Home Blog Page 162

જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરી પર રોયલ પાર્કમાં ફાયરિંગ

0

જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં બુધવારની રાત્રે ખુશીનો માહોલ થોડીજ વારમાં દહેશતમાં ફેરવાઈ ગયો હતો. એક પ્રતિષ્ઠિત વકીલની પુત્રીના લગ્ન સમારોહ દરમિયાન અચાનક થયેલા ગોળીબારને કારણે મહેમાનો અને સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરી હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.

આ ઘટના બની ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી કાર્યક્રમમાં હાજર હતા. ફાયરિંગના કારણે ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યાં હાજર તબીબોએ તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી હતી. સદનસીબે, ફારૂક અબ્દુલ્લા આ ઘટનામાં સંપૂર્ણ સુરક્ષિત રહ્યા હતા અને ડેપ્યુટી સીએમની હાલત પણ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરિંગનો અવાજ આવતાની સાથે જ ઘટનાસ્થળે તૈનાત સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરને કાબૂમાં કરી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ જૂની મંડી વિસ્તારના રહેવાસી કમલ સિંહ જમવાલ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કરી લીધું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કમલ સિંહની હાલ કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલો પૂર્વ આયોજિત હતો કે કોઈ અંગત અદાવતમાં કરવામાં આવ્યો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે જાણવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે.

એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ બાદ કેટલા દિવસમાં ડિલિવરી થશે? સરકારે કરી સ્પષ્ટતા

0

એલપીજી ગેસ સિલિન્ડર અછતથી ગૃહિણીથી લઇ હોટેલ સંચાલકો પરેશાન છે. ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાયમા વિક્ષેપ પડ્યો છે, જેના લીધે ભારતમાં રાંધણગેસ સિલિન્ડરની અછત સર્જાઇ છે. કુકિંગ ગેસ સિલિન્ડરની અછતની ચિંત્તા વચ્ચે સરકાર તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી સિલિન્ડરની બુકિંગ બાદ કેટલા દિવસમાં સિલિન્ડરની ડિલિવરી થશે તેના વિશે સરકારે સ્પષ્ટતા કરી છે.

LPG સિલિન્ડરની બુકિંગ બાદ કેટલા દિવસમાં ડિલિવરી થશે?
એલપીજી સિલિન્ડરની સંગ્રહખોરી રોકવા માટે સરકારે કડક નિર્ણયો લીધા છે. આ કટોકટીની સ્થિતિમાં નાગરિકોને સમયસર કુકિંગ ગેસ સિલિન્ડર સમયસર મળી રહે તેની માટે સરકારે એક મોટી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG)ના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું છે કે, ગેસ સિલિન્ડરની સપ્લાયમાં કોઇ ઘટાડો નથી. જો કોઇ કસ્ટમર એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરે છે તો તેને અઢી થી 3 દિવસની અંદર ડિલિવરી થઇ જશે. તેમણે લોકોને અપિલ કરી છે કે, દહેશતમાં સિલિન્ડર બુકિંગ કરીને સંગ્રહખોરી કરવી નહીં.

નોંધનિય છે કે, સામાન્ય દિવસોમાં એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ કરાયાના 1 કે 2 દિવસમાં ડિલિવરી થતી હતી. જો કે હાલ ગેસની અછતથી દેશમાં ગેસ સિલિન્ડરની સપ્લાય પર પ્રતિકુળ અસર થઇ છે.

સચિવ સુજાતા શર્માના મતે એલપીજીના વધતા ખર્ચનો બોજ સરકાર ઉઠાવશે અને પડોશી દેશોની તુલનામાં ભારતમાં રાંધણગેસ સસ્તું છે. તેમણે ઉમેર્યું કે, આ વૈશ્વિક સંકટ વચ્ચે સરકાર દેશના નાગરિકોને ઉર્જાનો પુરતો પૂરવઠો મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે.

બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે 21 દિવસનું અંતર
ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ભારતની ઓઈલ ગેસ માર્કેટિગં કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના નિયમ બદલ્યા છે. નવા નિયમ મુજબ હવે છેલ્લા કુકિંગ ગેસ સિલિન્ડરન ડિલિવરીના 21 દિવસ પછી જ નવું સિલિન્ડર બુકિંગ થઇ શકશે. અત્યાર સુધી આ સમય મર્યાદા 15 દિવસની હતી. નવા નિયમથી દેશના 13 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર વપરાશકારોને અસર થશે. નવા નિયમ ગત શુક્રવારથી લાગુ થઇ ગયા છે. હવે નવું ગેસ સિલિન્ડર મેળવવા માટે વધુ 6 દિવસ રાહ જોવી પડશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

LPG સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ
ઈઝરાયલ ઈરાન યુદ્ધની આગ ભારતના રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઇળ અને ગેસની સપ્લાય ઘટતા ભારતમાં પણ અછત સર્જાઇ છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની સપ્લાય પર કડક નિયંત્રણો લાદયા છે. સ્થિતિમાં લોકો ચિંતિત છે કે, જો ગેસ સિલિન્ડર ખાલી થઇ જાય તો ભોજન કેવી રીતે બનાવવું? આ લેખ તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. અહીં ગેસ સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ આપ્યા છે.

હંસિકા મોટવાણી અને સોહેલ ખટુરિયાના ચાર વર્ષમાં છૂટાછેડા, સ્ત્રીધન-ભરણપોષણ પર નિર્ણય

હંસિકા મોટવાણી છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના અંગત જીવનને લઈને સમાચારોમાં છે. એવા અહેવાલો હતા કે તેમના અને તેમના ઉદ્યોગપતિ પતિ સોહેલ ખટુરિયા વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ લાંબા સમયથી અલગ રહેતા હતા. જોકે, હંસિકા અને સોહેલે આ અહેવાલો પર મૌન રહ્યા, અને હવે હંસિકા અને સોહેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, હંસિકાએ તેના પતિ સોહેલ ખટુરિયાને છૂટાછેડા આપી દીધા છે. મુંબઈની બાંદ્રા કોર્ટે છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપ્યું, લગ્નના માત્ર ચાર વર્ષ પછી હંસિકા અને સોહેલના સંબંધોનો અંત આવ્યો.

હંસિકા મોટવાણીએ 2022 માં ખૂબ જ ધામધૂમથી ઉદ્યોગપતિ સોહેલ ખટુરિયા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. અભિનેત્રીના લગ્ન OTT પ્લેટફોર્મ પર “લવ શાદી ડ્રામા” નામથી પણ પ્રસારિત થયા હતા. જોકે, લગ્નના થોડા મહિનામાં જ તેમના સંબંધોમાં ઉથલપાથલની અફવાઓ સામે આવવા લાગી. જોકે, અભિનેત્રી આ બાબતે ચૂપ રહી. ધીમે ધીમે, સોહેલ અને હંસિકાના એકસાથે ફોટા સોશિયલ મીડિયા પર દેખાવાનું બંધ થઈ ગયું, અને હવે તેમના છૂટાછેડાના સમાચારથી તેમના ચાહકો ચોંકી ગયા છે. મોટવાણીએ મુંબઈ ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. એવું જાણવા મળ્યું છે કે છૂટાછેડા સમયે, તેણીએ તેના સ્ત્રીધન કે ભરણપોષણ અંગે કોઈ દાવો કર્યો ન હતો.

કોર્ટ કાર્યવાહી દરમિયાન, મોટવાનીના વકીલ, અદનાન શેખે તેમના વતી દલીલ કરી. તેમણે સમજાવ્યું કે લગ્ન પછી દંપતી થોડા સમય માટે સાથે રહ્યા, પરંતુ ધીમે ધીમે તેમના સ્વભાવ, મંતવ્યો અને જીવનશૈલીમાં નોંધપાત્ર તફાવત અનુભવવા લાગ્યા. આના કારણે વારંવાર વિવાદો થવા લાગ્યા. અરજીમાં જણાવાયું હતું કે તેઓ લગભગ દરરોજ નાની નાની બાબતો પર ઝઘડા કરવા લાગ્યા, જેના કારણે એક જ છત નીચે સાથે રહેવું મુશ્કેલ બન્યું. આખરે, તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો. પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રોએ સંબંધ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ મામલો વણઉકેલાયો. ત્યારબાદ, દંપતીએ પરસ્પર અલગ થવાનો નિર્ણય લીધો અને 2 જુલાઈ, 2024 થી અલગ રહેવાનું શરૂ કર્યું. તેમના સંબંધોમાં કડવાશ હોવા છતાં, તેઓએ વાટાઘાટો કરવાનો અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પરસ્પર છૂટાછેડા થયા. બંનેમાંથી કોઈએ એકબીજા સામે કોઈ નાણાકીય કે અન્ય દાવા કર્યા નથી.

તમને જણાવી દઈએ કે, સોહેલ ખટુરિયાએ તેની પહેલી પત્નીથી અલગ થયા પછી હંસિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. સોહેલ હંસિકાની ખાસ મિત્ર રિંકી બજાજનો પતિ હતો. વધુમાં, હંસિકાએ સોહેલ અને રિંકીના લગ્નમાં પણ હાજરી આપી હતી, અને બંનેના લગ્નના ફોટા પણ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં અભિનેત્રી પણ જોવા મળી હતી. રિંકીથી અલગ થયા પછી, સોહેલે 4 ડિસેમ્બર, 2022 ના રોજ જયપુરમાં હિન્દુ વિધિ અનુસાર હંસિકા મોટવાણી સાથે લગ્ન કર્યા હતા. જોકે, હવે સોહેલ હંસિકાથી પણ અલગ થઈ ગયો છે, જેનાથી અભિનેત્રીના ચાહકો ચોંકી ગયા છે.

2022 માં, હંસિકા મોટવાણીએ સોહેલ ખટુરિયા સાથે લગ્ન કર્યા, અને તેમના લગ્ન OTT પર પણ સ્ટ્રીમ થયા. હંસિકા અને સોહેલના લગ્ન “લવ શાદી ડ્રામા” નામથી સ્ટ્રીમ થયા અને તેણે વ્યાપક ધ્યાન ખેંચ્યું. હંસિકાના પતિ એક જાણીતા ઉદ્યોગપતિ છે. તેમણે અવંતે ટેક્સવર્લ્ડ, એક કાપડ નિકાસ કંપનીની સ્થાપના કરી. સોહેલ ઇવેન્ટ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને અન્ય વ્યવસાયિક કામગીરીમાં પણ હંસિકા સાથે ભાગીદારી કરે છે.

હંસિકા મોટવાણીએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણી ટીવી શો “શાકા લાકા બૂમ બૂમ” અને ઋત્વિક રોશન-પ્રીતિ ઝિન્ટા અભિનીત “કોઈ મિલ ગયા” માં જોવા મળી હતી. ત્યારબાદ તેણી દક્ષિણમાં ગઈ અને હવે તે દક્ષિણ ભારતીય સિનેમાની અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે.

મેડિકલ વિદ્યાર્થીઓ માટે ખુશખબર: દેશમાં 11,682 નવી સીટો અને 43 કોલેજોને મંજૂરી

0

દેશના લાખો વિદ્યાર્થીઓ છે કે જેઓ ડોક્ટર બનવાનું સ્વપ્ન જુએ છે તેમના માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકારે તબીબી શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 2025-26 શૈક્ષણિક વર્ષ માટે 11,682 નવી MBBS બેઠકોને મંજૂરી આપી છે. દેશના વિવિધ ભાગોમાં 43 નવી મેડિકલ કોલેજો ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી તબીબી શિક્ષણની તકોનો વિસ્તાર થશે અને ભવિષ્યમાં દેશને વધુ પ્રશિક્ષિત ડોકટરો મળશે.

રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે તબીબી શિક્ષણ અંગેના આ ડેટા શેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દેશમાં ડોકટરોની સંખ્યા વધારવા માટે તબીબી શિક્ષણનો વ્યાપ વધારવા માટે સતત કામ કરી રહી છે.

મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા સંકલિત કરવામાં આવે છે. આ ડેટામાં દેશમાં સરકારી મેડિકલ કોલેજો, ખાનગી મેડિકલ કોલેજો, AIIMS અને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી શામેલ છે.

સરકારે નવા શૈક્ષણિક વર્ષ માટે તબીબી શિક્ષણની બેઠકોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 2025-26 શૈક્ષણિક વર્ષ માટે 11,682 MBBS બેઠકોને મંજૂરી આપવામાં આવી છે. 8,967 અનુસ્નાતક (PG) તબીબી બેઠકોને પણ મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકો દેશભરની વિવિધ મેડિકલ કોલેજો, AIIMS અને અન્ય રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓમાં ઉપલબ્ધ રહેશે. સરકારનું કહેવું છે કે આનાથી તબીબી શિક્ષણની તકોનો વિસ્તાર થશે અને વિદ્યાર્થીઓને તેમના પોતાના દેશમાં વધુ સારું શિક્ષણ મેળવવાની તક મળશે.

મેડિકલ સીટો વધારવા ઉપરાંત સરકારે 43 નવી મેડિકલ કોલેજો ખોલવાનો પણ નિર્ણય લીધો છે. આ કોલેજો ખોલવાથી માત્ર મેડિકલ શિક્ષણની તકો જ નહીં, પણ ઘણા રાજ્યોમાં હેલ્થકેર સેવાઓ પણ મજબૂત થશે. નાના શહેરો અને દૂરના વિસ્તારોમાં ઘણીવાર ડોકટરોની અછતનો સામનો કરવો પડે છે. નવી મેડિકલ કોલેજો ખોલવાથી આ વિસ્તારોમાં હોસ્પિટલ અને હેલ્થકેર સુવિધાઓમાં સુધારો થઈ શકે છે.

રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટા એ પણ દર્શાવે છે કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં તબીબી શિક્ષણનું માળખું ઝડપથી વિસ્તર્યું છે. 2014ની પરિસ્થિતિની તુલનામાં મેડિકલ કોલેજો અને બેઠકોની સંખ્યા બમણાથી વધુ થઈ ગઈ છે.

2014 સુધીમાં દેશમાં કુલ 387 મેડિકલ કોલેજો હતી. તે સમયે 51,348 MBBS બેઠકો અને 31,185 અનુસ્નાતક (PG) મેડિકલ બેઠકો ઉપલબ્ધ હતી. તબીબી શિક્ષણનો નોંધપાત્ર વિકાસ થયો છે. હાલમાં દેશમાં 818 મેડિકલ કોલેજો છે, જ્યારે MBBS બેઠકોની સંખ્યા વધીને 1,28,976 થઈ ગઈ છે અને PG મેડિકલ બેઠકો પણ વધીને 85,0,20 સુધી પહોંચી ગઈ છે.

LPG અને તેલ પુરવઠો પૂરતો: 40 દેશોમાંથી સપ્લાય, અઢી દિવસમાં મળશે સિલિન્ડર

0

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, દેશમાં LPG અને ક્રૂડ ઓઇલના પુરવઠા અંગે ચિંતા વધી છે. જોકે, સરકારનું કહેવું છે કે ભારતનો ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે સલામત છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. દેશનો તેલ અને ગેસ પુરવઠો અવિરત રહે છે, અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

પેટ્રોલિયમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો લગભગ 40 અલગ અલગ દેશોમાંથી આયાત કરે છે. આ ખાતરી કરે છે કે પુરવઠો કોઈ એક પ્રદેશ પર આધારિત નથી. ભારતનો કુલ ક્રૂડ ઓઇલ વપરાશ આશરે 189 મિલિયન મેટ્રિક ટન છે, અને દૈનિક જરૂરિયાત આશરે 5.5 મિલિયન બેરલ છે. સારા સમાચાર એ છે કે વર્તમાન પરિસ્થિતિ છતાં, તેલનો પુરવઠો ચાલુ છે, અને તાજેતરમાં બે ક્રૂડ ઓઇલ કાર્ગો ભારત માટે રવાના થયા છે.

સુજાતા શર્માએ સમજાવ્યું કે ભારતે તેની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વિવિધ પુરવઠા માર્ગો સ્થાપિત કર્યા છે. હાલમાં, આશરે 70 ટકા ક્રૂડ ઓઇલ હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના અન્ય માર્ગો દ્વારા ભારતમાં પહોંચે છે. આનાથી ભારતના ઉર્જા પુરવઠા પર પ્રાદેશિક તણાવની અસર ઓછી થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક PNG અને વાહન CNG પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. જ્યારે વૈશ્વિક પરિસ્થિતિઓએ કેટલાક પુરવઠાને અસર કરી છે, ત્યારે દેશમાં આવશ્યક સેવાઓ પ્રભાવિત થઈ રહી નથી.

સુજાતા શર્માએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે લોકોને LPG સિલિન્ડરો વિશે ગભરાવાની જરૂર નથી. બુકિંગના લગભગ અઢી દિવસમાં ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવે છે. અધિકારીઓ કહે છે કે જ્યારે આ સમગ્ર વિશ્વ માટે પડકારજનક સમય છે, ત્યારે ભારતમાં ઊર્જા પુરવઠાની સ્થિતિ હાલમાં સ્થિર અને નિયંત્રણમાં છે.

હાલમાં હોર્મુઝ ક્ષેત્રમાં કુલ 28 ભારતીય જહાજો તૈનાત છે. આમાંથી 24 હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં તૈનાત છે, જેમાં કુલ 677 ભારતીય ખલાસીઓ તૈનાત છે. હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વ ભાગમાં ચાર જહાજો તૈનાત છે, જેમાં 11 ભારતીય ખલાસીઓ તૈનાત છે.

સુરતના અમરોલીમાં કોથળામાંથી મહિલાની લાશ મળી, હત્યાની આશંકા

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાડ આવાસ યોજનામાં મંગળવારે (11 માર્ચ) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવાસના બિલ્ડિંગ પાસે આવેલા રસ્તા પરથી એક શંકાસ્પદ કોથળામાંથી 57 વર્ષીય મહિલાનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા કરીને લાશ કોથળામાં ભરી ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ નિયમિત સફાઈ કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને રસ્તા પર પડેલો એક શંકાસ્પદ કોથળો દેખાયો, જેમાંથી દુર્ગંધ આવતી હોવાથી તેઓને શંકા લાગી. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કોથળામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ હમીદા ખાતુન (ઉંમર 57 વર્ષ), રહે. H-2 બિલ્ડિંગ, કોસાડ આવાસ, અમરોલી તરીકે થઈ છે. હમીદાબેન પોતાના બે દીકરાઓ સાથે રહેતા હતા અને ઘરકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.

પોલીસના જણાવ્યા મુજબ લાશ જે જગ્યાએથી મળી આવી છે તે મૃતકના નિવાસસ્થાનની નજીકનો જ વિસ્તાર છે. કોથળામાં ભરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાથી પોલીસે તેને હત્યાનો મામલો માની તપાસ શરૂ કરી છે. આશંકા છે કે અજાણ્યા શખ્સોએ મહિલાની હત્યા કરી પુરાવા નાશ કરવા માટે લાશને કોથળામાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી હશે. આ બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસે ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ અને FSLની ટીમને બોલાવીને વિગતવાર તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી લાશ ફેંકનાર લોકોની ઓળખ થઈ શકે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

આ અંગે DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોસાડ આવાસના H-2 બ્લોક પાસે કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળી હોવાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ અમરોલી પોલીસ, ઝોન-5ના અધિકારીઓ તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ છે.

બદ્રીનાથ ધામમાં બિન સનાતની લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, મંદિર સમિતિનો નિર્ણય

0

ચાર ધામ યાત્રા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચારધામ યાત્રા સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આ વર્ષથી ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં બિન સનાતની લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિર સમિતિના પદાધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

અધ્યશ્ર હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય આવતા મહિનાથી શરૂ થનારી ચારધામ યાત્રાથી લાગુ થશે અને બિન સનાતની લોકો હવે મંદિર પરિસર અને ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં. આ પહેલા તેમણે કહ્યું હતું કે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પ્રણાલી આદિ શંકરાચાર્યના સમયથી છે અને ભારતીય બંધારણ પણ ધાર્મિક સ્થળોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે.

બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે?
“બદ્રીનાથ અને કેદારનાથ ધામ પર્યટન સ્થળો નથી પરંતુ આસ્થાના કેન્દ્રો છે. આ વૈદિક કેન્દ્રો છે જેની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ 26 દરેક સંપ્રદાયને તેના ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. ”

ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે અને કેદારનાથ ધામના દરવાજા 22 એપ્રિલે ખુલશે. ચાર ધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલે અખા ત્રીજથી થશે, તે દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલશે.

ઉલ્લેખનિય છે કે, અગાઉથી ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી ધામ પર જ નહીં પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું હતું કે ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પ્રતિબંધ દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ થશે.

આ ઉપરાંત ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 105 ઘાટ પર બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહી છે. કેટલાક સંતો અને ગંગા સભાની વિનંતીઓના જવાબમાં આ પગલું લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર હરિદ્વાર અને ઋષિકેશ બંનેને સનાતન પવિત્ર નગર જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

ગુજરાતમાં ગેસ સંકટ: ઉદ્યોગોને સપ્લાયમાં 50% કાપ, ઘરેલુ LPG સિલિન્ડર પર સરકારનો મોટો નિર્ણય

ઈરાન-ઈઝરાયલ યુદ્ધે પશ્ચિમ એશિયામાં ગંભીર કટોકટી ઉભી કરી છે. ગેસ પુરવઠા પર અસર થવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઘરોમાં રસોઈ ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગોને ગેસ પુરવઠો 50% સુધી ઘટાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાતર અને દૂધ પ્રક્રિયા ઉદ્યોગોને પુરવઠો પણ 40% ઘટાડવામાં આવ્યો છે. સરકારની પ્રાથમિકતા સામાન્ય લોકોના રસોડાની છે, તેથી ઘરેલુ ગેસ પુરવઠો સુરક્ષિત કરવામાં આવ્યો છે. એ પણ રાહતની વાત છે કે કોમર્શિયલ સિલિન્ડરો પર કોઈ નિયંત્રણો નથી.

ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે મંગળવારે વિધાનસભા સત્ર પહેલાં પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારો સાથે મળીને કામ કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે કોઈ પણ ઘરને રસોઈ ગેસ સિલિન્ડરની અછતનો સામનો ના કરવો પડે.

ઘરેલુ ગેસ વપરાશને પ્રાથમિકતા આપવા માટે કેટલાક ઔદ્યોગિક ઉપયોગોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ઘરેલુ રસોઈ ગેસનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગોને ગેસ પુરવઠામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઘરેલું ગ્રાહકોને રસોઈ ગેસનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ખાતર અને દૂધ પ્રક્રિયા ઉદ્યોગોને ગેસ પુરવઠામાં આશરે 40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ માટે વાણિજ્યિક ગેસ સિલિન્ડર પર પ્રતિબંધ અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં આવો કોઈ ઘટાડો કે પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. પટેલે જણાવ્યું હતું કે સરકાર ખાતરી કરી રહી છે કે ઘરગથ્થુ રસોડા કાર્યરત રહે અને ઘરેલુ ગેસ પુરવઠામાં કોઈ વિક્ષેપ ના આવે.

PNG, CNG અને LPG ને પ્રાથમિકતા
કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસના વિતરણ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવી સિસ્ટમ હેઠળ LPG ઉત્પાદન, CNG અને પાઇપ્ડ રસોઈ ગેસ (PNG) પહેલા પૂરો પાડવામાં આવશે. આ ચોક્કસ ક્ષેત્રોની જરૂરિયાતો પૂર્ણ થયા પછી જ અન્ય સ્થળોએ ગેસ પૂરો પાડવામાં આવશે. નવા નિયમોમાં PNG, CNG અને LPG ઉત્પાદનને યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યું છે.

કુદરતી ગેસ વિતરણ નિયમોમાં ખાતર ક્ષેત્રને બીજી પ્રાથમિકતા આપવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં તેની સરેરાશ માંગના ઓછામાં ઓછા 70% સંતોષવામાં આવશે.

ચા ઉદ્યોગ, ઉત્પાદન અને અન્ય ઔદ્યોગિક ગ્રાહકો આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેમને છેલ્લા છ મહિનામાં તેમના સરેરાશ ગેસ વપરાશના આશરે 80% કાર્યકારી ઉપલબ્ધતાના આધારે પૂરા પાડવામાં આવશે. શહેર ગેસ વિતરણ (CGD) કંપનીઓ દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને પુરવઠો પ્રાથમિકતા યાદીમાં ચોથા ક્રમે છે.

પત્નીની હત્યા પછી ફરાર ભારતીય પર 9.2 કરોડનું ઇનામ જાહેર

અમેરિકામાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા ભારતીય નાગરિક પર અમેરિકાની તપાસ એજન્સી FBI એ 10 લાખ ડોલર એટલે કે લગભગ 9.2 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. પહેલા આ ઈનામ 2.5 લાખ ડોલર એટલે કે લગભગ 2.3 કરોડ રૂપિયા હતું, જે હવે વધારી દેવામાં આવ્યું છે. 2015માં પત્નીની હત્યાના આરોપી આ વ્યક્તિનું નામ ભદ્રેશ કુમાર ચેતનભાઈ પટેલ છે. 35 વર્ષીય ભદ્રેશ છેલ્લે ન્યૂ જર્સીના નેવાર્ક વિસ્તારમાં જોવા મળ્યો હતો. FBI એ તેને ’10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુ’ એટલે કે 10 સૌથી ખતરનાક ભાગેડુ ગુનેગારોની યાદીમાં સામેલ કર્યો છે.

૧૨ એપ્રિલ, ૨૦૧૫ ના રોજ, મેરીલેન્ડના હેનોવરમાં એક પતિ-પત્ની એક ડોનટ શોપમાં નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. આ દુકાન ભદ્રેશ કુમારના એક સંબંધીની હતી. રાત્રે ૧૨ વાગ્યા પહેલા, દુકાનના પાછળના રૂમમાં, ભદ્રેશે તેની ૨૧ વર્ષીય પત્ની પલક પટેલ પર ભારે વસ્તુથી અનેક વાર હુમલો કર્યો અને તેના પર ઘણી વાર છરી મારી. ત્યારબાદ તે પાછળના દરવાજેથી ભાગી ગયો. જ્યારે એક ગ્રાહક ત્યાં પહોંચ્યો ત્યારે તેને શંકા ગઈ અને તે પોતાનો ઓર્ડર ઉપાડવામાં નિષ્ફળ ગયો. તેણે પોલીસને ફોન કર્યો, અને તપાસ કરતાં, પલકનો મૃતદેહ ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યો. તપાસકર્તા જોનાથન શેફરે પાછળથી કહ્યું, “આ યુવતી સાથે જે કરવામાં આવ્યું તે ભયાનક હતું.”

હત્યા પછી, ભદ્રેશ રસ્તો ઓળંગીને તેના એપાર્ટમેન્ટમાં ગયો. ત્યાંથી, તેણે કેટલાક કપડાં અને રોકડ રકમ લીધી અને ટેક્સી પકડી. ટેક્સી તેને ન્યુ જર્સીના નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક હોટલમાં લઈ ગઈ. લગભગ 3 વાગ્યે, તેણે કોઈ બેગ વિના ચેક ઇન કર્યું. તે સવારે 10 વાગ્યે ચેકઆઉટ કર્યો અને હોટેલ શટલ બસમાં નેવાર્ક પેન સ્ટેશન ગયો. તે પછી તે દેખાયો નહીં. FBI એ ચેતવણી આપી છે કે ભદ્રેશ “સશસ્ત્ર અને અત્યંત ખતરનાક” છે.

પલક પટેલ અને ભદ્રેશ કુમાર બંનેના વિઝા પહેલાથી જ સમાપ્ત થઈ ગયા હતા. પલક ભારત પાછા ફરવા માંગતો હતો, પરંતુ ભદ્રેશ તેની વિરુદ્ધ હતો. તપાસકર્તા જોનાથન શેફરે કહ્યું, “એવું લાગે છે કે તે તેની પત્ની પરત ફરવા માંગતો ન હતો. કદાચ તેને ડર હતો કે તેના ભારત પાછા ફરવાથી તેની પ્રતિષ્ઠા ખરાબ થશે. ગુના પછીના તેના કાર્યો ખૂબ જ કૂલ અને ગણતરીપૂર્વક ભાગી જવાનો સંકેત આપે છે.”

ભદ્રેશ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, સેકન્ડ-ડિગ્રી મર્ડર , ફર્સ્ટ-ડિગ્રી હુમલો, સેકન્ડ-ડિગ્રી હુમલો અને ઈજા પહોંચાડવા માટે ખતરનાક હથિયારનો ઉપયોગ કરવાનો આરોપ છે. 15 એપ્રિલ, 2015 ના રોજ, મેરીલેન્ડના બાલ્ટીમોરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેની સામે ફેડરલ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેના પર કાર્યવાહીથી બચવા માટે ભાગી જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. FBI માને છે કે તે યુએસમાં કોઈ દૂરના સંબંધી સાથે છુપાયેલો હોઈ શકે છે, અથવા કેનેડા ભાગી ગયો હોઈ શકે છે, અથવા કેનેડા થઈને ભારત પણ પહોંચી શકે છે. 2017 માં જારી કરાયેલ FBI ના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ બધા વિકલ્પોની તપાસ કરવામાં આવી રહી છે.

સુરતના આ સ્ટ્રીટ ફૂડને જોતા જ તમારા મોંમાં પાણી આવી જશે, આ સિક્રેટ ટિપ્સથી ઘરેજ બનાવો

0

સેવ ખમણી ઓછા સમયમાં બની જાય છે, અને નાસ્તાથી લઈને લંચ કે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે, જે ગરમીમાં તમને શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે ટેસ્ટી સેવ ખમણી આ ટિપ્સથી ઘરે બનાવી શકો છો.

જીવનશૈલી | સુરત તેના સ્ટ્રીટ ફૂડ માટે ફેમસ છે, ત્યારના ખમણ, ખાવસા, આલુ પુરીથી લઈને સેવ ખમણી સુધી ઘણી ફૂડ આઇટમ્સ માટે ફેમસ છે, પરંતુ ત્યારની સેવ ખમણીની તો વાત જ કંઈક અલગ છે, જેને ચટણી, નાયલોન સેવન,દાડમ અને કોથમીર સાથે સર્વ કરવામાં આવે છે.

સેવ ખમણી ઓછા સમયમાં બની જાય છે, અને નાસ્તાથી લઈને લંચ કે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે, જે ગરમીમાં તમને શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે ટેસ્ટી સેવ ખમણી આ ટિપ્સથી ઘરે બનાવી શકો છો.

સેવ ખમણી રેસીપી

  • 1 કપ ચણાની દાળ (4-6 કલાક પલાળેલી)
  • 3 કળી લસણ
  • 3 લીલાં મરચાં
  • 1/2 નાની ચમચી હળદર
  • 1/2 નાની ચમચી હિંગ
  • 1 મોટી ચમચી ખાંડ
  • 1 લીંબુનો રસ
  • 1 નાની ચમચી ઈનો (ENO)
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

વઘાર માટે સામગ્રી

  • 3-4 મોટી ચમચી તેલ
  • 2-3 નાની ચમચી રાઈ
  • 2-3 લીલાં મરચાં
  • થોડા મીઠા લીમડાના પાન
  • 1 નાની ચમચી હિંગ
  • 1/2 કપ પાણી
  • 2-3 મોટી ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

ડુંગળી સાચવવાની સરળ ટિપ્સ, લાંબા સમય સુધી સારી રહેશે!

  • ગાર્નિશિંગ માટે સામગ્રી
  • ઝીણી સેવ (નાયલોન સેવ)
  • દાડમના દાણા
  • સમારેલી કોથમીર

સેવ ખમણી બનાવાની રીત
સૌ પ્રથમ મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ, લસણ, લીલાં મરચાં અને 1/4 કપ પાણી નાખીને અધકચરી વાટી લો. આ ખીરાને એક બાઉલમાં કાઢી, જરૂર મુજબ પાણી નાખી કન્સિસ્ટન્સી સેટ કરો. તેમાં હળદર, હિંગ, મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.
છેલ્લે ઈનો ઉમેરીને બરાબર હલાવો જેથી ખીરૂ ફૂલીને હલકું થઈ જાય. તરત જ ગ્રીસ કરેલા વાસણમાં ખીરૂ રેડીને 20-25 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લો.
ઠંડુ થયા પછી તેને હાથેથી અથવા છીણીથી ક્રશ કરી લો.

વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, મરચાં, લીમડો અને હિંગ નાખો. પછી પાણી, ખાંડ અને મીઠું નાખીને પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દો. આ વઘારમાં ક્રશ કરેલી ખમણી ઉમેરીને હળવા હાથે મિક્સ કરો.