્સ ન રાખતાં ગ્રાહકો પાસેથી બેન્કોએ ત્રણ વર્ષમાં 19,083 કરોડની પેનલ્ટી વસૂલી

0

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ભારતીય બેંકોએ માત્ર ’મિનિમમ એવરેજ બેલેન્સ’ (MAB) જાળવી ન રાખવાના બહાને ગ્રાહકો પાસેથી અંદાજે ₹19,083 કરોડ જેટલી મોટી રકમ પેનલ્ટી તરીકે વસૂલ કરી છે. દેશના સામાન્ય ખાતા ધારકો માટે આ સૌથી મોટો આઘાત છે. ડિજીટલ ઇન્ડીયાની આ કરૂણતા છે.

લોકસભામાં નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે આર્થિક રીતે સધ્ધર ગણાતી ખાનગી બેંકો અને સરકારી બેંકો બંને આ લૂંટમાં સક્રિય છે. આ આંકડાઓ એ વાત પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે કે શું બેંકિંગ સેવાઓ સામાન્ય ગ્રાહકો માટે એટલી મોંઘી થઈ ગઈ છે કે નાની રકમની ગેરહાજરીમાં પણ તેમના પર દંડનો બોજ નાખવામાં આવે છે?

આંકડાઓની સરખામણી કરીએ તો સ્પષ્ટ થાય છે કે ખાનગી બેંકો આ મામલે સરકારી બેંકો કરતા અનેકગણી આગળ છે. ત્રણ વર્ષના ગાળામાં સરકારી બેંકોએ ₹8,092.83 કરોડ વસૂલ્યા છે, જ્યારે ખાનગી બેંકોએ આ સમયગાળામાં ₹10,990.91 કરોડ જેટલી માતબર રકમ ગ્રાહકોના ખાતામાંથી દંડના સ્વરૂૂપમાં કાપી લીધી છે. ખાનગી બેંકોમાં પણ HDFC બેંક આ યાદીમાં સૌથી મોખરે છે, જેણે માત્ર FY 2024-25 માં જ ₹1,518 કરોડથી વધુની પેનલ્ટી વસૂલી છે. તેની પાછળ Axis બેંક અને ICICI બેંક જેવી મોટી સંસ્થાઓ પણ સામેલ છે.

બેંકો જ્યારે ગ્રાહકનું ખાતું ખોલે છે, ત્યારે તેઓ ‘મિનિમમ બેલેન્સ’ રાખવાની શરત મૂકે છે. મોટાભાગના ગ્રાહકો, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગ્રામીણ વિસ્તારોના લોકો, ઘણીવાર તેમના ખાતામાં જરૂૂરી રકમ જાળવી શકતા નથી. બેંકના નિયમો મુજબ, જો સરેરાશ બેલેન્સ મર્યાદાથી નીચે જાય, તો બેંક ઓટોમેટિક પેનલ્ટી કાપી લે છે. અનેકવાર ગ્રાહકને જાણ પણ નથી હોતી કે તેમના ખાતામાંથી કયા કારણોસર પૈસા કપાયા છે.

બેંકોનો તર્ક હંમેશા એવો હોય છે કે ‘મિનિમમ બેલેન્સ’ જાળવવું એ ખાતાના નિભાવ માટે જરૂૂરી છે અને જો ગ્રાહક તે નિયમ પાળી ન શકે, તો વહીવટી ખર્ચ કાઢવા માટે પેનલ્ટી વસૂલવી પડે છે. પરંતુ, આટલી જંગી રકમ એક અત્યાચાર છે.

ગ્રાહકો માટે માર્ગદર્શિકા
આટલી મોટી રકમની પેનલ્ટી બાદ હવે ગ્રાહક સુરક્ષા અંગે અવાજ ઉઠાવવાની જરૂૂર છે. રિઝર્વ બેંકે પણ સમય-સમય પર બેંકોને સલાહ આપી છે કે તેઓ ગ્રાહકો પર બિનજરૂૂરી દંડ ન લાદે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ગ્રાહકોએ હવે વધુ સ્માર્ટ બનવાની જરૂૂર છે.

નિષ્ણાંતોના કેટલાક સુચનો ધ્યાનમાં લેવા જેવા છે.

  • ઓછા ખાતા રાખો: માત્ર જરૂૂરી હોય તેટલા જ ખાતા રાખો, જેથી મિનિમમ બેલેન્સ જાળવવાનું સરળ રહે.
  • નિયમો વાંચો: જ્યારે પણ બેંક નવા નિયમો કે ચાર્જમાં ફેરફાર કરે ત્યારે તે વાંચો.
  • ડિજિટલ એલર્ટ: તમારા મોબાઈલ પર બેંકના મેસેજ એલર્ટ ચાલુ રાખો જેથી નાની કપાતની પણ તમને જાણ થાય.
  • ફરિયાદ કરો: જો તમને લાગે કે ખોટી રીતે ચાર્જ વસૂલાયો છે, તો બેંકના ગ્રીવન્સ રિડ્રેસલ સેલમાં ફરિયાદ કરો.

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં ગરમીનો કહેર, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

ગુજરામાંથી હવે શિયાળાએ વિદાય લઈ લીધી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે અને માર્ચ મહિનાની શરુઆતમાં જ આકરી ગરમી પડવાની ચાલું થઈ ગઈ છે. ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોચી ગયું છે. જેના કારણે ખાસ કરીને બપોરના સમયના લોકોને ભારે હાલાંકી પડી રહી છે. ગરમીના કારણે લૂં લાગવાના કેસમાં પણ વધારો નોંધાયો છે.

ગરમીથી લોકો તોબા પોકારી ગયા
ગુજરાતમાં હાલ ગરમી એવી છે કે લોકો તોબા પોકારી ગયા છે. મોટા ભાગના લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. બપોરના સમયે તો તાપ એટલી હદે પડી રહ્યો છે કે લોકો બહાર નીકળતા ડરી રહ્યા છે. ગરમીને કારણે લોકોને લૂં લાગવાની સમસ્યા વધી રહી છે. ગરમી પડવાની સાથે જ સ્વાસ્થ્યને લગતી અન્ય પરિસ્થિતીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો

ગરમીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને શરુઆતના 10 દિવસમાં જ પારો 40ને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 16મી માર્ચ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદીઓ તો ગરમીમાં બરાબરના શેકાયા છે, તાપમાનનો પારો 41 સુધી પહોંચી ચૂક્યો છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
મોરબી, રાજકોટ અને કચ્છ સહિત છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત બાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર થયું છે. હીટ વેવની ઇફેક્ટ તથા ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ અને સુકા પવનોના કારણે આગામી થોડા દિવસોમાં તે 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ માર્ચની શરુઆતમાં જ આટલી ગરમી પડી રહી છે તો મે જૂનમાં તો ગરમી ભૂક્કા કાઢે તેવી શક્યતા છે. હીટવેવની આગાહીને પગલે સરકારે લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપી છે. મોટા ભાગના વિસ્તારમાં ગરમીના પગલે બપોરના સમયે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે.

સુરત મહાનગર પાલિકાની કચેરીનું નામ બદલાયું, નવું નામ ‘તાપી ભવન’ કરાયુ

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો અને ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. સભા પૂર્ણ થયા પછી બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે તીવ્ર વાદવિવાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ‘આપ’ના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ લેપટોપ તોડ્યું હતું, કારણ કે તેની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી હતી.

ગરમાગરમી એટલી વધી ગઈ કે ‘આપ’ના કુંદન કોઠીયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે હાથાપાઈ થવાની નોબત આવી ગઈ હતી. બીજી તરફ ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે વળતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કુંદન કોઠીયાએ ભાજપના સભ્યો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિવાદ વધુ ભડક્યો હતો. અંતે સુરક્ષા કર્મચારીઓ વચ્ચે પડીને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે નારાબાજી પણ જોવા મળી હતી. ભાજપના કોર્પોરેટરો દ્વારા “હાય રે આપ્યા હાય હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે જવાબમાં આપના સભ્યો દ્વારા “હાય રે ભાજપ હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આપના એક મહિલા કોર્પોરેટરના નિવેદનને લઈને પણ તણાવ વધ્યો હતો, જ્યારે ભાજપના કોર્પોરેટર ઉર્વશીબેન ઉગ્ર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

આ ગડબડ વચ્ચે સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મનપાના મુખ્યાલય ‘મુઘલસરાઈ’નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ રાખવામાં આવ્યું છે, જ્યારે આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ “સનાતન ધર્મની જય”ના નારા સાથે અને બેન્ચ થપથપાવીને સમર્થન આપ્યું હતું.

તાપી નદીના મહિમાને ઉજાગર કરવાનો પ્રયાસ

સુરતના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ સાથે સાત વર્ષથી ચાલી રહેલી માંગણી પણ સંતોષાઈ છે. અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે પણ આ નામ બદલવાની રજૂઆત કરી હતી.

‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’ તરીકે ઓળખાશે

મેયરની દરખાસ્ત મુજબ સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી ‘મુગલીસરા’ તરીકે ઓળખાતો વિસ્તાર હવે ‘શ્રી તાપી પુરા’ તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ ‘શ્રી તાપી મહાપુરાણ’નો સંદર્ભ આપવામાં આવ્યો છે. માન્યતા અનુસાર તાપી નદી સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે અને સુરતના વિકાસ અને સમૃદ્ધિમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

સુરત મનપા બિલ્ડિંગનો ઇતિહાસ પણ નોંધપાત્ર રહ્યો છે. વર્ષ 1868માં 33,080 રૂપિયાના ખર્ચે સરાઈને મ્યુનિસિપાલિટી બિલ્ડિંગમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આ નિર્માણ સુરત બંદરગાહમાંથી મળતી આવકમાંથી કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ બાદશાહના પૈસા લાગેલા નહોતા. અંગ્રેજોના સમયમાં આ મિલકતનો ઉપયોગ મિલિટરી હથિયારો અને શસ્ત્રોના ગોડાઉન તરીકે પણ કરવામાં આવતો હતો.

Hyundai Venueનું ડીઝલ વેરિએન્ટ લોન્ચ: જાણો કિંમત, ફિચર્સ અને શું છે ખાસ

0

ભારતીય બજારમાં કોમ્પેક્ટ SUV ની માંગ ઝડપથી વધી રહી છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની લોકપ્રિય SUV, હ્યુન્ડાઇ Venue એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે નવી Venue ને ભારતમાં 100,000 થી વધુ બુકિંગ મળ્યા છે. આ સિદ્ધિની ઉજવણી કરવા માટે કંપનીએ એક નવું HX8 ડીઝલ ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹13,69,900 રાખવામાં આવી છે.

હ્યુન્ડાઇની આ SUV ની કિંમત
હ્યુન્ડાઇ Venue ભારતીય બજારમાં 8 લાખ થી 15.69 લાખ રુપિયા (એક્સ-શોરૂમ) ની કિંમત રેન્જમાં ઉપલબ્ધ છે. અગાઉ Venue ના ડીઝલ વેરિઅન્ટ HX2, HX5, HX7 અને HX10 ટ્રીમમાં ઉપલબ્ધ હતા. હવે નવી HX8 ડીઝલ AT ના ઉમેરાથી ગ્રાહકોને અન્ય એક વિકલ્પ મળ્યો છે. ખાસ કરીને તે લોકો માટે જેઓ ડીઝલ એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન પસંદ કરે છે.

નવા વેરિઅન્ટમાં ઘણા પ્રીમિયમ ફિચર્સ
નવું વેરિઅન્ટ ઘણા પ્રીમિયમ ફિચર્સ સાથે આવે છે, જેમાં ફ્રન્ટમાં વેન્ટિલેટેડ સીટો, ડ્યુઅલ-ટોન લેધરેટ અપહોલ્સ્ટરી, 4-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, હ્યુન્ડાઇ બ્લુલિંક કનેક્ટેડ કાર ટેકનોલોજી અને OTA સપોર્ટ અપડેટેડ સપોર્ટનો સમાવેશ થાય છે.

તેમાં સેન્ટર કન્સોલ પર ક્રેશ પેડ પર એમ્બિયન્ટ લાઇટિંગ જોવા મળે છે. આ સિવાય તે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક અને ઓટો હોલ્ડ, રિઅર ડિસ્ક બ્રેક, ઇકો, નોર્મલ અને સ્પોર્ટ જેવા ડ્રાઇવ મોડ્સ, ટ્રેક્શન કંટ્રોલ મોડ્સ અને પેડલ શિફ્ટર્સ જેવા ફિચર્સ મળે છે.

એન્જિન અને પર્ફોમન્સ
નવું HX8 વેરિઅન્ટ કંપનીના વિશ્વસનીય 1.5-લિટર U2 CRDi ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. 1.5L CRDi ડીઝલ સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. આ એન્જિન મજબૂત ટોર્ક અને સરળ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. તે શહેર અને હાઇવે બંને માટે સારું પ્રદર્શન આપે છે.

કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં મજબૂત પકડ
ભારતમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટ સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટમાંથી એક છે. હ્યુન્ડાઇ વેન્યુને 100,000 થી વધુ બુકિંગ મળ્યા છે, જે એ વાતનો સંકેત છે કે ગ્રાહકોમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.

ઈરાન પર હુમલાના પહેલા 48 કલાકમાં અમેરિકાએ ₹470 અબજના શસ્ત્રોનો નાશ કર્યો

અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે સંયુક્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. ત્રણ અમેરિકન અધિકારીઓએ લશ્કરી કાર્યવાહી અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ઈરાન પર લશ્કરી હુમલાના પહેલા 48 કલાકમાં, પેન્ટાગોને $5.6 બિલિયન (470 બિલિયન રૂપિયા) ના શસ્ત્રો ખર્ચ્યા હતા. ઈરાન સામે લશ્કરી કાર્યવાહી 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થઈ હતી. હાલમાં, આ આંકડો કેપિટોલ હિલ પર કેટલાક લોકોમાં વધતી ચિંતા દર્શાવે છે કે યુએસ સૈન્ય તેના અદ્યતન શસ્ત્રોના ભંડારને કેટલી ઝડપથી ખતમ કરી રહ્યું છે.

સોમવારે કોંગ્રેસ સમક્ષ રજૂ કરાયેલા આ અંદાજે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કાયદા ઘડનારાઓની ચિંતાઓને નકારી કાઢવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, જેમણે દાવો કર્યો હતો કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની યુએસ લશ્કરી તૈયારી પર બહુ ઓછી અસર પડી રહી છે, એમ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેના અભિયાનને ટકાવી રાખવા માટે આ અઠવાડિયે કોંગ્રેસને પૂરક સંરક્ષણ બજેટ વિનંતી રજૂ કરે તેવી શક્યતા છે. આ બજેટનો વિરોધ ઘણા ડેમોક્રેટ્સ દ્વારા કરવામાં આવી શકે છે, જેમણે અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રને લશ્કરી કાર્યવાહી કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો છે.

“રાષ્ટ્રપતિ પસંદ કરેલા કોઈપણ મિશનને પાર પાડવા માટે સંરક્ષણ વિભાગ પાસે જરૂરી બધું છે,” પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા યુએસ શસ્ત્રોના ભંડાર અંગેના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું.

વોશિંગ્ટન પોસ્ટે અગાઉ અહેવાલ આપ્યો હતો કે 28 ફેબ્રુઆરીથી લડાઈ શરૂ થઈ ત્યારથી સૈન્યએ સેંકડો સચોટ હથિયારો છોડ્યા છે, જેમાં અદ્યતન હવાઈ સંરક્ષણ ઇન્ટરસેપ્ટર અને ટોમાહોક ક્રુઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાનમાં અત્યાર સુધીમાં 5,000 થી વધુ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 2,000 થી વધુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ વચ્ચે, વિશ્લેષકો ઈરાનના બદલો લેવાના હુમલાઓથી આશ્ચર્યચકિત છે, જેમાં યુએસ અને ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓના ચોક્કસ ઘટકોને નિશાન બનાવવાની અને ક્યારેક તેને દબાવી દેવાની તેની ક્ષમતાનો સમાવેશ થાય છે. એવા અહેવાલો પણ છે કે રશિયા યુએસ દળો સામે તેના હુમલાઓની ચોકસાઈ વધારવા માટે ઈરાનને ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યું છે.

કેન્દ્રના મોટા નિર્ણયો: મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો, જલ જીવન મિશન 2028 સુધી લંબાયું

0

કેન્દ્રીય મંત્રીમંડળે મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે મંત્રીમંડળે જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની પણ મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે કુલ ₹8.8 લાખ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીમંડળના મુખ્ય નિર્ણયો-

  • કેન્દ્ર સરકારે તેના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, જળ જીવન મિશન 2.0 ને લીલી ઝંડી આપી દીધી છે. આ નવા તબક્કાનો ઉદ્દેશ ડિસેમ્બર 2028 સુધીમાં 126 મિલિયન ગ્રામીણ ઘરોને નળના પાણીના જોડાણો પૂરા પાડવાનો છે. સરકારે તેનું કુલ બજેટ વધારીને ₹8.69 લાખ કરોડ કર્યું છે.
  • તમિલનાડુના ઐતિહાસિક શહેર મદુરાઈમાં આવેલા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મદુરાઈ એક મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર છે. આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને યાત્રાળુઓને જ સુવિધા મળશે નહીં, પરંતુ સ્થાનિક વેપાર અને નિકાસને પણ વેગ મળશે.
  • રેલ્વે ક્ષેત્રમાં, સંતરાગાછી-ખડગપુર અને સંથિયા-પાકુર વચ્ચે ચોથી લાઇન નાખવા માટે 4,400 કરોડ રૂપિયાથી વધુનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
  • રોડ નેટવર્કને સુધારવા માટે, બદનવર-થાંડલા-તિમરવાની (NH 752D) ને 4-લેન બનાવવા અને જેવર એરપોર્ટને ફરીદાબાદ સાથે જોડતા એલિવેટેડ રોડને મંજૂરી આપવામાં આવી છે.
  • કેબિનેટે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડતા 31.42 કિમી લાંબા ગ્રીનફિલ્ડ રોડ માટે ₹3,630.77 કરોડને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ ઘટક 11 કિમી લાંબો એલિવેટેડ રોડ છે. આ દક્ષિણ દિલ્હી, ફરીદાબાદ અને ગુરુગ્રામના રહેવાસીઓને જેવર એરપોર્ટ સાથે હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પ્રદાન કરશે.