Home Blog Page 143

પેટ્રોલ ડીઝલની એક્સાઈઝ ડ્યુટી ₹ 10 ઘટી, પણ ભાવ ઘટશે નહીં, જાણો કેમ?

0

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ગંભીર સંઘર્ષના કારણે ઉર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારત સરકારે ઈંધણના ભાવને અંકુશમાં લેવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે પેટ્રોલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને માત્ર ₹3 પ્રતિ લિટર કરી દીધી છે. જ્યારે ડીઝલ પરની કક્યુટી ₹10 થી ઘટાડીને ‘શૂન્ય’ કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને મોટી રાહત મળવાની આશા છે.

પેટ્રોલ ડીઝલના ભાવ કેમ ઘટશે નહીં?
28 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થયો હોવા છતાં રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવાથી ભારતમાં ફ્યુઅલ માર્કેટિંગ કંપનીઓ દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)ને થોડી રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

મની કન્ટ્રોલના એક રિપોર્ટ અનુસાર, HPCLના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ.કે. સુરાનાના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો હેતુ ગ્રાહકોને તાત્કાલિક રાહત આપવાને બદલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને નાણાકીય તણાવથી બચાવવાનો છે.

તેમણે ઉમેર્યું કે, પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા થી ઘટાડી ને 3 રૂપિયા કરવામાં આવી છે. તો ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. જો કે, સુરાનાએ સંકેત આપ્યા હતા કે, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવા છતાં નજીકના ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલની છુટક કિંમતમાં ફેરફાર થવાની શક્યતા નથી.

રાહતની વાત એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીપી પીએલસીએ પેટ્રોલ અને ડીઝલની કિંમત હજી સુધી વધારી નથી. બજારમાં લગભગ 90 ટકા હિસ્સો ધરાવતા સરકારી માલિકીના ઇંધણ રિટેલરો હજી પણ ભાવો સ્થિર રાખી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં પણ શુક્રવારે રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકાએ ઈરાનની ઉર્જા સુવિધાઓ પરના હુમલા 10 દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરતા કાચા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.8% ઘટીને $107.11 પ્રતિ બેરલ અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) 0.88% ઘટીને $93.65 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલી આ નરમાઈ અને ભારત સરકારની કક્યુટી કટ – આ બંને પરિબળો ભેગા મળીને ભારતીય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલ સસ્તું બનાવશે.

દાંત કડકડાવી દે તેવી ક્રાઇમ થ્રિલર: જબરા સસ્પેન્સથી દિમાગના તાળા ખોલી નાખશે, બે ભાગ સુપરહિટ બાદ હવે OTT પર ધમાકો

આ વર્ષની શરૂઆતમાં, એક થ્રિલર ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, જેના પહેલા બે ભાગો ખૂબ જ સફળ રહ્યા હતા. આ સસ્પેન્સફુલ ક્રાઈમ થ્રિલર ફિલ્મને વિવેચકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેની રોમાંચક વાર્તાએ દર્શકોને સ્તબ્ધ કરી દીધા હતા. માનવ તસ્કરીની વાર્તા તમને સ્તબ્ધ કરી દેશે. હવે, આ ફિલ્મ OTT શેલ્ફ પર આવવા માટે તૈયાર છે. આ ફિલ્મને IMDb પર મજબૂત રેટિંગ મળ્યું છે. આ બીજું કોઈ નહીં પણ રાની મુખર્જીની સસ્પેન્સફુલ ક્રાઈમ થ્રિલર “મર્દાની 3” છે. તેને ક્યારે અને ક્યાં જોવી તે જાણવા માટે નીચે સ્ક્રોલ કરો.

OTT પર ક્યારે અને ક્યાં જોવું
“મર્દાની 3” હવે થિયેટરમાં રિલીઝ થયાના બે મહિના પછી જ OTT પ્લેટફોર્મ પર આવી રહી છે. આ ફિલ્મ 30 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે તે 27 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. “મર્દાની” અને “મર્દાની 2” OTT પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે, અને નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો બંને પર જોઈ શકાય છે.

ફિલ્મનો પ્લોટ
“મર્દાની 3” માં શિવાની શિવાજી રોય (રાની મુખર્જી) તેના ઉગ્ર સ્વરૂપમાં પરત ફરશે. આ વખતે, વાર્તા ડિજિટલ અપહરણ અને ડાર્ક વેબના ભયાનક જાળા પર કેન્દ્રિત હશે. આ વાર્તામાં દર્શાવવામાં આવશે કે કેવી રીતે એક હાઇ-ટેક ગુનેગાર ગેંગ નિર્દોષ બાળકો અને કિશોરોને ઓનલાઇન લલચાવી રહી છે અને પછી તેમને વાસ્તવિક દુનિયાથી દૂર કરી રહી છે. જ્યારે ટેકનોલોજી સામે કાયદો નિષ્ફળ થવા લાગે છે, ત્યારે શિવાની, તેની બુદ્ધિમત્તા અને નિર્ભયતાથી, આ સાયબર માફિયાના મૂળ ખોલવાનું શરૂ કરે છે. આ ફિલ્મમાં માત્ર કરોડરજ્જુને ઠંડક આપનારા એક્શન સિક્વન્સ જ નહીં, પણ આધુનિક સમાજમાં સાયબર ક્રાઇમના ઉદય વિશે એક મજબૂત સંદેશ પણ આપવામાં આવશે.

મર્દાની 3 ના કલાકારો
“મર્દાની 3” નું દિગ્દર્શન અભિરાજ મીનાવાલા દ્વારા કરવામાં આવ્યું છે અને યશ રાજ ફિલ્મ્સ (YRF) ના બેનર હેઠળ આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય કલાકારોમાં રાની મુખર્જી નિર્ભય પોલીસ અધિકારી શિવાની શિવાજી રોય તરીકે પરત ફરે છે, તેમની સાથે જાનકી બોડીવાલા અને મલ્લિકા પ્રસાદ મુખ્ય ખલનાયક (અમ્મા) તરીકે છે. જીશુ સેનગુપ્તા, અભિષેક બેનર્જી અને અર્ચના પૂરણ સિંહ પણ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે, જે આ ક્રાઈમ થ્રિલરને વધુ પ્રભાવશાળી બનાવે છે.

ઈરાનનો મોટો નિર્ણય: ભારત-ચીન સહિત પાંચ દેશો માટે હોર્મુઝ માર્ગ ખુલ્લો

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટીવી પર કહ્યું કે, અમારા દ્રષ્ટિકોણથી, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી. તે ફક્ત દુશ્મનો માટે બંધ છે. દુશ્મન જહાજોને પસાર થવા દેવામાં આવતા નથી. આપણા દુશ્મનો અને તેમના સાથીઓના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેહરાનની સશસ્ત્ર દળોએ પહેલાથી જ મિત્ર રાષ્ટ્રોના જહાજોને સલામત માર્ગ પૂરો પાડ્યો છે. અરાઘચીના મતે, યુએસ, ઇઝરાયલ અને તેમના સાથી દેશોના ટેન્કરો અને જહાજોને રોકવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય દેશોના જહાજોને સંકલન પછી સલામત માર્ગ આપવામાં આવી રહ્યો છે.

યુદ્ધ દરમિયાન ઊર્જા બજારમાં ઉથલપાથલ વચ્ચે આ નિવેદન આવ્યું છે. વૈશ્વિક તેલના ભાવમાં વધારો થયો છે અને શિપિંગ કંપનીઓ સંઘર્ષ કરી રહી છે. ઈરાન દાવો કરે છે કે સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ પસંદગીયુક્ત રીતે નિયંત્રિત છે. ચીન, ભારત, ઇરાક, રશિયા અને પાકિસ્તાન જેવા મિત્ર દેશોના જહાજો હજુ પણ પસાર થઈ શકે છે.

ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ ટીવી પર કહ્યું કે હાલ તેમની નીતિ પ્રતિકાર ચાલુ રાખવાની છે. ઈરાનનો વાટાઘાટો કરવાનો કોઈ ઈરાદો નથી. અત્યાર સુધી, બંને પક્ષો વચ્ચે કોઈ વાટાઘાટો થઈ નથી, અને ઈરાનનું વલણ સંપૂર્ણપણે સૈદ્ધાંતિક છે. અરાઘચીએ એમ પણ ઉમેર્યું હતું કે વાટાઘાટોની કોઈપણ ચર્ચા હાર સ્વીકારવા સમાન હશે.

13 રૂપિયાના ચક્કરમાં 25 લાખનો ઝાટકો: વોટસએપ ફાઇલથી ફોન હાઈજેક સ્કેમનો મોટો ખુલાસો

0

મુંબઈથી સાયબર છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 78 વર્ષીય મહિલા કૌભાંડનો ભોગ બની હતી. સાયબર છેતરપિંડી કરનારાઓએ ખૂબ ચાલાકીથી મહિલાને નિશાન બનાવી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું હતું કે સાયબર છેતરપિંડી કરનારાઓએ વોટસએપ મેસેજિંગ દ્વારા મહિલાનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેને એક ફાઇલ ડાઉનલોડ કરવા કહ્યું હતું, જેને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી. ત્યારબાદ માત્ર 13 રૂપિયાની ચુકવણી કરવા કહેવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા માર્ચ મહિનામાં કેરળની યાત્રા માટે ગઈ હતી. આ દરમિયાન, તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, જેને કહ્યું કે, તે વીજળી વિભાગથી બોલી રહ્યો છે. ત્યારબાદ તેણે મહિલાને જાણ કરી કે તેણે વીજ કનેક્શન પર નામ અપડેટ કરવા માટે માત્ર ₹13ની ચુકવણી કરવી પડશે.

સાયબર છેતરપિંડી કરનારાઓએ પીડિતાને એક APK ફાઈલ મોકલી અને તેને ડાઉનલોડ કર્યા બાદ તેને KYC પૂર્ણ કરવા કહેવામાં આવ્યું. પીડિતાએ APK ફાઈલ ડાઉનલોડ કરતા જ, કૌભાંડીને તેના ફોનની ઍક્સેસ મળી ગયું, જેથી ફોન હાઇજેક પણ કહી શકાય છે. ત્યારબાદ આરોપીએ મહિલાને તેના ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવા કહ્યું, ત્યારબાદ તેના બેંક ખાતાની વિગતો દાખલ ક૨વા કહ્યું અને પછી મહિલાને ખાતામાંથી ₹25 લાખની રકમ ઉપાડી લેવામાં આવી. મહિલાને ₹25 લાખ કાપવાની સૂચના મળતાં જ તેને ખ્યાલ આવ્યો કે તે સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. વૃદ્ધ મહિલાએ 21 માર્ચે મુંબઈ પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.

સાયબર છેતરપિંડી કરનારાઓ સામાન્ય લોકોને નિશાન બનાવવા અને છેતરપિંડી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ચાલો આ યુક્તિઓ અને તેમનાથી બચવા માટેના પગલાં બાબતે જાણીએ.

  • ફિશિંગ લિંક્સ: સાયબર છેતરપિંડી કરનારાઓ પીડિતોને લૂંટવા માટે નકલી SMS, ઈમેઇલ્સ અથવા APK ફાઈલો મોકલે છે. ત્યારબાદ ડેટા ચોરી કરે છે.
  • મેલવેર એપ્સ: સાયબર સ્કેમર્સ લોકોને છેતરવા માટે નકલી એપ્લિકેશનનો ઉપયોગ પણ કરે છે, જેને થર્ડ પાર્ટી અથવા WhatsApp GIRL APK ફાઈલ મોકલે છે. ત્યારબાદ ડેટા ચોરી કરે છે.
  • OTP/કોલ સ્કેમ્સ: સાયબર છેતરપિંડી કરનારાઓ ભોળા વ્યક્તિઓના બેંક ખાતા ખાલી કરવા માટે OTP સ્કેમ્સનો સહારો પણ લે છે. ગુનેગારો તમારા બેંક ખાતા ખાલી કરવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે; એટલે એ જરૂરી છે કે તમે ક્યારેય તમારા બેંકિંગ OTPને બીજા કોઈની સાથે શેર ન કરો.
  • સિમ સ્વેપિંગ: સિમ સ્વેપિંગના પણ ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે, જેમાં છેતરપિંડી કરનારાઓ પીડિતના સિમ કાર્ડની ડુપ્લિકેટ નકલ મેળવવામાં સફળ થાય છે. ત્યારબાદ, બેંકિંગ સંબંધિત તમામ OTP વગેરે હેકર્સ પાસે પહોંચવા લાગે છે.

સાયબર ફ્રોડ કરનારાઓથી પોતાને બચાવવા માટે, સૌથી જરૂરી છે કે અજાણ્યા નંબરો પરથી પ્રાપ્ત થયેલા કોલ્સ, સંદેશાઓ અથવા ઈમેઇલ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો. આવા સંદેશાવ્યવહાર અંગે નિષ્ણાતની સલાહ લો, અને ત્યારબાદ, તેમની સત્યતા ચકાસો. કોઈ પણ સંજોગોમાં તમારે તમારા બેંકિંગ OTP અથવા બેંકિંગ વિગતો કોઈની સાથે શેર ન કરવી જોઈએ.

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઓઈલ અને ગેસ અંગે સંકટ વધ્યું છે. એવામાં ભારતમાં પણ અફવાઓના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર વારંવાર સંગ્રહખોરી સામે કાર્યવાહી તથા અફવાઑ પર ધ્યાન ન આપવા અપીલ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આ યુદ્ધ તથા સંકટ સામે ભારત કેવી રીતે લડશે તે અંગે સંબોધન આપ્યું હતું. જે બાદ હવે આવતીકાલે સાંજે 6.30 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરશે.

પીએમ મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવતા કાળાબજારિયાઓ અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાજ્યોને સૂચના આપવામાં આવશે કે તેઓ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખે. સરકાર પાઈપ્ડ નેચરલ ગેસના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે જેથી ઘરેલું ગેસનો પુરવઠો જળવાઈ રહે.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વૈશ્વિક સંકટની અસર સામાન્ય જનતા પર ન પડે.

નોંધનીય છે કે જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. જોકે, તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી બેઠક યોજવામાં આવશે.

ગુજરાત પોલીસ બેડામાં ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી

રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી આપીને તેમના નવા નિમણૂક સ્થળોએ બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા રાજય પોલીસ વડાએ બદલીના આદેશ કર્યા છે. ઘણા સમયથી પોલીસ ખાતામાં બદલી માટે પ્રમોશન મેળવેલ અધિકારીઓ રાહ જોઈ રહ્યાં હતા તેમને જે તે જિલ્લામાં બદલી કરવામાં આવી છે.. જોકે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.આઇ.માંથી પીઆઇ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર જ પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, બઢતી પામેલા અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-7 (39,900 – 1,26,600 રૂપિયા) માંથી હવે લેવલ-8 (44,900 – 1,42,400 રૂપિયા) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. આ બઢતીઓ હાલ તદ્દન હંગામી ધોરણે આપવામાં આવી છે અને તમામ અધિકારીઓને તેમના નામ સામે દર્શાવેલા કચેરી ખાતે તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે.

એસ જી દેસાઈની સીઆઈડી ક્રાઈમથી ગાંધીનગર, જે ડી ઝાલાની જીપીએ કરાઈથી મોરબી, એન આર વાઘેલાની મહેસાણાથી અમદાવાદ શહેર, જે પી જાડેજાની ગાંધીનગરથી અમદાવાદ શહેર, જે બી અગ્રાવતની ઈન્ટેલીજન્સથી અમદાવાદ શહેર, એમ સી પટેલની જુનાગઢથી મહેસાણા, કે વી પટેલની પીટીસી જુનાગઢથી અમદાવાદ ગ્રામ્ય, આર એસ પટેલની જુનાગઢથી અમદાવાદ શહેર, એચ એન પટેલની અમદાવાદ શહેરથી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના 47 પીઆઇની અન્ય શહેર ,જિલ્લા અને એજન્સીમાં બદલી કરવામાં આવી છે. એક મહિના અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરે જે બદલી કરી હતી તેમાંથી પણ કેટલાક પીઆઇની બદલી કરવામાં આવી છે.

હૈદરાબાદમાં ‘વારાણસી’ માટે ભવ્ય કાશી સેટ તૈયાર, ફિલ્મને લઈ ચાહકોમાં ઉત્સાહ વધ્યો

ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી પોતાની ફિલ્મો મૌન રહીને બનાવી નાખવા માટે જાણીતા છે, તેમનો આગામી મેગા પ્રોજેક્ટ ’વારાણસી’ પણ એમાંથી અપવાદ નથી. પરંતુ તાજેતરમાં બહાર આવેલી કેટલીક તસવીરોમાં ફિલ્મ સેટની અંદરની ઝલક મળી છે, જેણે આ ફિલ્મના ભવ્ય સ્કેલ અને ટેક્નિકલ કારીગરીનો અણસાર આપી દીધો છે. ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભુમિકામાં છે. આ સાય-ફાઈ એપિકમાં ટાઈમ ટ્રાવેલનો કોન્સેપ્ટ છે અને તેની કહાની વિવિધ યુગોમાં ફેલાયેલી છે.

વાસ્તવિક વારાણસી (કાશી) માં શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોવાથી, રાજામૌલીએ હૈદરાબાદમાં ખુલ્લી જમીન પર આખું શહેર ફરીથી ઉભું કર્યું છે. આ સેટ અંદાજે 700 સ 400 ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે અને વાસ્તવિક શહેરની સરખામણીએ લગભગ 30% સ્કેલ પર બનાવાયો છે.

સેટમાં વારાણસીના ઘાટ, સાંકડી ગલીઓ અને પ્રાચીન મંદિરોને અત્યંત ચોકસાઈથી ઉભાં કરવામાં આવ્યા છે. દરેક ઇમારત માટે રીઅલ રેફરન્સ ઈમેજ, માપ અને આર્કિટેક્ચરલ ડિટેઈલ્સનો ઉપયોગ થયો છે, જેથી અસલીપણું જળવાઈ રહે. આ સેટનું સૌથી મોટું આકર્ષણ છે રત્નેશ્વર મહાદેવ મંદિર, જે તેની ઢળી ગયેલી રચના માટે જાણીતું છે. ફિલ્મમાં આ મંદિરને પણ તેનાં મૂળ ઢોળાવ અને ઊંડાઈ સાથે જ ફરી બનાવવામાં આવ્યું છે, જે એકદમ હૂબહૂ લાગે છે.

ફિલ્મ ત્રેતાયુગથી લઈને 2027 સુધીની સમયરેખામાં ફેલાયેલી છે. તેથી સેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તેને વિવિધ સમયગાળાઓ પ્રમાણે બદલાવી શકાય. ’વારાણસી’નું ટાઇટલ અને ફર્સ્ટ લુક હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં ભવ્ય ઇવેન્ટમાં લોન્ચ થયું હતું, જ્યાં લગભગ 50,000 ચાહકો હાજર રહ્યાં હતાં. આ ફિલ્મને અત્યાર સુધીની ભારતની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે અને તે એપ્રિલ 2027માં રિલીઝ થવાની તૈયારીમાં છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે ભીષણ અથડામણ: ભારે ગોળીબાર વચ્ચે અનેક જાનહાનિ

ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલો યુદ્ધવિરામ સમાપ્ત થતાની સાથે જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ શરૂ થયો છે. બુધવારે (25મી માર્ચ) પૂર્વી અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલા ભારે ગોળીબારમાં બે નાગરિકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના માહિતી નિર્દેશક ઝિયાઉર રહેમાન સ્પિનઘરના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામની મુદત પૂરી થતા જ પાકિસ્તાની દળોએ નારાઈ અને સરકાનો જિલ્લાઓ પર ડઝનબંધ તોપખાનાના ગોળા છોડ્યા હતા. આ હુમલામાં બે સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સામે પક્ષે, અફઘાન સરહદ સુરક્ષા દળોએ પણ આક્રમક વળતો જવાબ આપ્યો હતો. તાલિબાન અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમના વળતા પ્રહારમાં પાકિસ્તાની સેનાની ત્રણ લશ્કરી ચોકીઓ ધ્વસ્ત થઈ ગઈ છે અને એક પાકિસ્તાની સૈનિકનું મોત નીપજ્યું છે. જો કે, પાકિસ્તાન તરફથી આ નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પાકિસ્તાની સેનાએ આ મામલે મૌન સેવ્યું છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અફઘાન દળોએ પહેલા ગોળીબાર કરીને ઉશ્કેરણી કરી હતી. નોંધનીય છે કે સાઉદી અરેબિયા, તૂર્કિયે અને કતારની મધ્યસ્થીથી માંડ એક અઠવાડિયા પહેલા બંને દેશો શાંતિ માટે સહમત થયા હતા, પરંતુ આ સમજૂતી લાંબી ટકી શકી નથી.

સરહદી તણાવની સાથે સાથે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પણ પાકિસ્તાનની અંદર ફરી હુમલા શરૂ કરવાની જાહેરાત કરી છે. TTPએ અફઘાન તાલિબાનનું સહયોગી સંગઠન માનવામાં આવે છે. પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે અફઘાનિસ્તાન TTPના આતંકીઓને આશ્રય આપી રહ્યું છે, જેનો ઉપયોગ પાકિસ્તાન સામે કરવામાં આવે છે.

‘આખરી સવાલ’: ધૂરંધર 2 પછી સંજય દત્તની ધમાકેદાર વાપસી, એવોર્ડ વિજેતા ડિરેક્ટર સાથે નવી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર

સંજય દત્ત હાલમાં “ધુરંધર” અને “ધુરંધર ધ રીવેન્જ” ની જંગી સફળતાનો આનંદ માણી રહ્યો છે. એપીસી અસલમ ચૌધરીની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમના સંવાદો વાયરલ થયા હતા, પરંતુ હવે તે તેનાથી આગળ વધી રહ્યા છે અને એક નવી ફિલ્મમાં દેખાવા માટે તૈયાર છે. સંજય દત્તની આગામી ફિલ્મ “આખરી સવાલ” ની જાહેરાત કરવામાં આવી છે. શરૂઆતમાં, ફક્ત પહેલી ઝલક રિલીઝ કરવામાં આવી હતી, અને તેનાથી હલચલ મચી ગઈ હતી, પરંતુ હવે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. એક શક્તિશાળી પોસ્ટર સાથે, નિર્માતાઓએ સંજુ બાબાના પડદા પર પાછા ફરવાની તારીખ જાહેર કરી છે.

રિલીઝ તારીખ શું છે?
વધતી જતી અપેક્ષાઓ વચ્ચે, ૧૫ મે, ૨૦૨૬ ની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ‘આખરી સવાલ’ નું આ પોસ્ટર ખરેખર ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ગંભીરતા અને વિષયવસ્તુની સાચી ઝલક છે. મોટા પ્રશ્નાર્થ ચિહ્ન વચ્ચે સંજય દત્તનો ગંભીર ચહેરો આ પોસ્ટરને ખૂબ જ રસપ્રદ બનાવે છે, જેના કારણે ફિલ્મ વિશે ઉત્સુકતા વધે છે. તેની ટેગલાઇન તેને વધુ શક્તિશાળી બનાવે છે, ‘ધ ક્વેશ્ચન્સ ધેટ ઈન્ડિયા નેવર સ્ટોપ્ડ આસ્કિંગ.’ આ પોતે જ સૂચવે છે કે ફિલ્મ એવા વિષય પર આધારિત છે જેની સાથે ભારત લાંબા સમયથી ઝઝૂમી રહ્યું છે. ૧૫ મે, ૨૦૨૬ ની રિલીઝ તારીખ પણ પોસ્ટર પર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.

ફિલ્મનો પ્લોટ
વધુમાં, ‘આખરી સવાલ’ દર્શકો સમક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની 100 વર્ષની સફરની સાચી વાર્તા લાવે છે, જે ભારતના સૌથી જૂના અને સૌથી સંયુક્ત સંગઠનોમાંનું એક છે, જેની સ્થાપના 1925 માં કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. દર્શકો એક મહત્વપૂર્ણ બેઠકના સાક્ષી બનશે જેણે ભારતનું ભવિષ્ય બદલી નાખ્યું; આ ફિલ્મ ઇતિહાસની એવી વાર્તાઓમાં ડૂબકી લગાવશે જે આપણા પુસ્તકોમાં પણ જોવા મળતી નથી. તે રાષ્ટ્રની નિઃસ્વાર્થ સેવાના મૂળભૂત વિચાર પર પ્રકાશ પાડે છે અને દર્શકોને એવા સત્યો સામે લાવવાનું વચન આપે છે જે હજુ સુધી અકથિત અને અદ્રશ્ય રહ્યા છે. ભારતના યુવાનોના મનમાં આ સંગઠન વિશે ઘણા પ્રશ્નો અને ઊંડી જિજ્ઞાસા છે, જે મોટાભાગના લોકો માટે રહસ્ય રહે છે, કારણ કે તે સ્વ-પ્રમોશન અથવા પ્રેસ કોન્ફરન્સમાં માનતી નથી.

ફિલ્મના કલાકારો
આ ફિલ્મમાં સંજય દત્ત, અમિત સાધ, નમાશી ચક્રવર્તી, સમીરા રેડ્ડી, ત્રિધા ચૌધરી અને નીતુ ચંદ્રા જેવા સ્ટાર્સની શાનદાર કાસ્ટ છે. અનુભવી અને પ્રતિભાશાળી કલાકારો સાથે, આ ફિલ્મ દર્શકો પર કાયમી અસર છોડવા માટે તૈયાર છે. 2021 માં મરાઠી નાટક “પિકાસો” થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર અભિજીત મોહન વારંગને 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સ્પેશિયલ મેન્શન મળ્યું. તેમણે મરાઠી અને હિન્દી બંને ભાષામાં સતત ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. તેમની કેટલીક કૃતિઓમાં “દેજા વુ”, “પ્રેમ પ્રથા ધૂમશાન”, “પિકોલો” અને ટૂંકી ફિલ્મ “વર્ચ્યુઅલ રિયાલિટી”નો સમાવેશ થાય છે.

ફિલ્મના નિર્માતાઓ સંબંધિત માહિતી
નીમ ટ્રી એન્ટરટેઈનમેન્ટ અને નિખિલ નંદા મોશન પિક્ચર્સના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મના નિર્માતાઓએ હોટસ્ટાર અને અન્ય પ્લેટફોર્મ માટે ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી લીધા છે. ‘આખરી સવાલ’નું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અભિજીત મોહન વારંગ દ્વારા કરવામાં આવ્યું છે. નિખિલ નંદા અને ધનરાજ નથવાણી દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું નિર્માણ નિખિલ નંદા અને સંજય દત્ત દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે પુનીત નંદા, ડૉ. દીપક સિંહ, ગૌરવ દુબે અને ઉજ્જવલ આનંદ તેના સહ-નિર્માતા છે. ફિલ્મની વાર્તા, પટકથા અને સંવાદો ઉત્કર્ષ નાથાની દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મ 15 મે 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

પેટ્રોલ ₹5.30 અને ડીઝલ ₹3 મોંઘું: 35 દિવસના શટડાઉન બાદ મોટી કંપનીએ વધાર્યા ભાવ

0

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર ભારત પર પડી રહી છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભારતની એક મોટી ખાનગી ઈંધણ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ભારતમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5.30 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો કર્યો છે.

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટથી આવતા ઓઈલ ટેન્કરોની અવરજવર ભારે ખોરવાઈ ગઈ છે. તેલની અછતને કારણે, દેશના ઘણા શહેરોમાં લોકો ઈંધણની અછતથી ચિંતિત થઈને પોતાના વાહનોમાં પેટ્રોલ ભરવા માટે પેટ્રોલ પંપો પર દોડી રહ્યા છે. પરિણામે, ઘણા પેટ્રોલ પંપોએ “નો સ્ટોક” ના ચિહ્નો દર્શાવ્યા છે.

તમારા શહેરમાં પેટ્રોલનો ભાવ શું છે?
ઈરાન યુદ્ધને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. ગુરુવારે તમારા શહેરમાં પેટ્રોલના ભાવ જાણો:

શહેરપ્રતિ લિટર ભાવ (રૂપિયામાં)
હૈદરાબાદ૧૦૭.૪૬
કોલકાતા૧૦૫.૪૧
મુંબઈ૧૦૩.૫૪
બેંગલુરુ૧૦૨.૯૨
ભુવનેશ્વર૧૦૧.૧૯
ચેન્નાઈ૧૦૦.૮૦
ગુરુગ્રામ૯૫.૫૭
નોઈડા૯૫.૧૬
દિલ્હી૯૪.૭૭
ચંદીગઢ૯૪.૩૦

રશિયન દિગ્ગજ કંપની રોઝનેફ્ટ દ્વારા સમર્થિત નાયરા એનર્જી એપ્રિલથી શરૂ થતાં આશરે 35 દિવસ માટે કામગીરી સ્થગિત કરશે . તેની વાર્ષિક ક્ષમતા 20 મિલિયન ટન છે. બંધ થવાથી ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતામાં આશરે 8% ઘટાડો થશે. કંપનીએ જણાવ્યું હતું કે જાળવણીને કારણે રિફાઇનરી 35 દિવસ માટે બંધ રહેશે. નાયરા એનર્જીના દેશભરમાં અસંખ્ય પેટ્રોલ પંપ છે, અને આગામી દિવસોમાં ઇંધણની અછત થવાની સંભાવના છે.

વિશ્વ તેલ સંકટને દૂર કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ઈરાન-યુએસ/ઇઝરાયલ સંઘર્ષમાં ઘટાડો થવાના સંકેતો પછી, યુક્રેન દ્વારા રશિયા પર હુમલાઓએ ચિંતા વધારી દીધી છે. ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી કરવાથી તેલની હિલચાલમાં ભારે વિક્ષેપ પડ્યો છે. રશિયન તેલ વિશ્વની ઊર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર ભાગ પૂર્ણ કરે છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જો કે, હવે રશિયન તેલ સંકટનો સામનો કરી રહ્યું છે.

યુક્રેનના તાજેતરના હુમલાઓએ રશિયાને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનિયન ડ્રોન હુમલાઓએ રશિયાની તેલ પાઇપલાઇનોને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે અને અનેક ટેન્કરો જપ્ત કર્યા છે. આનાથી રશિયાની તેલ નિકાસ ક્ષમતાના ઓછામાં ઓછા 40% ભાગ ખોરવાઈ ગયો છે . વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા તેલ નિકાસકાર રશિયા માટે આ એક ગંભીર સંકટ છે.

રશિયા સાથે આ કટોકટી એવા સમયે આવી છે જ્યારે ઈરાન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100 થી ઉપર પહોંચી ગયા છે. ગુરુવારે બ્રેન્ટ ઓઈલના ભાવ લગભગ 2 ટકા વધીને $104 પ્રતિ બેરલને વટાવી ગયા. યુએસ ક્રૂડ ઓઈલ (WTI) પણ લગભગ 2 ટકા વધીને $92 પ્રતિ બેરલને પાર કરી ગયું.