Home Blog Page 148

મિડલ ઈસ્ટ સંકટ પર પીએમ મોદીનો સંદેશ: ભારત સતર્ક, 3.75 લાખ નાગરિકો વતન પરત

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના ભીષણ હુમલાઓનો સામનો કરી રહેલું ઈરાન પણ ઈઝરાયલ અને ખાડી દેશોમાં સ્થિત અમેરિકન બેઝ પર મોટાપાયે વળતો પ્રહાર કરી રહ્યું છે. યુદ્ધના 24 દિવસ વીતી ચૂક્યા છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમ છે, જેની સારી અસર દુનિયાભરની ઉર્જા જરૂૂરિયાતો પર જોવા મળી રહી છે. આવા ગંભીર સમયમાં ભારત પણ સતર્કતાથી પોતાના પગલાં ભરી રહ્યું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(23 માર્ચ) લોકસભામાં આ સંકટ પર ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું.

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ’હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈને વાત મૂકવા ઊભો થયો છું. પશ્ચિમ એશિયામાં સંકટ અત્યંત ચિંતાજનક છે, જેની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થઈ રહી છે. આ સંકટને હવે ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે. સમગ્ર દુનિયા આ સંકટમાંથી ટૂંક સમયમાં જ સમાધાન શોધવા માટે તમામ પક્ષોને આગ્રહ કરી રહી છે. આ યુદ્ધે ભારત સામે અણધાર્યા પડકારો ઊભા કરી દીધા છે. ભારત સામે આર્થિક તથા રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. એસ જયશંકર અને હરદીપ પુરીએ માહિતી આપી છે. કુલ 3.75 લાખ નાગરિકોને ખાડી દેશોમાંથી વતન ભારત પરત લવાયા છે.

વડાપ્રધાને કહ્યું કે, ભારતની સંસદથી આ સંદેશ દુનિયામાં જવો જોઈએ કે સંકટનું ટૂંક સમયમાં જ સમાધાન થાય. તેમણે યુદ્ધ વચ્ચે પરત ફરેલા ભારતીયોની માહિતી ગૃહમાં આપી અને કહ્યું કે, ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા મિશન અસરગ્રસ્ત દેશોમાં સતત ભારતીયોની મદદ કરી રહ્યા છે. લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. કોમર્શિયલ જહાજોમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા મોટી છે. 10 મીલીયન લોકો ગલ્ફ દેશોમાં રહે છે. સીબીએસસીઆઇ બોર્ડ દ્વારા ગલ્ફમાં ધો.10-12ની પરીક્ષા બંધ રખાઇ છે.

’મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. પ્રભાવિત દેશોમાં ભારતના તમામ દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે. નિયમિત રૂૂપે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલ રૂૂમ અને હેલ્પલાઈન સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. વડાપ્રધાને કહ્યું કે કોરોનાની જેમ આપણે એક થઇને આ સંકટનો સાપનો કરવાનો છે.

ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત 60 ટકા LPGની આયાત કરે છે, જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPGનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. આ સિવાય ઓઈલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે તે અલગ છે.

છેલ્લા 10-11 વર્ષમાં ઈથેનોલના ઉત્પાદન પર અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું. આજે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરવામાં આવે છે. રેલવેનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 15 હજાર ઈલેક્ટ્રિક બસો આપી છે. વર્તમાન સંકટના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે, પણ ભારત સરકાર આ સંકટની અસર દેશ પર ઓછામાં ઓછી થાય તે માટે પ્રયાસ કરી રહી છે. અમે તમામ સેક્ટરના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. દેશના ખેડૂતોએ અન્નના ભંડાર ભરી રાખ્યા છે જેના કારણે ભારત પાસે ખાદ્યનો પૂરતો જથ્થો છે. કોરોના અને તે સમયના યુદ્ધ દરમિયાન પણ ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. તે સમયે દુનિયામાં યુરિયા ત્રણ હજાર રૂૂપિયામાં વેચાઈ રહ્યું હતું પણ ભારતમાં 300 રૂૂપિયામાં આપવામાં આવતું હતું. બીજી તરફ ભારતમાં યુરિયાનું ઉત્પાદન સતત વધારવામાં આવ્યું છે. ઉપરાંત સોલાર પેનલો પણ ચમત્કારીક ઉપયોગી થઇ છે.

રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાનો પ્રહાર: ટેલિકોમ કંપનીઓ પર ‘ડિજિટલ લૂંટ’નો આરોપ

0

દેશની ટેલીકોમ કંપનીઓના નિયમોનો ખુલ્લેઆમ વિરોધ કરી રહેલા રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ટેલીકોમ કંપનીઓને વધુ એક સવાલમાં ઘેરી છે. તેમણે એક્સ પર ટેલીકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ન વપરાયેલા ડેટાને રીસેટના નામે ગાયબ કરી દેવાના કંપનીના નિયમ સામે સવાલ ઉઠાવ્યો છે.

સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે મોબાઇલ રિચાર્જ પ્લાન સામાન્ય રીતે દૈનિક ડેટા મર્યાદા ઓફર કરે છે. જેમ કે 1.5 GB, 2 GB,અથવા 3 GB પ્રતિ દિવસ જે દર 24 કલાકે રીસેટ થાય છે. તેમજ કોઈપણ ન વપરાયેલ ડેટા મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. તેમણે ઉદાહરણ આપીને સમજાવ્યું કે જો કોઈ વ્યક્તિ 2 GB પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરે છે પરંતુ ફક્ત 1.5 GB નો ઉપયોગ કરે છે. તો બાકીનો 0.5 GB કોઈપણ રિફંડ અથવા રોલઓવર લાભ વિના ગાયબ થઈ જાય છે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે આ કોઈ સંયોગ નથી પરંતુ એક ગણતરીપૂર્વકની વ્યૂહરચના છે. આ મુદ્દો લાખો ભારતીય ગ્રાહકોને અસર કરે છે, કારણ કે મોટાભાગના લોકો પ્રીપેડ પ્લાન પર આધાર રાખે છે. જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓ દૈનિક ડેટા ક્વોટા લાગુ કરે છે જે મધ્યરાત્રિએ રીસેટ થાય છે. પરિણામે, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ગ્રામીણ વિસ્તારોના યુઝર્સ ઓછો ડેટા વાપરે છે છતાં સંપૂર્ણ રકમ ચૂકવે છે.

રાઘવ ચઢ્ઢાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો કે પેઇડ-ફોર ડેટા કેમ ગાયબ કરી દેવામાં આવે છે. તેમણે માંગ કરી કે ન વપરાયેલ ડેટા આગામી બિલિંગ સાયકલમાં લઈ જવામાં આવે જેથી ગ્રાહકો તેમના નાણાનું સંપૂર્ણ મૂલ્ય મેળવી શકે. તેમણે આ પ્રથાને ડિજિટલ લૂંટ ગણાવી જેમાં કંપનીઓ ઇરાદાપૂર્વક પોતાના નફાને વધારવા માટે રચાયેલ નિયમો બનાવે છે જ્યારે સામાન્ય માણસને નાણાકીય નુકસાન પહોંચાડે છે.

ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ લવ ટ્રેપમાં ફસાઈ સગીરાનો શોષણ: સુરતમાં સાજીદ પઠાણ ઝડપાયો

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી મુજબ, માર્ચ-2025 દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સગીરાની ઓળખ લિંબાયત વિસ્તારના 23 વર્ષીય સાજીદ સાથે થઈ હતી. મીઠી વાતો અને લગ્નના વચનો આપી તેણે સગીરાનો વિશ્વાસ જીત્યો અને તેને પોતાના જાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ તેણે વોટ્સએપ મારફતે સગીરાના અંગત ફોટા માંગ્યા, અને ભોળાશામાં આવી સગીરાએ તે મોકલી દીધા હતા.

આ ફોટાઓના આધારે સાજીદે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી દબાણ બનાવ્યું. ધમકીઓથી ગભરાયેલી સગીરાને તેણે પાલ વિસ્તારની એક હોટલમાં લઈ જઈ તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તેણે આ ઘટના નો વીડિયો બનાવી સગીરાને સતત બ્લેકમેલ કરતો રહ્યો અને તેના ઘરની આસપાસ ફરીને માનસિક ત્રાસ આપતો રહ્યો.

આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સગીરાનો મોબાઈલ તેના ભાઈના હાથમાં આવ્યો. ચેટ અને ફોટા જોઈને પરિવાર ચોંકી ઉઠ્યો. જ્યારે ભાઈએ સાજીદને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેને પણ ધમકી આપી હતી.

પરિવારે હિંમત કરીને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું છે કે સાજીદ શહેરમાં ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરતો હતો. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે ફસાવી છે કે કેમ.

હિમવર્ષાથી સફેદ ચાદરમાં ઢંકાયું કેદારનાથ ધામ, જાણો ક્યારે ખુલશે કપાટ

0

ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ કેદારનાથ હિમવર્ષાને લીધે બરફથી ઢંકાયુ છે. આ દરમિયાન મંદિર પરિસરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચારે બાજુ બરફ જોઈ શકાય છે. જેમાં મંદિર બરફથી ઢંકાયેલા છે અને કપાટ બંધ છે. કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલે ખુલશે. જયારે બદ્રીનાથ મંદિરના કપાટ 23 એપ્રિલે ખોલવામાં આવશે. હાલ ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થયું છે.

સુરક્ષાદળો કેદારનાથની સુરક્ષામાં તૈનાત
કેદારનાથ ધામમાં સતત ભારે હિમવર્ષાને કારણે સમગ્ર કેદારનાથ ટાઉનશીપ લગભગ ત્રણથી ચાર ફૂટ બરફના સ્તર હેઠળ ઢંકાઈ ગઈ છે. જયારે ઉત્તરાખંડ પોલીસ અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસના કર્મચારીઓ સંપૂર્ણપણે સતર્ક છે. આ મુશ્કેલ હાલતમાં પણ સુરક્ષાદળો કેદારનાથની સુરક્ષામાં તૈનાત છે.

આખું મંદિર 3-5 ફૂટ સુધી બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું
તેમજ સતત બરફવર્ષાને કારણે આખું મંદિર 3-5 ફૂટ સુધી બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. તાપમાન માઈનસ 16-17 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના લીધે ચારધામ યાત્રાની તૈયારીઓ પ્રભાવિત થઈ રહી છે. નિર્ધારિત સમયપત્રક મુજબ પરંપરાગત ડોલી 19 એપ્રિલે ઉખીમઠથી રવાના થશે અને 22 એપ્રિલે કેદારનાથ ધામના કપાટ ઔપચારિક રીતે ખોલવામાં આવશે. તેમજ બરફ હટાવવાનું અને રસ્તાની તૈયારીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં માર્ચમાં ભારે બરફ પડી રહ્યો છે, પરંતુ એપ્રિલ સુધીમાં તે સાફ થવાની ધારણા છે.

કેદારનાથ ધામનો નજારો દર્શાવતા ઘણા વીડિયો શેર
રુદ્રપ્રયાગ પોલીસે કેદારનાથ ધામનો નજારો દર્શાવતા ઘણા વીડિયો શેર કર્યા છે. જેમાં જવાનો બરફ સાફ કરતા જોવા મળે છે. પહેલા વીડિયોમાં કેપ્શન હતું, બાબા કેદાર સફેદ બરફની ચાદરમાં લપેટાયેલા! કેદારનાથ ધામનું આ મનોહર દૃશ્ય મનને શાંતિ આપે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ અને ITBPના જવાનો ઠંડીમાં પણ સુરક્ષામાં તૈનાત છે.

અમદાવાદમાં પેટ્રોલ પંપ ઉપર અડધો કિલોમીટર લાંબી લાઈન લાગી

0

અમદાવાદના પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતારો. લોકો ડરના માર્યા પેટ્રોલ ભરાવવા વાહનો લઈને લાંબી લાઈનોમાં લાગ્યા. કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ના હોવાના કારણે બંધ હોવાથી લોકોમાં ડર પ્રસર્યો. 1 કલાકે પેટ્રોલ ભરાવવાનો વારો આવે તેવી લાઇનો લાગી છે. કેટલાક પેટ્રોલ પંપ બંધ તો કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. પેટ્રોલ પંપની બહાર અડધા કિલોમીટર સુધીની લાગી લાઈનો છે.

ભાયલી ફ્લેટમાં દુબઈથી ચાલતો હાઈટેક જુગાર રેકેટ પકડાયો, પાંચની ધરપકડ

વડોદરા શહેર નજીક આવેલા ભાયલીના એક ફ્લેટમાં દુબઈથી ચાલતા હાઈટેક ઓનલાઇન જુગારનો ધંધો પકડાયો છે. જિલ્લા પોલીસે આ કેસમાં એક યુવતી સહિત પાંચ શખ્સની ધરપકડ કરી. દુબઈના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ હેલ્પ લાઇનને ભાયલી ગામે સિધ્ધિ વિનાયક સોપાન ફ્લેટના એક ઘરમાં ગેરકાયદેસર પ્રવ્રુતિ થતી હોવાની માહિતી મળી હતી. પોલીસે ફ્લેટમાં દરોડો પાડી તપાસ કરતા ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેરકાનૂની ઓનલાઇન સટ્ટો રમાડાતો હોવાનું જણાવા મળ્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા પાંચ શખ્સો હર્ષિત ઉર્ફે બ્રહ્મા જે મૂળ રાયપુર છત્તિસગઢનો રહેવાસી છે અને હાલ તે દુબઇમાં રહે છે. જેના કહેવા મુજબ નાગરિકોના બેંક ખાતા ખોલાવી તેના દ્વારા આપવામાં આવતી ગેમિંગ વેબસાઈટો તથા એપ્લિકેશન દ્વારા તીનપત્તી, રોલેટ, અંદર બહાર, રમી જેવી પ્રતિબંધિત જુગાર લગતી ગેમનું ટેલીગ્રામ દ્વારા પ્રમોશન કરી ગ્રાહકો બનાવી તેઓને તેની પાસે રહેલી માસ્ટર આઇ.ડી.થી ગ્રાહકોને આઇ.ડી.પાસવર્ડ આપી તેઓને આ પ્રતિબંધિત જુગારને લગતી ગેમો રમવા માટે એક્સેસ આપ્યું હતું.

પકડાયેલા આરોપીઓમાં દર્શન દિલીપ, જોકિમ મેકવાન, શેખર પ્રદિપ, ધ્રુતિ મેકવાન તેમજ મોહમ્મદ આરિફ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓના કબ્જામાંથી ઓનલાઇન સટ્ટા રમાડવાની સાધન સામગ્રી મળી આવી. જેમાં 2 લેપટોપ તથા 16 મોબાઇલ મળી કુલ રૂ.1.51 લાખનો કુલ મુદ્દામાલ અને સ્કીન શોટના ડોક્યુમેન્ટ તથા બે પાસપોર્ટ, અલગ અલગ બેંકના 12 ડેબિટ/ક્રેડિટ કાર્ડ, જીઓ કંપનીના 2 વાઇફાઇ બોક્ષ, અલગ અલગ ચાર્જર તથા 9 એક્સટેન્સન મળી આવેલ. કુલ રૂ.1.81 લાખનો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આસામમાં IAF નાગરિક કર્મચારી જાસૂસીના આરોપે ધરપકડ, પાકિસ્તાન સાથે કડીની શંકા

0

રાજસ્થાન પોલીસે રવિવારે એક મોટા ઓપરેશનમાં આસામના ચાબુઆ એરફોર્સ સ્ટેશનથી એક સિવિલિયન કર્મચારીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીનું નામ સુમિત કુમાર (36) છે. આરોપી કથિત રીતે ઈન્ડિયન એરફોર્સ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની હેન્ડલરોને પહોંચાડતો હતો. તેની ધરપકડથી દેશમાં ચાલી રહેલા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે.

આરોપી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઈન્ટેલિજન્સ) પ્રફુલ્લ કુમારે જણાવ્યું કે, જાન્યુઆરી 2026માં જેસલમેરના રહેવાસી ઝાબરા રામની ધરપકડ સાથે આ સમગ્ર જાસૂસી કેસનો ખુલાસો થયો હતો. તેની પૂછપરછ અને તપાસ દરમિયાન અન્ય એક શંકાસ્પદ વ્યક્તિ સુમિત કુમારનું નામ સામે આવ્યું હતું, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો.

MTSના પદ પર કાર્યરત હતો સુમિત
તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સુમિત કુમાર મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના લાહુરપારનો રહેવાસી છે અને બેની માધવનો દીકરો છે. તે હાલમાં આસામના ડિબ્રુગઢમાં ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)ના પદ પર કાર્યરત હતો. તેણે પોતાના પદનો દુરુપયોગ કરીને એરફોર્સ સ્ટેશન સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરી અને તેને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચાડી.

2023થી પાકિસ્તાની ઈન્ટેલિજન્સના સંપર્કમાં હતો આરોપી
રાજસ્થાન ઈન્ટેલિજન્સ ટીમે નવી દિલ્હીની એરફોર્સ ઈન્ટેલિજન્સ સાથે મળીને એક જોઈન્ટ ઓપરેશનમાં આરોપીને ચાબુઆથી અટકાયતમાં લીધો અને તેને જયપુરના સેન્ટ્રલ ઈન્ટરોગેશન સેન્ટરમાં લાવવામાં આવ્યો. વિવિધ ગુપ્તચર એજન્સીઓની સંયુક્ત પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી 2023થી પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સાથે સંપર્કમાં હતો અને પૈસાના બદલામાં સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યો હતો.

આરોપીની પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે, તેણે ચાબુઆ એરફોર્સ સ્ટેશનની સાથે-સાથે બિકાનેર જિલ્લાના નાલ એરફોર્સ સ્ટેશન સહિત અન્ય લશ્કરી ઠેકાણાઓ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી હતી. આમાં ફાઈટર જેટ અને મિસાઈલ સિસ્ટમોની લોકેશન તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને લગતી ગુપ્ત માહિતી સામેલ છે. આ ઉપરાંત આરોપીએ પોતાના નામ પર જારી કરાયેલા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને પાકિસ્તાની હેન્ડલરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં પણ મદદ કરી હતી.

આરોપીની રવિવારે 22 માર્ચના રોજ રાજસ્થાનના જયપુરના સ્પેશિયલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 અને BNS એક્ટ, 2023’ની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દેશમાં એક્ટિવ એક મોટા પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે અને આગળની તપાસ ચાલી રહી છે.

‘ધુરંધર 2’માં પિંડા કોણ? હમઝાની બહેન સાથે લગ્ન કરનાર, વાસ્તવમાં નેશનલ ચેમ્પિયન

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત “ધુરંધર 2” માં, મુખ્ય કલાકારો વિશે પહેલાથી જ ચર્ચા થઈ રહી છે. પરંતુ બાજુના પાત્રોએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમણે ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડી નથી, પછી ભલે તે રિઝવાન હોય, બડે સાહેબ હોય કે આતિફ અહેમદ. બીજા પાત્રે તેની ટૂંકી ભૂમિકામાં કાયમી છાપ છોડી છે: પિંડા, હમઝા અલી મજારીનો બાળપણનો મિત્ર, જે સોદો કરવા માટે પાકિસ્તાન જાય છે. ચાલો જાણીએ કે તે વાસ્તવિક જીવનમાં કોણ છે અને તેનું સાચું નામ શું છે.

“ધુરંધર: ધ રીવેન્જ” માં પિંડા, જેને ગુરબાઝ સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું પાત્ર ઉદયબીર સંધુ છે. તે ફિલ્મમાં જસકીરત સિંહ રંગીના મિત્રની ભૂમિકા ભજવે છે. તેનું પાત્ર બાળપણથી જ જસ્સી સાથે છે. રણવીરના પાત્રને કેદ થયા પછી, તે તેની માતા અને બહેનની સંભાળ રાખે છે અને તેનો જમાઈ બને છે. તે તેની સાથે લગ્ન કરે છે અને તેના બે પુત્રો છે. જો કે, જ્યારે તે પાકિસ્તાન પહોંચે છે ત્યારે હમઝા ચોંકી જાય છે. તે ત્યાં ડ્રગ પેડલર તરીકે પહોંચે છે, જે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે આતંકવાદીઓ સાથે કામ કરે છે. વાર્તા આગળ વધે છે, અને તે એક પાર્ટીમાં હમઝાને ઓળખે છે અને પૂછે છે, “તને ઘરની યાદ નથી આવતી, જસ્સી?” આનાથી બંને વચ્ચે ઉગ્ર મુકાબલો થાય છે, જે અંતે પિંડાનું મૃત્યુ થાય છે.

ઉદયબીર સંધુ ફિલ્મો
ઉદયબીર સંધુ પંજાબના છે અને રાષ્ટ્રીય સ્તરના હોકી ખેલાડી છે. તેમણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો અને 2018 માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ “ગોલ્ડ” માં અક્ષય કુમારની સામે દેવાંગ ચતુર્વેદીની ભૂમિકા ભજવી હતી . તેઓ ઇમ્તિયાઝ અલીની “ચમકીલા” માં પણ દેખાયા હતા, જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મમાં, તેમણે વાસ્તવિક જીવનના પ્રખ્યાત લોક ગાયક સુરિન્દર શિંદાથી પ્રેરિત જિતેન્દ્ર જિંદાનું પાત્ર ભજવ્યું હતું.

ઉદયબીરે ‘ધુરંધર 2’ માટે 15 કિલો વજન વધાર્યું
ઉદયબીરે ઇમ્તિયાઝની ફિલ્મ માટે 8 કિલો વજન વધાર્યું અને દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી. ત્યારબાદ તેણે શહેનાઝ ગિલ અભિનીત “એક કુડી” ફિલ્મથી પંજાબી ફિલ્મમાં પ્રવેશ કર્યો. તેનું પાત્ર જગવીર સંધુ હતું. “ધુરંધર 2” માટે તેણે પહેલા 15 કિલો વજન ઘટાડ્યું અને પછી 20 વર્ષ અને 40 વર્ષના પુરુષનું પાત્ર ભજવવા માટે તેટલો જ વજન વધાર્યો. તેણે આ માહિતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરી.

‘ધુરંધર’ના ‘પિંડા’ ઉદયબીરનું ઇન્સ્ટાગ્રામ
અભિનય કરતા પહેલા, ઉદયબીર સંધુએ મોડેલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો અને ઘણી જાહેરાત ઝુંબેશનો ભાગ હતો. આદિત્ય ધરની ફિલ્મ પછી તેમને લોકપ્રિયતા મળી અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 55.5k ફોલોઅર્સ છે. તેમને રણવીર સિંહ અને કરણ જોહર જેવા સેલિબ્રિટીઓ ફોલો કરે છે.

ન્યૂયોર્ક લાગાર્ડિયા એરપોર્ટ પર પ્લેન-ટ્રક અથડામણ, ફ્લાઇટ્સ બંધ, 4 લોકો ગંભીર ઘાયલ

કેનેડાના મોન્ટ્રીયલથી આવી રહેલા એક વિમાનના ગ્રાઉન્ડ વાહન સાથે અથડાયા બાદ ન્યૂ યોર્કના લાગાર્ડિયા એરપોર્ટને આવનારી ફ્લાઇટ્સ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 અનુસાર, એરપોર્ટના રનવે 4 પર આવનારી એર કેનેડા એક્સપ્રેસ CRJ-900 ફ્લાઇટ અને ફાયર એન્જિન વચ્ચે અથડામણ થતાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.

સોશિયલ મીડિયા પર ટક્કરના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં એરપોર્ટ પર ખાલી કરાવવા અને બચાવ કામગીરી ચાલી રહી છે. અપ્રમાણિત ફૂટેજમાં વિમાનના આગળના ભાગને નુકસાન પણ જોવા મળ્યું છે. ક્લિપમાં મુસાફરો વાહનમાંથી નીચે ઉતરતા કોમ્યુટર પ્લેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને હવામાં નમતો જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર ટક્કરના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં એરપોર્ટ પર ખાલી કરાવવા અને રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. વેરિફાઈડ ન હોય તેવા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિમાનના આગળના ભાગને નુકસાન થયુ હોવાનુ દેખાય છે. હાલ આ વીડિયોની પુષ્ટી થઈ નથી, જોકે, વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વિમાનનો ક્ષતિગ્રસ્ત ભાગ થોડા ડિગ્રી ઉંચો થઈ ગયો હતો જ્યારે મુસાફરો પ્લેનમાંથી ઉતરતા દેખાઈ રહ્યા છે.

US ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ એરપોર્ટ પર તમામ વિમાનો માટે ગ્રાઉન્ડ સ્ટોપની નોટિસ જાહેર કરવામાં આવી છે. FAA નોટિસમાં જણાવાયું છે કે એરપોર્ટ પર સ્ટોપ કટોકટીને કારણે લાગાવવામાં આવ્યું છે અને તે આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા છે; જોકે, નોટિસમાં વધુ વિગતો આપવામાં આવી નથી. એરલાઇન્સને એક અલગ નોટિસમાં, FAAએ જણાવ્યું હતું કે એરપોર્ટ સ્થાનિક સમય અનુસાર 18.00 GMT સુધી બંધ રહી શકે છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી ઈજાગ્રસ્તોની સંખ્યા અથવા નુકસાન વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.

બિહારમાં પોલીસ કસ્ટડીમાંથી માઇનિંગ ઇન્સ્પેક્ટર ફરાર, ગેરકાયદે ખનન કેસમાં ચકચાર

0

બિહારમાં એક ખાણ નિરીક્ષક પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો. ગેરકાયદેસર રેતી ખનન કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોપાલગંજ જિલ્લામાં એક સરકારી અધિકારી પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાની ઘટનાએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આ સમગ્ર ઘટના યાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં શુક્રવારે સાંજે ગંડક નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરવાના આરોપસર ખાણ નિરીક્ષક સૌરભ અભિષેકની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) પવન કુમાર સિંહાના નિર્દેશ પર કરવામાં આવી હતી. ધરપકડ બાદ, આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. જોકે, રાત્રિ દરમિયાન, આરોપી પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો.

ખાણકામ નિરીક્ષક પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો
ગોપાલગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ પવન કુમાર સિંહાએ જણાવ્યું હતું કે શુક્રવારે રેતી ઘાટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન, ખાણકામ નિરીક્ષક સૌરભ અભિષેકની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી, જેના પગલે તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર, જિલ્લા ખનિજ વિકાસ અધિકારી અનિલ કુમારે જાદોપુર પોલીસ સ્ટેશનમાં ખાણકામ નિરીક્ષક વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આ વહીવટી કાર્યવાહીથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે અને ગેરકાયદેસર ખાણકામ કરનારાઓમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે.

ગંડક નદીમાંથી ટેન્ડર વિના રેતી ખોદકામ
ગોપાલગંજમાં ગંડક નદી પરના કોઈપણ ઘાટ માટે કોઈ માન્ય રેતી ખાણકામ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી તેવું અહેવાલ છે. તેમ છતાં, ગેરકાયદેસર રેતી ખાણકામ લાંબા સમયથી ચાલુ છે. આને રોકવા માટે, જિલ્લા મેજિસ્ટ્રેટે એક દિવસ પહેલા જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તમામ અધિકારીઓને ઘાટનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા સૂચના આપી હતી. બિહારમાં રેતી “પીળું સોનું” કેમ બની ગઈ છે?

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખાણકામ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં, અને દોષિતો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા આરોપી ખાણકામ નિરીક્ષકને શોધવા માટે ઘણી પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડી રહ્યા છે. આરોપીઓ ભાગી ન જાય તે માટે જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે. રેતી માફિયાઓએ હુમલો કરીને ટ્રેક્ટરને છોડી દીધું હતું.

રાત્રે પોલીસ સ્ટેશનમાંથી ચકમો આપીને સર ભાગી ગયા
વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ફરાર ખાણકામ નિરીક્ષકની ધરપકડ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેને ફરીથી પકડી લેવામાં આવશે. જોકે, આ મામલો પોતે જ ખૂબ જ ચોંકાવનારો છે.