Home Blog Page 13

સુરત નવી સિવિલમાં રેગિંગનો મામલો: ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

સુરત: નવી સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ સુભાષચંદ્ર પંડ્યાના આપઘાતના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ દરમિયાન ડૉ. હર્ષને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા માનસિક ત્રાસ અને રેગિંગ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કોલેજ અને હોસ્પિટલ પ્રશાસને ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે.

ચાર સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

રેગિંગની ફરિયાદ અને તપાસમાં સામે આવેલી વિગતોને પગલે ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓને હોસ્પિટલ, પીજી હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની ડૉ. હર્ષ પંડ્યા સુરતની સરકારી મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે પણ ફરજ બજાવતા હતા અને હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતા હતા.

9 ઓગસ્ટની સવારે ડૉ. હર્ષ પોતાની નિયમિત ફરજ પર હાજર ન થતાં એક સિનિયર ડૉક્ટરે તેમને ફોન કર્યો હતો. જોકે, તેમનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. ત્યારબાદ હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડૉક્ટરને તેમના રૂમ પર જઈ તપાસ કરવા જણાવાયું હતું.

રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. અનેક વખત બૂમ પાડવા અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા છતાં કોઈ જવાબ ન મળતાં સિક્યોરિટી સ્ટાફની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર તપાસ કરતાં ડૉ. હર્ષ પંખા સાથે દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ, ડૉક્ટરો અને ખટોદરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આરોગ્ય મંત્રીના આદેશ બાદ તપાસ કમિટી રચાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચવાનો આદેશ આપ્યો હતો.

મંત્રીએ મૃતક ડૉ. હર્ષના પિતા સાથે ફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી અને સમગ્ર મામલે યોગ્ય તપાસ તથા ન્યાયની ખાતરી આપી હતી.

પિતાએ કહ્યું- સિનિયરોની થોડી તકલીફ રહેતી હતી

ડૉ. હર્ષના પિતા સુભાષચંદ્ર પંડ્યાના જણાવ્યા અનુસાર, હર્ષે અગાઉ સિનિયરો તરફથી થતી કેટલીક મુશ્કેલી અંગે વાત કરી હતી. જોકે, તેણે કોઈ મોટી સમસ્યા હોવાનું પરિવારને જણાવ્યું ન હોવાનું તેમના પિતાએ કહ્યું હતું.

ફેબ્રુઆરીમાં જ મેડિકલ કોલેજમાં પ્રવેશ, ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા

ડૉ. હર્ષ પંડ્યાએ ગત ફેબ્રુઆરીમાં સુરતની સરકારી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલાં તેની સગાઈ પણ થઈ હતી અને ડિસેમ્બરમાં લગ્ન યોજાવાના હતા.

હર્ષના અચાનક મૃત્યુથી પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ

ડૉ. હર્ષના મોત બાદ પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરતાં ફરીથી ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી.

પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ ફોરેન્સિક નિષ્ણાતોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું હતું. પ્રાથમિક તારણ મુજબ મોત ફાંસો ખાવાથી થયું હોવાનું સામે આવ્યું છે.

મોબાઇલ અને લેપટોપ પોલીસ કબજામાં

ખટોદરા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે ડૉ. હર્ષનો મોબાઇલ ફોન અને લેપટોપ કબજે કર્યા છે. આ ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા હોસ્ટેલના રૂમમાંથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

હાલ સમગ્ર મામલે પોલીસ અને કોલેજ પ્રશાસન દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. રેગિંગ અંગેની તપાસમાં સામે આવેલી વિગતોના આધારે ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે છ મહિનાની સસ્પેન્શન કાર્યવાહી કરવામાં આવી છે.

सेंट्रल बैंक ऑफ इंडिया ने संस्थापक सर सोराबजी पोचखानवाला की 145वीं जयंती पर देशभर में चलाया ‘एक वृक्ष मां के नाम’ अभियान

  • जीवन विकास ट्रस्ट, अडाजन (सूरत) में आयोजित मुख्य कार्यक्रम की अध्यक्षता क्षेत्रीय प्रमुख श्री निशांत रंजन ने की
  • भरूच, वापी, वलसाड, नवसारी, दमन-दीव और सिलवासा में भी हुआ वृक्षारोपण एवं कर्मचारियों द्वारा रक्तदान
    सूरत, 09 अगस्त 2026:
    सेंट्रल बैंक ऑफ इंडिया द्वारा आज, 09 अगस्त 2026 को बैंक के दूरदर्शी संस्थापक सर सोराबजी पोचखानवाला की 145वीं जयंती अत्यंत उत्साह और श्रद्धा के साथ मनाई गई। इस अवसर पर बैंक ने अखिल भारतीय स्तर पर अपनी सभी शाखाओं के माध्यम से हर एक प्रांत और शहर में व्यापक वृक्षारोपण कार्यक्रम का आयोजन किया, जिसे ‘एक वृक्ष मां के नाम’ शीर्षक दिया गया।
    इस राष्ट्रव्यापी अभियान के तहत सेंट्रल बैंक ऑफ इंडिया के सूरत रीजन में भी विशेष कार्यक्रमों का आयोजन किया गया। सूरत में मुख्य कार्यक्रम जीवन विकास ट्रस्ट, अडाजन में आयोजित किया गया, जिसकी अध्यक्षता रीजनल हेड (क्षेत्रीय प्रमुख) श्री निशांत रंजन ने की।
    विस्तृत क्षेत्र में पर्यावरण संरक्षण और सामाजिक पहल
    सूरत रीजन के अंतर्गत आने वाले अन्य प्रमुख क्षेत्रों जैसे भरूच, वापी, वलसाड, नवसारी, दमन-दीव और सिलवासा में स्थित सेंट्रल बैंक की शाखाओं द्वारा भी उत्साहपूर्वक वृक्षारोपण किया गया।
    पर्यावरण संरक्षण के साथ-साथ सामाजिक उत्तरदायित्व का निर्वहन करते हुए, सेंट्रल बैंक ऑफ इंडिया के स्टाफ सदस्यों द्वारा रक्तदान शिविर का भी आयोजन किया गया। बैंक के अधिकारियों एवं कर्मचारियों ने बढ़-चढ़कर स्वेच्छा से रक्तदान किया।
    कार्यक्रम को संबोधित करते हुए रीजनल हेड श्री निशांत रंजन ने कहा:

“हमारे संस्थापक सर सोराबजी पोचखानवाला जी के दूरदर्शी विचारों और जन-सेवा की भावना को आगे बढ़ाते हुए सेंट्रल बैंक ऑफ इंडिया सदैव तत्पर रहता है। ‘एक वृक्ष मां के नाम’ अभियान के जरिए हमने न केवल प्रकृति के प्रति अपना कर्तव्य निभाया है, बल्कि रक्तदान के माध्यम से मानव सेवा की एक मिसाल भी पेश की है।”

इस अवसर पर बैंक के वरिष्ठ अधिकारी, कर्मचारीगण, संस्था के प्रतिनिधि एवं स्थानीय नागरिक उपस्थित रहे और कार्यक्रम को सफल बनाया।

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના Mega MSME Outreach Campaignમાં ₹261 કરોડનું બિઝનેસ અચીવમેન્ટ

0

આજે તા. 07.08.2026ના રોજ GIDC Bhatpur Industrial Association, Surat ખાતે આયોજિત Mega MSME Outreach Campaignમાં આપ સૌની સાથે જોડાઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, જેને ભારતની પ્રથમ સ્વદેશી બેંક હોવાનો ગૌરવ પ્રાપ્ત છે, આજે દેશભરમાં 100થી વધુ સ્થળોએ Mega MSME Credit Outreach Campaignનું આયોજન કરી રહી છે. છેલ્લા 115 વર્ષોથી અમારી બેંક દેશની આર્થિક પ્રગતિ અને ઉદ્યોગસાહસિકતાને મજબૂત બનાવવામાં સતત યોગદાન આપી રહી છે.

આપ સૌને જણાવતાં અમને અત્યંત આનંદ થાય છે કે આજના આ અભિયાન દરમિયાન ₹105.29 કરોડના Fresh Sanctions પ્રાપ્ત થયા છે, જ્યારે ₹156.58 કરોડના MSME Business Leads જનરેટ થયા છે. આ રીતે આ અભિયાન દરમિયાન કુલ ₹261 કરોડનું Business Achievement નોંધાયું છે.
આ સિદ્ધિ MSME ક્ષેત્ર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા તેમજ ઉદ્યોગસાહસિકો અને ઔદ્યોગિક એકમો દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર મૂકવામાં આવેલા વિશ્વાસને દર્શાવે છે.

આ વિશેષ અભિયાન દરમિયાન ગ્રાહકો અને ઉદ્યોગસાહસિકોને URC, Social Security Schemes, Re-KYC/C-KYC, PM Surya Ghar Yojana, “Aapki Punji – Aapka Adhikar”, ECLGS 5.0, e-MSME Advisory Services તેમજ બેંકની વિવિધ Cluster Based Schemes જેવી કે Cent Hotel, Cent Electricals, Cent Engineering, Cent Ceramics, Cent Toys, Cent Textiles, Cent WHR, Cent Leather અને Cent Food Processing અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સમગ્ર ભારતમાં 4500થી વધુ શાખાઓ છે. બેંકે દેશભરમાં 10થી વધુ ક્લસ્ટર્સની ઓળખ કરી છે, જે 164 જિલ્લાઓમાં 225 Cluster-linked Branches મારફતે MSME ક્ષેત્રના વિકાસને વેગ આપી રહ્યા છે.
આ શાખાઓ દ્વારા ગ્રાહકોને Cluster Based Schemes હેઠળ Fast Loan Approval અને Best Interest Ratesની સુવિધા આપવામાં આવી રહી છે.

અમને ગર્વ છે કે જૂન 2026ના ત્રિમાસિક ગાળામાં બેંકે MSME ક્ષેત્રમાં 18%થી વધુ વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે બેંકના કુલ Advancesમાં 28.57%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ અમારા ગ્રાહકોના વિશ્વાસ અને બેંક દ્વારા આપવામાં આવતી ઉત્તમ સેવાઓનું પરિણામ છે.

બેંક આજે સમગ્ર દેશમાં MSME Credit Outreach Programmeનું આયોજન કરી રહી છે અને આગામી 17 ઓગસ્ટના રોજ Agriculture Outreach Programme તથા 21 ઓગસ્ટ 2026ના રોજ Retail Outreach Programmeનું આયોજન કરવામાં આવનાર છે.

આ ઉપરાંત, બેંક “Ghar Se Vyapar Tak” અભિયાન અંતર્ગત Housing Loan ગ્રાહકો, Current Account Holders તથા નાના ઉદ્યોગસાહસિકોને આકર્ષક વ્યાજ દરે નાણાકીય સહાય પૂરી પાડી રહી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં e-MSME Advisory Services Portal પણ શરૂ કર્યું છે, જે ગ્રાહકોને એકીકૃત Advisory Platform પૂરો પાડે છે.
આ પોર્ટલ દ્વારા Startup Registration, GST, DPR Preparation, Udyam Registration, Compliance Health Check-up, ZED Certification તથા Operational Excellence જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

અંતમાં, અમે અમારા તમામ માનનીય ગ્રાહકો અને ઉદ્યોગસાહસિકોનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આ અભિયાનને સફળ બનાવ્યું છે.
અમે સૌને અપીલ કરીએ છીએ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ પહેલ સાથે જોડાઓ અને બેંકની વિવિધ યોજનાઓ તથા નાણાકીય સેવાઓનો મહત્તમ લાભ લો.

આભાર.

પહાડ પર બનાવ્યો માત્ર એક વિડિયો અને મળી ₹7 લાખથી વધુની નોકરી! પહાડી પ્રેમીઓ માટે મોટી ખબર

સામાન્ય રીતે નોકરી માટે તો રિઝ્યૂમે મોકલવાનું હોય, ઈન્ટરવ્યૂ આપવાનો હોય અને કોઈ ઓફિસમાં બેસવાનું હોય પરંતુ આ નોકરી માટે માત્ર એક વીડિયો બનાવવાનો પ્રસ્તાવ અને પસંદગી થઈ જાય તો એક મહિના માટે લગભગ ₹7 લાખથી વધુનો પગાર મળે! ચીનના હેનાન પ્રાંતના પ્રસિદ્ધ લાઓજુંન પર્વત પર આવી જ અનોખી નોકરી માટે હજારો લોકો મેદાનમાં ઉતર્યા હતા. અંતે 22 વર્ષના કન્ટેન્ટ ક્રિએટર લી સિશેન, જે સોશિયલ મીડિયા પર ‘શિયાઓ ઝાઓ’ નામથી ઓળખાય છે, આ તક જીતી ગયા.

લાઓજુંન માઉન્ટેનના ‘ક્લાઉડ સી ઓબ્ઝર્વર’ માટે 3,587 અરજીઓ મળી હતી. ઉમેદવારોએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Douyin પર ઓરિજિનલ વીડિયો પોસ્ટ કરવાનો હતો. પસંદગીમાં વીડિયો ક્વોલિટી, લાઇક્સ અને તેની પહોંચ જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા. લી સિશેને પોતાના માતા-પિતા સાથે રાત્રે લાઓજુંન પર્વત ચઢીને વીડિયો બનાવ્યો હતો. વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખથી વધુ એન્ગેજમેન્ટ મળ્યા બાદ તેઓ પસંદ થયા.

16 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી તેમને પર્વતની ટોચ પર રહીને દરરોજ વાદળોના બદલાતા નજારા રેકોર્ડ કરવા અને ઓછામાં ઓછો એક શોર્ટ વીડિયો પોસ્ટ કરવાનો છે. બદલામાં તેમને 60,000 યુઆન એટલે કે લગભગ ₹7 લાખથી વધુનું પ્રી-ટેક્સ મહેનતાણું મળશે, જ્યારે રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવશે.

જોકે દેખાવમાં આ ‘ડ્રીમ જોબ’ જેવી લાગે છે, પરંતુ પર્વત પર સતત શૂટિંગ, બદલાતું હવામાન અને યોગ્ય શોટ મેળવવાની મહેનત તેને સરળ કામ રહેવા દેતી નથી.

આ નોકરીની લોકપ્રિયતા ચીનના યુવાનોની રોજગારની સ્થિતિને પણ દર્શાવે છે. નેશનલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, જૂન 2026માં 16થી 24 વર્ષની વયના યુવાનોનો બેરોજગારી દર 14.9% હતો. આ દરમિયાન 1.27 કરોડ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન બાદ રોજગાર બજારમાં પ્રવેશી રહ્યા છે.

સુરતમાં 12 ઓગસ્ટે પાણી કાપ માટે થઈ જજો તૈયાર! આ વિસ્તારોમાં કલાકો સુધી નહીં આવે પાણી

સુરતીઓ માટે મહત્વના સમાચાર છે. જો તમે વરાછા, અશ્વિનીકુમાર, ફુલપાડા, કાપોદ્રા કે શહેરના મધ્ય વિસ્તારમાં રહેતા હો, તો 12 ઓગસ્ટે પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાણી વિતરણ લાઇનમાં લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

સુરતના જુના પૂર્વ ઝોન (વરાછા-એ) વિસ્તારમાં વરાછા મેઇન રોડ પર બરોડા પ્રીસ્ટેજ જંકશન નજીક આવેલી 1219 મીમી વ્યાસની M.S. ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં લીકેજ રિપેરિંગનું કામ કરવામાં આવશે. આ લાઇન વરાછા તેમજ સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મહાનગરપાલિકા મુજબ કામગીરી 11 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈને 12 ઓગસ્ટે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની શક્યતા છે. આ દરમિયાન અલગ-અલગ ઝોનમાં અલગ સમયગાળા માટે પાણી પુરવઠો બંધ રહેશે.

12 ઓગસ્ટે સવારે 5થી 8 વાગ્યા સુધી સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં પાણી પુરવઠો બંધ રહેશે. તેમાં રાજમાર્ગથી દક્ષિણ તરફના બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા તેમજ આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. રેલવે સ્ટેશન અને સુમુલ ડેરી વિસ્તાર પણ અસરગ્રસ્ત રહેશે.

પૂર્વ ઝોન-એ (વરાછા)માં બપોરે 12:30થી 3:45 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા, સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ સહિત આસપાસના વિસ્તારોમાં તેની અસર પડશે.

રિપેરિંગ પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા ઓછા જથ્થામાં પાણી મળવાની શક્યતા છે. પાલિકાએ નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવા અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. કામગીરી સમય પહેલાં પૂર્ણ થશે તો પાણી પુરવઠો વહેલી તકે સામાન્ય કરી દેવામાં આવશે.

સાપે ડંખ માર્યો તો ડરવાને બદલે યુવકે કર્યું કંઈક એવું, વાંચીને તમે પણ ચોંકી જશો

0

છત્તીસગઢના કાંકેર જિલ્લાના પખાંજુર વિસ્તારમાં એવું ચોંકાવનારું દૃશ્ય બન્યું જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. સાંપ ના ડંખ મારતા યુવક અસહાય અને ભયભીત થવાને બદલે સાપને ગળામાં વીંટાળી બાઇક પર હોસ્પિટલ પહોંચી ગયો હતો જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ, યુવક સાપને રેસ્ક્યૂ કરવાના કામ સાથે જોડાયેલો હતો. રેસ્ક્યૂ દરમિયાન સાપે તેને ડંખ માર્યો હતો. ત્યારબાદ સાપને છોડવાને બદલે યુવકે તેને પોતાના ગળામાં વીંટાળી લીધો અને સારવાર માટે હોસ્પિટલ જવા બાઇક ચલાવી હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, તેણે લગભગ 14 કિલોમીટરનો રસ્તો આ રીતે કાપ્યો હતો.

યુવકનો હેતુ હોસ્પિટલમાં ડોક્ટરોને સાપની ઓળખ કરાવવામાં મદદ કરવાનો હોવાનું જણાવાય છે. રસ્તામાં આ અસામાન્ય દૃશ્ય જોઈ કોઈ વ્યક્તિએ વીડિયો બનાવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

જોકે, નિષ્ણાતોની સલાહ મુજબ સાપ કરડ્યા બાદ તેને પકડવો કે શરીર પાસે રાખવો અત્યંત જોખમી છે. આવી સ્થિતિમાં સાપથી દૂર રહી તેની તસવીર લેવી શક્ય હોય તો લઈ શકાય, પરંતુ જીવ જોખમમાં મૂકવો નહીં. પીડિતને શક્ય તેટલી ઝડપથી તબીબી સારવાર મળે તે સૌથી મહત્વપૂર્ણ છે.

રશિયાનું તેલ કે અમેરિકાનો 100% ટેરિફ? ભારત સામે આવી શકે છે મોટું સંકટ!

રશિયાથી સસ્તું ક્રૂડ ખરીદીને ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરી છે, પરંતુ હવે આ જ સોદો નવી મુશ્કેલી ઊભી કરી શકે છે. અમેરિકી સેનેટે રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે 100% સુધી વધારાનો ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિને આપતા બિલને મંજૂરી આપી હતી. ભારત આ બિલની સીધી અસર ભોગવી શકે તેવા મુખ્ય દેશોમાં શામેલ છે.

આ બિલ સેનેટમાં 86-11 મતથી પસાર થયું અને હવે તે અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે. કાયદો બન્યા બાદ રશિયન તેલ-ગેસની ખરીદી ચાલુ રાખનારા મુખ્ય દેશો સામે 100% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા અમેરિકી રાષ્ટ્રપતિને મળી શકે છે.

ભારત માટે મામલો ગંભીર છે કારણ કે રશિયા દેશનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીયેટીવે (GTRI) અનુસાર, નાણાકીય વર્ષ 2026માં ભારતે કુલ 134.7 અબજ ડોલરનું ક્રૂડ આયાત કર્યું હતું, જેમાં રશિયાનો હિસ્સો 40.8 અબજ ડોલર એટલે કે 30.3% હતો.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીયેટીવેGTRIનું કહેવું છે કે સસ્તા રશિયન ક્રૂડથી ભારતનું આયાત બિલ ઘટાડવામાં, ઊર્જા સુરક્ષા જાળવવામાં અને મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ મળી છે. સંસ્થાના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ભારતે અમેરિકી ટેરિફની ધમકીના આધારે પોતાની ઊર્જા નીતિ નક્કી ન કરવી જોઈએ.

ભારત માટે હવે પડકાર માત્ર રશિયન તેલ ખરીદવાનો નથી, પરંતુ ઊર્જા સુરક્ષા, વધતી આયાત કિંમત અને અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો વચ્ચે સંતુલન જાળવવાનો છે.

CJP વિરોધ બાદ PM મોદીએ Gen Zને શું આપ્યો પ્રથમ જાહેર સંદેશ?

0

દિલ્હીના જંતર-મંતર પર થયેલા યુવા આંદોલન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો દેશની નવી પેઢી તરફ વિશ્વાસનો હાથ લંબાવ્યો છે. IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં તેમણે યુવાનોને માત્ર નોકરી કે કરિયરની દોડ પૂરતી નહીં, પરંતુ આગામી દાયકાઓમાં દેશના વિકાસની જવાબદારી સંભાળવા તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે.

નવી દિલ્હીમાં આજે IIT દિલ્હીના દીક્ષાંત સમારોહને સંબોધતા PM મોદીએ કહ્યું કે દરેક પેઢી સામે પોતાના સમયના પડકારો હોય છે અને તેની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ હોય છે. તેમણે યુવાનોને પોતાના નિર્ણયો લેતી વખતે એ વિચારવાની અપીલ કરી કે તેમના કામથી દેશને શું લાભ થઈ શકે છે.

PM મોદીએ કહ્યું કે આગામી 30થી 35 વર્ષ યુવાનોના જીવન માટે મહત્વપૂર્ણ રહેશે અને આ સમયગાળો ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાની યાત્રા પર પણ અસર કરશે. તેમણે ઝડપથી બદલાતી ટેક્નોલોજી અને વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સતત નવી વસ્તુઓ શીખતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

યુવાનો સાથે સીધું જોડાણ બનાવતા PM મોદીએ ભારતના સ્પેસ સેક્ટરનું ઉદાહરણ આપ્યું છે. તાજેતરમાં ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે વિકસાવેલા વિક્રમ-1 રોકેટની સફળતા તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું કે આજે યુવાનો માટે નવા ક્ષેત્રો ખુલ્યા છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસાવાયેલ ઓર્બિટલ રોકેટ બન્યું છે અને તેની સફળતાને દેશના ખાનગી સ્પેસ સેક્ટર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી છે.

PM મોદીએ Gen Zની ભાષાનો ઉપયોગ કરતાં એવી કલ્પના રજૂ કરી કે ભારતનો કોઈ યુવાન આજે કહી રહ્યો હશે—‘મારી વંશપરંપરામાં રોકેટ બનાવનાર પ્રથમ વ્યક્તિ હું છું.’ તેમણે ડ્રોન ક્ષેત્રના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા ઉપરાંત દવાઓ પહોંચાડવા જેવા કામોમાં થઈ રહ્યો છે.

PM મોદીના આ સંબોધનનું મહત્વ એટલા માટે પણ વધ્યું છે કે જંતર-મંતર પર CJPના નેતૃત્વમાં થયેલા NEET-UG 2026 પેપર લીક વિરોધી આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. પ્રધાનનું રાજીનામું વિરોધ કરી રહેલા યુવાનોની મુખ્ય માંગોમાંનું એક હતું.

આ સમગ્ર પૃષ્ઠભૂમિમાં PM મોદીનો સંદેશ સ્પષ્ટ હતો—યુવાનો દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાન પરિવર્તનના મુખ્ય ભાગીદાર પણ છે.

હવે હવામાંથી બનશે પીવાનું પાણી! જાણો નોઇડાની આ ટેક્નોલોજીનો કમાલ

પાણી માટે નળ, બોરિંગ કે ભૂગર્ભજળ પર નિર્ભર રહેવાનો સમય કદાચ ધીમે ધીમે બદલાઈ શકે છે. નોઈડામાં રજૂ થયેલી એક નવી ટેક્નોલોજી હવામાં રહેલા ભેજમાંથી પીવાનું પાણી તૈયાર કરવાનો દાવો કરી રહી છે. જો આ ટેક્નોલોજી મોટા પાયે સફળ થાય, તો પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે તે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.

ગ્રેટર નોઈડાના India Expo Centre & Mart ખાતે યોજાયેલા India International Hospitality Expo 2026માં નોઈડા સ્થિત WAE કંપનીએ Atmospheric Water Generator (AWG) રજૂ કર્યું હતું. આ મશીન વાતાવરણની ભેજને કન્ડેન્સેશન પ્રક્રિયા દ્વારા પાણીમાં ફેરવે છે અને ત્યારબાદ ફિલ્ટરેશન તથા શુદ્ધિકરણ પ્રક્રિયા મારફતે તેને પીવાલાયક બનાવવામાં આવે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘર ઉપરાંત હોટેલ, એરપોર્ટ, હોસ્પિટલ, ઓફિસ અને અન્ય સંસ્થાઓમાં થઈ શકે છે. WAE સાથે જોડાયેલી શિવિકા સિંહે પણ પાણીના વિકલ્પો અને સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ અંગે કામ કર્યું છે.

જોકે નિષ્ણાતોના અભ્યાસ મુજબ AWGથી મળતા પાણીનું પ્રમાણ હવામાં રહેલી ભેજ અને તાપમાન પર ઘણું નિર્ભર રહે છે. તેથી ઓછા ભેજવાળા વિસ્તારોમાં તેની કાર્યક્ષમતા અલગ હોઈ શકે છે.

સરળ ભાષામાં કહીએ તો, આ ટેક્નોલોજી ‘હવામાંથી પાણી’ મેળવવાની સંભાવનાને વાસ્તવિક ઉપયોગ તરફ લઈ જતી દિશામાં એક રસપ્રદ પગલું છે.

આસામના પૂરમાં અદભૂત દૃશ્ય! બધું વહેતું રહ્યું, હનુમાનજીની મૂર્તિ રહી અડીખમ

0

આસામમાં પૂરનું પાણી જ્યાં ઘર, રસ્તા અને આસપાસની અનેક વસ્તુઓને પોતાની સાથે વહાવી રહ્યું છે, ત્યાં સોશિયલ મીડિયા પર સામે આવેલો એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં પાણી અને કાદવથી ઘેરાયેલા વિસ્તારમાં હનુમાનજીની મૂર્તિ અડીખમ ઊભેલી જોવા મળે છે. આ વીડિયો સિમસાગર જિલ્લાના બામુનપુખુરી વિસ્તારનો હોવાનું સોશિયલ મીડિયા પર જણાવાઈ રહ્યું છે.

સ્થળ પર નુકસાનના નિશાન વચ્ચે હનુમાનજીની પ્રતિમા પોતાની જગ્યાએ ઊભી જોવા મળતાં લોકો ભાવુક થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને ‘બજરંગબલીનો ચમત્કાર’ ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને મુશ્કેલીના સમયમાં આસ્થા અને હિંમતના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો મૂર્તિ સમક્ષ નતમસ્તક થતા પણ જોવા મળે છે.

આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે આસામમાં પૂરનું સંકટ ગંભીર છે. 8 ઓગસ્ટના સત્તાવાર આંકડા મુજબ રાજ્યના 13 જિલ્લાઓમાં આશરે 1.55 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 98 પર પહોંચી ગયો છે.

સિમસાગર સહિત અપર આસામના અનેક વિસ્તારોમાં પૂરથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સિમસાગર જિલ્લાના સત્તાવાર ફ્લડ કન્ટિજેન્સી પ્લાનમાં બામુનપુખુરી બાગીચા સહિત અનેક વિસ્તારોને પૂર માટે સંવેદનશીલ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

હનુમાનજીની મૂર્તિ સાથે જોડાયેલો વીડિયો લોકોમાં ભાવનાત્મક ચર્ચાનો વિષય બન્યો છે અને મુશ્કેલીના સમયમાં વિશ્વાસ તથા હિંમતનો સંદેશ આપી રહ્યો છે.